
પીએમ મોદી એક મહિનામાં જ બીજી વખત ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે 31 માર્ચના રોજ ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતીને લઈને ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન આપતાં કહ્યું કે આ મ્યુઝિયમ જૈન દર્શન અને ભારતીય સંસ્કૃતિનું એક એવું કેન્દ્ર છે, જે આપણી પ્રાચીન વિરાસતને નવી પેઢી સુધી આધુનિક સ્વરૂપમાં પહોંચાડશે.
સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિને યાદ કરતા પીએમે કહ્યું કે જ્યાં વિશ્વમાં અનેક શાસકોએ હિંસાને હથિયાર બનાવ્યું, ત્યાં સમ્રાટ સંપ્રતિએ રાજસિંહાસન પર બેસીને પણ અહિંસા અને સત્યનો વિસ્તાર કર્યો. પીએમ મોદીએ અગાઉની સરકારો પર નિશાન સાધતાં કહ્યું કે પહેલાંની સરકારોએ પ્રાચીન પાંડુલિપિઓને (મેન્યુસ્ક્રિપ્ટ્સ) સાચવવામાં બેદરકારી બતાવી. આને સુધારવા માટે હવે ‘જ્ઞાન ભારતમ મિશન’ શરૂ કરવામાં આવ્યું છે.
મહાવીર જયંતિ નિમિત્તે, પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું…
— ઑપઇન્ડિયા (@OpIndia_G) March 31, 2026
આ મ્યુઝિયમ જૈન ધર્મના કાલાતીત મૂલ્યો, જેમાં અહિંસા અને ભારતનો સમૃદ્ધ આધ્યાત્મિક વારસો શામેલ છે, પ્રદર્શિત કરે છે.
PM Modi in Gujarat | Samrat Samprati Museum | Mahavir Jayanti pic.twitter.com/TEioWvJXqK
આધુનિક ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી જૂની પાંડુલિપિઓને ડિજિટલ બનાવવામાં આવી રહી છે, જેથી આવનારી પેઢીઓ પોતાનાં મૂળ સાથે જોડાયેલી રહે. પીએમે કહ્યું કે ભારતમાં જ્ઞાનનો પ્રવાહ હંમેશા મુક્ત રહ્યો છે અને તેને સાચવવું આપણી ફરજ છે.
આગળ તેમણે એવું પણ કહ્યું હતું કે ભારતની વિવિધતા અને એકતા જ તેની તાકાત છે. મત, મજહબ અને આસ્થાના નામે દુનિયાએ ઘણી અથડામણો જોઈ છે. વેદ, પુરાણ, આયુર્વેદ, યોગ જેવી વિવિધ પરંપરાનો રંગ એક સાથે ઇંદ્રધનુષની જેમ ઉપસ્થિત હોય એ ભારતમાં જ શક્ય છે.
પીએમ મોદીના 10 સંકલ્પ
આ ખાસ પ્રસંગે વડા પ્રધાને દેશવાસીઓ સમક્ષ 10 સંકલ્પ રજૂ કર્યા, જેમાં પાણી બચાવવું, ‘એક વૃક્ષ માંના નામે’ વાવવું, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન (પર્યટન), પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી, યોગ/ખેલ, ગરીબોની મદદ અને ભારતની વિરાસતને સાચવવાનો સમાવેશ થાય છે.
आज का यह अवसर 9 संकल्पों को दोहराने का है…
— BJP (@BJP4India) March 31, 2026
पहला संकल्प: पानी बचाने का
दूसरा संकल्प: एक पेड़ मां के नाम
तीसरा संकल्प: स्वच्छता का मिशन
चौथा संकल्प: वोकल फॉर लोकल
पांचवां संकल्प: देश दर्शन
छठा संकल्प: प्राकृतिक खेती को अपनाना
सातवां संकल्प: स्वस्थ जीवनशैली को अपनाना
आठवां… pic.twitter.com/KJvwEVFP4g
આ અવસરે જૈનાચાર્ય શ્રીપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે વડા પ્રધાનની પ્રશંસા કરતાં કહ્યું કે કોરોના કાળથી લઈને યુદ્ધના સમય સુધી, પીએમ મોદીએ હંમેશા દેશવાસીઓની ચિંતા કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીની ગાદી પર અનેક લોકોએ રાજ કર્યું, પરંતુ પીએમ મોદીની કાર્યશૈલી સૌથી અલગ છે.

