Tuesday, March 31, 2026
More
    Home Blog Page 361

    કોલકાતા રેપ-મર્ડર કેસમાં RG કર હૉસ્પિટલના 5 ડૉક્ટરોને CBIનાં સમન્સ: મધ્ય રાત્રિએ ઉત્પાત મચાવનાર ટોળામાંથી 9ની ધરપકડ

    કોલકાતામાં (Kolkata) મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર (Rape) અને હત્યા (Murder) મામલે તપાસ કરતી એજન્સી CBIએ જ્યાં ઘટના બની તે RG કર હૉસ્પિટલના પાંચ ડૉક્ટરોને પૂછપરછ માટે બોલાવ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. બીજી તરફ, ઘટનાના વિરોધમાં 14 ઑગસ્ટે યોજાયેલા પ્રદર્શનને નુકસાન પહોંચાડવા માટે હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં પચાસેક ઉપદ્રવીઓના ટોળાએ ધમાલ કરી હતી, જેમાંથી 9ની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    ગુરુવારે (15 ઑગસ્ટ) CBIએ હૉસ્પિટલના 5 ડૉક્ટરોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. આ તમામની કેસને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે કલકત્તા હાઈકોર્ટે પીડિતાના માતા-પિતાની અરજી પર સુનાવણી કરતી વખતે તાજેતરમાં જ મામલો CBIને સોંપી દીધો હતો, ત્યારબાદ એજન્સીએ આ મામલે તપાસ શરૂ કરી હતી. હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે.

    નોંધવું જોઈએ કે ટ્રેની મહિલા ડૉક્ટર સાથે જે ઘટના ઘટી ત્યારબાદ તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ જ ક્રમમાં કોલકાતામાં 14 ઑગસ્ટની રાત્રે એક વિશાળ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ માર્ચ ચાલી રહી હતી ત્યાં એક અજાણ્યા ટોળાએ RG મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ પર હુમલો કરી દીધો હતો, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ટોળું હૉસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરીને તોફાન મચાવ્યું હતું. આ મામલે નવ ઇસમોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમની ઓળખ સામે આવી શકી નથી. ભાજપે આરોપ TMC પર લગાવ્યો હતો અને કહ્યું હતું કે, CBI પુરાવા એકઠા કરે તે પહેલાં જ તેને નષ્ટ કરવા માટે ગુંડાઓને મોકલવામાં આવ્યા હતા.

    હાલ ઘટનાને લઈને કોલકાતા સહિત સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠેરઠેર પ્રદર્શનો થઈ રહ્યાં છે તો સોશિયલ મીડિયા પર પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. સવાલો મમતા બેનર્જીની સરકાર પર પણ ઉઠી રહ્યા છે. બીજી તરફ, તેઓ ભાજપ અને અન્ય પાર્ટીઓ પર આરોપ લગાવવામાં વ્યસ્ત છે. કોલકાતા પોલીસ પણ સવાલોના ઘેરામાં છે, બીજી તરફ પોલીસ કમિશનર કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા અને મીડિયામાં અમુક ખોટી માહિતી ફેલાવાના કારણે તોડફોડની ઘટના બની હતી. જ્યારે ફરજ પર હાજર અમુક તબીબોએ જણાવ્યું હતું કે તેમણે પોલીસને ઉપદ્રવી ટોળું એકઠું થઈ રહ્યું હતું ત્યારે જાણ કરી હતી, પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. અમુક નર્સનું એવું પણ કહેવું છે કે પોલીસ તોફાન રોકવાની જગ્યાએ પોતે જ છુપાઈ ગઈ હતી.

    ‘નિયમોથી ઉપરવટ જઈને અદાણી જૂથને પહોંચાડ્યો વિશેષ લાભ’: કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને ભ્રામક દાવાઓ કર્યા, ગુજરાત સરકારે ધ્વસ્ત કર્યો પ્રોપગેન્ડા

    કાયમ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પાછળ પડ્યા રહેતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે તાજેતરમાં ગુજરાત સરકાર પર નિયમોથી ઉપરવટ જઈને અદાણી જૂથને લાભ પહોંચાડવાનો અને વધુ પડતી છૂટછાટ આપવાનો આરોપ લગાવ્યો છે. બુધવારે (14 ઑગસ્ટ) કરેલા એક લાંબા ટ્વિટમાં તેમણે અમુક દાવાઓ કરીને સરકાર પર આરોપ લગાવ્યા હતા. જોકે, આ દાવાઓ લાંબો સમય ટકી શક્યા નહીં અને ગુજરાત સરકારે વિગતવાર સ્પષ્ટતા કરીને એજન્ડાનો ફુગ્ગો ફોડી દીધો હતો. 

    જયરામ રમેશે X પર એક પોસ્ટમાં દાવો કર્યો કે, ગુજરાત સરકારે રાજ્યનાં મુન્દ્રા, હજીરા અને દહેજ બંદરોનું સંચાલન કરતા અદાણી જૂથને નિયમોથી ઉપરવટ જઈને તેના સંચાલન માટેનો કન્સેશન પિરિયડ વધુ 45 વર્ષ  (કુલ 75 વર્ષ) માટે વધારી આપ્યો છે. જ્યારે નિયમો અનુસાર, વધુમાં વધુ 50 વર્ષના કરારની જ પરવાનગી છે. પહેલાં જયરામ રમેશના દાવા જોઈએ. 

    તેમણે લખ્યું કે, “ગુજરાત સરકાર ખાનગી બંદરોને 30 વર્ષનો કન્સેશન પિરિયડ બિલ્ડ-ઑન-ઓપરેટ-ટ્રાન્સફર (BOOT) પદ્ધતિથી આપે છે. જે સમયગાળો પૂર્ણ થઈ જાય ત્યારબાદ માલિકી ફરી ગુજરાત સરકારને ટ્રાન્સફર થઈ જાય છે. આ મોડેલ પર અદાણી હાલ મુન્દ્રા, હજીરા અને દહેજ બંદરોનું સંચાલન કરે છે.”

    જયરામ આગળ લખે છે, “2024ની લોકસભા ચૂંટણી પહેલાં અદાણી પોર્ટ્સ દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડને  (GMB) તેમનો કન્સેશન પિરિયડ 45 વર્ષ વધારે આપવા માટે વિનંતી કરી હતી, જેથી કુલ 75 (30 વર્ષના કરાર પહેલેથી છે) વર્ષ થશે.” જયરામ રમેશનો દાવો છે કે, મહત્તમ 50 વર્ષ સુધીના કન્સેશન પિરિયડની જ અનુમતિ છે, પરંતુ તેમ છતાં GMBએ તાત્કાલિક કોઇ પણ રીતે આ સમયગાળો વધારી આપવા માટે વિનંતી કરી અને ઉતાવળ એટલી હતી કે બોર્ડની પણ મંજૂરી લેવામાં ન આવી અને સીધો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો હતો, જેના કારણે ફાઇલ પરત આવી ગઈ હતી. 

    કોંગ્રેસ નેતાએ આગળ લખ્યું કે, GMBના બોર્ડે ભલામણ કરી હતી કે 30 વર્ષનો કન્સેશન પિરિયડ પૂર્ણ થઈ જાય ત્યારબાદ ગુજરાત સરકાર ફરીથી બીજા ઑપરેટરો કે કંપનીઓ પાસેથી બીડ મંગાવે અથવા તો પછી અદાણી સાથે જ ફરીથી નાણાકીય બાબતોને લઈને વાતચીત કરીને નવેસરથી કરાર કરવામાં આવે.” આગળ અદાણી જૂથ વિશે ‘ટેમ્પો વાલા’ શબ્દપ્રયોગ કરીને જયરામ રમેશ લખે છે કે, સ્પર્ધા થવાની સંભાવનાઓ જોતાં તેમણે GMB બોર્ડના નિર્ણયમાં જ ફેરફાર કરવા માટે દબાણ કર્યું અને ત્યારબાદ સમયગાળો વધારી આપવામાં આવ્યો, જેમાં નવી બીડ ન મંગાવાઈ કે ન શરતો પર કોઇ ચર્ચા થઈ. CM પર આરોપ લગાવતાં તેઓ લખે છે કે, મુખ્યમંત્રી અને અન્યોએ ત્યારબાદ આ પ્રસ્તાવ પસાર થાય અને તમામ પ્રકારના ક્લિયરન્સ મળે તે સુનિશ્ચિત કરવામાં કોઇ કસર બાકી ન રાખી.

    જયરામે આરોપ લગાવતાં કહ્યું કે, અદાણી ગુજરાતના પોર્ટ સેક્ટર પર મૉનોપોલી સિક્યોર કરી લેશે, જેના કારણે માર્કેટ કોમ્પિટિશનને પણ અસર થશે અને સામાન્ય લોકો માટે ભાવવધારો થશે. જ્યારે ગુજરાત સરકાર વિશે કહ્યું કે, બીડ ન મંગાવવાના કારણે અને શરતો પર ફરીથી વાટાઘાટો ન થવાના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન જશે. આગળ દર વખતની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી જૂથને લાભ પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યા અને અંતે કહ્યું કે, આ બધાં કારણોસર સંયુક્ત સંસદીય સમિતિની તપાસ જરૂરી છે. 

    50 વર્ષની કોઈ મર્યાદા નહીં, નિયમો બધા માટે સરખા: સરકાર 

    જયરામ રમેશના આ આરોપો મુદ્દે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે કહ્યું કે, પોર્ટ ઑપરેટરોના કન્સેશન પિરિયડમાં 50 વર્ષની કોઈ મર્યાદા નથી અને અદાણી જૂથ માટે કે કોઇ પણ એક કંપની માટે અલગ નિયમો નથી. આ નિયમો બધા માટે સમાન રીતે લાગુ પડે છે અને સ્પષ્ટતા એ પણ કરવામાં આવી કે દેશમાં ઘણાં રાજ્યો છે, જ્યાં કન્સેશન પિરિયડ 99 વર્ષ સુધીના છે. 

    સરકારે જણાવ્યું કે, ‘ગુજરાત મેરીટાઇમ સેક્ટરમાં હંમેશા અગ્રણી રહ્યું છે અને હાલ પણ દેશમાં સૌથી વધુ સંખ્યામાં કાર્ગોનું સંચાલન કરે છે. વર્ષ 1997માં (જ્યારે કોંગ્રેસના સમર્થનથી શંકરસિંહ વાઘેલાની સરકાર હતી) BOOT પોલિસી અંતર્ગત ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા અમુક કન્સેશન એગ્રીમેન્ટ તૈયાર કરવામાં આવ્યાં હતાં, જેમાં શરૂઆતનો સમયગાળો 30 વર્ષ રાખવામાં આવ્યો અને એવી જોગવાઈ કરવામાં આવી હતી કે તેને પછીથી પ્રાઇવેટ કે જોઇન્ટ સેક્ટર મોડ થકી બંદરના વિકાસ માટે આગળ લંબાવી શકાય.” આ બંદરોમાં પીપાવાવ, મુન્દ્રા, હજીરા, દહેજ, છારા અને જાફરાબાદનો સમાવેશ થાય છે. 

    આગળ જણાવવામાં આવ્યું કે, પોર્ટ ઑપરેટરો પાસેથી કન્સેશન માટેના કરારોની સમયમર્યાદા લંબાવી આપવા માટે અનેક વિનંતીઓ મોકલવામાં આવી હતી. જેમાં દહેજ બંદર તરફથી 2012 અને 2013માં, ATM ટર્મિનલ (પીપાવાવ) તરફથી 2011 અને 2021 વચ્ચે તેમજ APSEZ મુન્દ્રા તરફથી 2015 અને 2021માં આવી વિનંતીઓ સરકારને કરવામાં આવી હતી. 

    સરકારે નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું કે, પીપાવાવ પોર્ટ માટે APM ટર્મિનલ સાથેના પહેલા કરાર 2028માં પૂર્ણ થઈ જતા હોવાથી પોર્ટ સેક્ટરના રોકાણકારોને સ્પષ્ટતા રહે અને કાર્ગો મૂવમેન્ટમાં કોઇ અડચણ ન આવે તે માટે આગળ લંબાવવા જરૂરી હતા. 

    અન્ય રાજ્યોમાં 30થી 99 વર્ષ સુધીના કરારો 

    ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એક્ટમાં 50 વર્ષની મર્યાદા હોવાની કોઇ જોગવાઈ કરવામાં આવી નથી. ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે જેવાં ઘણાં કિનારાનાં રાજ્યોમાં આ સમયગાળો 30થી લઈને 99 વર્ષ સુધીનો છે. સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે GMBનો પ્રસ્તાવ બોર્ડની મંજૂરીથી જ સરકારને મોકલવામાં આવ્યો હતો. અહીં જયરામ રમેશના દાવાનું સ્પષ્ટ ખંડન થાય છે. 

    આગળ જણાવવામાં આવ્યું કે, આ પોલિસીનો અમલ તમામ પોર્ટ ઑપરેટરો માટે થશે, જેથી કોઇ એકને લાભ મળવાના દાવામાં કોઇ સત્ય નથી. કોઇ એક પોર્ટ ઑપરેટરને જ નીતિમાંથી લાભ થાય તેવું પણ નથી, એટલે મોનોપૉલીનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. સાથે જયરામ રમેશના એ દાવાનું પણ ખંડન કરવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ બધી પ્રક્રિયા એકદમ ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “આ પ્રસ્તાવિત નીતિનો અમલ ઘણાં વર્ષો પહેલાં શરૂ થઈ ગયો હતો અને તે પણ જે-તે પોર્ટ ડેવલપર્સની વિનંતી પર કરવામાં આવ્યો હતો, જેમના કરાર આગલા દાયકામાં પૂર્ણ થતા હતા. 

    કોંગ્રેસ નેતાના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢતાં કહેવામાં આવ્યું કે, “આજ સુધી સરકાર દ્વારા એક્સટેન્શન પર કોઇ પણ પ્રકારની પોલિસી જાહેર કરવામાં આવી નથી. જે પ્રસ્તાવિત નીતિ છે તે હાલ વિચારણા હેઠળ છે. જેથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ ખોટા અને પાયાવિહોણા આરોપો સદંતર નકારી કાઢે છે.”

    (અ)પ્રિય કોંગ્રેસીઓ, વિનાયક સાવરકર મહાન હતા, મહાન રહેશે…. યાત્રાઓ અટકાવીને એજન્ડાપ્રેરિત રાજકારણ રમવાથી સત્ય ભૂંસાઈ જતું નથી

    15 ઑગસ્ટ, 1947નો ઇતિહાસ, તે પહેલાંના સંઘર્ષનો ઇતિહાસ અને ત્યારપછીનાં થોડાં વર્ષોના ઇતિહાસમાં ગાંધી-નેહરુને કેન્દ્રમાં રાખીને અન્ય અનેક બલિદાનીઓ, ક્રાંતિવીરો, હુતાત્માઓ અને નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાની કોંગ્રેસી માનસિકતા બહુ જૂની છે. વર્ષો સુધી નેતાજી, સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા સહિતના અગણિત નેતાઓને યાદ પણ કરવામાં ન આવ્યા. અમુક અંશે સરદાર વલ્લભભાઈ પણ આ યાદીમાં ખરા. અન્ય નેતાઓની વાત બાજુ પર રાખીને વિનાયક સાવરકરની વાત કરીએ તો સાવરકર પ્રત્યે કોંગ્રેસીઓને વિશેષ પ્રકારનો દ્વેષ છે.

    સત્તા જ્યાં સુધી હાથમાં રહી ત્યાં સુધી કોંગ્રેસીઓએ વીર સાવરકરનો ‘વ’ પણ ક્યાંય નહીં સંભળાય તેનું બરાબર ધ્યાન રાખ્યું. વિચાર કરવા જેવી બાબત એ છે કે આવા મહાન નેતાનું તૈલીચિત્ર પણ સંસદમાં ન હતું. 2003માં અટલ બિહારી બાજપાઈની સરકારે આ પુણ્યકર્મ કર્યું ત્યારે કોંગ્રેસીઓ જેમને સર્વોચ્ચ સન્માન આપે છે એ સોનિયા ગાંધીએ ખુલ્લો વિરોધ કર્યો હતો. ત્યારે સાથે અન્ય કૉંગ્રેસીઓએ પણ હોબાળો મચાવેલો. ત્યારપછીનાં વર્ષોમાં પણ વિનાયક સાવરકરને લોકોની સ્મૃતિમાંથી જ ગાયબ કરી દેવાયા. તમારામાંથી કેટલાને યાદ છે કે શાળામાં ભણતી વખતે સાવરકરનો ઉલ્લેખ હોય તેવું ક્યાંય ભણાવવામાં આવ્યું હતું? હશે તો ક્યાંક એકાદ-બે લીટીમાં છૂટોછવાયો ઉલ્લેખ હશે. 

    2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી અને સોશિયલ મીડિયાના આગમન પછી, ખાસ કરીને એક સમાનાંતર ઈકોસિસ્ટમની રચના થયા પછી સાવરકરને એ સ્થાન મળી રહ્યું છે, જે મળવું જોઈતું હતું. હવે સાવરકર પર પુસ્તકો લખાય રહ્યાં છે, તેમના અભૂતપૂર્વ યોગદાનની ચર્ચા થાય છે, તેમણે આપેલી હિંદુત્વની વ્યાખ્યાઓ ચર્ચાય છે. જેમજેમ આ બધું વધી રહ્યું છે તેમ કોંગ્રેસ ઇકોસિસ્ટમને પણ પેટમાં તેલ રેડાય છે. એટલે જ નોંધ્યું હશે કે છેલ્લાં થોડાં વર્ષોમાં સાવરકર વિરોધી પ્રોપગેન્ડાને પણ એટલી જ હવા મળે છે. જાતજાતના ખોટા આરોપો, પાયાવિહોણી વાતો અને મોટાભાગની ગાળો દઈને સાવરકરનું અપમાન કરવામાં આવતું રહે છે. તેમાં આ કોંગ્રેસી ટોળકીના સુપ્રીમ કમાન્ડર રાહુલ ગાંધી પણ આવી ગયા. રાહુલ ગાંધીએ એક વખત જાહેરમંચ પરથી કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધી છે, સાવરકર નહીં. ત્યારે કોઇ ભલા માણસે કહેવું જોઈતું હતું કે, ‘ભઈલા, આપણી ત્રેવડ પણ નથી!’

    હવે મૂળ વાત, જેના કારણે આ લેખની આજે જરૂર પડી. 14 ઑગસ્ટે સુરેન્દ્રનગરના એક ગામની સરકારી પ્રાથમિક શાળામાં ‘તિરંગા યાત્રા’ યોજાઈ. આવી યાત્રાઓ લગભગ મોટાભાગની શાળાઓમાં થઈ રહી છે. સ્કૂલનાં બાળકો રંગેચંગે જોડાયાં પણ ખરાં. પણ વચ્ચે કોંગ્રેસીઓ સામા ભટકાઇ ગયા અને તેમણે યાત્રા અટકાવી દીધી. કારણ એ હતું કે બાળકોએ તમામે એકસરખી ટી-શર્ટ પહેરી હતી. જેની ઉપર વિનાયક સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરો હતી. સાવરકરને જોઈને કૉંગ્રેસીઓની અંદરનો કોંગ્રેસી જાગી ઊઠ્યો અને રસ્તા વચ્ચે જ રાજકારણ રમવાનું શરૂ કર્યું. 

    જે વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે તેમાં એકાદ નેતા બાળકોને કહેતા સંભળાય છે કે સાવરકરે ગાંધી હત્યાનું કાવતરું રચવામાં ભાગ ભજવ્યો હતો. કોઇ આને ‘આરએસએસ અને ભાજપનો એજન્ડા’ ગણાવીને શિક્ષકો પર બાળકોનું ‘બ્રેઈનવૉશ’ કરવાનો આરોપ લગાવતું સંભળાય છે. કોઇ કહે છે કે કાલે ઉઠીને નાથુરામ ગોડસે અને દાઉદ ઈબ્રાહિમની ટી-શર્ટ પણ પહેરાવશે. અમુક કહે છે કે ગુજરાતમાં ગાંધી અને સરદારને ભૂલાવીને સાવરકરને યાદ કરવામાં આવે છે. અંતે બાળકો પાસે યુનિફોર્મ પર પહેરેલી ટી-શર્ટ ઉતારી દેવડાવવામાં આવે છે. 

    ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર બહુ વિરોધ થયો. જોકે, કોંગ્રેસીઓએ પોતે ક્રાંતિકારી કામ કર્યું હોય તેમ પછીથી પોતે પણ સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો. આખરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મામલો ધ્યાન પર લઈને પોલીસ કાર્યવાહીના આદેશ આપ્યા અને તમામ કોંગ્રેસીઓ સામે FIR નોંધવામાં આવી છે. કાર્યવાહી થાય અને ધરપકડ થાય કે ન થાય એ પછીની વાત છે, સરકારે આ કાર્યવાહી કરીને જે સંદેશ આપ્યો છે એ મહત્વનો છે. 

    હવે અહીં જેમણે યાત્રા અટકાવી અને સાવરકરને ભાંડ્યા એ કોંગ્રેસીઓ ઉપર તો દયા આવે છે. રસ્તા પર ઉતરીને ક્રાંતિ કરવાના વહેમ સાથે જેમણે ફાંકા ફોજદારી જ કરવી હોય તેમની પાસેથી જ્ઞાનની અપેક્ષા રાખી શકાય નહીં. જે વ્યક્તિ કહે છે કે સાવરકરે ગાંધી હત્યામાં ભાગ ભજવ્યો હતો, એ તદ્દન ખોટી વાત છે. જે કોર્ટે ગાંધી હત્યા મામલે બહુ જાણીતો કેસ ચલાવ્યો હતો તે કોર્ટે જ સાવરકરને નિર્દોષ ઠેરવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સાવરકરે ક્યાંય પણ ગાંધી હત્યામાં ભાગ ભજવ્યો હોવાના પુરાવા મળતા નથી. તેમની સામે એક પણ આરોપ સાબિત થઈ શક્યો ન હતો. પણ કોંગ્રેસીઓને આ બધું ખબર હશે તેમ માનવું એ મૂર્ખામી છે. વૉટ્સએપ ઉપર આવેલું વાંચીને ક્રાંતિ કરનારાઓ ક્યારેય આગળ-પાછળ બહુ વિચારતા હોતા નથી. 

    જ્યાં સુધી વાત ગાંધી-સરદારની છે, તો પોતાની ‘પત્રકાર’ કહેનાર ગુજરાતી મીડિયાના અમુક એજન્ડાબાજો પણ આ વાતમાં આવી ગયા છે. તેમની દલીલ છે કે ગુજરાતમાં વળી ગાંધી-સરદારને મૂકીને અન્યોને કેમ યાદ કરવામાં આવી રહ્યા છે? ભલા માણસ, આ યાત્રામાં શું ગાંધી-સરદારનું અપમાન થયું? શું બાળકોએ તેમની વિરુદ્ધ નારાબાજી કરી? ના. તેઓ માત્ર સાવરકર અને નેતાજીને યાદ કરી રહ્યા હતા. શા માટે યાદ કરવામાં ન આવે? શું સાવરકરને માત્ર મહારાષ્ટ્રમાં, નેતાજીને માત્ર બંગાળમાં જ યાદ કરવામાં આવે? આ કેવી માનસિકતા થઈ ગઈ? એવો જ તર્ક વાપરવામાં આવે તો ગાંધી અને સરદારને પણ માત્ર ગુજરાત પૂરતા સીમિત રાખવા જોઈએ. પણ એમ ન કરી શકાય. 

    આ સમગ્ર અને આમ તો બિનજરૂરી વિવાદના કેન્દ્રમાં ઘર કરી ગયેલી એક માનસિકતા છે. જ્યાં અમુક નેતાઓ સિવાય કોઈને સ્થાન આપવામાં આવતું નથી. ન તો સાવરકરને આટલાં વર્ષોમાં યાદ કરવામાં આવ્યા, ને નેતાજી સુભાષચંદ્ર બોઝને. નેતાજીના રહસ્યમય મૃત્યુનો મામલો આજે પણ ચર્ચાતો રહે છે. તેમને જ્યારે અખંડ ભારતના પહેલા વડાપ્રધાન પણ કહીએ તો નેહરુપૂજક કોંગ્રેસીઓ તુરંત વાહિયાત દલીલો લઈને દોડી આવે છે. આવાં અનેક નામો છે. વડાપ્રધાનોનાં નામ લેવાનાં હશે તો નેહરુ, ઈન્દિરા અને રાજીવ સિવાયનાં નામો નહીં સંભળાય. જ્યારે PM તો લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ જેવા નેતાઓ પણ રહ્યા હતા. 

    વિરોધ કરનારા અબુધો તો દયાને પાત્ર છે, પણ વીર સાવરકરના જીવન વિશે જાણનારાઓને ખબર હશે કે તેઓ સાહસ, શૌર્ય અને ખુમારીની જીવંત પ્રતિમૂર્તિ હતા. જીવનપર્યંત તેઓ મા ભારતીના સાચા સેવક બનીને કામ કરતા રહ્યા, રાષ્ટ્રવાદ તેમની રગેરગમાં હતો. જે ઉંમરે લોકો પોતાના જીવન, પરિવારનું વિચારે છે તે ઉંમરે સાવરકરે પોતાનાં હિતોને લાત મારી દઈને રાષ્ટ્રસેવાની એવી મશાલ સળગાવી હતી, જેણે પછીથી ભારતમાં સાચા અર્થમાં એક ક્રાંતિ લાવી. આપણને આ બધી વાતો કહેવામાં આવતી નથી, કારણ કે તેનાથી એક નહીં પણ અનેક એજન્ડા ધ્વસ્ત થઈ જાય એમ છે. પરંતુ જાણવાના પ્રયત્નો કરીએ તો હવેના સમયમાં કઠિન પણ નથી.  જેટલું વધુ વાંચશો, એટલું સાવરકર પ્રત્યે માન વધશે. 

    તેઓ 11 વર્ષ સુધી કાળાપાણીની સજામાં આંદામાનની જેલમાં રહ્યા. અંગ્રેજોએ તેમને બબ્બે જનમટીપ ફટકારી હતી. એક જનમટીપ એટલે 25 વર્ષ થતાં. કુલ સજા 50 વર્ષ થાય. આપણે ત્યાં અમુક હજુ સ્વીકારી નથી શક્યા, પણ અંગ્રેજોને ત્યારે પણ ખબર હતી કે સાવરકરનું બહાર રહેવું બ્રિટિશ શાસન માટે કેટલો મોટો પડકાર છે. આંદામાનની જેલમાં પણ તેમની ઉપર જે યાતનાઓ થઈ તે બધું જ તેમણે ‘માઝી જનમઠેપ’ (ગુજરાતીમાં ‘મારી જનમટીપ) નામનાં એક પુસ્તકમાં લખ્યું છે. આમાંની પા ભાગની જ પરિસ્થિતિ જો આ ઊછળકૂદ કરનારાઓના જીવનમાં આવે તો તેમનું શું થાય એ સુજ્ઞ વાચક સુપેરે જાણે છે.

    સાવરકરે માફી માંગી હોવાની વાતો કોઇ પણ આધાર-પુરાવા વગર ચગાવવામાં આવે છે, પણ તેમાં કોઇ તથ્ય નથી. આજે જે રીતે જામીન અરજી મૂકવામાં આવે છે તેવી તે સમયે જેલમાંથી અરજીઓ થતી હતી. જે અરજીઓ તેમણે કરી હતી તે પાછળનું કારણ જેલમાંથી બહાર આવીને ફરી લડાઈમાં જોડાવાનું હતું. સાવરકર પોતે અરજીઓમાં લખે છે કે ભલે તેમને મુક્ત કરવામાં ન આવે, પણ વર્ષોથી સજા કાપનારા તેમના સાથીઓને છોડી દેવામાં આવે. જે ‘યોર મોસ્ટ ઓબિડિએન્ટ સર્વન્ટ’ શબ્દોને લઈને કોંગ્રેસીઓ હોબાળો મચાવતા રહે છે, તે શબ્દોનો ઉપયોગ ત્યારે તદ્દન સામાન્ય હતો. મોહનદાસ ગાંધીએ અંગ્રેજ અધિકારીઓને લખેલા અઢળક પત્રોમાં તેનો ઉપયોગ કર્યો હતો. ગાંધીની વાત આવી છે તો એક વાત એ પણ, કે તેમણે પણ સાવરકરના નાના ભાઈને કહીને તેમના બંને ભાઈઓ (વિનાયક સાવરકરના મોટાભાઈ પણ એ જ જેલમાં બંધ હતા) માટે અરજી લખવા માટે કહ્યું હતું. પછીથી તેમણે ‘યંગ ઇન્ડિયા’માં બંને ભાઈઓની મુક્તિ માટે અવાજ પણ ઉઠાવ્યો હોવાનું ઇતિહાસમાં લખાયું છે. 

    અહીં ઘર-પરિવાર મૂકીને વિદેશ ગયા બાદ ‘ઇન્ડિયા હાઉસ’માં તેમણે કરેલાં કામોને કેમ ભૂલાય? તેમણે ત્યાં રહીને પણ ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ લાવવા માટે અગત્યની ભૂમિકા ભજવી હતી. પછીથી થોડો સમય તેમણે લંડન છોડીને પેરિસ પણ જવું પડ્યું. પરંતુ આખરે તેમના આ જ પ્રયાસોએ અંગ્રેજોની ઊંઘ ઉડાડી અને તેમની સામે દેશ સામે યુદ્ધ છેડવાની કલમો હેઠળ કેસ નોંધી દેવામાં આવ્યા. લંડનમાં કેસ ચલાવ્યા બાદ ભારત લાવવામાં આવ્યા અને ભારતમાં તેમને સજા થઈ. ત્યારપછી તેમણે યાતનાઓમાં કેટલાં વર્ષો ગુજાર્યાં તે તબક્કો પણ જાણવા અને સમજવા જેવો છે. 

    જગ્યાના અભાવે અહીં બધું સમાવી શકાય એમ નથી. પરંતુ આ કોંગ્રેસી પ્રોપગેન્ડા વચ્ચે સત્ય ભૂંસાય જતું નથી. અને સત્ય એ છે કે સાવરકર મહાન હતા અને રહેશે. સાચો રાષ્ટ્રવાદી કેવો હોવો જોઈએ, તે વિનાયક સાવરકરના જીવન પરથી જાણવા મળે છે. ‘હિંદુત્વ’ની વ્યાખ્યા કરનારાઓમાંથી તેઓ એક હતા. હિંદુત્વ અને રાષ્ટ્રવાદ પર તેમની વાતો આજે પણ શોધીને વાંચીએ તો પ્રાસંગિક લાગે તેમ છે. તેમની વિચારધારા ગાંધી અને તેમના જેવા અમુક નેતાઓથી ભિન્ન હતી, પણ તેમને પણ એકબીજા માટે કાયમ આદર રહ્યો હતો. આવા મહાનાયકના ફોટાવાળી ટીશર્ટ પહેરીને બાળકો ફરતાં હોય તો આપણે ગર્વ લેવો જોઈએ, રસ્તા વચ્ચે અટકાવીને ટી-શર્ટ ઉતરાવવી એ નીચ માનસિકતા સિવાય બીજું કશું નથી!

    ‘તમારી સુરક્ષા તમારી જવાબદારી’: કોલકાતાની જે હૉસ્પિટલમાં અડધી રાત્રે થઈ તોડફોડ, ત્યાંની નર્સનો આરોપ- તોફાન રોકવાના સ્થાને પોતે જ છુપાઈ ગયા હતા પોલીસકર્મીઓ

    કોલકાતાની RG કર મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે રેપ અને ત્યારબાદ હત્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ એક તરફ CBIની તપાસ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ રાજ્યમાં ન્યાયની માંગ સાથે પ્રદર્શનો થઈ રહ્યાં છે. બુધવારે (14 ઑગસ્ટ) મધ્ય રાત્રિએ આવું જ એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, પરંતુ તેને નુકસાન પહોંચાડવા માટે અમુક ઉપદ્રવીઓના ટોળાએ હૉસ્પિટલમાં ઘૂસીને ડૉક્ટરો સાથે મારપીટ કરી હતી અને ઇમરજન્સી વૉર્ડમાં તોડફોડ મચાવી હતી. આ મામલે જ્યારે પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે તેને સમર્થન આપતી નવી વિગતો સામે આવી છે. 

    ઘટના બની ત્યારે હૉસ્પિટલમાં હાજર નર્સોનું કહેવું છે કે પોલીસ તેમને હુમલો કરનારાઓથી બચાવવાના સ્થાને પોતે જ છુપાઈ ગઈ હતી અને જ્યારે તેમણે પ્રશ્ન કર્યા તો કહેવામાં આવ્યું હતું કે તેમની સુરક્ષા એ પોતાની જવાબદારી છે. ABPની બંગાળી ચેનલ સાથે વાત કરતાં નર્સે આ મામલે વધુ વિગતો જણાવી હતી. 

    એક નર્સે ચેનલને કહ્યું કે, “એવું થયું હતું કે પોલીસકર્મીઓ બાથરૂમમાં ઘૂસી ગયા હતા અને સંતાવા માટે અમને જગ્યા કરી આપવાનું કહ્યું હતું.” તેમણે આગળ કહ્યું કે, “તેઓ અમારા વૉર્ડમાં આવ્યા અને સંતાવા માટે જગ્યા આપવા માટે કહ્યું હતું.” આગળ કહ્યું કે, હૉસ્પિટલમાં તોડફોડ રોકવાની જગ્યાએ પોલીસકર્મીઓ સંતાવાના પ્રયાસ કરી રહ્યા હતા. 

    નર્સે આગળ કહ્યું કે, “અમે જ્યારે તંત્રને પૂછ્યું કે આવું શા માટે થયું, ત્યારે તેમણે અમને કહ્યું કે, તમારી સુરક્ષા એ તમારી જવાબદારી છે.”

    મધ્ય રાત્રિએ થઈ હતી તોડફોડ 

    ઉલ્લેખનીય છે કે હૉસ્પિટલમાં તોડફોડની આ ઘટના રાત્રે લગભગ 12:40 વાગ્યે બની. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલો કરનારાઓએ ઈમરજન્સી વૉર્ડ પણ છોડ્યો ન હતો અને દવાઓ તેમજ સાધનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર જે વિડીયો સામે આવ્યા છે તેમાં ટોળાને હૉસ્પિટલ પરિસરમાં ઘૂસીને તોડફોડ કરતાં, પોલીસ વાહનોને નુકસાન પહોંચાડતાં અને હાજર ડૉક્ટરો સાથે મારપીટ કરતાં જોઈ શકાય છે. દરમ્યાન પથ્થરમારો પણ થયો હોવાનું કહેવાય છે. આ બધું બન્યું ત્યારે સ્થળ પર પોલીસ પણ હાજર હતી. 

    આ મામલે અમુક ડૉક્ટરોએ પોલીસ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમણે ઉપદ્રવીઓને બહાર એકઠા થતા જોયા હતા. જેથી તેમણે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી. જ્યારે ધમાલ શરૂ થઈ તો બચવા માટે પોલીસકર્મીઓ પણ પરિસરમાં આવી ગયા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં શુભેન્દુ મલિક નામના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે, ઉપદ્રવીઓના કારણે વિરોધ પ્રદર્શન કરતા ડૉક્ટરોએ ભગવું પડ્યું હતું. હુમલો કરનારાઓએ ક્રાઇમ સીન જ્યાં છે તે ઈમારતમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ મૂકદર્શક બનીને બેસી રહી.”

    મહિલા T-20 વર્લ્ડ કપ ભારતમાં યોજવાની બાંગ્લાદેશની ઓફર BCCIએ ફગાવી: બેંગ્લોરમાં તૈયાર થયેલી નેશનલ ક્રિકેટ એકેડમી બાબતે જય શાહે આપી જાણકારી

    વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં (Bangladesh) ખરાબ રીતે હિંસક વાતાવરણ ફેલાયેલું છે. વચગાળાની સરકારે અલ્પસંખ્યકોની સુરક્ષાની ખાતરી આપ્યા છતાં હાલ ત્યાં હિંદુ સુરક્ષિત નથી. ત્યારે આવી રાજકીય ઉથલપાથલ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે BCCIને (Board of Control for Cricket in India) તેના બાંગ્લાદેશમાં ઓક્ટોબરમાં યોજાનાર મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન કરવા વિનંતી કરી હતી, પરંતુ BCCIએ તેની વિનંતીને ફગાવી દીધી છે.

    ઉલ્લેખનીય છે કે આવતા મહિને સપ્ટેમ્બરમાં ભારતની મેન્સ ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સાથે ટેસ્ટ શ્રેણી (Test Series) રમવાની છે. આ મેચ ભારતમાં યોજવાની હોવાથી બાંગ્લાદેશની ટીમ ભારત (Bharat) આવશે. આ બાદ ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશમાં મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન કરવાનું હતું. પરંતુ વર્તમાનમાં બાંગ્લાદેશની કફોડી પરિસ્થિતિ જોઈ આ આયોજન શક્ય જણાઈ રહ્યું નથી.

    આ અંગે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં BCCI અધ્યક્ષ જય શાહે (Jay Shah) માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે બાંગ્લાદેશ તરફથી એવો પ્રસ્તાવ હતો કે BCCI ઓક્ટોબર મહિનામાં T20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરે, પરંતુ BCCIએ આ પ્રસ્તાવ માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. વધુમાં જય શાહે કહ્યું, “ભારતમાં અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે. આવતા વર્ષે, ભારત પોતે 50 ઓવરના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. હું બિલકુલ ઇચ્છતો નથી કે અમારા વિશે એવો અભિપ્રાય બને કે અમે (BCCI) વર્લ્ડ કપનું આયોજન સતત અમારા જ દેશમાં કરવા માગીએ છીએ.”

    આ દરમિયાન જય શાહને આવતા મહિને યોજાનારી ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું આ સિરીઝ મુલતવી રાખી શકાય? જેના જવાબમાં જય શાહે સ્પષ્ટ કહ્યું કે, “અત્યારે એવું કઈ જ નક્કી નથી. બાંગ્લાદેશમાં હાલમાં જ નવી સરકાર આવી છે. તેઓ (બાંગ્લાદેશ ક્રિકેટ) આ સિરીઝને લઈને ચોક્કસ અમારો (BCCIનો) સંપર્ક કરશે. જો તેઓ આમ નહીં કરે તો અમે અમારી તરફથી સંપર્ક કરીશું. બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝ અમારા માટે ઘણી મહત્વની છે. અમે તેને ગોઠવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.”

    NCAમાં માત્ર ક્રિકેટ જ નહીં ઓલિમ્પિક્સના ખેલાડીઓ પણ લઇ શકશે ટ્રેનિંગ

    આ દરમિયાન જય શાહે એ પણ જણાવ્યું કે, “નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) સેન્ટર બેંગલુરુમાં બનીને તૈયાર થઈ ગયું છે. જે ખૂબ જ ભવ્ય અને ઘણું મોટું છે. માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ ઓલિમ્પિકની રમતો સાથે જોડાયેલા ખેલાડીઓ પણ આ મોટા સેન્ટરમાં ટ્રેનિંગ લઈ શકશે. અહીં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.” આ સિવાય તેઓએ વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમ અને મધ્ય ભારત સાથે સાથે ભારતના નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં ક્રિકેટની સુવિધાઓ વિકસાવવા પર જોર આપ્યું.

    NCA સેન્ટરના નિર્માણના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે “BCCIએ 2008માં જ જમીન ખરીદી હતી, પરંતુ તેના પર કામ, જ્યારે BCCI ઓફિસ લોકડાઉન પછી શરૂ થઈ ત્યારે મારા બીજા કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું.” જય શાહે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની પહેલાના અધિકારીઓએ NCAનું કામ કેમ કરાવ્યું નથી તે અંગે તેઓ કઈ જાણતા નથી.

    સપ્ટેમ્બરમાં અમેરિકાની યાત્રાએ જઈ શકે PM મોદી, ન્યૂ યોર્કમાં આયોજિત UNના વિશેષ સંમેલનમાં લેશે ભાગ: અન્ય પણ અનેક કાર્યક્રમો આયોજિત

    સતત ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ PM નરેન્દ્ર મોદી (Narendra Modi) આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ન્યૂ યોર્ક (New York) જશે એવી માહિતી સામે આવી છે. PM મોદી સંયુક્ત રાષ્ટ્રસંઘની ભવિષ્ય અંગેના સંમેલનમાં ભાગ લેવા ન્યૂ યોર્ક જવાના છે. PM મોદી સાથે વિશ્વના ઘણા દેશોના પ્રતિનિધિઓ પણ આ સંમેલનમાં હાજરી આપવાના છે.

    મળેલી માહિતી અનુસાર સપ્ટેમ્બર 22 અને 23 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત થવાનું છે. આ સંમેલનમા વિશ્વભરના દેશો ભવિષ્યને લગતી બાબતો અને મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ દરમિયાન PM મોદી પણ ઘણા દેશોના નેતાઓ સાથે વાતચીત કરવાના છે. તથા ન્યૂ યોર્કમાં યોજાનારા ભારતીય કાર્યક્રમોમાં પણ હાજરી આપી લોકોને સંબોધિત કરવાના છે.

    UN અનુસાર આ સમિટ દરમિયાન વિશ્વના દેશોના નેતાઓ વર્તમાન અને ભવિષ્યના વધારે સારા રક્ષણ કરવા અંગેની બાબતો પર આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ અંગે વિચારણા કરશે. ઉપરાંત UNએ (United Nations) એમ પણ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સહકાર માટે આ આવશ્યક છે. અવિશ્વાસના માહોલમાં કોઈનું અસ્તિત્વ ટકી શકતું નથી. સમિટ ઓફ ધ ફ્યુચર વિશ્વના દેશોને ફરીથી પાટા પર લાવી શકે એમ છે.

    ભારતમાં યોજાશે ક્વાડ સંમેલન

    PM મોદીની ન્યૂ યોર્ક જવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ક્વાડ સંમેલન (Quad Convention) ન્યૂ યોર્કમાં થનારા સંમેલનની આસપાસના સમયમાં જ થવાની શક્યતા છે. આ વર્ષે ભારતને ક્વાડ સંમેલનના યજમાન બનવાનો અવસર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સંમેલનની યજમાની ભારત જાન્યુઆરીમાં કરવાનું હતું પરંતુ અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારત ન આવી શક્યા તેથી ત્યારે આ સંમેલન થઈ શક્યું નહોતું.

    ત્રીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ મોદી ઈટાલી (Italy), રશિયા (Russia) અને ઓસ્ટ્રેલિયાની (Australia) યાત્રાએ પણ જઈ આવ્યા છે. ઈટાલીમાં G7 સમિટ યોજાયું હતું, ભારત G7નો સભ્ય દેશ ન હોવા છતાં ભારતને તેનું આમંત્રણ મળ્યું હતું. આ દરમિયાન PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વિશ્વના દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

    આ બાદ તેમની બીજી વિદેશ યાત્રા રશિયા ખાતે થઈ હતી. ત્યાં પણ PM મોદીનું ભવ્ય સ્વાગત થયું હતું. રાષ્ટ્રપતિ પુતીને તેમને વ્યક્તિગત ભોજન માટે આમંત્રિત કર્યા હતા. આ યાત્રા દરમિયાન PM મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે પણ પુતિન સાથે વાત કરી હતી, ત્યારે વિશ્વના દેશોએ ભારત તરફ એક આશાભરી નજરે જોયું હતું કે એક માત્ર ભારત જ છે જે આ યુદ્ધ રોકાવી શકે છે.

    ઇમરજન્સી વૉર્ડમાં તોડફોડ, ડૉક્ટરો પર હુમલા… કોલકાતાની RG કર હૉસ્પિટલમાં અડધી રાત્રે શું બન્યું?: પોલીસે સોશિયલ મીડિયાને આપ્યો દોષ, ભાજપે કહ્યું- TMCના ગુંડાઓની કરતૂત

    કોલકાતાની RG કર મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે રેપ અને હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને બંગાળ સહિત દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. બુધવારે (14 ઑગસ્ટ) મધ્ય રાત્રિએ કોલકાતામાં એક માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ માર્ચ દરમિયાન અડધી રાત્રે એક ટોળું RG કર હૉસ્પિટલમાં ઘૂસી ગયું અને તોડફોડ કરીને હુડદંગ મચાવ્યું હતું. 

    ઘટના રાત્રે લગભગ 12:40 વાગ્યે બની. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલો કરનારાઓએ ઈમરજન્સી વૉર્ડ પણ છોડ્યો ન હતો અને દવાઓ તેમજ સાધનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર જે વિડીયો સામે આવ્યા છે તેમાં ટોળાને હૉસ્પિટલ પરિસરમાં ઘૂસીને તોડફોડ કરતાં, પોલીસ વાહનોને નુકસાન પહોંચાડતાં અને હાજર ડૉક્ટરો સાથે મારપીટ કરતાં જોઈ શકાય છે. દરમ્યાન પથ્થરમારો પણ થયો હોવાનું કહેવાય છે. આ બધું બન્યું ત્યારે સ્થળ પર પોલીસ પણ હાજર હતી. 

    મીડિયા અહેવાલો અનુસાર, ટોળું પહેલાં હૉસ્પિટલની બહાર ઉભું હતું, ત્યારબાદ અચાનક અંદર ઘૂસી ગયું અને ઇમરજન્સી વૉર્ડમાં ઘૂસીને ફર્નિચરમાં તોડફોડ કરી હતી તેમજ દવાઓ સહિતની સામગ્રી નષ્ટ કરી નાખી હતી. સોશિયલ મીડિયા પર અમુક વિડીયોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તોડફોડ કરીને ધમાલ મચાવનાર આ ટોળું એક ટ્રકમાં આવ્યું હતું. 

    ઘટના બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા અને ટોળાને વિખેરી નાખ્યું હતું. પોલીસ કર્મચારીઓ અનુસાર, ઘટના દરમિયાન પોલીસ વિભાગના અમુક કર્મચારીઓને પણ ઈજા પહોંચી છે. હાજર ડૉક્ટરો અનુસાર, ઉપદ્રવીઓએ લગભગ એક કલાક સુધી ધમાલ ચાલુ રાખી હતી. પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલી એક મહિલાએ કહ્યું કે, તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. 

    ડૉક્ટરોએ જણાવી આપવીતી 

    આ મામલે અમુક ડૉક્ટરોએ પોલીસ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમણે ઉપદ્રવીઓને બહાર એકઠા થતા જોયા હતા. જેથી તેમણે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી. જ્યારે ધમાલ શરૂ થઈ તો બચવા માટે પોલીસકર્મીઓ પણ પરિસરમાં આવી ગયા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં શુભેન્દુ મલિક નામના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે, ઉપદ્રવીઓના કારણે વિરોધ પ્રદર્શન કરતા ડૉક્ટરોએ ભગવું પડ્યું હતું. હુમલો કરનારાઓએ ક્રાઇમ સીન જ્યાં છે તે ઈમારતમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ મૂકદર્શક બનીને બેસી રહી.”

    પોલીસે સોશિયલ મીડિયાને આપ્યો દોષ 

    બીજી તરફ, કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે દોષ ઓનલાઈન મીડિયા આઉટલેટ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર નાખ્યો હતો. તેમણે કહ્યું કે, “સોશિયલ મીડિયા પર અમુક ખોટી માહિતી અને ખોટા આરોપો ફરી રહ્યાં હતાં, જેના કારણે હુમલો થયો. હું પોલીસ કમિશનર તરીકે કહું છું કે કોઇને બચાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા નથી. અમે તુરંત મુખ્ય સંદિગ્ધની ધરપકડ કરી લીધી હતી. અમે કહીએ જ છીએ કે અન્યો પણ હોય શકે છે અને તપાસ ચાલી રહી છે. પરંતુ પોલીસને બદનામ કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.”

    TMCના ગુંડાઓ મોકલવામાં આવ્યા, રાજ્યપાલ હસ્તક્ષેપ કરે: BJP 

    બીજી તરફ, ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ આરોપ TMC પર લગાવ્યો છે અને કહ્યું કે, મમતા બેનર્જીએ પાર્ટીના ગુંડાઓને મોકલ્યા હતા. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું કે, “તેઓ (મમતા) વિચારે છે કે તેઓ બહુ ચાલાક વ્યક્તિ છે અને લોકો તેમનો પ્લાન સમજી નહીં શકે. RG કર મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં તોડફોડ કરવા માટે ગુંડાઓને મોકલવામાં આવ્યા, જેથી તેઓ પ્રદર્શનકારીઓ સાથે ભળીને પ્લાનને અંજામ આપી શકે.” 

    તેમણે આગળ કહ્યું કે, “તેમને પોલીસ દ્વારા પણ રક્ષણ આપવામ આવ્યું, જેઓ ક્યાં તો ભાગી રહ્યા હતા અથવા એવો રસ્તો શોધી રહ્યા હતા, જેથી આ ઉપદ્રવીઓ હૉસ્પિટલમાં ઘૂસીને મહત્વના પુરાવાઓ નષ્ટ કરી દે, જેથી CBIના હાથ ન લાગે. પરંતુ TMCના ગુંડાઓ આ યોજનાને બરાબર અંજામ ન આપી શક્યા અને ડૉક્ટરોની ધરણાં માર્ચમાં ભળીને પોતાની ઓળખ છતી કરી દીધી. કોઇ પ્રદર્શનમાં આવેલ વ્યક્તિ શા માટે તેના મુખ્ય કેન્દ્રને જ નુકસાન પહોંચાડશે? બીજું, આખા રાજ્યમાં શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યાં હોય તો RG કર ખાતે જ હિંસા શા માટે થઈ? તેમણે પશ્ચિમ બંગાળ રાજ્યપાલને આ મામલે તુરંત હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી તો સાથે CBIને પણ મામલાની નોંધ લેવા રજૂઆત કરી હતી. 

    અફઘાનિસ્તાનથી છેક મલેશિયા સુધી ફેલાયેલું હતું ‘અખંડ ભારત’, મૌર્યયુગમાં આર્ય સંસ્કૃતિનો ગઢ હતો જમ્બુ દ્વીપ: કયા કારણોસર થયું અનેકવાર વિભાજન, જાણો ‘ભારત વિખંડન’ની કથા

    ‘અખંડ ભારત’ શબ્દ સાંભળતાની સાથે જ મન, મસ્તિષ્ક અને હ્રદય પર એક ઊંડી પરંતુ ગહન ચિત્રાકૃતિ ઉપસી આવે છે. અખંડ ભારતનો ભવ્ય વારસો માનસપટ પર તરવરી આવે છે. આ એ જ ભારતભૂમિ છે, જેણે સદીઓ સુધી દુનિયાને એક કરવા માટે પોતાના અંગો કાપી-કાપીને વિશ્વ ધરોહરને અર્પણ કર્યા છે. ‘अतिथि देवो भवः’ના વિશાળ દ્રષ્ટિકોણ સાથે આખા વિશ્વમાં પ્રભુત્વ ધરાવવતો એક મહાન દેશ શરણાર્થીઓ અને આક્રાંતાઓના કારણે પોતાના શરીરનું એક-એક અંગ કાપીને ન્યોછાવર કરતો રહ્યો અને થતું રહ્યું ભારતનું વિખંડન. આજે જે ભારત નજર સમક્ષ તરી આવે છે, તે તેનો એક અંશ માત્ર છે. ફરી એકવાર ભારતમાં ‘અખંડ ભારત’ની ચર્ચાએ જન્મ લીધો છે અને ઘણા રાષ્ટ્રવાદી સંગઠનો ‘અખંડ ભારત’ના સંકલ્પ સાથે આગેકૂચ કરી રહ્યા છે. ત્યારે અખંડ ભારતની પરિકલ્પના અને તેના ખંડિત થવા પાછળના કારણોની પણ ચર્ચા કરવી જરૂરી બની રહી છે.

    14 ઑગસ્ટના રોજ ‘અખંડ ભારત સંકલ્પ દિવસ’ ઉજવવામાં આવે છે. આજે પણ ભારતના મૂળનીવાસી હિંદુઓ અખંડ ભારતના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે. આશા છે કે, ભારતનો ભવ્ય ભૂતકાળ ફરી એકવાર પરત ફરશે અને અખંડ ભારત ફરી પોતાની શક્તિ સાથે ઊભું થશે. તેથી 14 ઑગસ્ટને અખંડ ભારત સંકલ્પ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ છે. આ એ જ દિવસ છે, જે દિવસે ભારતનું છેલ્લું અંગ કપાઈને પાકિસ્તાન બન્યું હતું. ભારતના મહાન વારસદારો આ રક્તરંજિત વિખંડનને ક્યારેય ભૂલે નહીં, તે માટે અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવવો જરૂરી છે. સતત યાદ રાખવું જરૂરી છે કે, ભારત એક વિશાળ અને મહાકાય રાષ્ટ્ર હતું.

    ભારતનો પ્રાચીનકાળનો નકશો જોવામાં આવે તો તે એક ગર્જના કરતાં સિંહ જેવો દેખાય છે. જેને આપણે ‘અખંડ ભારત’નું માનચિત્ર કહીએ છીએ. પ્રાચીન ભારત 16 જનપદોમાં વહેંચાયેલું હતું. આજે તો સૌ કોઈ જાણે છે કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતનો જ એક ભાગ હતા. પરંતુ તે જાણવાની કોઈ તસ્દી નથી લેતું કે, લગભગ 20 જેટલા દેશો અને વિસ્તારો ભારતથી અલગ થયા હતા. 2500 વર્ષ પહેલાં ભારત અખંડ હતું. પરંતુ, આરબ, તુર્ક, મુઘલ, શાક્ય, કુશાણ, ડચ, પોર્ટુગીઝ, ફ્રાંસ અને અંગ્રેજોએ મળીને ભારતના અનેક ટુકડા કરી નાખ્યા હતા. આજે તે જાણીશું કે, અખંડ ભારતની અવધારણા શું છે અને એક સમયે આટલા બધા દેશોને પોતાનામાં સમાહિત કરતું અખંડ ભારત શા માટે આટલા ટુકડાઓમાં વહેંચાય ગયું.

    શું છે અખંડ ભારત?

    અખંડ ભારતનો સામાન્ય અર્થ છે અવિભાજિત ભારત. જેનો ભૌગોલિક વિસ્તાર પ્રાચીનકાળમાં ઘણો વિસ્તૃત હતો. તેમાં વર્તમાન નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા, ઈરાન વેગરે દેશોનો સમાવેશ થતો હતો. અખંડ ભારતનો વિચાર સનાતન ભારતીય સભ્યતા જેટલો જ પ્રાચીન છે, કારણ કે તેને પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં વિધિવત સ્થાન મળ્યું છે. ઇસા પૂર્વે ત્રીજી સદીમાં વર્તમાન અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આધુનિક ભારત, નેપાળ, બર્મા (હાલનુ મ્યાનમાર), તિબેટ, ભૂટાન અને બાંગ્લાદેશ જેવા રાષ્ટ્રોને ભારતીય ઉપમહાદ્વીપમાં સ્થાન મળ્યું હતું. બાદમાં ઘણા સ્વતંત્ર રાજ્યોમાં તે વિસ્તારો વિભાજિત પણ થયા હતા. ઋષિ-મુનિઓના આશ્રમોમાં ઉછરેલા અને મહાપુરુષોની આંગળી પકડીને ચાલતા અખંડ ભારતની ગાથા પોતાનામાં જ ખૂબ રસપ્રદ રહી છે.

    ઇતિહાસનું પહેલું પાનું અખંડ ભારતમાં લખાયું હતું, જ્યારે મનુષ્યો દિવસને સમય અને તારીખમાં વહેંચતા પણ નહોતા શીખ્યા, ત્યારે ભારતમાં વૈદિક પંચાંગની સટીક ગણતરીઓ થતી હતી. નકશામાં આજે જોઈએ છીએ, હંમેશાથી ભારત એવું નહોતું. તે ઘણા રાજ્યોમાં વિભાજિત થયેલું હતું, તે જનપદ અને મહાજનપદમાં વહેંચાયેલું હતું. પછી એક દિવસ પાટલિપુત્રમાં જન્મેલા એક આચાર્યે પોતાની શિખા છોડી અને તક્ષશિલામાં જન્મેલા એક પ્રતાપી રાજાએ આચાર્યની આજ્ઞા અનુસાર કાર્ય કરવાનું શરૂ કર્યું અને અહીંથી જ ટુકડાઓમાં વિભાજિત ભારતનો ‘અખંડ ભારત’ બનવાનો માર્ગ પ્રશસ્ત થયો. ખંડ-ખંડમાં વિભાજિત થયેલું ભારત એક ભગવાધ્વજ હેઠળ એકત્રિત થયું હતું. આજની સ્થિતિ જોતાં કહી શકાય કે, આચાર્ય ચાણક્ય અને સમ્રાટ ચંદ્રગુપ્તે બિહારથી બલૂચિસ્તાન અને કાશ્મીરથી કંધાર સુધી ભારતની સરહદોને ફેલાવી હતી.

    સમ્રાટ અશોકે તો આ સીમાઓને છેક તક્ષશિલાથી ઈરાન સુધી ખેંચી લીધી હતી. ભૌગોલિક અને આધ્યાત્મિક બંને રીતે આ આખો વિસ્તાર દુનિયાને આશ્ચર્યમાં મૂકી રહ્યો હતો. એક તરફ તલવારના મહાયુદ્ધનો નાદ ચાલી રહ્યો હતો તો બીજી તરફ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીની વાણી લોકોને લોભાવી રહી હતી. આ એક જ ભૂમિ પર ‘અહિંસા’ અને ધર્મ-રાષ્ટ્રની રક્ષા માટે ‘હિંસા’ થઈ રહી હતી. તેમ છતાં ભારતે આજદિન સુધીના ઇતિહાસમાં કોઈપણ દેશ કે સભ્યતા પર પહેલાં આક્રમણ નથી કર્યું. તે જ મહાનતા રહી છે પ્રાચીન અને આધુનિક ભારતની.

    અવિભાજિત ભારત કઈ રીતે થયું વિભાજિત?

    અખંડ ભારત અને વિશ્વ માનચિત્રની સૌથી પહેલી પરિભાષા આપણને મહાભારતમાં મળે છે. ભીષ્મપર્વમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને વિશ્વના માનચિત્રથી અવગત કરાવે છે અને તે તમામ ભૂમિને આર્યભૂમિ ગણાવે છે. “सुदर्शनं प्रवक्ष्यामि द्वीपं तु कुरुन्नन्दन। परिमंडलो द्वीप महाराजोऽसौ चक्रसंस्थितः॥ यथा हि पुरुषः पश्येदादर्शे मुखमात्मनः। एवं सुदर्शनद्वीपो दृश्यते चन्द्रमण्डले॥ द्विरांशे पिप्पलस्तत्र द्विरांशे च शशो महान्”।। – (वेदव्यास, भीष्म पर्व, महाभार) ઉપરોક્ત શ્લોક મહાભારતના ભીષ્મપર્વમાં નોંધાયેલો છે. જેનો અર્થ થાય છે. “ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, હે કુરુનંદન, સુદર્શન નામન આ દ્વીપ ચક્રની જેમ ગોળાકાર સ્થિત છે, જેવી રીતે પુરુષ દર્પણમાં પોતાનું મુખ જુએ છે, તેવી જ રીતે આ દ્વીપ ચંદ્રમંડળથી જોઈ શકાય છે. તેના બે ભાગો પીપળના પાન અને બે ભાગો સસલા તરીકે પ્રતિબિંબિત થાય છે.”

    કાગળ પર પીપળાના બે પાન અને બે સસલાનું ચિત્રણ કરીને તેને ઊંધું કરીને જોવાથી આખી પૃથ્વીનો નકશો બની જાય છે. આ શ્લોક આજથી 5000 વર્ષ પહેલાં લખાયો હતો. તેનો અર્થ એ થયો કે, તે સમયે કોઈ વ્યક્તિએ ચંદ્ર પર જઈને પૃથ્વીનું અવલોકન કર્યું હશે! તો જ તે વ્યક્તિ કહી શક્યા હશે કે, સમુદ્ર સિવાય પૃથ્વી ઉપરથી કેવી દેખાય છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણએ જમ્બુ દ્વીપનું પણ વર્ણન કર્યું છે, જેના પર એક સમયે સંપૂર્ણ હિંદુ ધર્મનું શાસન હતું. તેને જ એક સમયે ‘અખંડ ભારત’ તરીકે ઓળખવામાં આવ્યું હતું. તેવું કહેવું યોગ્ય નથી કે, પહેલાં આપણાં દેશનું નામ ‘ભારતવર્ષ’ હતું અને તે પહેલાં જમ્બુ દ્વીપ હતું. આપણે તેવું કહેવું જોઈએ કે, આજે જેનું નામ ‘ભારત’ છે, તે ભારતવર્ષનો એક નાનકડો ટુકડો માત્ર છે, જેને આપણે આર્યવ્રત કહેતા હતા તે પણ ‘ભારતવર્ષ’નો એક ટુકડો માત્ર હતો અને જેને આપણે ‘ભારતવર્ષ’ કહેતા હતા તે જમ્બુ દ્વીપનો એક ટુકડો માત્ર હતો. આ જમ્બુ દ્વીપ એટલે અખંડ ભારત. તેના વિખંડનમાં ઘણાબધા પરિબળો જવાબદાર હતા. આપણે તેમાંથી અલગ થયેલા અમુક ખાસ વિસ્તારો વિશે જ ચર્ચા કરીશું.

    અફઘાનિસ્તાન

    કંબોજ અને ગાંધાર જનપદ જ આજના અફઘાનિસ્તાન તરીકે ઓળખાય છે. તે અખંડ ભારતનું એક અંગ હતું. શરૂઆતમાં તેના પર હિંદુ શાસકોનું રાજ હતું. દુર્યોધનના મામા શકુની ગાંધારના રાજા પણ હતા. એક સમયે અહીં હિંદુઓ શાસન કરતાં હતા અને ત્યારબાદ ફારસીઓએ પણ શાસન કર્યું હતું. પરંતુ સમયાંતરે આધુનિક ભારત પર હુમલા કરવાનું સપનું લઈને આવેલા સિકંદરે આ સ્થાન પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ યૂનાની અને ફારસી રાજાઓએ ગાંધાર પર શાસન કર્યું હતું. સાતમી સદીમાં આરબના મુસ્લિમોએ અહીં હુમલાઓ શરૂ કર્યા હતા. ત્યારબાદ તે દિલ્હીના મુસ્લિમોના આધિપત્ય હેઠળ રહ્યું હતું. ત્યારબાદ તેનું સંપૂર્ણપણે વિખંડન અંગ્રેજોએ કર્યું હતું. અંગ્રેજોએ શરૂઆતમાં તેને પોતાના નેજા હેઠળ લઈ લીધું હતું.

    વર્ષ 1750 સુધી અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારો ભારતના ભાગમાં આવતા હતા. 18 ઑગસ્ટ, 1919ના દિવસે અફઘાનિસ્તાનને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. ત્યારબાદ ત્યાં અલગ મુસ્લિમ શાસન સ્થપાયું હતું. સમય જતાં ત્યાં અલગ-અલગ સત્તાઓનું શાસન રહ્યું હતું. હાલ ત્યાં તાલિબાની શાસન છે. પરંતુ ભૂતકાળમાં તે આખો દેશ અખંડ ભારતનો જ એક ભાગ હતો.

    સિંધ (પાકિસ્તાન):

    સિંધનો ભાગ અખંડ ભારતનો એક વિસ્તાર હતો. અહીં તાજેતરના સોઢા ક્ષત્રિય હિંદુ રાજાઓના શાસન હતા. સમય જતાં ઇસ્લામી આક્રાંતાઓએ આ વિસ્તારો પર હુમલા કર્યા હતા. ઇસ. 712માં ઈરાકી શાસક અલ હજ્જાહના ભત્રીજા અને જમાઈ મોહમ્મદ બિન કાસિમે 17 વર્ષની ઉંમરે અહીં ઘણા અભિયાનો ચલાવ્યા હતા. સિંધ પર ઇસ. 638થી 711 સુધીના 74 વર્ષમાં 9 ખલિફાઓએ 15 વાર મોટો હુમલો કર્યો હતો. 15માં હુમલાનું નેતૃત્વ મોહમ્મદ બિન કાસિમે કર્યું હતું. આ દરમિયાન સિંધના હિંદુ રાજા દાહિર અને તેમની રાણીઓ અને પુત્રીઓએ માતૃભૂમિ માટે વીરગતિ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ઇસ. 977માં મહમુદ ગઝનવીએ બગદાદના ખલીફાના આદેશ પર અહીં આક્રમણ કર્યું હતું. તેણે ઇસ. 1001થી 1026 સુધી 17 વાર ભારત પર આક્રમણ કર્યું હતું. જેમાં સોમનાથ મંદિર પરનું આક્રમણ ખૂબ જ ભયંકર માનવામાં આવે છે. મહમુદને શાસન મળતા જ તેણે હિંદુ રાજાઓ વિરુદ્ધ અભિયાન ઊભું કર્યું હતું.

    તેણે ઇસ. 1001માં રાજા જયપાલને હરાવ્યા હતા, ત્યારબાદ 1008માં રાજા આનંદપાલને હરાવ્યા હતા. ત્યારબાદ તે પંજાબ અને મુલ્તાનને લૂંટવા માટે નીકળી પડ્યો હતો. પંજાબમાં એક સમયે ગઝનવીઓનું સંપૂર્ણ આધિપત્ય સ્થપાઈ ચૂક્યું હતું. મહમુદ ગઝનવીએ મુલ્તાન, લાહોર, નગરકોટ અને થાનેશ્વરના મોટા ભાગના વિસ્તારોમાં મારધાડ કરી હતી અને હિંદુઓનું દમન કર્યું હતું. હિંદુઓ અને બૌદ્ધોને તલવારના જોરે મુસ્લિમ બનાવવાનું આખું કાવતરું ચાલ્યું હતું. ત્યારબાદ શીખ રાજા રણજીત સિંઘની આગેવાની હેઠળ હિંદુઓ અને શીખો એક થયા હતા અને મુસ્લિમ શાસનને અટકાવ્યું હતું. જોકે, થોડા સમય બાદ અંગ્રેજોએ પણ અહીં પગ પેસારો કરીને તોડવાનું રાજકારણ શરૂ કર્યું હતું. આખરે સ્વતંત્રતા મળતાની સાથે જ 14 ઑગસ્ટ, 1947ના દિવસે સિંધ (પાકિસ્તાન) ભારતમાંથી સંપૂર્ણપણે અલગ થયું હતું અને પાકિસ્તાનનો જન્મ થયો હતો. મઝહબી કટ્ટરતાના કારણે તે હિંદુ ભૂમિ આજે ઇસ્લામિક મુલ્ક બની ગઈ છે.

    નેપાળ:

    1560 સુધી નેપાળમાં હિંદુ રાજાઓનું શાસન હતું. તે અખંડ ભારતનો જ એ ભૂભાગ હતો. હજુ પણ ત્યાં આર્યસમાજની સંસ્કૃતિ જોવા મળે છે. રામાયણકાળમાં પણ તેને અખંડ ભારતના એક ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામના પત્ની માતા સીતા પણ નેપાળના મિથિલા-જનકપુરી નગરીના રહેવાસી હતા. આજે પણ જનકપુરીમાં માતા સીતાનું ભવ્ય મંદિર આવેલું છે. ચોથી સદી સુધી નેપાળ પર ગુપ્તવંશના રાજાઓનું શાસન હતું. 1904માં અંગ્રેજોના પ્રયાસોના કારણે વર્તમાનના બિહાર સ્થિત સુગૌલી નામના સ્થળ પર તે સમયના પહાડી રાજાઓના નરેશે અંગ્રેજો સાથે સંધિ કરી હતી અને નેપાળને ભારતથી અલગ કરીને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો અપાવ્યો હતો. પરંતુ ત્યાં કહેવાતી રાજાશાહી હતી, આધિપત્ય આડકતરી રીતે અંગ્રેજોનું હતું. 2008 સુધી નેપાળ વિશ્વનું એકમાત્ર હિંદુરાષ્ટ્ર હતું.

    ભૂટાન:

    ભૂટાનમાં વૈદિકધર્મ અને બૌદ્ધધર્મ બંનેની સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તે ભારતના નેજા હેઠળ આવતું હતું. અંગ્રેજોના શાસન સુધી તે ભારતનો જ એક ભાગ હતું. 1906માં ભૂટાન અને સિક્કિમ આ બંને પ્રદેશોને અંગ્રેજોએ પોતાના કબજામાં લઈ લીધા હતા. ત્યારથી ભૂટાન અલગ રાષ્ટ્ર તરીકે પોતાનો કાર્યભાર સંભાળતું આવ્યું છે. આજે પણ ભૂટાનની સુરક્ષાની જવાબદારી ભારતે લીધેલી છે. એક સમયે ભૂટાન ભારતનો જ ભાગ હતું.

    બલૂચિસ્તાન:

    આ વિસ્તાર 16 જનપદોમાંથી ગાંધાર જનપદનો એક ભાગ હતો. ઇસા પૂર્વે 321માં આ આખો વિસ્તાર ચંદ્રગુપ્ત મોર્યના સીધા શાસન હેઠળ આવતો હતો. વર્ષ 711માં મોહમ્મદ બિન કાસિમે બલૂચિસ્તાન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગઝનવીએ તેના પર કબજો કરી લીધો હતો. અંગ્રેજોએ તેને 4 વિભાગોમાં તોડી પાડ્યું હતું. જેમાં કલાત, મકરાન, લસબેલા અને ખારનનો સમાવેશ થાય છે. પાકિસ્તાન બન્યા બાદ ઝીણાએ 1948માં દગાથી તેના પર પોતાનો કબજો કરી લીધો હતો. પરંતુ આજદિન સુધી બલોચ લોકો પાકિસ્તાનથી આઝાદીની માંગણી કરી રહ્યા છે અને તેના માટે સશસ્ત્ર ક્રાંતિની તૈયારી પણ કરી રહ્યા છે. બલોચ લોકો આજે પણ પોતાને ભારતીય જનપદનો જ એક ભાગ માને છે. બહારથી આવેલા આક્રમણકારીઓના કારણે આ ભૂભાગ ભારત પાસેથી જતો રહ્યો હતો.

    તિબેટ:

    પ્રાચીન સમયમાં તિબેટને ત્રિવિષ્ટ કહેવામાં આવતું હતું. એક સમય સુધી અહીં પર હિંદુ સંસ્કૃતિ અને ધર્મની ઝલક જોવા મળતી હતી. તિબેટમાં પહેલાં તમામ લોકો હિંદુ ધર્મના અનુયાયી હતા. ધીરે-ધીરે ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો અને ત્યારબાદ તે બૌદ્ધધર્મનું મુખ્ય કેન્દ્ર પણ બની ગયું હતું. 19મી સદી સુધી તિબેટ અલગ જેવુ થઈ ગયું હતું અને તેણે પોતાની અલગ સત્તા પણ બનાવી રાખી હતી. ત્યારબાદ તેના બે ભાગ કરી દેવામાં આવ્યા હતા, જેમાનો એક ભાગ ચીનના કબજા હેઠળ ગયો છે અને બીજો ભાગ આજે પણ લામા પાસે છે. અખંડ ભારતમાં તેને ત્રિવિષ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. મૌર્યવંશના રાજાઓનું અહીં શાસન હતું.

    ઈરાન:

    એક વાત જાણીને આશ્ચર્ય થશે કે, એક સમયે ઈરાનને ‘આર્યન’ તરીકે ઓળખવામાં આવતું હતું અને અહીં સૌથી વધુ આર્ય સંસ્કૃતિના લોકો રહેતા હતા. હિંદુઓનું અહીં શાસન હતું. સમ્રાટ અશોકે ભારત પર એકછત્રી શાસન કર્યું હતું. તે દરમિયાન ઈરાનનું શાસન પણ મૌર્યવંશના હાથમાં હતું. પરંતુ સાતમી સદીમાં આરબોએ આ વિસ્તારમાં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર અને હિંસા શરૂ કરી દીધી હતી. ઈરાનમાં રહેતા આર્યોને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હતો. જ્યારે આજે ‘આર્યન’માંથી તેનું નામ ‘ઈરાન’ થઈ ગયું છે અને હિંદુઓની ભૂમિ ગણાતો તે ભાગ ‘ઇસ્લામિક મુલ્ક’ બની ગયો છે.

    ઈન્ડોનેશિયા:

    આજના સમયે સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ જો કોઈ હોય તો તે ઈન્ડોનેશિયા છે. પરંતુ ત્યાંના મુસ્લિમો એક સમયે હિંદુ હતા અને ખાસ વાત તો તે છે કે, આજના ઇન્ડોનેશિયન મુસ્લિમો તે વાતને ગર્વથી સ્વીકારે પણ છે. તે લોકો આજે પણ હિંદુ સંસ્કૃતિને અનુસરે છે. આજે પણ ઈન્ડોનેશિયામાં રામાયણ ભજવવામાં આવે છે. ગુપ્તયુગના શાસન દરમિયાન આ વિસ્તાર ‘રામાયણ’ની ભવાઈ માટે ખૂબ પ્રસિદ્ધ હતો અને આજેપણ તે લોકોએ પોતાના પૂર્વજોની સંસ્કૃતિને જીવંત રાખી છે. જોકે, હવે ત્યાં કટ્ટરપંથી મુસ્લિમોએ પણ પગ પેસારો શરૂ કરી દીધો છે. 88% મુસ્લિમ વસ્તી ધરાવતો આ દેશ 14મી સદીમાં માત્ર હિંદુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓનો દેશ હતો. 15મી સદીમાં ઇસ્લામિક આક્રાંતાઓના હુમલા બાદથી અહીં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર શરૂ થયો અને હિંસા પણ શરૂ થઈ. આજે તે વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે.

    મેલેશિયા:

    મલેશિયા અને આસપાસના આખા વિસ્તારને પ્રાચીન સમયમાં મલેય પ્રાયદ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો. તેની આસપાસના કમ્બોડિયા, વિયેતનામ, થાઈલેન્ડ, ફિલિપિન્સ, સિંગાપુર આ તમામ વિસ્તારો અખંડ ભારતનો એક ભાગ હતા. જેનું વિવરણ ગુપ્તયુગના ઇતિહાસમાં પણ જોવા મળે છે. આ તમામ વિસ્તારોમાં હિંદુઓ બહુમતીમાં હતા. પરંતુ વિદેશી આક્રાંતાઓથી મલેશિયા પણ અળગું ન રહી શક્યું. હિંદુ ધર્મના લોકોને બળજબરીથી ઇસ્લામ તરફ વાળવાનો પ્રયાસ થયો હતો અને મોટાભાગના લોકોએ ઇસ્લામ અપનાવી લીધો હતો.

    મ્યાનમાર:

    મ્યાનમારને અખંડ ભારતમાં ‘બ્રહ્મદેશ’ તરીકે ઓળખવામાં આવતું હતું. તેને બર્મા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બ્રહ્માનો અપભ્રંશ શબ્દ છે. મ્યાનમાર પ્રાચીન સમયથી જ ભારતનો એક ભાગ રહ્યું છે. અશોકના શાસન દરમિયાન મ્યાનમાર બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિનું પૂર્વીય કેન્દ્ર બન્યું હતું. અહીં બહુમતી બૌદ્ધ ધર્મના લોકોની હતી. પરંતુ વૈદિક યુગમાં બૌદ્ધ ધર્મ કે અન્ય કોઈ ધર્મનું અસ્તિત્વ જ ન હોવાથી તે પ્રજા આર્ય (હિંદુ) તરીકે ઓળખાતી હતી. મુસ્લિમ શાસન દરમિયાન મ્યાનમાર ભારતના મુખ્ય પ્રવાહથી અળગું રહ્યું હતું અને ત્યાં સ્વતંત્ર રજવાડાઓ બનવાના શરૂ થઈ ગયા હતા. 1886માં આખો દેશ બ્રિટિશ ભારતીય સામ્રાજ્યમાં ભળી ગયો હતો, પરંતુ અંગ્રેજોએ 1935માં ભારતીય શાસન વિધાનનો હવાલો આપીને મ્યાનમારને ભારતથી એકદમ અલગ કરી દીધું હતું.

    શ્રીલંકા:

    ‘શ્રીલંકા’એ ભારતીય ઉપમહાદ્વીપના દક્ષિણમાં હિંદ મહાસાગરમાં સ્થિત એક મોટો ટાપુ છે. તે ભારતના ચોલ અને પાંડ્ય જનપદ હેઠળ આવતો હતો. 2,350 વર્ષ પહેલાં શ્રીલંકાની સંપૂર્ણ વસ્તી વૈદિક હિંદુ ધર્મને માનનારી હતી. રામાયણકાળમાં પણ લંકાપતિ રાવણને શ્રીલંકાના રાજા તરીકે દર્શાવવામાં આવ્યો હતો. સમ્રાટ અશોકે તેમના પુત્ર મહેન્દ્રને શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે મોકલ્યો હતો. ત્યારબાદ ત્યાંના સિંહલ રાજાએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો અને તેને રાજધર્મ જાહેર કરી દીધો હતો. બૌદ્ધ અને હિંદુ ધર્મગ્રંથો અનુસાર, અહીં પ્રાચીનકાળમાં શૈવ, યક્ષ અને નાગવંશીઓનું શાસન હતું.

    પુરતાત્વીય અવશેષો પરથી જાણી શકાયું છે કે, શ્રીલંકાના શરૂઆતી માનવોનો સંબંધ ઉત્તર ભારતના લોકો સાથે હતો. ભાષાવિદો જણાવે છે કે, સિંહલી ભાષા ગુજરાતી અને હિન્દી ભાષા સાથે જોડાયેલી છે. એવી માન્યતા છે કે, શ્રીલંકાને ભગવાન શિવ દ્વારા વસાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શિવભક્ત રાવણ ત્યાં શાસન કરતો હતો. ઇસા પૂર્વ. 5076 પહેલાં ભગવાન રામે રાવણનો સંહાર કરીને શ્રીલંકાને આધિકારિક રીતે ભારતવર્ષના એક જનપદ તરીકેની માન્યતા આપી હતી.

    શ્રીલંકા પર પહેલાં પોર્ટુગીઝો અને પછી ડચ લોકોએ શાસન કર્યું હતું. ઇસ. 1800માં અંગ્રેજોએ તેના પર શાસન સ્થાપવાનું શરૂ કર્યું હતું. 1818 સુધીમાં શ્રીલંકા સંપૂર્ણપણે બ્રિટિશ સામ્રાજ્યમાં ભળી ગયું હતું. અંગ્રેજકાળમાં અંગ્રેજોએ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિના કારણે તમિલ અને સિંહલો વચ્ચે સાંપ્રદાયિક એકતાને તોડી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ 4 ફેબ્રુઆરી, 1948ના રોજ શ્રીલંકા એક અલગ દેશ તરીકે ભારતમાંથી હંમેશા માટે વિખૂટો પડ્યો હતો અને જેનું કારણ અંગ્રેજો રહ્યા હતા.

    સિંગાપુર:

    સિંગાપુર મલય મહાદ્વીપના દક્ષિણ વિસ્તારમાં આવેલકો એક નાનો ટાપુ છે. જે અખંડ ભારતનો એક ભાગ હતો. જોકે, તે મલેશિયાનો જ એક ભાગ હતો, પરંતુ પ્રાચીન ભારતમાં મલેશિયા પણ અખંડ ભારતનો જ એક ભાગ હતું. ઇતિહાસકારો કહે છે કે, શ્રીવિજયના એક રાજકુમાર ત્રિભુવને અહીં એક દિવ્ય સિંહ જોયો હતો, તે હિંદુ રાજકુમારે તે સ્થળને શુભ ગણીને ત્યાં સિંગપુરા નામની એક વસ્તી સ્થાપી હતી, જેનો સંસ્કૃતનો અર્થ થાય છે, ‘સિંહોનું શહેર’. બાદમાં સમયાંતરે તે સિંહપુર થઈ ગયું. ત્યારબાદ તે ટેમાસેક નામથી પણ ઓળખાયું હતું. જોકે, હાલમાં તેને સિંગાપુર કે સિંગાપોર તરીકે ઓળખવામાં આવે છે. જેનો અખંડ ભારત સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ હતો. 1930 સુધી તેમની ભાષામાં સંસ્કૃત ભાષાના શબ્દોનો સમાવેશ થતો હતો.

    તે લોકોના નામ પણ હિંદુ પરંપરા પ્રમાણે રખાતા હતા અને કેટલાક તો આજે પણ હિંદુ નામ રાખે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે જાપાનના અધિકાર હેઠળ રહ્યું હતું. યુદ્ધ પૂર્ણ થયા બાદ અંગ્રેજોએ તેના પર કબજો કરી લીધો હતો. 1963માં ફેડરેશન ઓફ મલાયાની સાથે સિંગાપુરનો વિલય કરીને મલેશિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, વિવાદ અને સંઘર્ષ બાદ 9 ઑગસ્ટ, 1965માં સિંગાપુર એક સ્વતંત્ર ગણતંત્ર બની ગયું હતું. તે સિવાય ઈન્ડોનેશિયા, કમ્બોડિયા અને થાઈલેન્ડ જેવા દેશો પણ અખંડ ભારતનો જ એક ભાગ હતા. થાઈલેન્ડનું પ્રાચીન નામ શ્યામદેહ હતું. તે સિવાય ઈન્ડોનેશિયાની રાજધાની બાલી તો આજે પણ હિંદુઓના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ઈન્ડોનેશિયા પર શ્રીવિજય રાજવંશ, શૈલેન્દ્ર રાજવંશ, સંજય રાજવંશ, માતારામ રાજવંશ, કેદિરિ રાજવંશ, સિંહશ્રી, મજાપતિહ સામ્રાજ્યનું શાસન પણ રહ્યું હતું. તે સાથે જ કમ્બોડિયામાં આજે પણ ભગવાન વિષ્ણુનું સૌથી મોટું મંદિર મોજૂદ છે.

    કમ્બોડિયા પર ઈશાનવર્મન, ભવવર્મન, જયવર્મન પ્રથમ, જયવર્મન દ્વિતીય, સૂર્યવર્મન પ્રથમ, જયવર્મન સપ્તપ વગેરે જેવા રાજાઓએ શાસન કર્યું હતું. ત્યારબાદ તે ફ્રાંસિસોના કબજામાં આવી ગયું અને સમય જતાં ભારતથી દૂર થઈ ગયું હતું. આજે અખંડ ભારતની પરિકલ્પનામાં માત્ર કેટલાક દેશોનો જ સમાવેશ કરવામાં આવે છે. જ્યારે વાસ્તવિક અખંડ ભારતમાંથી લગભગ 20 જેટલા દેશો અને વિસ્તારો અલગ થયા હતા.

    નડિયાદ ખાતે થઈ સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, CM પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ: દ્વારકા જગત મંદિરથી લઈને સારંગપુર હનુમાન સુધી તમામ તિરંગામય

    15 ઓગસ્ટ 2024 એટલે કે ભારતના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુરુવારે દેશભરમાં ઉજવણીઓ થઈ રહી છે. PM મોદીએ દિલ્હીમાં લાલ કિલ્લા પર ઝંડો ફરકાવીને દેશને સંબોધિત કર્યો હતો. સાથે જ ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ (Nadiad) ખાતે કરવામાં આવી હતી, જ્યાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર ર્હ્યા હતા. સાથે જ ગુજરાતભરના વિવિધ ધાર્મિકસ્થળો અને મંદિરોમાં પણ આ રાષ્ટ્રીય ઉત્સવની નોખી-નોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

    નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવીને કહ્યું કે, “વડાપ્રધાને વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત @2047નું વિઝન આપ્યું છે. આ વિઝનને સાર્થક કરવા માટે ગુજરાતે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, દેશવાસીઓએ વિકાસની વાત અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે. 140 કરોડ ભારતવાસીઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુન: વિશ્વાસ મૂક્યો છે, સતત ત્રીજીવાર દેશનો સુકાન નરેન્દ્ર મોદીને સોંપ્યો છે.”

    સારંગપુર હનુમાન દાદાને તિરંગામય વાઘા

    બોટાદ જિલ્લામાં આવેલ સારંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિર ખાતે સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. અહીં હનુમાનજીને તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. જેના ફોટા મન મોહી લે તેવા હતા.

    તિરંગાના વાઘા ઉપરાંત હનુમાનજીની પ્રતિમાની આસપાસ લાલ કિલ્લાની પ્રતિકૃતિ પણ ઉભી કરવામાં આવી હતી.

    જગત મંદિર પર ફરક્યો ત્રિરંગો

    સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં દ્વારકાના વિશ્વ પ્રખ્યાત જગત મંદિર ખાતે પણ તિરંગાના રંગની ધજા ફરકાવવામાં આવી હતી. રોજની જેમ આજે પણ દ્વારકાધીશના આ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે પહોંચ્યા હતા.

    દરિયામાંથી ફૂંકાતા પવન સાથે ફરકતી આ ધજા મનમોહક લાગી રહી હતી અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ તેને પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી રહ્યા હતા.

    પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી UCC માટે કરી હુંકાર

    PM નરેન્દ્ર મોદીએ દેશના 78મા સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ, 2024)ના અવસર પર લાલ કિલ્લા (Red Fort) પરથી આઝાદી માટે લડનારાઓને સલામ કરી છે. વડાપ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ હાલમાં દેશના નિર્માણ અને સંરક્ષણમાં રોકાયેલા લોકો પ્રત્યે તેમનું સન્માન વ્યક્ત કર્યું છે. સાથે જ તેઓએ UCC બાબતે પણ ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે.

    પીએમ મોદીએ (PM Modi) લાલ કિલ્લા પરથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સિવિલ કોડ એક પ્રકારનો કોમ્યુનલ સિવિલ કોડ છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં આ મુદ્દે ચર્ચા કરવાની અને આધુનિક સમયમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા બનાવવાની જરૂર છે.

    ‘હાલનો કાયદો છે સાંપ્રદાયિક… દેશમાં બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા જરૂરી…’: લાલ કિલ્લા પરથી PM મોદીએ કરી UCCની વાત, અહીં જાણો શું કહ્યું

    PM નરેન્દ્ર મોદીએ દેશના 78મા સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ, 2024)ના અવસર પર લાલ કિલ્લા (Red Fort) પરથી આઝાદી માટે લડનારાઓને સલામ કરી છે. વડાપ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ હાલમાં દેશના નિર્માણ અને સંરક્ષણમાં રોકાયેલા લોકો પ્રત્યે તેમનું સન્માન વ્યક્ત કર્યું છે. સાથે જ તેઓએ UCC બાબતે પણ ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે.

    લાલ કિલ્લાની કિલ્લા પરથી પીએમ મોદીએ કુદરતી આફતમાં જેમના પરિવારજનોના મોત થયા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. PMએ પોતાના ભાષણમાં કહ્યું કે આઝાદી પહેલા 40 કરોડ દેશવાસીઓએ વંદે માતરમના બળ પર ભારતના આઝાદીના (Independence Day) સપના તરફ કદમ ઉઠાવ્યા અને ગુલામીની સાંકળો તોડી નાખી.

    પીએમ મોદીએ અહીંથી કહ્યું કે જો 40 કરોડ લોકોને ગુલામીમાંથી આઝાદી મળી શકે છે, તો 140 કરોડ ભારતીયો એક લક્ષ્ય તરફ એક દિશામાં આગળ વધે તો 2047માં આપણે વિકસિત ભારત બનાવી શકીશું. PMએ કહ્યું કે દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા વિકસિત ભારત બનાવી શકે છે.

    દેશને UCCની જરૂર: લાલ કિલ્લા પર PM મોદી

    પીએમ મોદીએ (PM Modi) લાલ કિલ્લા પરથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સિવિલ કોડ એક પ્રકારનો કોમ્યુનલ સિવિલ કોડ છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં આ મુદ્દે ચર્ચા કરવાની અને આધુનિક સમયમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા બનાવવાની જરૂર છે.

    પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી એક દેશ એક ચૂંટણીને (One Nation One Election) લઈને પોતાના વિચારો પણ રજૂ કર્યા. તેમણે કહ્યું કે અત્યારે દરેક યોજના ચૂંટણી સાથે જોડાયેલી છે. તેમણે દેશના રાજકીય પક્ષોને એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે આગળ આવવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે આ દેશ હવે સંકલ્પ સાથે આગળ વધવા માટે મક્કમ છે.

    પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકોએ પણ વિકસિત ભારતને લઈને પોતાના સૂચનો આપ્યા છે. જેમાં ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાથી લઈને મીડિયાને ગ્લોબલ બનાવવા અને સ્થાનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે દેશની યુનિવર્સિટીઓને વર્લ્ડ ક્લાસ બનાવવા સુધીના સૂચનો આપવામાં આવ્યા હતા.

    PMએ સરકારની સિદ્ધિઓ ગણાવી

    સરકારની સિદ્ધિઓની ગણના લાલ કિલ્લા પરથી કરવામાં આવી હતી. તેમણે યાદ અપાવ્યું કે લાલ કિલ્લા પરથી જે પણ જાહેરાત કરવામાં આવી હતી, તેના પર કામ કરવામાં આવ્યું છે. તેમણે અહીં જલ જીવન મિશન, હર ઘર વીજળી અને સ્વચ્છતા અભિયાનમાં મળેલી સફળતાનો ઉલ્લેખ કર્યો હતો.

    પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે દેશને મોટા સુધારા કર્યા. તેમણે કહ્યું કે સુધારા પ્રત્યે તેમની સરકારની પ્રતિબદ્ધતા કોઈ મજબૂરી કે અખબારના તંત્રીલેખ માટે નથી પરંતુ દેશને મજબૂત કરવા માટે છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં જે બદલાવ આવે છે તે બૌદ્ધિક ચર્ચા માટે નથી.