Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડિજિટલ પત્રકારત્વ માટે ઑપઈન્ડિયાના એડિટર નુપુર શર્મા દેવઋષિ નારદ સન્માનથી સન્માનિત, આ...

    ડિજિટલ પત્રકારત્વ માટે ઑપઈન્ડિયાના એડિટર નુપુર શર્મા દેવઋષિ નારદ સન્માનથી સન્માનિત, આ વર્ષે 12 પત્રકારોને આ એવોર્ડ મળ્યો.

    ઑપઇન્ડિયાના એડિટર નુપુર શર્માને પત્રકાર જગતના પ્રતિષ્ઠિત નારદ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    ડિજિટલ પત્રકારત્વ માટે ઑપઈન્ડિયાના નુપુર શર્માને દેવઋષિ નારદ સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા. પત્રકારત્વના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર મીડિયા કર્મચારીઓને 18 મેના રોજ RSSની સંચાર શાખા ઈન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ દ્વારા દેવઋષિ નારદ સન્માન 2022 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 12 પત્રકારોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આમાંનું એક નામ ઑપઈન્ડિયાના એડિટર-ઇન-ચીફ નુપુર શર્માનું છે. તેમને ડિજિટલ પત્રકારત્વ નારદ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    નારદ સન્માન મેળવનાર પત્રકારોના નામ

    નુપુર શર્માને દેવઋષિ નારદ સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમની સાથે વિવિધ કેટેગરીમાં સન્માન મેળવનાર પત્રકારોમાં હિન્દુસ્તાન સમાચારના આશુતોષ કુમાર પાંડે (યુવાન પત્રકાર નારદ સન્માન પ્રાપ્તકર્તા); આયોજક નિશાંત કુમાર આઝાદ (સ્ત્રી કરોકર/મહિલા સંવેદના પત્રકાર નારદ સન્માન); ઇન્ડીયન સાયન્સ વાયરના ઉમાશંકર મિશ્રા, (ગ્રામીણ પત્રકારત્વ નારદ સન્માન); દૂરદર્શન સમાચારના સુરેશ કુમાર જયસ્વાલ (ન્યૂઝરૂમ સહયોગ નારદ સન્માન); ન્યૂઝ જંકશનના પ્રિયંકા દેવ (સોશિયલ મીડિયા પત્રકાર નારદ સન્માન); પંજાબ કેસરીના મિહિર સિંહ (ફોટો પત્રકાર નારદ સન્માન); ન્યૂઝનેશનના વિદ્યાનાથ ઝા (ટીવીના વિડિયો પત્રકાર નારદ સન્માન); પીએમ નારાયણન (વિદેશી પત્રકારત્વ નારદ સન્માન); વરિષ્ઠ પત્રકાર દીપક ઉપાધ્યાય (ઉત્તમ પત્રકાર નારદ સન્માન); અને ભૂતપૂર્વ પત્રકાર, કટાર લેખક બલબીર પુંજ (નારદ સન્માન માટે આજીવન સેવા). આ તમામ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

    - Advertisement -
    સન્માનિત થયેલા પત્રકારો ( સાભાર Opindia Hindi)

    પત્રકારત્વ નિષ્પક્ષ હોવું જોઈએ, સકારાત્મક દિશામાં આગળ વધવું જોઈએ

    આ કાર્યક્રમમાં આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે મુખ્ય વક્તા તરીકે અને રાજ્યના મંત્રી ડૉ. સંજીવ કુમાર બાલ્યાન અને નેટવર્ક 18ના મેનેજિંગ એડિટર એન્કર આનંદ નરસિમ્હાએ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. સુનીલ આંબેકરે કાર્યક્રમને સંબોધતા જવાબદારી પૂર્ણ પત્રકારત્વ પર વાત કરતા કહ્યું કે પત્રકારત્વમાં સત્ય સાથે આગળ વધવું, અને સત્ય સાથે ક્યારેય બાંધછોડ ન કરવી. અથવાતો તમે કયું સત્ય લોકો સુધી પહોંચાડવા માંગો છો તે બાબત ખૂબ જ જરૂરી છે. તે જ સમયે, રાજ્ય મંત્રી સંજીવ બાલ્યાને પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે પત્રકારત્વ એટલું મહત્વનું છે કે તે દરેક જનતાને અસર કરે છે. તેથી તે સકારાત્મક દિશામાં હોવું જોઈએ. તે હંમેશા તમામ મંતવ્યો અને વિચારોનો આદર કરીને ન્યાયપૂર્ણ હોવું જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં