Thursday, April 2, 2026
More
    Home Blog Page 1401

    કોંગ્રેસનાં પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ચિકન સેન્ડવિચથી ડાયેટ કોક, જાતિવાદથી પૈસાની લેતી દેતી જેવા અનેક મુદ્દે કોંગ્રેસને ઘેરી

    કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ આજે હાર્દિક પટેલે અમદાવાદમાં પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ઘણા દાવા કર્યા હતા. હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત કોંગ્રેસ અને ટોચની નેતાગીરી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ઘણા પ્રયત્નો છતાં, તેમને ક્યારેય લોકોના ભલા માટે કામ કરવા દેવામાં આવ્યું નથી, અને ન તો પાર્ટીએ ક્યારેય ગુજરાત રાજ્યના લોકોની ચિંતા કરી.

    હાર્દિક પટેલે આજે સવારે કહ્યું હતું કે કોંગ્રેસ સૌથી મોટી સાંપ્રદાયિક પાર્ટી છે જે ગુજરાત પ્રત્યે સ્પષ્ટ દ્વેષ ધરાવે છે અને તે અંબાણી અને અદાણી તેમજ મેહુલ ચીનુભાઈ ચોક્સી જેવા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ કોઈ કારણ વગર ઝેર ઓકયા કરે છે.

    પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમને રાજ્યમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું હતું પરંતુ તે ખોટી વાત છે. તે ઈચ્છે તેવી પ્રવૃત્તિઓ કરવા માટે તેને ક્યારેય કોઈ જવાબદારી કે પરવાનગી આપવામાં આવી ન હતી. “આ કાર્યકારી પ્રમુખ એક કોસ્મેટિક સ્થિતિ હતી. માત્ર હું જ નહીં પણ એવા કેટલાય હાર્દિક પટેલ છે જેમનો ઉપયોગ કરીને ફેંકવામાં આવે છે. આ કોંગ્રેસનો ઈતિહાસ છે. 1972માં ચીમનભાઈ પટેલથી લઈને રાદડિયાથી નરહરિ અમીન સુધી, કોંગ્રેસ આ જ કરે છે,” તેમણે કહ્યું.

    આગળ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈને કોઈ પીએન પદ આપતા પહેલા એના નામની બાજુમાં એની જાતિ અને પેટા જાતિ લખવામાં આવે છે. દલિત સમાજ હોય કે પાટીદાર સમાજ કોંગ્રેસે હમેશા ગુજરાતને જાતિઓમાં તોડવાની કોશિસ કરી છે. પાટીદાર સમાજને પણ કડવા અને લેઉવામાં ભાગ પાડીને લાભ ખાંટવાનો પ્રયાસ કોંગ્રેસ હમેશા કરતી રહી છે.

    પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને પગલે તેઓ મોટી આશા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, એ વિચારીને કે એક મજબૂત વિપક્ષ રાજ્યના લોકો માટે બોલશે અને તેમની ચિંતાઓને પ્રકાશમાં લાવશે. તેણે કહ્યું, “હું મારા સમાજ, મારા લોકોના હક માટે લડ્યો છું. રચનાત્મક વિપક્ષ નિષ્ઠાપૂર્વક કામ કરી શકશે એવી આશા સાથે હું કોંગ્રેસમાં જોડાયો છું. 2019 થી 2022 સુધી, હું કોંગ્રેસ સમજી ગયો કે તે ખૂબ જ સાંપ્રદાયિક પાર્ટી છે.”

    હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે કોંગ્રેસે હંમેશા તેમને અને તેમના જેવા ઘણા લોકોને દબાવ્યા છે. “જ્યારે પણ તમે સત્ય કહેવાની કોશિશ કરશો, પાર્ટી તમને તોડી પાડશે. મારી અપીલો છતાં, કોંગ્રેસે મને ક્યારેય યુવાનોના મુદ્દાઓ કે પેપર લીકના પ્રશ્નોને સંબોધવા પત્રકાર પરિષદનું આયોજન કરવા દીધું નથી.” તેમણે કહ્યું.

    વધુમાં, પટેલે કહ્યું કે કોંગ્રેસે તેની કામગીરી અને વ્યૂહરચના અંગે ગંભીરતાથી આત્મચિંતનની જરૂર છે. તેમણે રાજ્યના નેતૃત્વ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને વ્યૂહરચના અંગે ચર્ચા કરવા અને ગંભીર નિર્ણયો લેવા કરતાં રાહુલ ગાંધીનું મનોરંજન કરવામાં વધુ રસ છે. તેમણે કહ્યું, “જ્યારે રાહુલ ગાંધી રાજ્યમાં આવે છે, ત્યારે તેમની સાથે ચર્ચા કરવા માટેના મુદ્દાઓ શોધવાને બદલે, અમારા વરિષ્ઠ નેતાઓ તેમના માટે ચિકન-સેન્ડવિચ અને ડાયેટ-કોકનું આયોજન કરવામાં વ્યસ્ત હોય છે!”

    કોંગ્રેસ પાર્ટીએ જમીની સ્તરે જઈને લોકો સાથે ફરી જોડાણ કરવાની જરૂર છે એમ કહીને, પટેલે કહ્યું, “કોંગ્રેસને ઉદયપુરમાં બેસીને ચિંતન શિવિર ચલાવવાની જરૂર નથી, તેઓએ એરકન્ડિશન્ડ કેબિનમાં બેસવાની જરૂર નથી. લોકો પાસે જવાની જરૂર છે.”

    હાર્દિક પટેલે કોંગ્રેસ અને તેના નેતાઓ પર પૈસાની લેતી દેતીનો આરોપ લગાવતા કહ્યું કે, “યૂથ કોંગ્રેસની ચૂંટણી માટે કોંગ્રેસ ગુજરાતમાંથી 5 કરોડ રૂપિયા ઉઘરાવીને લઈ ગઈ છે અને દર વખતે લઈ જાય છે. અને જ્યારે યૂથ કોંગ્રેસને કોઈ કાર્યક્રમ કરવા હોય તો એમને એક પણ રૂપીયો કોંગ્રેસ નથી આપતી.”

    હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું કે કોંગ્રેસને ‘ચિંતન’ કરવાની જરૂર નથી, પરંતુ તેમના માટે આગળ શું થશે તેના પર ‘ચિંતા’ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ માત્ર ગુજરાતની જ ચિંતા કરવાની જરૂર નથી. “હિમંતા બિસ્વા, જેએમ સિંધિયા, અમરિન્દર સિંહ, સુનીલ જાખર અને અન્ય કેટલાક લોકોએ કોંગ્રેસ કેમ છોડી તે અંગે કોંગ્રેસે ગંભીર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.”

    ભાવનાત્મક ભાષણમાં, હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી છોડીને મને ગર્વ છે, અને એવા ભવિષ્યની આશા છે જ્યાં તે લોકોના કલ્યાણ માટે કામ કરી શકે. તેમણે કહ્યું કે તેઓ ગુજરાતના લોકોના સમર્થનમાં એવા તમામ કાર્યોને પૂર્ણ કરવા માટે કામ કરશે જે તેઓ છેલ્લા ત્રણ વર્ષમાં કરી શક્યા નથી. પટેલે કહ્યું કે “મારી 7 વર્ષની સામાજિક કારકિર્દીમાં મે છેલ્લા 3 વર્ષ કોંગ્રેસમાં બગડ્યા એનો મને ખૂબ અફસોસ છે.” પટેલે જોડ્યુ કે એમના પિતાએ પણ મૃત્યુ પહેલા એમને કહ્યું હતું કે કોંગ્રેસમાં જઈને એણે ભૂલ કરી છે.

    પોતાના પિતાના મૃત્યુને ટાંકીને પટેલે કહ્યું હતું કે એમના પિતાના મૃત્યુ પર કોંગ્રેસનાં કોઈ મોટા નેતા એમને સાંત્વના આપવા આવ્યા નહોતા. પરંતુ પાછલી પુણ્યતિથિ પર જ્યારે એમને લાગ્યું કે હાર્દિક કોંગ્રેસ છોડીને જશે એટ્લે સૌ નેતાઓ એમના ઘરે આવ્યા હતા. પટેલે જોડ્યુ કે, “જે કોંગ્રેસે હાર્દિક પટેલના બાપાનાં મૃત્યુ પર હાર્દિકનું દુખ સમજ્યું ન હતું એ ગુજરાતની જનતાનું દુખ સમજી જ ના શકે.”

    ભાજપમાં જોડવાના પ્રશ્ન પર હાર્દિક પટેલે કહ્યું કે “હાલ ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનો મે કોઈ નિર્ણય નથી લીધો. પરંતુ ભવિષ્યમાં ક્યાય પણ જોડાશે તો એ પણ ગર્વ સાથે જ અને સૌ સામે જાહેર કરીને જોડાશે.”

    આમ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય નેતૃત્વ તથા પ્રદેશ નેતૃત્વ સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને સાથે ગુજરાતની ભાજપ સરકારની વારંવાર પ્રશંસા કરી હતી.

    ઉત્તરાખંડના AAPના CM ઉમેદવાર કર્નલ અજય કોઠીયાલે AAPમાંથી આપ્યું રાજીનામું: કહ્યું- ભૂતપૂર્વ સૈનિકો, વૃદ્ધો, યુવાનોના હિતમાં છોડી પાર્ટી

    ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને ચૂંટણી દરમિયાન પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો બનેલા કર્નલ અજય કોઠીયાલે બુધવારે (18 મે 2022) એક ચોંકાવનારું પગલું ભરતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ટ્વીટર પર સાર્વજનિક રીતે રાજીનામાની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ સૈનિકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બૌદ્ધિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આમ કરી રહ્યા છે.

    ટ્વિટર પર AAPમાંથી પોતાનું રાજીનામું પોસ્ટ કરતા કર્નલ અજય કોઠીયાલે લખ્યું, “ભૂતપૂર્વ સૈનિકો, પૂર્વ અર્ધલશ્કરી, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બૌદ્ધિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હું આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.” નોંધનીય છે કે કર્નલ કોઠિયાલ આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે એપ્રિલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

    દેવભૂમિ ઉત્તરાખંડ એ રાજ્ય છે કે જ્યાં ભૂતપૂર્વ સૈનિકોની મોટી વસ્તી રહે છે. તેને જોતા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પોતાનું રાજકીય મેદાન મજબૂત કરવાના ઈરાદાથી કોઠિયાલને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવ્યો હતો. પાર્ટીએ કોઠીયાલની સૈન્ય સેવાના પ્રમાણપત્રો પર આધાર રાખ્યો હતો અને જો પોતે સત્તામાં આવશે તો 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. વાસ્તવમાં, સૈન્યમાં કોઠીયાલની એક શાનદાર કારકિર્દી રહી હતી, જેમાં કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, વિશિષ્ઠ સેવા મેડલ અને પરાક્રમ મેડલનો સમાવેશ થાય છે.

    AAPનો કર્નલ અજય કોઠીયાલ સાથેનો ચૂંટણી દાવ નિષ્ફળ ગયો હતો

    જો કે, આમ આદમી પાર્ટી (AAP) એ જે આશા સાથે આ દાવ રમ્યો હતો તે નિષ્ફળ ગયો અને AAP ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નહીં. પાર્ટીની કારમી હાર બાદ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. સાગર ભંડારી સહિત પક્ષના કેટલાક બળવાખોર નેતાઓએ રાજ્યમાં AAPની હાર માટે કોઠીયાલને જવાબદાર ઠેરવ્યા હતા. રાજ્યમાં કર્નલ કોઠીયાલના નામે ચૂંટણી લડવામાં આવી હતી. દરેક બેનરમાં તેમનો ફોટો હતો. તેથી તેઓએ હારની જવાબદારી પણ લેવી જોઈએ. પરંતુ અત્યાર સુધી તેમણે આવુ ન તો મીડિયા સામે કર્યું છે કે ન તો પાર્ટીના કોઈ કાર્યકર સાથે કર્યું છે.

    જો કે, કર્નલ અજય કોઠીયાલે પાર્ટીની અંદર અવાજ ઉઠાવી વિરોધ અને ચૂંટણી પ્રદર્શનનો સામનો કર્યા બાદ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપીને AAP સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે.

    જ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નહી; IIT-BHUના પ્રોફેસરે કહ્યું- જૂના જમાનામાં વીજળી નહોતી, 150 ફૂટ પરથી પાણી છોડવું પડતું હતું.

    જ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નથી તેવું પ્રોફેસર સિંહ નું કહેવું છે એક તરફ, મુસ્લિમ પક્ષ વારાણસીના વિવાદિત જ્ઞાનવાપી વિવાદાસ્પદ માળખામાં મળેલા શિવલિંગને ફુવારો કહીને ઇતિહાસને ખોટો સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે IIT, BHUના પ્રોફેસરે તેનો ઇનકાર કર્યો છે. IIT, BHUમાં મટિરિયલ્સ અને કેમિકલ સાયન્સના પ્રોફેસર આરએસ સિંહે કહ્યું કે આ શિવલિંગજ છે, કારણ કે જૂના જમાનામાં વીજળી નહોતી. જેનાથી સાબિત થઇ શકે કે જ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નથી

    પ્રોફેસર સિંહે કહ્યું કે જૂના જમાનામાં ફૂવારો ચલાવવા માટે ખૂબ ઊંચાઈએથી પાણી છોડવામાં આવતું હતું અને તે દબાણ હેઠળ ફુવારાનો આકાર લેતો હતો. તેમણે કહ્યું કે વિવાદિત જ્ઞાનવાપી સંકુલમાં આવી કોઈ વ્યવસ્થા જોવા મળી નથી, કે જ્યાંથી ઉંચાઈ પરથી પાણી છોડવામાં આવતું હોય. શિવલિંગની ઉપર દેખાતી ફુવારા જેવી આકૃતિ સિમેન્ટની હોઈ શકે છે.

    શિવલિંગ પન્નાનું હોવાની બાબત અંગે તેમણે કહ્યું કે શિવલિંગનું રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવ્યું નથી, તેથી તે પન્નાનું છે કે કેમ તે કહેવું થોડું મુશ્કેલ છે. આ શિવલીંગને જોઈને લાગે છે કે તે ખૂબ જ જૂનું છે અને ઘણા સમયથી પાણીમાં છે. તેમણે કહ્યું કે છેલ્લી વખત તે 400-500 વર્ષ પહેલા રાજા ટોડરમલ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે સમયે વીજળી નહોતી

    પ્રોફેસર આર.એસ.સિંઘે જણાવ્યું કે જૂના જમાનામાં પણ ફુવારા બનાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સુધી 100-150 ફૂટ ઉપરથી પાણી ન છોડાય ત્યાં સુધી ફુવારામાં પાણી આવતું ન હતું. તેમણે કહ્યું કે આવડી ત્રિજ્યાનો આવો કોઈ ફુવારો હોઈજ ન શકે. જો તે ફુવારો છે, તો તેની નીચે કોઈ મિકેનિઝમ હશે અને તેની સિસ્ટમ બેઝમેન્ટમાં બનાવવામાં આવી હોય. પરંતુ હાલ તેવી કોઈ વ્યવસ્થા ત્યાં જોવા મળતી નથી.

    આજતક ના અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે જે લોકો તેને ફુવારો કહી રહ્યા છે, તેઓએ તે ફુવારો ચાલું કરીને બતાવવો જોઈએ. અને જો તે ચાલુ થઇ જાય તો માની જઈશુ કે એ ફુવારો છે, નહીં તો તે શિવલિંગજ છે. તો બીજી તરફ બીજી તરફ, કેમિકલ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ચંદન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જો તે ફુવારો છે, તો તેમાં નોઝલ હોવી જોઈએ, જે તેમાં દેખાતી નથી. તેણે કહ્યું કે તેમાં પાણી હોવું જોઈએ, તે પણ દેખાતું નથી. તેમણે કહ્યું કે આ શિવલિંગ પન્નાનું હોઈ શકે, પરંતુ તે સાબિત કરવા માટે તેની રાસાયણિક પૃથ્થકરણની તપાસ થવી જરૂરી છે.

    દિલ્હી પોલીસે AltNewsના સહ-સ્થાપક અને સ્વ-ઘોષિત ‘ફેક્ટ-ચેકર’ મોહમ્મદ ઝુબેરની એક સગીર છોકરીની અંગત બાબતો જાહેર કરવા અને હેરાન કરવા બદલ પૂછપરછ કરી

    AltNewsના સહ-સ્થાપક અને કથિત ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે તાજેતરમાં ટ્વિટર પર સગીર બાળકીને ઓનલાઈન ઉત્પીડન અને ડોક્સ કરવાના કેસમાં પૂછપરછ કરી હતી.

    દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે કથિત ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબૈરને 13 મેના રોજ તેની સામે ઉત્પીડનના કેસમાં નોંધાયેલા કેસમાં પૂછપરછ કરવા માટે બોલાવ્યો હતો. દિલ્હી પોલીસે આ મામલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ઝુબેરની પૂછપરછ કરી હતી.

    ગત 7 ઓગસ્ટના રોજ મોહમ્મદ ઝુબેરે ટ્વિટર યુઝર જગદીશ સિંહ સાથે ઓનલાઈન ઝઘડો કર્યો હતો. AltNews કો-ફાઉન્ડરે આ સોશિયલ મીડિયા યુઝર સાથેની તેમની ટ્વિટર લડાઈમાં એક સગીર છોકરીને નિશાન બનાવી હતી. યુઝરને સીધો જવાબ આપવાને બદલે, ઝુબૈરે બેશરમીથી યુઝર જગદીશ સિંહના પ્રોફાઈલ પિક્ચરમાં દેખાતી એક સગીર છોકરીનો ઉલ્લેખ કર્યો હતો, જે કદાચ તેની પૌત્રી છે.

    ઝુબૈરે ફોટામાં દેખાતી સગીર છોકરીને હાઇલાઇટ કર્યા પછી, ઇસ્લામવાદીઓએ છોકરીને બળાત્કારની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. ઝુબૈરની ટ્વીટની સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભારે ટીકા હેઠળ આવી હતી જેમણે તેના પર આરોપ લગાવ્યો હતો કે તેણે ટીકાકાર પર વળતો હુમલો ફરવા માટે બાળકનો નિર્લજ્જ ઉપયોગ કર્યો હતો.

    જ્યારે એક ટ્વિટર યુઝરે ઝુબૈર દ્વારા કરાયેલા હિંસક વર્તન વિશે ચેતવણી આપવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગને ટેગ કર્યું હતું, ત્યારે AltNewsના સહ-સ્થાપકએ તેને નકારી દીધું હતું, અને તેના ડોક્સિંગને યોગ્ય ઠેરવ્યું હતું જે સ્પષ્ટપણે સગીરના જીવનને જોખમમાં મુકતું હતું.

    બાળ અધિકાર પંચે આ બાબતની નોંધ લીધી હતી અને ‘ફેક્ટ-ચેકિંગ’ વેબસાઇટ AltNewsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી, જેણે પોતાના વેરિફાઈડ હેન્ડલ @zoo_bear પરથી ટ્વીટ કર્યું હતું. NCPCRના વડા પ્રિયંક કાનૂન્ગોએ પણ ટ્વિટર ઇન્ડિયા અને સંબંધિત કાયદા અમલીકરણ અધિકારીઓને ટ્વિટ વિશે જાણ કરી હતી અને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.

    ત્યારબાદ, ટ્વિટર યુઝર સાથે દલીલ કરતી વખતે એક છોકરીની ઓનલાઈન ઉત્પીડન માટે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રથમ એફઆઈઆરમાં, કડક પોક્સો એક્ટ ઉમેરવામાં આવ્યો ન હતો. જો કે, છત્તીસગઢમાં ઝુબૈર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બીજી FIRમાં, IPC અને IT એક્ટની સંબંધિત કલમો સાથે, POCSO એક્ટ પણ લાગુ કરવામાં આવ્યો હતો.

    જોકે, છત્તીસગઢ હાઈકોર્ટે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરને IPC કલમ 509B, IT એક્ટ કલમ 67 અને POCSO એક્ટ હેઠળ તેમની સામે દાખલ કરવામાં આવેલી FIR રદ કરવાની તેમની અરજી પર સુનાવણી કરતી વખતે તેમને વચગાળાનું રક્ષણ આપ્યું હતું.

    જ્ઞાનવાપી સરવે: કાર્ટૂન સ્વરૂપે ગુજરાતી સમાચાર પત્રએ પોતાનો હિન્દુદ્વેષ ઠાલવ્યો, ઘણા ઇસ્લામવાદીઓએ પણ શિવલિંગના બહાને ભગવાન શિવનું કર્યું અપમાન

    વારાણસીમાં જ્ઞાનવાપી સરવેમાં જે તથ્યો સામે આવ્યા છે એ હજુ ઘણા લોકોથી પચન નથી થઈ રહ્યા. અને એમાય જ્યારથી સ્થાનિક કોર્ટ દ્વારા શિવલિંગ છે એ સ્થાનને સંરક્ષણમાં લેવાયું છે ત્યારથી આ લોકો શિવલિંગને અપમાનિત કરવામાં પાછા નથી પડી રહ્યા. આવા જ એક પ્રયાસમાં ગુજરાતનાં એક અગ્રણી સમાચાર પત્રએ પણ ગેસના ભાવના બહાને શિવલિંગ અને ભગવાન શિવનું અપમાન કરવાની ચેષ્ટા કરી છે.

    ગુજરાતનાં જાણીતા સંદેશ નામના સમાચારપત્રએ પોતાની આજની પ્રતમાં એક કાર્ટૂન છાપ્યું છે. જેમાં એક ગેસનો બાટલો દર્શાવ્યો છે અને પાછળ એ બાટલાના પડછાયામાં શિવલિંગ જેવી આકૃતિ બતાવી છે. જેની સામે 2 લોકોને વાંકા વળીને પગે લાગતાં દર્શાવ્યા છે. આ કાર્ટૂન દ્વારા સંદેશે મોંધવારી અને ધર્મ એમ બે તદ્દન જુદા વિષયોને જોડીને ભગવાન શિવનું અપમાન કરવાનો પ્રયાશ કર્યો છે.

    આ કાર્ટૂન જોઈને હિન્દુઓમાં ખૂબ રોષની લાગણી જોવા મળી હતી. ઘણા લોકોએ ટ્વિટર પર સંદેશને ટાંકીને પોતાનો રોષ ઠાલવ્યો પણ હતો.

    ટ્વિટર પર @hiren_pithadiya નામના એક વ્યક્તિએ સંદેશનું આ કાર્ટૂન મૂકીને પોતાનો રોષ દર્શાવ્યો હતો. તેમણે સંદેશને ટેગ કરીને પૂછ્યું હતું કે તેઓ શું સાબિત કરવા માંગે છે?

    અન્ય એક યુઝર @PatelViral એ આ ટ્વિટ પર ટિપ્પણી કરતાં લખ્યું કે “દયનીય….. આ બંને કેવી રીતે સંબંધિત છે?… સંપૂર્ણ રીતે અપમાનજનક અને અસ્વીકાર્ય. સંદેશે માફી માંગવી જોઈએ.”

    એક મહિલા ટ્વિટર યુઝર @shraddha_shah27 એ લખ્યું કે આ જાણી જોઈને કરવામાં આવેલ હરકત છે. “જ્યારે પરિસ્થિતી ઊંધી હોય છે (બીજા ધર્મની વાત હોય) ત્યારે તો આ જ લોકો રડવા લાગે છે.”

    આમ સંદેશ સમાચાર પત્રની આ હરકતે હિન્દુઓની ધાર્મિક ભાવનાને આહટ કરી હોય એવું સાફ સાફ વર્તાઇ આવ્યું. અઢળક લોકોએ સંદેશ તરફથી માફીની માંગ પણ કરી છે અને એમ પણ કહ્યું છે કે હિન્દુ સિવાય અન્ય કોઈ પણ ધર્મ વિષે આવું લખવા કે દર્શાવવાની કોઇની હિંમત નથી ચાલતી હોતી.

    દેશભરમાં ભગવાન શિવનું અપમાન કરતાં હિંદુદ્વેષીઓ ઉઘાડા પડ્યા હતા

    આ સિવાય પણ દેશભરમાં કેટલાય હિન્દુદ્વેષીઓએ છેલ્લા 2 દિવસમાં અનેક વાર અનેક જગ્યાએ પવિત્ર શિવલિંગ અને ભગવાન શિવનું અપમાન કર્યું છે. જેમથી ઘણા કિસ્સાઓમાં કાર્યવાહી થઈ છે જ્યારે કેટલાય કિસ્સાઓમાં કાર્યવાહી થવાની બાકી છે.

    આવી જ એક ઘટનામાં ઉત્તરપ્રદેશમાં સમજવાદી પાર્ટીના નેતા મોહસીન અંસારીએ શિવલિંગની સરખામણી લીચીના ઠળિયા સાથે કરીને ફેસબુક પર સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. પોસ્ટ વાઇરલ થતાં યુપી પોલીસ દ્વારા અંસારીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    મંગળવારે (17 મે 2022) ગુજરાતનાં જ એક AIMIM નેતા દાનિશ કુરેશીએ પણ શિવલિંગ પર અભદ્ર ટિપ્પણી કરીને ભગવાન શિવનું અપમાન કર્યું હતું. બાદમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતા અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે કુરેશીના ઘરે જઈને એની ધરપકડ કરી હતી.

    પોતાને કોંગ્રેસના ગુજરાત સ્ટેટ કો-ઓર્ડીનેટર ગણાવતા અફઝલ લાખાણીએ પણ થાળી અને પ્યાલાનો ફોટો મુકીને તેને શિવલિંગ સાથે સરખાવીને હિંદુઓની લાગણીઓનું અપમાન કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. જેની સામે પણ સખત વિરોધનું વંટોળ ઉભો થયો છે.

    આમ, સોશિયલ મીડિયા પર ઘણા ઇસ્લામવાદીઓ દ્વારા પોતાના હિન્દુદ્વેષને વશ થઈને શિવલિંગના બહાને ભગવાન શિવનું અપમાન કરવામાં આવ્યું હતું.

    સુરતના નાનપુરામાં મોડી રાત્રે કોમી છમકલું : હિંદુ યુવકો અને મુસ્લિમ ટોળા વચ્ચે ઘર્ષણ; ટોળામાંથી કાચની બોટલો ફેંકાઈ 

    સુરત શહેરના ખંડેરાવપુરા વિસ્તારમાં મંગળવારે રાત્રે હિંદુ યુવકો અને મુસ્લિમ ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાએ પથ્થરમારો કરી કાચની બોટલો ફેંકતા કેટલાક યુવકોને ઇજા પહોંચી હતી. જે બાદ પોલીસ કમિશનર સહિતનો કાફલો સ્થળ પર પહોંચી જતા ટોળું વિખેરાયું હતું અને મામલો શાંત પડ્યો હતો. આ મામલે સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે બાદ પોલીસે FIR નોંધી આગળની તપાસ કાર્યવાહી ધરી છે.

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મંગળવારે (17 મે 2022) રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં સુરત ખાતેના રૂદરપુરા લાપસીવાળાની ચાલ નજીક આવેલ ખાન બેકરી નજીક ફરિયાદી યુવક નિકિલ અને તેના મિત્રો ઉભા રહી તેમના અન્ય મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. ફરિયાદમાં યુવકે જણાવ્યું કે, આ દરમ્યાન ત્યાંથી કારમાં પસાર થતી મહિલા જિયાએ ‘મને જોઈને કેમ હસે છે’ તેમ કહીને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ કારમાં સવાર અકરમ નામનો યુવક નીચે ઉતરી આવતા બોલાચાલી ઉગ્ર બની હતી. જે બાદ હિંદુ યુવકો અને મુસ્લિમ ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું.

    બોલાચાલી બાદ નજીકમાંથી ત્રીસેક જેટલાં સ્ત્રી-પુરુષોનું ટોળું ધસી આવ્યું હતું અને હિંદુ યુવકને માર મારી પથ્થરમારો કર્યો હતો અને કાચની બાટલીઓ ફેંકવામાં આવી હતી. જેના કારણે યુવકના જમણા હાથના પંજા પર અને જમણા પગની એડી ઉપર મૂઢ ઇજા થઇ હતી. મામલે યુવક નિકિલ કહારે અઠવાલાઇન્સ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી છે.

    ફરિયાદમાં યુવકે જણાવ્યું છે કે, તેના ઘણા મિત્રો રૂદરપુરા લાપસીવાળાની ચાલ ખાતે રહે છે અને જ્યાં તે રજાના દિવસોમાં તેમજ વાર-તહેવારે મિત્રોને મળવા પણ જાય છે. દરમિયાન, ગઈકાલે તેનો જન્મદિવસ હોઈ તે તેના મિત્રોને મળવા ગયો હતો અને તેમણે રાત્રે કેક પણ કાપી હતી. જે બાદ સોડા પીવા જવા માટે મહોલ્લાની બહાર ખાન બેકરી પાસે ઉભા રહીને તેમના મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. 

    દરમ્યાન, રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ એક કાર લઈને આવતી જીયા નામની મહિલાએ કાર નજીક ઉભી રાખીને યુવકોને ગાળો ભાંડી ‘મને જોઈને કેમ હસે છે’ તેમ કહીને બોલાચાલી કરી હતી. જે બાદ કારમાં પાછળ બેઠેલો શખ્સ અકરમ ‘તુમ લોગો કો આજ દિખાના પડેગા’ કહીને ગાળાગાળી કરવા માંડ્યો હતો. આ દરમિયાન નજીકમાં ત્રીસેક લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને તેઓ પણ ગાળાગાળી કરવા માંડ્યા હતા. 

    ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, ઘણા માણસો ભેગા થઇ ગયા બાદ ટોળામાંના કેટલાક લોકો તેને નજીકમાં લઇ જઈને માર મારવા માંડ્યા હતા. દરમ્યાન, યુવકના મિત્રો છોડાવવા આવતા અકરમે તેને તમાચો મારી દીધો હતો અને તેની સાથેના ઈસમો પણ ઢીકામૂકીનો માર મારવા લાગ્યા હતા. જે બાદ ફરિયાદી યુવકે પણ બચાવ માટે માર મારતા ટોળામાંથી પથ્થરો અને કાચની બાટલી ફેંકાયા હતા. જેથી યુવકને મૂઢ ઇજા થઇ હતી. જોકે, તે બાદ પોલીસ પહોંચી જતા ટોળું વિખેરાઈ ગયું હતું.

    આ મામલે જીયા, અકરમ, આદિલ, અનસ, ફૈઝલ, રશીદ, ટારઝન, ફયાઝ અને કેઝર સહિતના વીસ-પચ્ચીસ લોકોના ટોળા સામે રાયોટીંગના ગુના હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો બીજી તરફ જીયાએ પણ નીકીલ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને તેમની વિરુદ્ધ ગાળાગાળી કરવાનો અને અકરમને માર મારવાનો આરોપ લગાવ્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ જે રીતે કાચની બોટલોનો ઢગલો કરવામાં આવ્યો હતો તેને જોતા પહેલેથી જ આયોજન હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    કોંગ્રેસને વધુ એક ફટકો : રાજસ્થાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય ગણેશ ઘોઘરાનું રાજીનામું; અગાઉ કહ્યું હતું- આદિવાસીઓ હિંદુ નથી 

    દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. એક તરફ પાર્ટી એક પછી એક રાજ્યો ગુમાવી રહી છે તો બીજી તરફ રાજ્યોના સંગઠનો પણ નબળાં પડી રહ્યાં છે. છેલ્લા થોડા સમયમાં પાર્ટીના અનેક નેતાઓ રાજીનામાં આપી ચૂક્યા છે તો આજે સવારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. હવે પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી યુથ કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય ગણેશ ઘોઘરાએ રાજીનામું ધરી દીધું છે. 

    રાજસ્થાનના ડુંગરપૂરથી કોંગ્રેસ ધારાસભ્ય અને રાજસ્થાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ ગણેશ ઘોઘરાએ બુધવારે (18 મે 2022) રાજીનામું ધરી દીધું હતું. તેમણે ગેહલોત સરકારના કામકાજથી નારાજ થઈને રાજીનામુ આપ્યું હતું. રિપોર્ટ અનુસાર, તેમને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના નેતા માનવામાં આવે છે. 

    રાજીનામાંના પત્રમાં ગણેશ ઘોઘરાએ તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તેવી ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ તેમના ક્ષેત્રની જનતા માટે કામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ક્યાંય પણ તેમને સાંભળવામાં આવતા નથી. તેમણે એમ પણ કહ્યું એ, સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં તેમને અવગણવામાં આવી રહ્યા છે. સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ તેમની વાતો સાંભળતા ન હોવાનું તેમણે કહ્યું હતું. 

    કોંગ્રેસ ધારાસભ્યે કહ્યું કે, કોઈ પણ તેમની વાત સાંભળવા તૈયાર નથી અને પોતાના મતવિસ્તારની જનતાના પ્રશ્નો ઉઠાવવા જતા તેમને દબાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કારણો ધરીને તેમણે ડુંગરપૂર વિધાનસભા ક્ષેત્રમાંથી રાજીનામું ધરી દીધું હતું.

    અગાઉ કહ્યું હતું- આદિવાસીઓ હિંદુ નથી 

    ગણેશ ઘોઘરા અગાઉ પણ વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહ્યા છે. 9 માર્ચ 2021 ના રોજ રાજસ્થાન વિધાનસભામાં ચર્ચા દરમિયાન ગણેશ ઘોઘરાએ પોતાને હિંદુ માનવાનો ઇનકાર કરીને તમામ આદિવાસીઓ માટે અલગ આદિવાસી ધર્મકોડની માંગણી કરી હતી.

    તેમણે કહ્યું હતું, વડાપ્રધાન મોદી અને તેમના મોહન ભાગવત અમને આદિવાસી નહીં પણ હિંદુ કહે છે. અમે પોતાને હિંદુ માનતા નથી, અમે અલગ છીએ, અમારી ઉપર હિંદુ ધર્મ થોપવામાં ન આવે. આદિવાસી વિસ્તારની લાંબા સમયની માંગ છે, અમારી સંસ્કૃતિ અલગ છે, અમારી પરંપરા અલગ છે, અમારી ખાણીપીણી અને રિવાજો અલગ છે. હું અલગથી આદિવાસી ધર્મ કોડ બનાવવામાં આવે તેવી માંગ કરું છું. 

    વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે અપમાનજનક ભાષા વાપરી ચૂક્યા છે 

    આ ઉપરાંત, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે અત્યંત અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કરી ચૂક્યા છે. ગત વર્ષે જુલાઈમાં પેગાસસ મામલે વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર અમારી જાસૂસી કરાવી રહી છે અને રાજ્યપાલ તેમના દ*& બનીને બેઠા છે. પોતાના ભાષણમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રંગા બિલ્લા ગણાવીને કહ્યું હતું કે, તેમને દોડાવી-દોડાવીને મારવા જોઈએ.

    હત્યા-લૂંટ સહિતના સાત ગુનામાં સંડોવાયેલો હિસ્ટ્રીશીટર ગફુર જુનેજા પકડાયો : LCBની મોટી કાર્યવાહી 

    હત્યા, લૂંટ, ચોરી સહિતના જુદા-જુદા 7 ગુનામાં સામેલ નામી ચોર ગુનેગાર અને હિસ્ટ્રીશીટર ગફુર બાવળા જુનેજા આખરે એલસીબીના હાથે પકડાયો છે. જામનગર એલસીબીએ તેની ધરપકડ કરી હતી. 

    ગફુર જુનેજા વિરુદ્ધ વર્ષ 2014 થી લઇ 2019 દરમિયાનના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ભચાઉ, ગાંધીધામ એ અને બી ડિવિઝન તેમજ વાયોર પોલીસ મથકે કુલ સાત ગુના નોંધાયા હતા. આ ગુનાઓ મારામારી, હુમલો, લૂંટફાટ, ઘરફોડ ચોરી તેમજ હથિયારની અણીએ લૂંટ આચરવી વગેરેનો સમાવેશ થાય છે. 

    એલસીબીની ટીમે ગફુરની ધરપકડ કરીને તેની પાસેથી એક મોબાઈલ ફોન કબજે કરી લીધો હતો. ઉપરાંત પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તાજેતરમાં ગાંધીધામ નજીક એક મોટરસાઇકલ સવારને લૂંટી લેવાના કેસમાં પણ ગફુર અને તેના સાગરીતો જ સામેલ હતા.

    તસ્વીર સાભાર: DeshGujarat

    ગત 19 ફેબ્રુઆરીની રાત્રે ગાંધીધામના પડાણા નજીક હાઈ-વે ઉપરથી મોટરસાઇકલ પર પસાર થતા એક ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારી કુલદીપસિંહ જાડેજા ઉપર ધારિયા વડે હુમલો કરીને તેમની પાસેથી મોબાઈલ ફોન અને 17 હજારની રોકડ રકમ લૂંટી લેવામાં આવી હતી. આ ગુનામાં પણ ગફુર જુનેજા અને તેના બે સાગરીતો સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

    આ ઉપરાંત, જામનગરના બાલંભા ગમે ગત વર્ષે રેતીના લીઝધારક પર થયેલ હુમલામાં પણ ગફુર મદદગારીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત વર્ષે પહેલી મેના રોજ જામનગરના જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતીના લીઝધારક કાંતિલાલ માલવિયાની ઑફિસમાં ચાર શખ્સો ઘૂસી ગયા હતા અને તેમણે કાંતિલાલ પર બંદૂક, ધારિયા અને તલવારો વડે હુમલો કરીને તેમની હત્યા કરી નાંખી હતી. 

    કુખ્યાત શખ્સો અયુબ જુસબ જસરાયા અને અસગ઼ર હુસૈન કામોરા સહિતનઓએ કાંતિલાલને રેતીની લીઝ ચલાવવી હોય તો હપ્તા આપવા પડશે તેમ કહીને તેમની ઉપર હુમલો કર્યો હતો. આ ગુનામાં ગફુર જુનેજા પણ સામેલ હોવાનું ખુલ્યું હતું. જે મામલે તે પોલીસના હાથે પકડાયો તે બાદ તેને જામનગર જેલમાં બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઇ ગયો હતો. 

    હિસ્ટ્રીશીટર ગફુરને પકડી પાડવા માટેનું સમગ્ર ઓપરેશન પીઆઈ એમએન રાણા અને પીએસઆઈ કેએન સોલંકી તેમજ તેમના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. 

    સુરતમાં ગેરકાયદેસર મદરેસા પર ફરીવળશે બુલડોઝર? હાઇકોર્ટે રાહત આપવાનો કર્યો ઇનકાર

    સુરતમાં સુરતમાં ગેરકાયદેસર મદરેસા પર બુલડોઝર ફરી શકવાની સંભાવનાઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે,સરકારી જમીન પર બનાવવામાં આવેલા મદરેસાને સુરત કોર્પોરેશન તોડવા માટે પગલા લઇ શકે છે. કારણકે ગેરકાયદે બાંધવામાં આવેલા આ મદરેસાને ગુજરાત હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કરી તેમની અરજી ફગાવી દીધી છે. જેના કારણે સુરતમાં ગેરકાયદેસર મદરેસા પર સંકટના વાદળ ઘેરાયા છે.

    સુરત સ્થિત ગોપી તળાવના વિકાસ માટે સંપાદિત થયેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરીને મદરેસા બનાવામાં આવ્યા હતા, જેના કારણે સુરત કોર્પોરેશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારોએ મદરેસાના નામે ખોટી રીતે વકફ પ્રોપર્ટી દર્શાવી બાંધકામ કર્યું છે.

    શું છે આખો વિવાદ

    સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, વોર્ડ નંબર 3, સિટી સર્વે નંબર 4936 અને અનવર-એ-રબ્બાની તાલીમ-ઉલ-ઈસ્લામ 4939માં એક મદરેસા ચાલી રહી છે. જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોવાનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આથી તેને તોડી પાડવા માંગ કરી હતી.મ્યુનિસિપલ ટાઉન પ્લાનિંગ મુજબ આ જમીન સરકારની હતી. આથી તે સમયે સેન્ટ્રલ ઝોને તેને પરત કરવા જણાવ્યું હતું અને કોર્પોરેશને ટાઉન પ્લાનિંગ ઓફિસ પાસેથી ખાનગી મિલકત હસ્તગત કરી હતી.

    વહીવટીતંત્રે આ મામલે વક્ફ બોર્ડ પાસેથી જવાબ માંગ્યો હતો અને તેમને જવાબ આપવા માટે 16-17 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. વિભાગે કહ્યું હતું કે મદરેસાનો પહેલો માળ ગેરકાયદેસર છે અને સ્થાનિક કાર્યકરોએ તેને તોડી પાડવાની માંગ કરી હતી.

    અત્રે નોંધનીય છે કે , 29 ડિસેમ્બર 2021 ના ​​રોજ, ગેરકાયદેસર મદરેસાને તોડી પાડવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી. જો કે હવે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે ટ્રિબ્યુનલ કોર્ટમાં અરજી કરી છે. જ્યાં સુધી સુરત મહાનગરપાલિકા તેને યોગ્ય પ્રતિસાદ નહીં આપે ત્યાં સુધી આ સ્થિતિ યથાવત રહેશે. છેલ્લા 60 વર્ષથી અહીં મદરેસા આવેલી છે. પાલિકા ગેરકાયદેસર રીતે બનેલ મદરેસાને તોડીને તેની ઉપર પાર્કિંગ બનાવવા માંગે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની આ બીજી મિલકત છે, જે વકફ બોર્ડને કારણે ગુમાવવી પડી શકે છે. જેના કારણે વહેલામાં વહેલી તકે મહાનગર પાલિકા તેને હસ્તગત કરવા માંગે છે.

    ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બર 2021માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટર મુગલીસરાને વકફ મિલકત તરીકે જાહેર કરવામાં આવી હતી. બોર્ડે દાવો કર્યો હતો કે શાહજહાંના મુઘલ શાસન દરમિયાન, તેમની પુત્રી જહાનઆરા બેગમ સુરતની રખાત હતી અને તેમના વિશ્વાસુ ઈશાકબૈલ યઝદી ઉર્ફે હકીકત ખાને 1644માં આ ઈમારતનું નિર્માણ કર્યું હતું. તેનું નામ હુમાયુ સરાય રાખવામાં આવ્યું હતું. તે કથિત રીતે હજ યાત્રીઓને આરામ કરવા માટે દાનમાં આપવામાં આવ્યું હતું.

    પંજાબની AAP સરકારે 5 કિલો રેતી અને 100 રૂપિયા જપ્ત કરી અવૈધ ખનન કાયદા અંતર્ગત એક ખેડૂતની ધરપકડ કરી

    પંજાબના ફાઝિલ્કા જિલ્લાના જલાલાબાદમાં AAP સરકારની પોલીસ કાર્યવાહી ચર્ચામાં છે. અહીંથી પોલીસે એક ખેડૂત વિરુદ્ધ ગેરકાયદેસર ખનન માટેનો કેસ નોંધ્યો છે. પોલીસે ખેડૂત પાસેથી પાંચ કિલો રેતી, ટોપલી અને સો રૂપિયા રોકડા રિકવર કરવાનો દાવો કર્યો છે. તે જ સમયે, ખેડૂતનું કહેવું છે કે તે પોતાના ખેતરની જમીન સમતળ કરી રહ્યો હતો. જો ગેરકાયદેસર ખનન થતું હોય તો ટીપર અને ટ્રેક્ટરની ટ્રોલી સ્થળ પર જોવા મળ્યું નથી.

    પોલીસના જણાવ્યા અનુસાર, ખેડૂત કૃષ્ણ સિંહ ગામ મોહરસિંહ વાલાનો રહેવાસી છે અને તે પોતાના ખેતરમાં ગેરકાયદેસર ખનન કરી રેતીનો ખાડો ચલાવી રહ્યો હતો. પોલીસે ત્યાં દરોડો પાડતાં રેતી ઉપાડવાની ટોપલી, દોરડું અને પાંચ કિલો રેતી મળી આવી હતી. ક્રિષ્ના સિંહની તલાશી લેતા રૂ.100 રોકડા પણ મળી આવ્યા હતા. પોલીસે સદર જલાલાબાદ પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના સિંહ વિરુદ્ધ ગેરકાયદેસર ખાણકામનો ગુનો નોંધ્યો છે.

    સામા પક્ષે, ખેડૂત કૃષ્ણ સિંહે કહ્યું કે “મારી જગ્યા ઉંચી છે અને પાડોશીની નીચે છે. તેના કારણે, મેં ત્યાંથી લેવલિંગ માટે માટી રેતી ઉપાડી. ત્યાં કોઈ ગેરકાયદેસર ખાણકામ કરતું ન હતું. હું મારા ખેતરમાં ઊભો હતો. મેં પોલીસને પણ કહ્યું તો પણ તેઓ મને પકડીને લઈ ગયા. ટોપલી અને રેતીમાંથી પણ મને કંઈ મળ્યું નથી. પોતાના ટાર્ગેટ પૂરો કરવા પોલીસે મારી સામે કાર્યવાહી કરી હતી. મને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.”

    ખેડૂત પર કાર્યવાહી કરનાર ASI સતનામ દાસનું કહેવું છે કે “જ્યાં પોલીસે દરોડો પાડ્યો ત્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હતું. અલબત્ત, અમને ટ્રેક્ટરની ટ્રોલી સ્થળ પર મળી નથી પરંતુ અમે કેસી અને ટોપલી જપ્ત કરી લીધી છે. જે પાંચ કિલો રેતીની ચર્ચા ચાલી રહી છે તે અમે નમૂના તરીકે લીધી છે.”

    આ ઘટના બાદ પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજાએ ટ્વિટ કરીને પંજાબના સીએમ ભગવંત માન પર નિશાન ટાંકયું હતું. રાજાએ કહ્યું હતું કે, “ક્રૂર મજાક! માન સાહેબ, ગરીબો પર દયા કરો, ખેડૂતની તેના જ ખેતરમાંથી 5 કિલો ગેરકાયદેસર ખનન રેતી સાથે 100 રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર પંજાબમાં 100 કરોડ રૂપિયાની રેતીનું ગેરકાયદેસર ખનન થાય છે. ભગવંત માન સાહેબને ખબર છે કે તેમના ‘રાજ’માં શું ચાલી રહ્યું છે?”

    પંજાબમાં હાલ રાજ્યના ખેડૂતો રાજ્યની આપ સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. ચંદીગઢ-મોહાલી બોર્ડર પરથી સવારના ખેડૂતો વિવિધ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન પર બેઠા છે. ગઈકાલે, 17 મેના રોજ રાજ્ય પોલીસે તેઓને ચંદીગઢમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ખેડૂતો સાથે આવો વ્યવહાર કરનાર આપ સરકારમાં રહેલ નેતાઓ ભૂતકાલમાં જ્યારે દિલ્હી ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ખેડૂતોના મોટા હિતેચ્છી બનીને ફરતા હતા. અને પંજાબમાં એમની સરકાર બનવા પાછળ સૌથી મોટું બળ આ ખેડૂતો જ હતા. પરંતુ હવે આ ખેડૂતોને પોતે છેતરાયા હોય એવું લાગી રહ્યું છે.

    નોંધનીય છે કે નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી યોજવવા જઈ રહી છે એટ્લે આમ આદમી પાર્ટીના નેતાઓ અહિયાં પણ ખેડૂત હિતેચ્છી બનીને ફરી રહ્યા છે. પરંતુ પંજાબ અને દિલ્હીના ખેડૂતોનો હાલ જોતાં ગુજરાતનાં ખેડૂતો પણ વિચારી રહ્યા જ હશે કે AAP પર વિશ્વાસ કરવો કે નહીં.