Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસનાં પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ચિકન સેન્ડવિચથી ડાયેટ...

    કોંગ્રેસનાં પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ચિકન સેન્ડવિચથી ડાયેટ કોક, જાતિવાદથી પૈસાની લેતી દેતી જેવા અનેક મુદ્દે કોંગ્રેસને ઘેરી

    કોંગ્રેસ છોડ્યાના બીજા જ દીસે હાર્દિક પટેલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું અને તેમણે કોંગ્રેસની ગુજરાત તરફની જે નીતિ રહી છે તેના વિષે અનેક ખુલાસાઓ કર્યા હતા.

    - Advertisement -

    કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ આજે હાર્દિક પટેલે અમદાવાદમાં પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ઘણા દાવા કર્યા હતા. હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત કોંગ્રેસ અને ટોચની નેતાગીરી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ઘણા પ્રયત્નો છતાં, તેમને ક્યારેય લોકોના ભલા માટે કામ કરવા દેવામાં આવ્યું નથી, અને ન તો પાર્ટીએ ક્યારેય ગુજરાત રાજ્યના લોકોની ચિંતા કરી.

    હાર્દિક પટેલે આજે સવારે કહ્યું હતું કે કોંગ્રેસ સૌથી મોટી સાંપ્રદાયિક પાર્ટી છે જે ગુજરાત પ્રત્યે સ્પષ્ટ દ્વેષ ધરાવે છે અને તે અંબાણી અને અદાણી તેમજ મેહુલ ચીનુભાઈ ચોક્સી જેવા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ કોઈ કારણ વગર ઝેર ઓકયા કરે છે.

    પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમને રાજ્યમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું હતું પરંતુ તે ખોટી વાત છે. તે ઈચ્છે તેવી પ્રવૃત્તિઓ કરવા માટે તેને ક્યારેય કોઈ જવાબદારી કે પરવાનગી આપવામાં આવી ન હતી. “આ કાર્યકારી પ્રમુખ એક કોસ્મેટિક સ્થિતિ હતી. માત્ર હું જ નહીં પણ એવા કેટલાય હાર્દિક પટેલ છે જેમનો ઉપયોગ કરીને ફેંકવામાં આવે છે. આ કોંગ્રેસનો ઈતિહાસ છે. 1972માં ચીમનભાઈ પટેલથી લઈને રાદડિયાથી નરહરિ અમીન સુધી, કોંગ્રેસ આ જ કરે છે,” તેમણે કહ્યું.

    - Advertisement -

    આગળ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈને કોઈ પીએન પદ આપતા પહેલા એના નામની બાજુમાં એની જાતિ અને પેટા જાતિ લખવામાં આવે છે. દલિત સમાજ હોય કે પાટીદાર સમાજ કોંગ્રેસે હમેશા ગુજરાતને જાતિઓમાં તોડવાની કોશિસ કરી છે. પાટીદાર સમાજને પણ કડવા અને લેઉવામાં ભાગ પાડીને લાભ ખાંટવાનો પ્રયાસ કોંગ્રેસ હમેશા કરતી રહી છે.

    પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને પગલે તેઓ મોટી આશા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, એ વિચારીને કે એક મજબૂત વિપક્ષ રાજ્યના લોકો માટે બોલશે અને તેમની ચિંતાઓને પ્રકાશમાં લાવશે. તેણે કહ્યું, “હું મારા સમાજ, મારા લોકોના હક માટે લડ્યો છું. રચનાત્મક વિપક્ષ નિષ્ઠાપૂર્વક કામ કરી શકશે એવી આશા સાથે હું કોંગ્રેસમાં જોડાયો છું. 2019 થી 2022 સુધી, હું કોંગ્રેસ સમજી ગયો કે તે ખૂબ જ સાંપ્રદાયિક પાર્ટી છે.”

    હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે કોંગ્રેસે હંમેશા તેમને અને તેમના જેવા ઘણા લોકોને દબાવ્યા છે. “જ્યારે પણ તમે સત્ય કહેવાની કોશિશ કરશો, પાર્ટી તમને તોડી પાડશે. મારી અપીલો છતાં, કોંગ્રેસે મને ક્યારેય યુવાનોના મુદ્દાઓ કે પેપર લીકના પ્રશ્નોને સંબોધવા પત્રકાર પરિષદનું આયોજન કરવા દીધું નથી.” તેમણે કહ્યું.

    વધુમાં, પટેલે કહ્યું કે કોંગ્રેસે તેની કામગીરી અને વ્યૂહરચના અંગે ગંભીરતાથી આત્મચિંતનની જરૂર છે. તેમણે રાજ્યના નેતૃત્વ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને વ્યૂહરચના અંગે ચર્ચા કરવા અને ગંભીર નિર્ણયો લેવા કરતાં રાહુલ ગાંધીનું મનોરંજન કરવામાં વધુ રસ છે. તેમણે કહ્યું, “જ્યારે રાહુલ ગાંધી રાજ્યમાં આવે છે, ત્યારે તેમની સાથે ચર્ચા કરવા માટેના મુદ્દાઓ શોધવાને બદલે, અમારા વરિષ્ઠ નેતાઓ તેમના માટે ચિકન-સેન્ડવિચ અને ડાયેટ-કોકનું આયોજન કરવામાં વ્યસ્ત હોય છે!”

    કોંગ્રેસ પાર્ટીએ જમીની સ્તરે જઈને લોકો સાથે ફરી જોડાણ કરવાની જરૂર છે એમ કહીને, પટેલે કહ્યું, “કોંગ્રેસને ઉદયપુરમાં બેસીને ચિંતન શિવિર ચલાવવાની જરૂર નથી, તેઓએ એરકન્ડિશન્ડ કેબિનમાં બેસવાની જરૂર નથી. લોકો પાસે જવાની જરૂર છે.”

    હાર્દિક પટેલે કોંગ્રેસ અને તેના નેતાઓ પર પૈસાની લેતી દેતીનો આરોપ લગાવતા કહ્યું કે, “યૂથ કોંગ્રેસની ચૂંટણી માટે કોંગ્રેસ ગુજરાતમાંથી 5 કરોડ રૂપિયા ઉઘરાવીને લઈ ગઈ છે અને દર વખતે લઈ જાય છે. અને જ્યારે યૂથ કોંગ્રેસને કોઈ કાર્યક્રમ કરવા હોય તો એમને એક પણ રૂપીયો કોંગ્રેસ નથી આપતી.”

    હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું કે કોંગ્રેસને ‘ચિંતન’ કરવાની જરૂર નથી, પરંતુ તેમના માટે આગળ શું થશે તેના પર ‘ચિંતા’ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ માત્ર ગુજરાતની જ ચિંતા કરવાની જરૂર નથી. “હિમંતા બિસ્વા, જેએમ સિંધિયા, અમરિન્દર સિંહ, સુનીલ જાખર અને અન્ય કેટલાક લોકોએ કોંગ્રેસ કેમ છોડી તે અંગે કોંગ્રેસે ગંભીર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.”

    ભાવનાત્મક ભાષણમાં, હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી છોડીને મને ગર્વ છે, અને એવા ભવિષ્યની આશા છે જ્યાં તે લોકોના કલ્યાણ માટે કામ કરી શકે. તેમણે કહ્યું કે તેઓ ગુજરાતના લોકોના સમર્થનમાં એવા તમામ કાર્યોને પૂર્ણ કરવા માટે કામ કરશે જે તેઓ છેલ્લા ત્રણ વર્ષમાં કરી શક્યા નથી. પટેલે કહ્યું કે “મારી 7 વર્ષની સામાજિક કારકિર્દીમાં મે છેલ્લા 3 વર્ષ કોંગ્રેસમાં બગડ્યા એનો મને ખૂબ અફસોસ છે.” પટેલે જોડ્યુ કે એમના પિતાએ પણ મૃત્યુ પહેલા એમને કહ્યું હતું કે કોંગ્રેસમાં જઈને એણે ભૂલ કરી છે.

    પોતાના પિતાના મૃત્યુને ટાંકીને પટેલે કહ્યું હતું કે એમના પિતાના મૃત્યુ પર કોંગ્રેસનાં કોઈ મોટા નેતા એમને સાંત્વના આપવા આવ્યા નહોતા. પરંતુ પાછલી પુણ્યતિથિ પર જ્યારે એમને લાગ્યું કે હાર્દિક કોંગ્રેસ છોડીને જશે એટ્લે સૌ નેતાઓ એમના ઘરે આવ્યા હતા. પટેલે જોડ્યુ કે, “જે કોંગ્રેસે હાર્દિક પટેલના બાપાનાં મૃત્યુ પર હાર્દિકનું દુખ સમજ્યું ન હતું એ ગુજરાતની જનતાનું દુખ સમજી જ ના શકે.”

    ભાજપમાં જોડવાના પ્રશ્ન પર હાર્દિક પટેલે કહ્યું કે “હાલ ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનો મે કોઈ નિર્ણય નથી લીધો. પરંતુ ભવિષ્યમાં ક્યાય પણ જોડાશે તો એ પણ ગર્વ સાથે જ અને સૌ સામે જાહેર કરીને જોડાશે.”

    આમ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય નેતૃત્વ તથા પ્રદેશ નેતૃત્વ સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને સાથે ગુજરાતની ભાજપ સરકારની વારંવાર પ્રશંસા કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં