Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી સરવે: કાર્ટૂન સ્વરૂપે ગુજરાતી સમાચાર પત્રએ પોતાનો હિન્દુદ્વેષ ઠાલવ્યો, ઘણા ઇસ્લામવાદીઓએ...

    જ્ઞાનવાપી સરવે: કાર્ટૂન સ્વરૂપે ગુજરાતી સમાચાર પત્રએ પોતાનો હિન્દુદ્વેષ ઠાલવ્યો, ઘણા ઇસ્લામવાદીઓએ પણ શિવલિંગના બહાને ભગવાન શિવનું કર્યું અપમાન

    ગુજરાતી અખબાર સંદેશે હિંદુઓની લાગણી દુભાવતું એક કાર્ટુન પ્રકાશિત કર્યું છે જેમાં ગેસના સિલિન્ડરના પડછાયાને શિવલિંગ બતાવવામાં આવ્યું છે. આ સામે સોશિયલ મિડીયામાં વિવાદનો વંટોળ ઉભો થયો છે.

    - Advertisement -

    વારાણસીમાં જ્ઞાનવાપી સરવેમાં જે તથ્યો સામે આવ્યા છે એ હજુ ઘણા લોકોથી પચન નથી થઈ રહ્યા. અને એમાય જ્યારથી સ્થાનિક કોર્ટ દ્વારા શિવલિંગ છે એ સ્થાનને સંરક્ષણમાં લેવાયું છે ત્યારથી આ લોકો શિવલિંગને અપમાનિત કરવામાં પાછા નથી પડી રહ્યા. આવા જ એક પ્રયાસમાં ગુજરાતનાં એક અગ્રણી સમાચાર પત્રએ પણ ગેસના ભાવના બહાને શિવલિંગ અને ભગવાન શિવનું અપમાન કરવાની ચેષ્ટા કરી છે.

    ગુજરાતનાં જાણીતા સંદેશ નામના સમાચારપત્રએ પોતાની આજની પ્રતમાં એક કાર્ટૂન છાપ્યું છે. જેમાં એક ગેસનો બાટલો દર્શાવ્યો છે અને પાછળ એ બાટલાના પડછાયામાં શિવલિંગ જેવી આકૃતિ બતાવી છે. જેની સામે 2 લોકોને વાંકા વળીને પગે લાગતાં દર્શાવ્યા છે. આ કાર્ટૂન દ્વારા સંદેશે મોંધવારી અને ધર્મ એમ બે તદ્દન જુદા વિષયોને જોડીને ભગવાન શિવનું અપમાન કરવાનો પ્રયાશ કર્યો છે.

    આ કાર્ટૂન જોઈને હિન્દુઓમાં ખૂબ રોષની લાગણી જોવા મળી હતી. ઘણા લોકોએ ટ્વિટર પર સંદેશને ટાંકીને પોતાનો રોષ ઠાલવ્યો પણ હતો.

    - Advertisement -

    ટ્વિટર પર @hiren_pithadiya નામના એક વ્યક્તિએ સંદેશનું આ કાર્ટૂન મૂકીને પોતાનો રોષ દર્શાવ્યો હતો. તેમણે સંદેશને ટેગ કરીને પૂછ્યું હતું કે તેઓ શું સાબિત કરવા માંગે છે?

    અન્ય એક યુઝર @PatelViral એ આ ટ્વિટ પર ટિપ્પણી કરતાં લખ્યું કે “દયનીય….. આ બંને કેવી રીતે સંબંધિત છે?… સંપૂર્ણ રીતે અપમાનજનક અને અસ્વીકાર્ય. સંદેશે માફી માંગવી જોઈએ.”

    એક મહિલા ટ્વિટર યુઝર @shraddha_shah27 એ લખ્યું કે આ જાણી જોઈને કરવામાં આવેલ હરકત છે. “જ્યારે પરિસ્થિતી ઊંધી હોય છે (બીજા ધર્મની વાત હોય) ત્યારે તો આ જ લોકો રડવા લાગે છે.”

    આમ સંદેશ સમાચાર પત્રની આ હરકતે હિન્દુઓની ધાર્મિક ભાવનાને આહટ કરી હોય એવું સાફ સાફ વર્તાઇ આવ્યું. અઢળક લોકોએ સંદેશ તરફથી માફીની માંગ પણ કરી છે અને એમ પણ કહ્યું છે કે હિન્દુ સિવાય અન્ય કોઈ પણ ધર્મ વિષે આવું લખવા કે દર્શાવવાની કોઇની હિંમત નથી ચાલતી હોતી.

    દેશભરમાં ભગવાન શિવનું અપમાન કરતાં હિંદુદ્વેષીઓ ઉઘાડા પડ્યા હતા

    આ સિવાય પણ દેશભરમાં કેટલાય હિન્દુદ્વેષીઓએ છેલ્લા 2 દિવસમાં અનેક વાર અનેક જગ્યાએ પવિત્ર શિવલિંગ અને ભગવાન શિવનું અપમાન કર્યું છે. જેમથી ઘણા કિસ્સાઓમાં કાર્યવાહી થઈ છે જ્યારે કેટલાય કિસ્સાઓમાં કાર્યવાહી થવાની બાકી છે.

    આવી જ એક ઘટનામાં ઉત્તરપ્રદેશમાં સમજવાદી પાર્ટીના નેતા મોહસીન અંસારીએ શિવલિંગની સરખામણી લીચીના ઠળિયા સાથે કરીને ફેસબુક પર સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. પોસ્ટ વાઇરલ થતાં યુપી પોલીસ દ્વારા અંસારીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    મંગળવારે (17 મે 2022) ગુજરાતનાં જ એક AIMIM નેતા દાનિશ કુરેશીએ પણ શિવલિંગ પર અભદ્ર ટિપ્પણી કરીને ભગવાન શિવનું અપમાન કર્યું હતું. બાદમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતા અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે કુરેશીના ઘરે જઈને એની ધરપકડ કરી હતી.

    પોતાને કોંગ્રેસના ગુજરાત સ્ટેટ કો-ઓર્ડીનેટર ગણાવતા અફઝલ લાખાણીએ પણ થાળી અને પ્યાલાનો ફોટો મુકીને તેને શિવલિંગ સાથે સરખાવીને હિંદુઓની લાગણીઓનું અપમાન કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. જેની સામે પણ સખત વિરોધનું વંટોળ ઉભો થયો છે.

    આમ, સોશિયલ મીડિયા પર ઘણા ઇસ્લામવાદીઓ દ્વારા પોતાના હિન્દુદ્વેષને વશ થઈને શિવલિંગના બહાને ભગવાન શિવનું અપમાન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં