Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાત'અવાજ કરીશ તો જીવતી નહીં રહેવા દઉં': ધોળકાની હિંદુ સગીરા પારિવારિક મિત્ર...

    ‘અવાજ કરીશ તો જીવતી નહીં રહેવા દઉં’: ધોળકાની હિંદુ સગીરા પારિવારિક મિત્ર મહોમ્મદ શકીલની હવસનો ભોગ બની, એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો; પોલીસે ધરપકડ કરી

    વહેલી સવારે શકીલ મોકો જોઇને પીડિતાના ઘરમાં ઘૂસી ગયો હતો. એકલી અને લાચાર સગીરા કશું સમજે તે પહેલા જ આરોપી તેના પર તૂટી પડ્યો હતો. આ દરમિયાન પીડિતાએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરતા શકીલે 'અવાજ કરીશ તો જીવતી નહીં રહેવા દઉં' તેમ ધમકી આપી તેના મોઢા પર ડૂમો દઈ બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    ધોળકાની હિંદુ સગીરા પર મુસ્લિમ યુવક મહોમ્મદ શકીલે બળાત્કાર ગુજાર્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. 15 વર્ષીય સગીરા ઘરમાં એકલી હતી ત્યારે પરિવારના જ પરિચિત મહોમ્મદ શકીલે તેને પીંખી નાખી હતી. આરોપીએ ધમકી આપવા છતાં પીડિતાએ બુમાબુમ કરતા આસપાસના લોકોને આવતા જોઈ શકીલ ભાગી છુટ્યો હતો. જોકે પીડિતાના પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા તેની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી.

    અહેવાલો મુજબ ધોળકાની હિંદુ સગીરા બળાત્કાર ભોગ બનતા સ્થાનીકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી મહોમ્મદ શકીલ પીડિતાના પરિવારને પહેલેથી જ ઓળખતો હતો. આ ઉપરાંત તે પીડિતાના ઘરે પણ આવતો-જતો રહેતો હતો. આ દરમિયાન પરિવારની 15 વર્ષીય સગીરાને જોઇને તેની દાનત ખરાબ થઇ હતી.

    તેવામાં તેને જાણ થઇ હતી કે પીડિતાના પરિવારના લોકો નોકરી પર ગયા છે. વહેલી સવારે શકીલ મોકો જોઇને પીડિતાના ઘરમાં ઘૂસી ગયો હતો. એકલી અને લાચાર સગીરા કશું સમજે તે પહેલા જ આરોપી તેના પર તૂટી પડ્યો હતો. આ દરમિયાન પીડિતાએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરતા શકીલે ‘અવાજ કરીશ તો જીવતી નહીં રહેવા દઉં’ તેમ ધમકી આપી તેના મોઢા પર ડૂમો દઈ બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ સગીર બાળકીથી શકીલની બર્બરતા સહન ન થતા તેણે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન શકીલ મોકો જોઇને ભાગી છૂટ્યો હતો.

    - Advertisement -

    ધરપકડ બાદ શકીલે ગુનો કબુલ્યો

    પીડિતાએ શકીલની હરકત વિશે લોકોને જણાવતા તાત્કાલિક તેના પિતાને જાણ કરવામાં આવી હતી. પીડિતાએ પિતાને તેની સાથે થયેલા બળાત્કાર વિશે જણાવતા તેમણે ધોળકા પોલીસ સ્ટેશનમાં આરોપી મોહમ્મદ શકીલ ખલીફ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવતા ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી.

    પોલીસે ધરપકડ કર્યા બાદ શકીલે પણ પોતે આચરેલા દુષ્કર્મની કબુલાત કરી હતી. વિડીયોગ્રાફર તરીકે કામ કરતા 26 વર્ષીય મોહમ્મદ શકીલે તે પણ સ્વીકાર્યું હતું કે સગીરાને એકલી જોઈ તે તેના ઘરમાં ઘુસી ગયો હતો. હાલ ધોળકા પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી બળાત્કાર કરનાર મુસ્લિમ આરોપી મહોમ્મદ શકીલ ખલીફ વિરુદ્ધ ગુનો નોંધી તેના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં