Thursday, April 2, 2026
More
    Home Blog Page 1400

    વાપી ખાતે રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવતાઓના અપમાનનો મામલો: મોરાઈ ફાટક ખાતે ભંગારનું ગોડાઉન ચલાવનાર લિયાકત ખાનની અટકાયત

    ગઈ કાલે વલસાડ જીલ્લામાં દેશ અને હિન્દુ ધર્મને અપમાનિત કરવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. વલસાડ જિલ્લાના વાપી શહેરના મોરાઈ ફાટક પાસે હાઇવે પર એક ખુલ્લા ભંગારના ગોડાઉનમાં ભારતના રાષ્ટ્રધ્વજ, ભગવાન શ્રીરામના ફોટાવાળા બેનરો તથા હનુમાનજીના બેનરોનો ઉપયોગ ભંગારના પોટલાં તરીકે કરવાનો બનાવ સામે આવ્યો હતો. આ રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું જોઈને સ્થાનિક હિન્દુ દેશભકતોની લાગણી દુભાઈ હતી.

    સંપૂર્ણ વિષય એ મુજબ છે કે વાપીથી સુરત જતાં હાઇવે પર મોરાઈ ફાટક પાસે લિયાકત ખાન નામના એક વ્યક્તિનું ભંગારનું ખુલ્લુ ગોડાઉન આવેલું છે, ગઈ કાલે ત્યાથી પસાર થતાં સ્થાનિક લોકોને ભંગારના ઢગલામાં એક્દમ નવાનક્કોર કાપડમાં બાંધેલા ભંગારના ટોપલા જોવા મળ્યા. દૂરથી જોઈને શંકા જતાં સ્થાનિકોએ પાસે જઈને તપાસ કરી તો એ કાપડ અન્ય કાઇ નહીં પરંતુ આપણાં દેશના રાષ્ટ્રધ્વજ હતા. તો લોકોએ તુરંત જ વાપીના VHP અધ્યક્ષ અને સામાજિક આગેવાન નરેન્દ્ર પાયકને ફોન કરીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી આ ઘટનાની જાણ કરી.

    ગોડાઉન સંચાલક લિયાકત ખાન (ફોટો : નરેન્દ્ર પાયક)

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં નરેન્દ્ર પાયકે જણાવ્યુ કે, “જ્યારે મને આ વિષયનો ફોન આવ્યો તો હું તુરંત જ ઘટનાસ્થળે પહોચ્યો હતો. ત્યાં મે પણ રાષ્ટ્રધ્વજમાં બાંધેલ આવા ભંગારના ટોપલા જોયા. પછી અમે ત્યાં વધુ તપાસ કરતાં રાષ્ટ્રધ્વજ ઉપરાંત હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક એવા પ્રભુ શ્રી રામ અને હનુમાનજીના બેનરોમાં પણ ભંગાર બાંધેલો જોવા મળ્યો. જેથી અમે તુરંત નજીકના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં તુરંત જ પોલીસ અધિકારીઓએ દોડી આવ્યા હતા.”

    પાયકે ઑપઇન્ડિયાને જણાવ્યુ કે તેમને આ ગોડાઉનની તપાસ કરતાં ત્યાથી કુલ 30 રાષ્ટ્રધ્વજ , 12 શ્રીરામના ચિત્ર વાળા બેનર અને ધજા તથા 4 હનુમાનજીના ચિત્ર વાળી ધજાઓમાં ભંગાર ભરેલો જોવા મળ્યો હતો જે પોલીસે તાકીદે કબજે કર્યા હતા. ગોડાઉન ખાતેથી અન્ય ધર્મના અમુક બેનર મળવાની વાત પણ સામે આવી હતી.

    રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવતાઓના ધ્વજમાં ભરેલો ભંગાર (ફોટો : નરેન્દ્ર પાયક)

    પોલીસે ત્વરિત પગલાં લેતા તે ભંગારના ગોડાઉનના સંચાલક લિયાકત ખાનની અટકાયત કરીને આ તમામ રાષ્ટ્રધ્વજ અને ધાર્મિક બેનરો કબજે લીધા હતા. લિયાકત ખાનની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે આ સમાન સુરતની એક કાપડ મિલમાંથી ભંગાર ભરતા એક ભંગારીયા પાસેથી ખરીદ્યો હતો. પોલીસે સુરતના એ મિલમાલિક અને ભંગારિયાને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.

    પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે સુરતની એક કાપડ મિલ કે જ્યાં આ રીતના ધ્વજ અને ધાર્મિક બેનરો બનાવવાનું કામ ચાલતું હોય છે ત્યાં રાષ્ટ્રધ્વજના એક લોટમાં છાપકામમાં કઈક ભૂલ થતાં મિલમાંથી એ આખો જથ્થો ભંગારમાં વેચી દેવાયો હતો જે ફરતા ફરતા વાપીના આ ગોડાઉનમાં પહોચ્યો હતો. પરંતુ ભારતીય ધ્વજ સંહિતા, 2002 મુજબ આ એક ગુનાહિત કૃત્ય ગણાય છે.

    ભારતીય ધ્વજ સંહિતા, 2002 અને રાષ્ટ્રધ્વજનું અપમાન

    ભારતીય ધ્વજ સંહિતા, 2002 મુજબ, ખંડિત થયેલ રાષ્ટ્રધ્વજનો નિકાલ કરવાની બે રીતો છે – સળગાવવા અથવા દફનાવવી. કોઈપણ પ્રક્રિયા પસંદ કરતી વખતે પણ કડક નિયમનું પાલન કરવું જોઈએ. આ નિયમો નીચે મુજબ સૂચિત છે.

    “રાષ્ટ્રધ્વજને દફનાવવા માટે, તમામ ક્ષતિગ્રસ્ત ધ્વજને લાકડાના બોક્સમાં એકત્રિત કરો, તેમને ફોલ્ડ કરો અને તેને યોગ્ય રીતે મૂકો. બોક્સને જમીનમાં દાટી દો. ધ્વજ દફનાવવામાં આવે તે પછી એક ક્ષણ માટે મૌન પાળો.

    બીજો વિકલ્પ ધ્વજના અગ્નિસંસ્કાર કરવાનો છે. સલામત સ્થળ પસંદ કરો અને તેને સાફ કરો, ધ્વજની ગળી વાળો, આગ પ્રગટાવો અને ધ્વજને જ્યોતની મધ્યમાં કાળજીપૂર્વક મૂકો. રાષ્ટ્રધ્વજને ગળી વળ્યાં વિના અગ્નિદાહ આપવામાં આવે છે અથવા તેને પહેલા સળગાવી દેવામાં આવે અને પાછળથી આગમાં નાખવામાં આવે એ પણ એક ગુનાહિત કૃત્ય છે.”

    અહી એ નોંધવું જોઈએ કે રાષ્ટ્રધ્વજ ગૌરવનું પ્રતિક છે અને તેનો નિકાલ કરતી વખતે તેની ગરિમા જાળવવી જોઈએ. રાષ્ટ્રધ્વજનું અપમાન એ એક ગુનાહિત કૃત્ય છે.

    વાપીમાં આ પહેલા પણ હિંદુદ્વેષની ઘટના બનેલી છે

    આ પહેલા માર્ચ મહિનામાં વાપીના ચણોદની સેન્ટ મેરી શાળામાં પણ હિન્દુ ધર્મના અપમાનની એક ઘટના બની હતી. આ સેન્ટ મેરી શાળાના બે વિદ્યાર્થીઓએ એકબીજાને ‘જય શ્રી રામ’ બોલીને સંબોધન કરતાં શાળાએ તેમની પાસે માફીનામું લખાવ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક હિન્દુ સંગઠનોને થતાં VHP વાપી જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર પાયકે શાળાએ પહોચીને વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ શાળા સંચાલકોએ લેખિતમાં વાલીઓની માફી માંગી હતી.

    આ ઘટનાની નોંધ તે સમયે અમદાવાદમા ચાલી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય પ્રતિનિધિ સભામાં પણ લેવાય હતી અને સંઘના સરકાર્યવાહ દત્તાત્રેયજીએ આ વિષે નિવેદન પણ આપ્યું હતું.

    હાલ રાષ્ટ્રધ્વજ અને હિન્દુ ભગવાનોના અપમાનના વિષયમાં પોલીસ તપાસ ચાલી રહી છે. સુરતના મિલ માલિક અને સુરતના લોકલ ભંગારિયાની પૂછપરછ બાદ ચિત્ર વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે.

    જમીન આપો અને રેલવેમાં નોકરી લઇ જાવ: લાલુ યાદવ અને પરિવારના 17 ઠેકાણાં પર CBIના દરોડા

    બિહારના પૂર્વ મુખ્યમંત્રી, UPA સરકારના પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. સીબીઆઈએ (CBI) શુક્રવારે (20 મે 2022) લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા 17 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે. જાણવા મળ્યા અનુસાર આ દરોડાઓ દિલ્હીથી માંડીને બિહારના અલગ અલગ સ્થાનોએ પાડવામાં આવ્યા છે. આ મામલો જમીન લઈને રેલવેમાં નોકરી આપવા સાથે સંકળાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એ ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહના નેતૃત્વ વાળી યુપીએ-1ની સરકારમાં લાલુ યાદવ રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા.

    સીબીઆઈની ટીમે લાલુ યાદવ, તેમની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને દીકરી મીસા ભારતીના નિવાસ્થાનો સહીત બિહાર અને દિલ્હીના અસંખ્ય ઠેકાણાંઓ એક સાથે કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન સીબીઆઈની એક ટીમ રાબડી દેવીના સરકારી નિવાસ 10 સર્ક્યુલર રોડ પર પણ પહોંચી હતી.

    સીબીઆઈના સુત્રોએ ઇન્ડિયા ટુડેને કહ્યું હતું કે આ ગોટાળો એ સમયે થયો હતો જ્યારે લાલુપ્રસાદ યાદવ રેલમંત્રી હતા. તેમણે કહ્યું કે, “જ્યારે લાલુ રેલમંત્રી હતા, ત્યારે કેટલાક લોકો પાસેથી નોકરીના બદલામાં તેમની જમીન લઇ લેવામાં આવી હતી. રિપોર્ટ્સ એવા પણ છે કે રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચેલી સીબીઆઈની ટીમમાં કુલ 10 લોકો છે, જેમાં મહિલા અને પુરુષ અધિકારીઓ બંને છે. આ તમામ રાબડી દેવીના નિવાસસ્થાનની તપાસ કરી રહ્યા છે. આ દરમ્યાન અહીં કોઈને પણ પ્રવેશવા પર બંધી ફરમાવવામાં આવી છે. રાબડી દેવીના પટના નિવાસસ્થાન પર પણ પોલીસ જોવા મળી છે.

    જાણકારી અનુસાર સીબીઆઈની ટીમ લાલુ યાદવ, તેમની દીકરી મીસા સિવાય તેમના અન્ય સંબંધીઓને ત્યાં પણ તપાસ કરી રહી છે. ચારા કૌભાંડમાં રાજદના સુપ્રિમોને જામીન મળ્યાના એક અઠવાડિયા બાદ જ આ મામલો સામે આવ્યો છે. નોંધનીય એ પણ છે કે એપ્રિલ 2022માં ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને 10 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા. લાલુ તરફથી ડોરંડા કોષાગારમાં સીબીઆઈની વિશેષ અદાલતના ચુકાદાને પડકારતી એક જામીન અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. વધતી ઉંમર અને 17 પ્રકારની બીમારી ઉપરાંત અડધી સજા કાપી નાખી હોવાનો હવાલો આપતા લાલુએ જામીન માંગ્યા હતા. જ્યારે સીબીઆઈએ તેનો વિરોધ કરતા કહ્યું હતું કે ડોરંડા કોષાગારથી ગેરકાનૂની ઉપાડ સાથે જોડાયેલા મામલામાં લાલુની અડધી સજા હજી સુધી પૂરી નથી થઇ આથી એમને જામીન મળવા ન જોઈએ.

    મથુરા વિવાદિત શાહી ઈદગાહ હટાવવાની અરજી કોર્ટે સ્વીકારી, વિવાદિત માળખામાં લડ્ડુ ગોપાલના ‘જળાભિષેક’ પર સુનાવણી

    મથુરા શાહી ઈદગાહના વિવાદિત માળખામાં જલાભિષેક અને લડ્ડુ ગોપાલની પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી સ્વીકાર્યા બાદ કોર્ટે આ મામલે વધુ એક અરજી સ્વીકારી છે. માહિતી અનુસાર, ગુરુવારે (19 મે, 2022) ના રોજ મથુરા કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદિત ઢાંચાના કેસમાં મંદિરની નજીક બનેલા વિવાદિત ઢાંચાને હટાવવાની અરજીને સ્વીકારી લીધી હતી. મથુરા વિવાદિત શાહી ઈદગાહ વિવાદ હવે ધીમે ધીમે પ્રસરી રહ્યો છે.

    આ અરજી લખનઉના રહેવાસી રંજના અગ્નિહોત્રીએ કેશવ દેવ મંદિર માટે દાખલ કરી હતી. કોર્ટે આ અંગેની અરજી સ્વીકારતા કહ્યું કે રંજના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણી કરવા યોગ્ય છે. આ કેસ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાનના નામે દાખલ છે. એડવોકેટ હરિશંકર જૈને કહ્યું હતું કે કોર્ટે એવી તમામ અરજીઓને સ્વીકારી લીધી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરની જમીન પર મસ્જિદ બનાવવામાં આવી છે. હવે કોર્ટે આ મામલો સિવિલ કોર્ટમાં સુનાવણી માટે મોકલી આપ્યો છે.

    અહીં એ નોંધનીય છે કે અગાઉ વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનામાં મથુરા સિવિલ કોર્ટે શાહી ઈદગાહ વિવાદિત માળખાને હટાવવાની અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં શાહી ઈદગાહને હટાવવા અને 13.37 એકર જમીન ભગવાન કૃષ્ણને હસ્તાંતરિત કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સિવિલ કોર્ટે તેને ફગાવી દીધી હટી. ત્યાર બાદ આ મામલો જિલ્લા કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સુનાવણી બાદ અરજી સ્વીકારવામાં આવી હતી.

    નોંધનીય છે કે જ્ઞાનવાપી સર્વે બાદ મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિને લઈને કોર્ટમાં અરજીઓ ઝડપથી દાખલ થઇ રહી છે. તાજેતરમાં, શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદના સંદર્ભમાં, મનીષ યાદવ નામના વ્યક્તિ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કેટલાક લોકો શાહી ઇદગાહમાંથી પુરાવાને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી શકે છે જે સાબિત કરે છે કે તે ઇદગાહનો ભાગ છે. .

    નોંધનીય છે કે આ પહેલા અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ કૌશિકે બુધવારે સિવિલ જજ સિનિયર ડિવિઝન મથુરામાં અરજી દાખલ કરીને શાહી ઈદગાહમાં લડ્ડુ ગોપાલના જલાભિષેકની પરવાનગી માંગી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી અને આગામી સુનાવણી માટે તારીખ 1 જુલાઈ નક્કી કરાઈ હતી.

    રાજ કુન્દ્રા પોર્ન કેસ બાદ શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલીઓ વધી, હવે EDએ મની લોન્ડરિંગનો કેસ કર્યોઃ ગયા વર્ષે પોર્ન રેકેટ સામે આવ્યું હતું

    રાજ કુન્દ્રા પોર્ન કેસ બાદ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો છે, મળતી માહિતી મુજબ કુન્દ્રા વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આમ રાજ કુન્દ્રા પોર્ન કેસમાં નવો વળાંક આવ્યો છે.

    ગત વર્ષે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં મુંબઈ પોલીસે 20 જુલાઈ 2021ના રોજ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. તેના પર પોર્ન ફિલ્મો બનાવવાનો આરોપ હતો. ભારતમાં અંગત જગ્યા પર પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધ નથી, પરંતુ પોર્ન ફિલ્મો બનાવવા બદલ પોર્નોગ્રાફી કાયદા હેઠળ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોર્ન ફિલ્મો બનાવવી, બતાવવી, તેનું વિતરણ કરવું અને પ્રકાશિત કરવું તે કાયદાકીય રીતે ગુનો માનવામાં આવે છે. રાજ કુન્દ્રાની ધરપકડ કરતા પહેલા મુંબઈ પોલીસે ફેબ્રુઆરીમાં આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી હતી. આરોપ છે કે આ બધા પોર્ન ફિલ્મો બનાવતા હતા અને ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ આપવાની લાલચ આપીને લોકોને છેતરતા હતા.

    કુન્દ્રા માટે પોર્ન ઉજ્વળ ભવિષ્ય

    મુંબઈ પોલીસે ગયા વર્ષે ખુલાસો કર્યો હતો કે, કુન્દ્રા આ રેકેટ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ચલાવી રહ્યા હતો. તેમાં નફો મેળવવા માટે તેની પાસે સુનિયોજિત વ્યૂહરચના પણ હતી. પ્રાપ્ત પુરાવાઓ પરથી એવું બહાર આવ્યું હતું કે રાજ કુન્દ્રા જાતીય કૃત્યોના લાઇવ સ્ટ્રીમિંગને શ્રેષ્ઠ વિકલ્પ માની રહ્યો હતો. તેનો પ્લાન હતો કે તે આ બિઝનેસને બોલિવૂડ જેટલો જ મોટો બનાવશે.

    હોટશોટ્સ મારફતે સ્ટ્રીમિંગ

    મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને ‘હોટશોટ’ એપ દ્વારા અશ્લીલ વીડિયો બનાવવા અને પ્રકાશિત કરવા માટે “મુખ્ય કાવતરાખોર” તરીકે નામ આપ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર કુન્દ્રા ‘હોટશોટ્સ’ એપ દ્વારા પોર્ન વીડિયોના સ્ટ્રીમિંગમાં સામેલ હતો. તેણે વર્ષ 2019માં તેની એપ ‘હોટશોટ્સ’ 25,000 ડૉલર (રૂ. 18,65,410)માં વેચી. જો કે, આ માત્ર તપાસને ગેરમાર્ગે દોરવા માટે હતું, કારણ કે એપ વેચ્યા પછી પણ તે મુંબઈથી તેનું નિયંત્રણ કરતો હતો. કુન્દ્રા પોર્ન વીડિયો માટે કન્ટેન્ટ આપતો હતો. તેણે તેની વિયાન ઈન્ડસ્ટ્રીઝ ઓફિસમાંથી યુકેની ફર્મનું નિયંત્રણ કરતો હતો.

    વિદેશમાં નોંધાયેલછે હોટશોટ એપ

    વાસ્તવમાં રાજ કુન્દ્રાએ ભારતમાં જ પોર્ન વીડિયો બનાવ્યા હતા, પરંતુ જે એપ્લીકેશન પર તેનું પ્રસારણ થતું હતું તે હોટશોટ્સ એપ કેનરીન નામની કંપની દ્વારા બનાવવામાં આવી હતી, જે વિદેશમાં રજીસ્ટર્ડ હતી. એટલે કે રાજ કુન્દ્રાની ફર્મ (વિઆન)નો યુકે સ્થિત ફર્મ કેનરીન સાથે કરાર હતો. ભારતના સાયબર પોર્નોગ્રાફી કાયદાઓથી બચવા માટે આ કંપની વિદેશમાં રજીસ્ટર કરવામાં આવી હતી અને ભારતમાં શૂટ કરાયેલી પોર્ન મૂવીઝ ‘WeTransfer’ નામના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કેનરીનને મોકલવામાં આવી હતી.

    સૌથી મોટી સાઇઝની ફાઇલો (વીડિયો, ઇમેજ વગેરે) સરળતાથી ‘WeTransfer’ દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે. જો કે હોટશૉટ્સ એપ ન તો ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હતી અને ન તો એપલ પ્લે સ્ટોર પર પરંતુ તેને એપીકે ફાઇલની મદદથી ફોનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. હોટશોટ પર ભારતમાંથી લગભગ 10 લાખ યુઝર્સ છે. રાજ કુન્દ્રા હોટશોટ્સ સિવાય, પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ સાથે પણ અન્ય ઘણી એપ્લિકેશનો પર પોર્ન મૂવીઝ વેચીને ભારે નફો કમાયો હતો.

    પૂનમ પાંડે અને શર્લિન ચોપરાના આરોપ

    અભિનેત્રી પૂનમ પાંડે અને શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને તેના સહયોગીઓ પર તેમની તસવીરોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. બંનેએ એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે રાજ કુન્દ્રા જ તેમને ‘એડલ્ટ ઈન્ડસ્ટ્રી’માં લાવ્યા હતા. શર્લિન ચોપરાને એક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયા મળતા હતા અને રાજે તેને આવા 15-20 પ્રોજેક્ટ આપ્યા હતા. બીજી તરફ, પૂનમ પાંડેએ રાજ કુન્દ્રાની કંપની સાથે જોડાણ કર્યું હતું, જેમાં તેને કન્ટેન્ટ માટે પૈસા મળતા હતા. ‘આર્મસ્પ્રાઈમ મીડિયા’ કંપનીએ ભારતીય મોડલો માટે એપ્સ ડેવલપ કરી હતી.

    શર્લિને પોલીસને જણાવ્યું કે તેણે આર્મ્સપ્રાઈમ નામની કંપની સાથે કરાર કર્યો હતો અને પછી વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું કે શરૂઆતમાં તે ગ્લેમરસ વીડિયો હતો, પરંતુ તે પછી બોલ્ડ ફિલ્મો બનવા લાગી અને બાદમાં તેણે સેમી ન્યૂડ અને ન્યૂડ વીડિયો બનાવવા પડ્યા. શર્લિન ચોપરાના જણાવ્યા અનુસાર, તેને હંમેશા કહેવામાં આવતું હતું કે તેમાં કંઈ ખોટું નથી, કારણ કે દરેક જણ આવું કરેજ છે. શર્લિને જણાવ્યું હતું કે રાજ કુન્દ્રા 27 માર્ચ 2019ના રોજ તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે ના પાડવા છતાં જબરદસ્તી કરવાનું શરૂ કર્યું હતું,

    પોર્ન ફિલ્મોનું પ્રસારણ

    ભારતના IT એક્ટ હેઠળ, જો કોઈ વ્યક્તિ અથવા ડિજિટલ પ્લેટફોર્મ કોઈપણ પ્રકારની અશ્લીલ સામગ્રીના પ્રકાશન અથવા પ્રસારણનું કારણ બને, તો તેને પોર્નોગ્રાફી એક્ટ હેઠળ પણ દોષિત ગણવામાં આવે છે. આ કાયદા હેઠળ, તે ડિજિટલ પ્લેટફોર્મ જ્યાંથી પોર્ન મૂવીઝ અથવા વિડિયો પ્રકાશિત અથવા પ્રસારિત કરવામાં આવ્યા છે તેના સંચાલકો પણ દંડનીય કાર્યવાહીને પાત્ર થશે.

    બે મહિના જેલમાં વિતાવ્યા બાદ પોતાના ઘરે પરત ફર્યો

    બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ બે મહિના જેલમાં વિતાવ્યા બાદ રાજ કુન્દ્રા 21 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાના ઘરે પરત ફર્યો હતો. ઘરે પહોંચીને કુન્દ્રા ખૂબ જ ભાવુક જણાતો હતો. તેની આંખોમાં આંસુ દેખાતા હતા. દરમિયાન, કેટલાક મીડિયા અહેવાલોએ મુંબઈ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે કુન્દ્રા પાસે 119 પોર્ન ફિલ્મોનું કલેક્શન હતું. તે આ ડીલ 9 કરોડમાં કરવા માંગતો હતો. તેની યોજના બે વર્ષમાં તેની એપ્લિકેશનના વપરાશકર્તાઓને 3 ગણા અને નફો 8 ગણો વધારવાનો હતો. તપાસ દરમિયાન પોલીસને કુન્દ્રાના મોબાઈલ, લેપટોપ અને હાર્ડ ડિસ્કમાંથી આ વીડિયો મળ્યા હતા. મુંબઈ પોલીસે તેની સામે 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં શિલ્પા સહિત 43 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.

    ડિજિટલ પત્રકારત્વ માટે ઑપઈન્ડિયાના એડિટર નુપુર શર્મા દેવઋષિ નારદ સન્માનથી સન્માનિત, આ વર્ષે 12 પત્રકારોને આ એવોર્ડ મળ્યો.

    ડિજિટલ પત્રકારત્વ માટે ઑપઈન્ડિયાના નુપુર શર્માને દેવઋષિ નારદ સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા. પત્રકારત્વના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર મીડિયા કર્મચારીઓને 18 મેના રોજ RSSની સંચાર શાખા ઈન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ દ્વારા દેવઋષિ નારદ સન્માન 2022 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 12 પત્રકારોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આમાંનું એક નામ ઑપઈન્ડિયાના એડિટર-ઇન-ચીફ નુપુર શર્માનું છે. તેમને ડિજિટલ પત્રકારત્વ નારદ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    નારદ સન્માન મેળવનાર પત્રકારોના નામ

    નુપુર શર્માને દેવઋષિ નારદ સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમની સાથે વિવિધ કેટેગરીમાં સન્માન મેળવનાર પત્રકારોમાં હિન્દુસ્તાન સમાચારના આશુતોષ કુમાર પાંડે (યુવાન પત્રકાર નારદ સન્માન પ્રાપ્તકર્તા); આયોજક નિશાંત કુમાર આઝાદ (સ્ત્રી કરોકર/મહિલા સંવેદના પત્રકાર નારદ સન્માન); ઇન્ડીયન સાયન્સ વાયરના ઉમાશંકર મિશ્રા, (ગ્રામીણ પત્રકારત્વ નારદ સન્માન); દૂરદર્શન સમાચારના સુરેશ કુમાર જયસ્વાલ (ન્યૂઝરૂમ સહયોગ નારદ સન્માન); ન્યૂઝ જંકશનના પ્રિયંકા દેવ (સોશિયલ મીડિયા પત્રકાર નારદ સન્માન); પંજાબ કેસરીના મિહિર સિંહ (ફોટો પત્રકાર નારદ સન્માન); ન્યૂઝનેશનના વિદ્યાનાથ ઝા (ટીવીના વિડિયો પત્રકાર નારદ સન્માન); પીએમ નારાયણન (વિદેશી પત્રકારત્વ નારદ સન્માન); વરિષ્ઠ પત્રકાર દીપક ઉપાધ્યાય (ઉત્તમ પત્રકાર નારદ સન્માન); અને ભૂતપૂર્વ પત્રકાર, કટાર લેખક બલબીર પુંજ (નારદ સન્માન માટે આજીવન સેવા). આ તમામ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

    સન્માનિત થયેલા પત્રકારો ( સાભાર Opindia Hindi)

    પત્રકારત્વ નિષ્પક્ષ હોવું જોઈએ, સકારાત્મક દિશામાં આગળ વધવું જોઈએ

    આ કાર્યક્રમમાં આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે મુખ્ય વક્તા તરીકે અને રાજ્યના મંત્રી ડૉ. સંજીવ કુમાર બાલ્યાન અને નેટવર્ક 18ના મેનેજિંગ એડિટર એન્કર આનંદ નરસિમ્હાએ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. સુનીલ આંબેકરે કાર્યક્રમને સંબોધતા જવાબદારી પૂર્ણ પત્રકારત્વ પર વાત કરતા કહ્યું કે પત્રકારત્વમાં સત્ય સાથે આગળ વધવું, અને સત્ય સાથે ક્યારેય બાંધછોડ ન કરવી. અથવાતો તમે કયું સત્ય લોકો સુધી પહોંચાડવા માંગો છો તે બાબત ખૂબ જ જરૂરી છે. તે જ સમયે, રાજ્ય મંત્રી સંજીવ બાલ્યાને પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે પત્રકારત્વ એટલું મહત્વનું છે કે તે દરેક જનતાને અસર કરે છે. તેથી તે સકારાત્મક દિશામાં હોવું જોઈએ. તે હંમેશા તમામ મંતવ્યો અને વિચારોનો આદર કરીને ન્યાયપૂર્ણ હોવું જોઈએ.

    દિલ્હી હાઈકોર્ટ તરફથી AAP સરકારને આંચકો: ડોર સ્ટેપ રાશન ડિલિવરી સ્કીમ પર પ્રતિબંધ, ડીલરોએ કર્યો હતો વિરોધ

    દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ડોર સ્ટેપ રાશન ડિલિવરી કરવાની દિલ્હી સરકારની યોજનાને ફગાવી દીધી હતી. કાર્યવાહક ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની ડિવિઝન બેંચે આમ આદમી પાર્ટી (AAP) સરકારની મુખ્ય યોજના, મુખ્યમંત્રીની ઘર ઘર રાશન યોજનાને રદ કરવાનો આદેશ આપ્યો છે.

    મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ મહત્વાકાંક્ષી યોજનાને દિલ્હી સરકારના રાશન ડીલર્સ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ડીલર્સ યુનિયનની દલીલ હતી કે આ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટ, પીડીએસ નિયમો અને બંધારણના નિયમનું ઉલ્લંઘન છે. ડીલરોએ કોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં ડોર સ્ટેપ રાશન ડિલિવરી સ્કીમને સમાપ્ત કરવાની માંગ કરી હતી.

    ડીલર્સ એસોસિએશને અરજીમાં માગણી કરી હતી કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને કડકપણે એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવે કે PDS હેઠળ ખાદ્યાન્નનો પુરવઠો દિલ્હી સરકારને ફૂડ, સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવે.

    કેન્દ્ર સરકારે પણ અરજદારોની દલીલને સમર્થન આપ્યું હતું કે વાજબી ભાવની દુકાનો ખાદ્ય સુરક્ષા કાયદાનો અભિન્ન ભાગ છે. જે ડોર સ્ટેપ રાશન વિતરણ યોજના શરૂ થવાથી બરબાદ થઈ જશે.

    જો કે, દિલ્હી સરકારે આ યોજનાનો બચાવ કરતા કહ્યું હતું કે ડોર સ્ટેપ રાશન ડિલિવરી યોજના રાશનના વિતરણની લાંબી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારને કાબૂમાં રાખશે. રાજ્ય સરકારે આ મામલે કેન્દ્રને સવાલ કર્યો હતો કે જો રાજ્ય શૂન્ય કિંમતે રાશન આપવા તૈયાર છે અને નેવું ટકા લોકો ઈચ્છે છે તો કેન્દ્રને તેમાં કોઈ સમસ્યા કેમ છે.

    શું છે દિલ્હી સરકારની ડોર સ્ટેપ રાશન ડિલિવરી યોજના

    દિલ્હી સરકારની આ યોજના દ્વારા દિલ્હીના લોકોને ઘરે બેઠા રાશન આપવાની વાત કરવામાં આવી હતી. દિલ્હી સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે દિલ્હીના મોટાભાગના લોકોએ આ યોજનાને સમર્થન આપ્યું હતું. આ સાથે, આ યોજનામાં એક વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો કે સક્ષમ લોકો મફત રાશન વિતરણની યોજનામાંથી બહાર નીકળી શકે છે. દિલ્હીના ડીલરો પહેલાથી જ સરકારની આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

    આતંકવાદી યાસીન મલિક ટેરર ​​ફંડિંગમાં દોષિત, NIAની સ્પેશિયલ કોર્ટ 25 મેએ સજા સંભળાવશે

    આતંકવાદી યાસીન મલિક ટેરર ​​ફંડિંગ માં દોષિત સાબિત થયો છે. જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી હિંદુઓના નરસંહારના આરોપીઓમાંથી એક આતંકવાદી યાસીન મલિકને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત જાહેર કર્યો છે. હવે તેને કેટલી સજા થવી જોઈએ તેના પર કોર્ટ 25 મેથી સુનાવણી કરશે. કોર્ટે તપાસ એજન્સીને મલિકના નાણાકીય લેવડ-દેવડનો રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે.

    ગુરુવારે (19 મે 2022) કેસની સુનાવણી દરમિયાન, દિલ્હીની એક અદાલતે યાસીન મલિકને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા હેઠળ ષડયંત્ર અને રાજદ્રોહ માટે દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે મલિકને આગામી સુનાવણીની તારીખ સુધીમાં કોર્ટ સમક્ષ તેની નાણાકીય સંપત્તિના સંદર્ભમાં સોગંદનામું રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

    આપને જણાવી દઈએ કે ટેરર ​​ફંડિંગના મામલામાં આતંકવાદી યાસીન મલિકવિરુદ્ધ કોર્ટે માર્ચમાં આરોપો નોંધ્યા હતા. તે સમય દરમિયાન જાણવા મળ્યું હતું કે મલિક, શબ્બીર શાહ, રશીદ એન્જિનિયર, અલ્તાફ ફંટુશ, મસરત અને હુર્રિયત/જોઈન્ટ રેઝિસ્ટન્સ લીડરશીપ (JRL) સીધા ટેરર ​​ફંડ મેળવતા હતા. આ સિવાય મલિકે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવા માટે વિશ્વવ્યાપી મિકેનિઝમ તૈયાર કર્યું હતું.

    યાસીનનું આતંકવાદનું કબૂલનામું

    નોંધનીય છે કે આ જ મહિનામાં 2022માં યાસીન મલિકે કોર્ટમાં આતંકવાદના આરોપો કબૂલ કર્યા હતા. તેણે પટિયાલા હાઉસ કોર્ટની NIA કોર્ટમાં પોતાના આરોપો સ્વીકારી, કાયદા મુજબ કોર્ટ પાસે સજાની માંગ કરી હતી.

    કોણ છે યાસીન મલિક

    યાસીન મલિક એ એવો આતંકવાદી છે જે કાશ્મીર ઘાટીમાં હિન્દુઓના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ હોવા ઉપરાંત તે પાકિસ્તાનનો કટ્ટર સમર્થક પણ છે, તેના પર કાશ્મીરમાં આતંકવાદને સમર્થન આપવાનો આરોપ છે. આ ઉપરાંત આતંકવાદી યાસીન મલિક પર જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તત્કાલીન કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબૈયા સઈદનું અપહરણ કરવાનો પણ આરોપ છે.

    એટલું જ નહીં યાસીન મલિક પર 1990માં એરફોર્સના ચાર અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવાનો પણ આરોપ છે. જાન્યુઆરી 1990માં એરફોર્સના 4 અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ યાસીન મલિક પર છે. યાસીન મલિકે JKLF આતંકવાદીઓ સાથે મળીને સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની હત્યા કરી હતી, જે ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓમાંથી એક છે. યાસીન મલિક ખીણમાં કાશ્મીરી પંડિતોના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો અને આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે તે જાણીને, અગાઉની સરકારો અને મીડિયાએ હંમેશા તેને કાશ્મીરીઓના તારણહાર તરીકે રજૂ કર્યો છે. લોકોએ ટ્વિટર પર ભૂતકાળની સરકારો અને ત્યારના નેતાઓ સાથે આતંકવાદી યાસીન મલિકના સંબંધો વિષે પણ ચર્ચા છેડી છે.

    પંજાબ કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 1988ના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 1 વર્ષની સખત જેલની સજા

    સુપ્રીમ કોર્ટે ગુરુવારે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પરના ત્રણ દાયકા જૂના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી છે. સિદ્ધુને કોર્ટે એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

    આનો અર્થ એ થયો કે દોષિત ઠેરવવામાં આવતાં સિદ્ધુને એ રોડ રેજ કેસમાં એક વર્ષની જેલ થઈ છે, જે ત્રણ દાયકા પહેલા આ રાજનેતા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. 34 વર્ષ પહેલા રોડ રેજની ઘટનામાં માર્યા ગયેલા મૃતકના પરિવાર દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    સુપ્રીમ કોર્ટે 19 મેના રોજ નવજોત સિંહ સિદ્ધુને દોષમુક્ત કરવાના તેના મે 2018ના આદેશની સમીક્ષા કરવાની મંજૂરી આપી હતી. આ 1988નો રોડ રેજ કેસ છે જેમાં પટિયાલાના રહેવાસી ગુરનામ સિંહનું કોંગ્રેસ નેતા સાથે કથિત બોલાચાલી બાદ મૃત્યુ થયું હતું.

    કોર્ટના તાજા ચુકાદા બાદ સિદ્ધુને કોર્ટના આદેશ મુજબ પંજાબ પોલીસની કસ્ટડીમાં લેવામાં આવશે. સિદ્ધુને હવે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 323 હેઠળ મહત્તમ સંભવિત સજા સંભળાવવામાં આવી છે. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ એસકે કૌલની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.

    આજની સુનાવણી પહેલા સિદ્ધુએ કોર્ટને અપીલ કરી હતી કે તેમને જેલમાં પુરીને વધુ સજા ન કરવામાં આવે. સિદ્ધુએ તેમની દોષરહિત રાજકીય અને રમતગમતની કારકિર્દી, સેવાભાવી પ્રવૃત્તિઓ, સામાજિક કલ્યાણના કાર્યો વગેરેને ધ્યાનમાં રાખીને નમ્ર દૃષ્ટિકોણની અપીલ કરી.

    સિદ્ધુએ બેંચને એ પણ ધ્યાનમાં લેવા કહ્યું કે “SCએ અગાઉ આ ઘટનાને ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો હોવાનું કહીને નરમ વલણ અપનાવ્યું હતું. SC એ પણ નોંધ્યું હતું કે આરોપી અને પીડિતા વચ્ચે ભૂતકાળમાં કોઈ દુશ્મનાવટ નથી. કોર્ટે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી કે આરોપીઓએ કોઈ હથિયારનો ઉપયોગ કર્યો નથી.”

    અગાઉ, કોંગ્રેસ નેતાને 1988ના રોડ રેજની ઘટનામાં માત્ર 1000 રૂપિયાના દંડ સાથે છોડી દેવામાં આવ્યા હતા. મે 2018 માં, હરિયાણા અને પંજાબ હાઈકોર્ટના ચુકાદાને અમાન્ય ગણી સુપ્રીમ કોર્ટે માનવહત્યા માટે સિદ્ધુને દોષિત ઠેરવ્યો હતો.

    જો સુપ્રીમ કોર્ટે 2018માં આપેલા ચુકાદાને સ્વીકાર કર્યો હોત તો સિદ્ધુને ત્રણ વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યો હોત. તેના બદલે, સર્વોચ્ચ અદાલતે તેમને વરિષ્ઠ નાગરિકને નુકસાન પહોંચાડવા બદલ દોષી ઠેરવ્યા હતા.

    1988માં નવજોત સિંહ સિદ્ધુ સાથે બોલાચાલી બાદ 65 વર્ષીય ગુરનામ સિંહનું અવસાન થયું હતું. અહેવાલો અનુસાર સિદ્ધુએ સિંઘને તેના માથા પર માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.

    કોર્ટે આ વર્ષે માર્ચમાં નવજોત સિદ્ધુ વિરુદ્ધ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો

    એમ કહીને કે સિદ્ધુએ જાણી જોઈને મૃત્યુનું કારણ આપ્યું હતું, બેન્ચે કહ્યું, “રેકોર્ડ પરની સામગ્રી અમને એકમાત્ર સંભવિત નિષ્કર્ષ પર લઈ જાય છે કે પ્રથમ આરોપીએ કલમ 323 આઈપીસી હેઠળ સજાપાત્ર ગુરનામ સિંહને સ્વેચ્છાએ ઈજા પહોંચાડી હતી”.

    27 ડિસેમ્બર 1988ના રોજ, સિદ્ધુ અને તેના એક મિત્રએ પટિયાલાના રહેવાસી ગુરનામ સિંહને કથિત રૂપે તેમનું વાહન રોકવા માટે માર માર્યો હતો. જ્યારે ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ કેસમાં સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

    1999માં પટિયાલા જિલ્લા અને સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. રાજ્ય સરકારે તેની સામે અપીલ કરી હતી, અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેમને 2006 માં દોષિત ઠેરવ્યા હતા, અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. 2007 માં, સુપ્રીમ કોર્ટે સિદ્ધુની અપીલ પર દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી હતી, અને 2018 માં, સર્વોચ્ચ અદાલતે મુદત ઘટાડીને રૂ 1000 દંડ કર્યો હતો, જ્યારે સંધુને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

    અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવી, કહ્યું ઝાડ નીચે પથ્થર મુકીને લાલ ધજા ફરકાવો એટલે મંદિર બની ગયું; જ્ઞાનવાપી મામલો ભાજપ ભડકાવે છે

    અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જ્ઞાનવાપીમાં શિવલિંગ મળી આવવાના દાવા વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવતા કહ્યું છે કે “હિંદુ ધર્મમાં એવું છે કે પીપળના ઝાડ નીચે ગમે ત્યાં પથ્થર મૂકો, ધજા લગાવો, એટલે તે મંદિર બની ગયું”. સર્વે રિપોર્ટ કોર્ટમાં પહોંચે તે પહેલા બહાર આવી રહેલી માહિતી સામે પણ તેમણે વાંધો ઉઠાવ્યો હતો. અયોધ્યા કેસ પર પણ કહ્યું કે તે સમયે પણ મૂર્તિ અંદર રાખવામાં આવી હતી.

    એક પત્રકાર પરિષદના સંબોધન દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે,” જો તમે અમારા ધર્મમાં ક્યાંય પણ પત્થર અને લાલ ઝંડા લગાવી દો એટલે ત્યાં મંદિર બની જાય છે. લોકો ત્યાં પૂજા કરવા લાગે છે… ભાજપ જાણીજોઈને આખો મામલો વધારી રહી છે જેથી લોકોનું ધ્યાન મોંઘવારી અને બેરોજગારીથી હટી જાય. હાલ આ મામલો કોર્ટમાં છે, તો કોર્ટ જ તેનો નિર્ણય આપશે.”

    વધુમાં, અખિલેશે રામ મંદિર મુદ્દે પણ વાત કરી અને કહ્યું “કે હિંદુઓએ તે જગ્યા જબરજસ્તી તે જગ્યા કબજે કરી છે. તેમણે ભાજપને સાવચેત રહેવાની સલાહ આપી અને વધુમાં કહ્યું કે, “અયોધ્યામાં મૂર્તિ રાખવામાં આવી હતી. ભાજપ જાણીજોઈને વાતાવરણ બગાડવા માંગે છે. વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવીને તે લોકોને ધર્મ, જાતિ અને ધર્મના મુદ્દાઓમાં ભ્રમિત કરવા માંગે છે.”

    પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે સદનની કાર્યવાહીને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ સદનમાં લોકોના પ્રશ્નો સાંભળવા માંગતી નથી. એવું જાણવા મળ્યું છે કે સદન માત્ર 9 દિવસ ચાલશે. જે રાજ્યનું બજેટ 6 લાખ કરોડ છે. તે રાજ્યની જનતાના પ્રશ્નો 9 દિવસમાં કેવી રીતે પૂર્ણ થશે? અખિલેશે કહ્યું કે તેઓ ગૃહ ચલાવવા માટે દિવસ વધારવા માટે સરકાર સાથે વાત કરશે.

    અખિલેશે સરકાર પર વસુલીનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે સરકાર ગરીબોને ઓળખવાનો ઇનકાર કરી રહી છે. તેમના કહેવા પ્રમાણે, જે ગરીબોને રાશન આપવામાં આવ્યું હતું તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે છે. સ્ટીલ મોંઘું થયું, કોલસો મોંઘો થયો. જ્યારથી સરકાર બની છે ત્યારથી જ વીજકાપ છે અને પ્રજાને નોટિસો આવી રહી છે.

    સપા વડાએ કેન્દ્ર પર પણ નિશાન સાધતા કહ્યું કે દેશમાં ઉદ્યોગપતિઓને મોટી મોટી વસ્તુઓ વેચવામાં આવી રહી છે. કંપનીઓ વેચાઈ રહી છે, બેંકો મર્જ થઈ રહી છે, એલઆઈસીનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એરપોર્ટ વેચાઈ રહ્યા છે, રાજ્યના ઘઉં વિદેશમાં વેચાઈ રહ્યા છે… અખિલેશના કહેવા પ્રમાણે, જ્ઞાનવાપી વિવાદાસ્પદ માળખાનો કેસ આ બધી બાબતો પરથી લોકોનું ધ્યાન હટાવવાનો કીમિયો છે.

    તેમણે વર્તમાન સરકાર પર ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે જે રીતે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો નિયમથી દેશને ગુલામ બનાવ્યો એ જ નિયમ ભાજપ અપનાવી રહી છે. આ સિદ્ધાંત ઘણા વર્ષો જૂનો હતો જેનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા. પ્રજા સાથે આટલો અન્યાય અને અત્યાચાર આ પહેલા ક્યારેય થયો નથી. આ સરકાર ધર્મ અને જાતિના નામે માત્ર ડરાવી-ધમકાવી રહી છે.

    જ્ઞાનવાપી સર્વેમાં પશ્ચિમ દિવાલે હિંદુ ધાર્મિક ચિન્હો મળ્યા; શેષનાગ, દેવી દેવતા, હિંદુ પ્રતીકો, કલાકૃતિઓ,સિંદૂરનો લેપ: જે કઈ પણ જોયું, કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં બધું નોંધવામાં આવ્યું

    જ્ઞાનવાપી સર્વેમાં પશ્ચિમ દિવાલે હિંદુ ધાર્મિક ચિન્હો મળ્યા હોવાનો ખુલાસો થયો છે, જ્ઞાનવાપી વિવાદિત માળખાના સર્વે બાદ દરરોજ નવા દાવા કરવામાં આવી રહ્યા છે. હવે જ્ઞાનવાપી સરવેમાં પશ્ચિમ દિવાલે હિંદુ ધાર્મિક ચિન્હો મળ્યા છે જેમાં શેષનાગ અને દેવતાઓની કલાકૃતિઓ મળી આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રા દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જ્ઞાનવાપી સ્ટ્રક્ચરની પશ્ચિમી દિવાલ પર શેષનાગ અને હિંદુ મંદિરો છે. દેવી-દેવતાઓની કલાકૃતિ સ્પષ્ટપણે જોવા મળે છે. દિવાલની ઉત્તરથી પશ્ચિમ તરફ, પથ્થરની થાળી પર સિંદૂરના લેપ વળી ઉપસેલી કલાકૃતિ છે. જેમાં ચાર મૂર્તિઓનો આકાર દેવતાઓના રૂપમાં દેખાય છે. આ રિપોર્ટ કોર્ટ દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યો છે.

    કમિશન રીપોર્ટ સાભાર Oindia Hindi

    પોતાના બે પાનાના રિપોર્ટમાં પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે 6 મેના રોજ હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોથી આકૃતિ મૂર્તિ હોવાનું જણાય છે અને તેમાં સિંદૂરનો જાડો લેપ લાગેલો છે. તેની બાજુમાં દીવો પ્રગટાવવા માટે ત્રિકોણાકાર ગોંખલો છે અને તેમાં ફૂલો મૂકવામાં આવ્યા હતા.

    પૂર્વ દિશામાં બેરિકેડિંગની અંદર અને માળખાની પશ્ચિમ દિવાલની વચ્ચે, કાટમાળનો ઢગલો છે. આ શિલાલેખ પણ તેમનો જ એક ભાગ હોવાનું જણાય છે. આ પરની ઉપસેલી કલાકૃતિઓ સંરચનાની પશ્ચિમ દિવાલ પરની કલાકૃતિઓ સાથે મેળ ખાતી હોય તેવું લાગે છે.

    કમિશન રીપોર્ટ સાભાર Oindia Hindi

    ઉલ્લેખનીય છે કે, અજય મિશ્રાને બાદમાં માહિતી લીક કરવા બદલ સર્વેમાંથી હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પોતાના રિપોર્ટમાં જે દાવા કર્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે તેમની જગ્યાએ અજય પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ કોર્ટ કમિશનર છે. અજય મિશ્રાએ પોતાના રિપોર્ટમાં 6 અને 7 મેના રોજ થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અહેવાલમાં લખ્યું છે કે આ તમામ કૃતિઓ 6 મેના રોજ જોવામાં આવી હતી, ત્યારબાદ 7 મેના રોજ મસ્જિદ પરિસરમાં તૂટેલા દેવી-દેવતાઓની મૂર્તિઓ , હિંદુ દેવતાઓના પ્રતીકો અને કલાકૃતિઓ અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ જોવા મળ્યા હતા. જેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે વારાણસીમાં 14 થી 16 મે વચ્ચે શૃંગાર ગૌરી-જ્ઞાનવાપીમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ આજે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાખલ કરવામાં આવશે. એડવોકેટ કમિશનર વિશાલ સિંહ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ પંચની વચ્ચે હટાવાયેલા પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ કોર્ટમાં પોતાનો 2 પાનાનો રિપોર્ટ દાખલ કર્યો છે.

    નોંધનીય છે કે ગત દિવસોમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક નામની ત્રણ મહિલાઓએ નવી અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે નંદી મહારાજની સામે આવેલા વિવાદિત માળખાની દિવાલ તોડીને તપાસ કરવાની વિનંતી કરી છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે તમામ કાટમાળને હટાવીને શિવલિંગની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપવામાં આવે.