Wednesday, April 1, 2026
More
    Home Blog Page 1033

    તૂર્કી-સીરિયા ભૂકંપ: કાટમાળની નીચે જન્મ્યું એક બાળક, મૃત માતા ગર્ભનાળથી પોષણ આપતી રહી, 30 કલાક બાદ બચાવી લેવાયું

    તૂર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપના કારણે ભારે જાનહાનિ થઇ છે અને જનજીવન પણ ખોરવાઈ ગયું છે. હજુ પણ જમીનમાંથી લોકોના મૃતદેહો કાઢવામાં આવી રહ્યા છે. ભૂકંપ બાદ બચાવકાર્ય દરમિયાન એક નવજાત બાળકી મળી આવી હતી. કાટમાળ નીચે દબાયેલી આ બાળકીને મૃત માતા પોષણ આપતી રહી હોવાના કિસ્સાએ સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

    મળતી માહિતી મુજબ કાટમાળ નીચે દબાયેલી બાળકીને મૃત માતા પોષણ આપતી રહી હતી, આ બાળકીની માતા 10 કલાક પહેલાં મૃત્યુ પામી હતી, પરંતુ મૃત માતાની ગર્ભનાળથી બાળક પોષણ મેળવતું રહ્યું હતું. ત્યારબાદ કાટમાળ હટાવીને નવજાતને બચાવી લેવામાં આવી હતી.

    આ ઘટના સીરિયાની છે. અહીં સોમવારે જિંદરેસ શહેરમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયું અને ઘણી ઇમારતો ધરાશાયી થઇ ગઈ. દરમ્યાન કેટલાક વ્યક્તિઓને બચાવકાર્ય સમયે એક મહિલાની ગર્ભનાળ સાથે જોડાયેલી એક નવજાત બાળકીને જોઈ. તરત તેમણે ગર્ભનાળ કાપી અને બાળક રડવા માંડ્યું. ત્યારબાદ તેને બહાર કાઢી લેવામાં આવી.

    રિપોર્ટ્સ અનુસાર, કાટમાળ હટાવીને જોયું તો બાળકીની માતા મૃત્યુ પામી હતી. બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, જ્યાં હાલ તે સુરક્ષિત છે અને સારવાર ચાલી રહી છે.

    જાણવા મળ્યા અનુસાર, બાળકીની માતા ગર્ભવતી હતી અને એક-બે દિવસ બાદ બાળકને જન્મ આપવાની હતી પરંતુ ભૂકંપ આવવાના કારણે આઘાતમાં તેમણે કાટમાળ અંદર જ બાળકને જન્મ આપી દીધો હતો. લગભગ 30 કલાક સુધી માતા-બાળકી કાટમાળ નીચે દબાયેલા રહ્યા અને આખરે બાળકીને બચાવી લેવામાં આવી હતી. જોકે, કમનસીબે તેની માતા બચી શકી ન હતી.

    બાળકની સારવાર કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે, બચાવકાર્ય કરનારાઓએ સોમવાર (6 ફેબ્રુઆરી, 2023) બપોરે નવજાત બાળકને શોધી કાઢ્યું હતું. એક મહિલા પાડોશીએ બાળકની ગર્ભનાળ કાપી અને બાળકને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું. હાલ તેને એક ઈનક્યુબેટરમાં રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકના શરીરનું તાપમાન ખાસ્સું ઘટી ગયું હતું અને તેની પીઠ પર ઘા પડ્યા હતા. જોકે, હાલ તેની હાલત સ્થિર છે. ડોક્ટરે કહ્યું કે, જો બાળક કાટમાળ નીચે હજુ વધુ સમય રહી હોત તો કદાચ મૃત્યુ પામી હોત.

    અનુમાન છે કે બાળકીની માતા અને તેના પરિજનો ભૂકંપ સમયે બહાર નીકળવા માટે મથી રહ્યા હતા ત્યારે જ ઇમારત તેમની ઉપર પડી અને તેઓ દબાઈ ગયા હતા.

    પાકિસ્તાનમાં ખ્રિસ્તી યુવતીએ નિકાહ અને ધર્માંતરણની ના પડતા કામરાને ચહેરા પર તેજાબ ફેંક્યું

    લઘુમતીઓ માટે નરક સમાન પાકિસ્તાનમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, કરાંચીમાં ખ્રિસ્તી યુવતીના ચહેરા પર કામરાને તેજાબ ફેંક્યું હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એસિડ એટેકથી યુવતીના ચહેરાને ખુબ નુકસાન થયું છે. હાલ પોલીસે ગુનો નોંધી કામરાનની ધરપકડ કરી છે. આરોપીએ કહ્યું છે કે તે પીડિતાએ તેને નિકાહની ના પાડી હતી એટલે તેણે હુમલો કર્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરાંચીમાં ખ્રિસ્તી યુવતી પર તેજાબ ફેંક્યું હોવાની આ ઘટના કરાચીના ફ્રેયર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પીડિતાનું નામ સુનિતા મસીહ છે, જેની ઉંમર 19 વર્ષ છે. સુનિતા માસૂમ શાહ કોલોનીમાં તેના પરિવાર સાથે રહે છે. આરોપી કામરાન પીડિતાનો પાડોશી હોવાનું કહેવાય છે. સુનિતાના કાકા જ્હોન મસીહના જણાવ્યા અનુસાર ઘટનાના દિવસે 1 ફેબ્રુઆરીએ સુનિતા કરાચીના કાલા પુલ વિસ્તારમાં કોઈ કામ માટે પોતાના ઘરેથી નીકળી હતી. તે કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી બસ પકડવા જતી હતી ત્યારે કામરાને તેના ચહેરા પર એસિડ ફેંકી દીધું હતું.

    હુમલા બાદ કામરાન ત્યાંથી ભાગી ગયો હતો. હાલ સુનીતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એસિડ એટેકના કારણે સુનીતાનું શરીર 20 ટકા દાઝી ગયું છે. ખુદ સુનીતાનું કહેવું છે કે કામરાન દ્વારા કરવામાં આવેલા એસીડ એટેક બાદ તેના ચહેરા, પગ અને આંખો પર ગંભીર રીતે દાઝી ગયા હતા અને તે રસ્તા પર પડી ગઈ હતી અને ચીસો પાડવા લાગી હતી. કામરાન પર સુનીતા મસીહ સાથે બળજબરીથી નિકાહ કરવા દબાણ કરવાનો આરોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કામરાન સુનીતા પર પણ ખ્રિસ્તી ધર્મ છોડીને ઈસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરી રહ્યો હતો.

    સુનિતાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓએ કામરાનના પરિવારને તેની હરકતો અંગે ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ તેમની ફરિયાદોની અવગણના કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે કામરાન બક્શ દ્વારા વારંવાર દબાણ કરવામાં આવ્યું ત્યારે સુનિતાએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે ન તો ખ્રિસ્તી ધર્મ છોડશે કે ન તો તેની સાથે નિકાહ કરશે. આ દરમિયાન સુનીતા મસીહે પણ કામરાનની કાર્યવાહી અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે પણ કોઇ કાર્યવાહી કરી ન હતી.

    એસિડ એટેક બાદ કામરાનને પાકિસ્તાન પોલીસે કસ્ટડીમાં લીધો છે. કરાચી પોલીસના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સગીર અહમદના જણાવ્યા અનુસાર કામરાન પર પીપીસીની કલમ 336-બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કામરાનના 2 દિવસના કસ્ટડી રિમાન્ડ પણ લીધા હતા. કામરાને પોલીસ સમક્ષ સુનિતા પ્રત્યેના એકતરફી પ્રેમની કબૂલાત પણ કરી હતી.

    અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની વિદ્યાર્થીઓની માંગ: છાત્ર હુંકાર સંમેલનમાં ABVPને મળેલા પ્રસ્તાવો પર અભાવિપના ગુજરાત પ્રદેશ મંત્રી યુતિ ગજરે સાથેની ખાસ વાતચીત

    ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ABVP દ્વારા માંગ ઉઠી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ને 60 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા માટેના પ્રસ્તાવો મળ્યા છે. તાજેતરમાં અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિષદના છાત્ર હુંકાર સંમેલનમાં હજારો વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

    અહેવાલો અનુસાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ABVP દ્વારા માંગ કરતા પ્રસ્તાવો પરિષદની છાત્ર હુંકાર સંમેલન અંતર્ગત બેઠક દરમિયાન મળ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો અમદાવાદના નામકરણનો રહ્યો હતો. આ બેઠકમાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ અંદાજીત 2000 વિદ્યાર્થીઓ દ્વારા મૂકાયો હતો. જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

    પરિષદને 75 વર્ષ થશે, જે અંતર્ગત યોજાયો હતો કાર્યક્રમ: યુતિ ગજરે

    આ બાબતે વધુ માહિતી મેળવવા ઑપઈન્ડિયાએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી યુતિ ગજરેનો સંપર્ક કર્યો હતો, દરમિયાન ટેલીફોનીક વાતચીતમાં યુતિએ આ વિશે વિસ્તારમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આજે 75 વર્ષ થવા જઈ રહ્યાં છે, જે અંતર્ગત આખા ગુજરાતમાં આ પ્રકારના કાર્યક્રમ થયાં હતા, જેને છાત્ર હુંકાર નામ આપવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં ચાર કલાકનું એક સત્ર યુજાયું હતું, જેમાં અનેક મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા, આ ઉપરાંત શોભા યાત્રાનું પણ આયોજન કરાયું હતું. જે દરમીયાન એક જગૃક્ગતા વાળો મહોલ બન્યો હતો.”

    આ તમામ પ્રસ્તાવો વિધાર્થીઓ વચ્ચેથી આવ્યાં

    ઑપઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં યુતિ આગળ જણાવે છે કે, “આ કાર્યક્રમો દરમિયાન તમામ જીલ્લાઓના વિદ્યાર્થીઓ વચ્ચેથી આવેલા વિષયોને પ્રસ્તાવ રૂપે લેવામાં આવ્યા, જેમાં અનેક પ્રકારના પ્રસ્તાવો હતા, જેવા કે બનાસકાંઠામાં યુનીવર્સીટીની માંગ ઉઠી જેને અમે પ્રસ્તાવ રૂપે લીધી, સુરતમાં નશા મુક્ત કેમ્પસનો પ્રસ્તાવ મળ્યો, ડાંગથી લોકલ ટ્રાન્સપોટેશન, સારું કેમ્પસની માંગ હતી. કુલ 39 જિલ્લાઓમાં આ પ્રકારનો માહોલ બન્યો હતો.”

    અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાર્થીઓએ આપ્યો ‘કર્ણાવતી’નો પ્રસ્તાવ

    અમદાવાદને કર્ણાવતી નામ આપવાના પ્રસ્તાવ વિષે વિદ્યાર્થીનેતા યુતિ જણાવે છે કે, “39 જિલ્લાઓમાં અમદાવાદનો પણ સમાવેશ થયો, જેમાં અંદાજે 60 જેટલી કોલેજોના 2000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને અમદાવાદને કર્ણાવતી નામ આપવાનો વિષય પણ આ 2000 વિદ્યાર્થીઓ વચ્ચેથી જ આવ્યો છે. પ્રસ્તાવ મળ્યા બાદ અભાવિપ તેના પર ચર્ચા-વિચારણા કરશે, અને અગામી સમયમાં દિશા નક્કી કરી આ પ્રસ્તાવને આગળ લઇ જવાનાં નિર્ણયો કરવામાં આવશે.”

    નોંધનીય છે કે જે વર્ષ 2018 ના સમયે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતાં તે સમયે પણ આ પેકરની માંગ ઉઠી હતી, તે સમયે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર શહેરનું નામ બદલવાની વિચારણા કરી રહી છે. અમદાવાદ દેશનું એકમાત્ર શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ છે. તે વિષય પર વાત કરતા યુતિ જણાવે છે કે અત્યારે આ વિષય વિદ્યાર્થીઓ પાસેથી મળેલા પ્રસ્તાવ પરથી આવ્યો છે, અને શહેરની પરિષદ પણ ઈચ્છે છે કે ગુજરાતનું સહુથી મોટું શહેર તેના અસલ નામથી ઓળખાય, જે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ લોકજગૃતિઓના કામ કરીને તેમના વચ્ચે પણ આ પ્રકારનો માહોલ ઉભો થાય.

    અહી નોંધનીય છે કે 1411માં કર્ણદેવ સોલંકી દ્વારા આ શહેરને વસાવવામાં આવ્યું હતું પણ મુસ્લિમ શાસક અહેમદ શાહે અહીં કબજો કર્યો ત્યારે તેણે નગરનું નામ ફેરવીને અમદાવાદ રાખ્યું હોવાનું માનવામાં આવે છે. અમદાવાદનું સાચું નામ કર્ણાવતી છે. અને અનેક સંગઠનોની માંગ છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે આશાવલ ભીલ નામના રાજાને હરાવીને વર્તમાન પ્રદેશ પર વિજય મેળવ્યો અને તેના નામ પરથી આ સ્થળનું નામ કર્ણાવતી રાખ્યું. તેથી શહેરનું નામ કર્ણાવતી હોવું જોઈએ.

    OpIndia Exclusive: વરાછામાં હિંદુ સંગઠનો સાથે જોડાયેલ લોજ-માલિક પર જાવેદે કર્યો હુમલો અને જાનથી મારવાની ધમકી આપી; FIR બાદ થઇ ધરપકડ

    સુરતના વરાછા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કારખાનામાં કામ કરતા જાવેદ સમા નામના મુસ્લિમ કારીગરે સામાન્ય તકરારમાં એક લોજના માલિક અને હિંદુ સંગઠનો સાથે જોડાયેલા સંજય ચૌહાણ પર હુમલો કરી દીધો હતો. આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    નોંધનીય છે કે આ બાબતની ફરિયાદ સંજય ચૌહાણના બહેનના દીકરા હરમીત ખસીયાએ નોંધાવી છે જેઓ ઘટના સમયે ત્યાં લોજમાં જ હાજર હતા. જાવેદે કરેલા હુમલામાં હરમીતને પણ સામાન્ય ઇજા પહોંચી હતી.

    ઑપઇન્ડિયાએ આ બાબતે સંજય ચૌહાણનો સંપર્ક કરતા તેઓએ તમામ આપવીતી જણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર આ આખી ઘટના મંગળવાર, 7 ફેબ્રુઆરીના રોજ ઘટી હતી. તેમના લોજની બાજુના કારખાનામાંથી અવાર નવાર ખાવા આવનાર કારીગરોમાંથી એક જાવેદ સમા મંગળવારે જયારે લોજમાં જમવા આવ્યો ત્યારે લોજનાં કારીગર સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યો અને ગાળો બોલવા માંડ્યો હતો. સંજયભાઈએ વચ્ચે પાડીને પોતાના કારીગરીનો બચાવ કર્યો હતો.

    રેગ્યુલર ગ્રાહક હોવાથી તેના થોડા પૈસા લોજમાં જમા હતા. આથી સંજય ચૌહાણે તેનો હિસાબ કરીને ઉપરના પૈસા જાવેદને પરત આપી દીધા હતા અને ફરી આ લોજમાં જમવા ના આવવા તેને જણાવ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈ જતા જાવેદે પેન્ટમાં પહેરેલો ચામડાનો પટ્ટો કાઢીને કાઢીને ગાળો બોલતા બોલતા સંજયભાઈ પર હુમલો કરી દીધો હતો. લોજમાં કારીગરો ભેગા થઇ જતા જાવેદ સંજય ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

    આ હુમલામાં સંજય ચૌહાણને અને તેમના ભાઈ દેવરાજને હાથની આંગળીઓ અને કોણીના ભાગમાં ઇજા થઇ હતી. તથા હરમીત ખસીયાને માથાના પાછળના ભાગમાં ઇજા થઇ હતી. જે બાદ આ તમામને સારવાર માટે નજીકની સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે આવીને તેમની ફરિયાદ નોંધી હતી.

    સંજય ચૌહાણે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ઘણા હિંદુ સંગઠનો સાથે જોડાયેલા છે અને વિસ્તારમાં અવારનવાર જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે.

    હાલમાં સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સત્વરે આરોપી જાવેદની ધરપકડ કરી લીધી છે. જોવાનું એ રહેશે કે આમ શું માત્ર લોજમાં થયેલ તકરાર જ મુખ્ય કારણ હતું કે પછી મૂળ મુદ્દો બીકો કોઈ હતો. શક્ય છે કે પોલીસ તપાસમાં આ બાબતમાં વધુ કોઈ જાણકરી પણ સામે આવે.

    પાર્લામેન્ટની પીચ પર પ્રધાનમંત્રીના ચોગ્ગા-છગ્ગાઃ વિપક્ષ પર નકારાત્મક હોવાનો આરોપ લગાવ્યો, 140 કરોડ દેશવાસીઓને પોતાનું સુરક્ષા કવચ ગણાવ્યું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહામહીમ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરીને પોતાનો વાત મૂકી હતી. તેઓએ પોતાની આગવી છટામાં પોતાની સરકારના વિકાસના કર્યો ગણાવ્યા હતા સાથે સાથે વિપક્ષને નકરાત્મ ગણાવીને શેર શાયરીઓ ટાંકીને ચાબખા પણ માર્યા હતા. 

    પોતાના ભાષણની શરૂઆત મહામહીમ રાષ્ટ્રપતિ મુર્મુજીએ કહેલી એક વાતથી શરુ કરી હતી જેમાં મુર્મુજીએ બદલતા ભારતની કેટલીક બાબતો ગણાવી હતી. આ બાબતે તેમણે આભાર માન્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન કેટલાક લોકોએ સદન છોડ્યું હતું તેને તેમના અપમાન સાથે પણ જોડ્યું હતું. 

    દેશનો વિપક્ષ નકારાત્મક માનસિકતા ધરાવે છે તેવો આરોપ મૂકીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની નકારાત્મકતાના કારણો પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે 2004થી 2014 સુધીની સરકારમાં આ લોકોએ કોઈ કામ નથી કર્યા. આ ઉપરાંત તેમને જેટલા પણ અવસરો મળ્યા હતા. તે તમામ અવસરોને આફતમાં ફેરવ્યા હતા. ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે જ્યારે દુનિયામાં ટેલીકોમ ક્ષેત્રે પ્રગતી કરી રહી હતી, ત્યારે આ લોકો 2G ઘોટાળો કરી રહ્યા હતા અને જયારે તેમને દેશના યુવાનોની રમત ગમત ક્ષેત્રેની તાકાતનો પરચો બતવવાનો અવસર મળ્યો, ત્યારે તે લોકોએ CWG ઘોટાળો કરવામાં વ્યસ્ત હતા. માટે આ લોકો સ્વીકારી શકતા નથી કે દેશમાં આટલી તાકાત પણ છે કામ કરવાની. જો અમે લોકો સત્તામાં આવીને તેમના જેવું જ કર્યું હોત તો આટલો વિરોધ અમારો ન કરતે. 

    ED બાબતે પ્રધાનમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે કોંગ્રેસેતો EDનો આભાર માનવો જોઈએ , કારણ કે EDના કારણે આખો વિપક્ષ એક થયો છે. યાદ રહે કે વિપક્ષ હમેશા EDની કાર્યવાહી બાબતે સરકાર પર સવાલો ઉઠાવતો આવ્યો છે.  ઘણા વિપક્ષી નેતાઓ પર ED દ્વારા કાર્યવાહી થઇ છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આગવી છટામાં સમયે સમયે શાયરીઓ બોલીને પણ કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસની વર્તમાન સ્થિતને લઈને તેમણે કવિ દુષ્યંતની એક કડી કહી હતી કે  “तुम्हारे पाँव के निचे कोई जमीन नहीं, कमाल यह है की फिर भी तुम्हे यकीन नहीं” તેઓ ઈસરો કરવા માંગતા હતા કે હાલમાં જનતા તમારી સાથે નથી. વર્તમાન વિપક્ષ સરકારના સારા કામો પણ જોઈ શક્તિ નથી તેવો આરોપ મૂકીને કાકા હાથરાશીની એક કડી ઉચ્ચારી હતી કે “आग पीछा देख कर क्यों होई गमगीन, जेसी जिसकी भावना वेसी उनका सिन” 

    આ સિવાય પણ તેમણે દેશ હાલમાં કયા ક્યા ક્ષેત્રમાં પ્રગતી કરી રહ્યો હતો તે આંકડા સાથે કહ્યું હતું. દેશમાં હાલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે થઇ રહેલા કર્યો પણ ગણાવ્યા હતા. રેલ્વેની કાયાપલટ કર્યાના પણ દાવા કર્યા હતા. સાથે સાથે દેશમાં આંતરિક સુરક્ષામાં આવેલો ફેરફાર પણ ગણાવ્યો હતો અને 2004થી 2014 દરમિયાન થયેલા બોમ્બ ધડાકા બાબતે પણ જૂની સરકારને દોષી ગણાવી હતી. 370 કલમ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં સ્થાપિત શાંતિની પણ વાત કરી હતી તો સાથે તેમણે લાલ ચોક પર ફરકાવેલા ત્રિરંગા બાબતે પણ સ્મરણ કર્યું હતું.

    કોરોનાકાળ દરમિયાન દેશે જે કામ કર્યું તે પણ વિગતવાર ગણાવતા કહ્યું હતું કે ભારત દેશે પોતાના કરોડો નાગરિકોને તો રસી આપી જ સાથે સાથે 150થી વધુ દેશોને મદદ કરી હતી. જેના કારણે આજે વિશ્વમાં ભારતની શાખ વધી છે. તેમની સરકાર દ્વારા કરેલા કામો જેમાં આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, કોરોનાના 80 કરોડ લોકોને અનાજપૂરું પડ્યું તે ગણાવીને કહ્યું હતું કે તમે લોકો મને ગાળો આપો છો, ત્યારે આ 140 કરોડ દેશવાસીઓ મારા સુરક્ષા કવચ સમાન છે.

    આ તમામ ઉપલબ્ધિઓનો શ્રેય તેમણે દેશની 140 કરોડ જનતાને આપ્યો હતો. સાથે હવે વિપક્ષ ફરીથી સત્તામાં આવવાના સપના ન જુએ તે બાબતે પણ ટોણો માર્યો હતો. 

    અજમેરના રસ્તાઓ પર મૈસી નેલ્સને કર્યા ‘અશ્લીલ સ્ટંટ’: ગર્લફ્રેન્ડને ચાલુ બાઈકે ચુંબન કરતો વિડીયો વાયરલ થયાં બાદ ગુનો દાખલ

    આજનું જનરેશન પોતાની હરકતોથી પોતાનો તો ઠીક પણ બીજાનો જીવ પણ જોખમમાં મુકતા વિચારતો નથી. મોંઘી દાટ બાઈકો અને અને ગાડીઓ પુરપાટ ચલાવી તેઓ ખબર નહિ શું સાબિત કરવા માંગે છે કઈક આવો જ કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે, જ્યાં અજમેરના રસ્તાઓ પર અશ્લીલ સ્ટંટ કરતા મૈસી નેલ્સનનો વિડીયો વાયરલ થયો છે, પરાણે વિચારવા મજબુર કરે તેવી વાત તે છે કે નેલ્સન એકલો નહિ પણ તેની ગર્લફ્રેન્ડ પણ બાઈક પર બેઠી છે, અને તે પણ એવી સ્થિતિમાં કે એક ચૂક થતા જ બન્નેના જીવ જોખમાઈ જાય તેવી સ્થિતિમાં.

    અજમેરના રસ્તાઓ પર અશ્લીલ સ્ટંટ કરતા મૈસી નેલ્સનનો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાઈક સવાર યુગલ અજમેરથી પુષ્કર તરફ જઈ રહ્યું છે. આ સમય દરમિયાન આ પ્રેમી પંખીડાઓએ તેમના જીવનની પરવા કર્યા વિના જાહેર સ્થળે અશ્લીલતા ફેલાવી હતી.આ દ્રશ્યો જોઈ ને લોકો પણ બે ઘડી સ્તબ્ધ થઇ ગયા હતા, અને શહેરમાં આ રીતે અશ્લીલતા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. આ બાબતે ક્રિશ્ચિયનગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કરણ સિંહે જણાવ્યું હતું કે, આ વીડિયો સામે આવ્યા બાદ એક ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રેમી યુગલ સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

    વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય કે આરોપી બાઈક ચલાવી રહ્યો છે અને યુવતી જીવના જોખમે તેની સામે મોઢું કરીને બાઈકના ટાંકા પર બેઠી છે. તે ચાલુ બાઈકે રસ્તા પર નેલ્સનને વારંવાર ગળે લગાવીને ચુંબનોનો વરસાદ વરસાવી રહી છે. આ મામલે એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓએ બાઇક પર સાહિલ મૈસી નેલ્સન સાથે બેઠેલી યુવતીની પણ ઓળખ કરી લીધી છે.

    CCTV ના આધારે ઝડપાયો મૈસી નેલ્સન

    મળતી માહિતી મુજબ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી સાહિલ મેસી (24)ના પુત્ર નેલ્સનની ધરપકડ કરી છે. તે અજમેરના ફોયસાગર રોડનો રહેવાસી છે. તેની સામે આઈપીસીની કલમ 336, 279 અને 294 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ વાયરલ વીડિયો અંગે વિશ્વ હિન્દુ પરિષદના રાજ્ય સહમંત્રી શશિ પ્રકાશ ઈન્દોરિયાએ દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે, “રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. અજમેરનો વાયરલ વીડિયો આપણી સનાતન સંસ્કૃતિનું અપમાન છે. જે દેશમાં દીકરીઓને દુર્ગાના રૂપમાં પૂજવામાં આવે છે, ત્યાં તે દીકરીઓનો આવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ તેના પર અત્યારે કોઈ કાર્યવાહી નથી કરી રહી તે ચોક્કસપણે આશ્ચર્યની વાત છે. આ અંગે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. “

    આઈપીસીની કલમ 294 અંતર્ગત સજાની જોગવાઈ

    આ મામલે એડવોકેટ યોગેન્દ્ર ઓઝાએ જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતાની કલમ 294 મુજબ, જે કોઈ પણ જાહેર સ્થળે અન્યને ચીડવવાના ઇરાદાથી કોઈ પણ અશ્લીલ કૃત્ય કરે, તો આ કલમ હેઠળ તેને આરોપી ગણવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો આઈપીસીની કલમ 294માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જો કોઈ પુરુષ કે મહિલા જાહેરમાં કોઈ પણ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનું અશ્લીલ કૃત્ય કરે તો પોલીસ તેની સામે કાર્યવાહી કરી શકે છે. જો કે કાયદામાં પોર્નોગ્રાફીની કોઇ સ્પષ્ટ વ્યાખ્યા નથી.

    કચ્છના એ રણમાં શરુ થઇ G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની પહેલી બેઠક, 2001ના ભૂકંપ બાદ જેને બેઠું થવું લોકો અશક્ય ગણતા હતા: જાણો તેની વિકાસયાત્રા

    ગુજરાતના કચ્છના રણમાં મંગળવારે પ્રથમ G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપ (TWG)ની બેઠક શરૂ થઈ હતી. ત્રણ દિવસની બેઠકમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, G20 સભ્ય દેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓ, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સહિત 100થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જે 9 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.

    કચ્છમાં G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપના પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું, રંગીન અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભુજ એરપોર્ટ તેમજ ટેન્ટ સિટી, ધોરડો, કચ્છના રણ પર લોક કલાકારો દ્વારા પ્રદર્શનનો સમાવેશ થાય છે. પેનલ ચર્ચામાં UNEP સાથે ઈન્ડોનેશિયા, ઈટાલી, સ્પેન, જાપાન, ILOના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

    ભારતમાંથી મધ્યપ્રદેશ, ગુજરાત અને નાગાલેન્ડ સરકારના પ્રતિનિધિઓ સાથે OYO અને ગ્લોબલ હિમાલયન એક્સપિડિશનએ ચર્ચામાં ભાગ લીધો હતો. અન્ય વિષયો પૈકી હોમસ્ટેઝ દ્વારા મહિલા સશક્તિકરણ, સમુદાય આધારિત ઇકો ટુરિઝમ અને કચ્છના રણના ગ્રામીણ પ્રવાસન મોડેલ પર ચર્ચાઓ અને પ્રસ્તુતિઓ યોજવામાં આવી હતી.

    નોંધનીય છે કે આ એ જ કચ્છ છે કે જ્યાં 2001માં એવો ભયાનક ભૂકંપ આવ્યો હતો અને જાનમાલનું એવું નુકશાન થયું હતું કે લોકો માટે એ વિચારવું પણ અસંભવ હતું કે આવતા 100 વર્ષોમાં પણ કચ્છ ફરી બેઠું થઇ શકશે. પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રઢ ઈચ્છાશક્તિએ આ પ્રદેશની ખુબ ટૂંકા ગાળામાં કાયાપલટ કરી દીધી હતી અને હાલ એ સ્તરે ત્યાં વિકાસ થયો છે કે G20 જેવી વૈશ્વિક બેઠકો ત્યાં યોજાઈ રહી છે.

    2001ના ભૂકંપ બાદ કચ્છની અવિરત વિકાસયાત્રા

    26મી જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં 7.7ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. કચ્છનું ભચાઉ તેનું એપીસેન્ટર હતું. હજારો લોકો માર્યા ગયા અને કરોડો રૂપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

    તેના આઠ મહિના પછી નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલ પાસેથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની બાગડોર સંભાળી. તેઓ એક મિશન સાથે આવ્યા હતા, જે હતું સમગ્ર ગુજરાતનો વિકાસ. તેઓ શૂન્યતાના આ વિશાળ વિસ્તારને પ્રવાસન કેન્દ્રમાં ફેરવવા જઈ રહ્યા હતા. તેઓ કચ્છની સૂકાયેલી જમીનમાં પાણી લાવવા માંગતા હતા અને તેઓ કચ્છને રોકાણનું આગામી સ્થળ બનાવવા માંગતા હતા.

    2006માં શરૂ કરાયું રણ ઉત્સવ

    2006માં નરેન્દ્ર મોદીએ રણ ઉત્સવની શરૂઆત કરી હતી. જે હમણાં સુધીની માત્ર ભારતની જ નહિ પરંતુ વિશ્વની સૌથી સફળ અને વખણાયેલ ઇવેંટ્સમાંની એક છે.

    ખૂબ ઓછા વરસાદ સાથે આખું વર્ષ અત્યંત ગરમ હોય તેવા સ્થળ માટે, કચ્છમાં શિયાળો ખૂબ જ આનંદદાયક હોય છે. તેથી દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી, કચ્છનું રણ ‘રણ ઉત્સવ’નું આયોજન કરે છે. ગુજરાત સરકારની કંપની ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, પ્રવાસીઓ માટે દોષરહિત વ્યવસ્થાઓ કરે છે.

    SAUNI યોજનાથી કચ્છના ચેવડા સુધી પહોંચ્યું નર્મદાનું નીર

    ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે, નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2012માં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ (SAUNI) યોજના શરૂ કરી હતી. ગુજરાતીમાં SAUNI શબ્દનો અર્થ થાય છે “દરેકનો”. સૌની યોજના દ્વારા, સૌરાષ્ટ્રના શુષ્ક પ્રદેશના 115 ડેમ પૂરના પાણીને ડાયવર્ટ કરીને ભરવામાં આવ્યા જે દક્ષિણ ગુજરાતના સરદાર સરોવર ડેમથી બે કિલોમીટર દૂર ઓવરફ્લો થાય છે.

    1,125 કિમી લાંબી સ્પાઈડર પાઈપલાઈન નેટવર્ક સામેલ હતું. આ 2020માં જૂનમાં, ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સૌની યોજનાના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. સૌની યોજના કચ્છ-સૌરાશ્રા ક્ષેત્રના 11 જિલ્લાના 737 ગામો અને 31 શહેરોને નર્મદાના પાણીનો લાભ આપશે.

    કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક

    ડિસેમ્બર 2020માં કચ્છની તેમની એક દિવસીય મુલાકાતે, PM મોદીએ ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક તેમજ અરબી સમુદ્રના કિનારે માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. 30,000 મેગાવોટનો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વિશ્વનો સૌથી મોટો પાર્ક હશે જેમાં પાવર જનરેટ કરવા માટે પવનચક્કી અને સૌર પેનલ્સ બંનેની સ્થાપના કરવામાં આવશે.

    નોંધનીય છે કે આ વિકાસયાત્રા અહીંયા અટકતી નથી સતત અને અવિરત ચાલી જ રહી છે. જેની સૌથી મોટી સાબિતી છે G20 જેવી વૈશ્વિક સ્તરની ઇવેન્ટની G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકો અહીંયા યોજાઈ શકે છે.

    તે રડતો રહ્યો દયાની ભીખ માંગતો રહ્યો, આસામમાં નિષ્ઠુર લોકોએ બીરાજને ઝાડ સાથે બાંધી ઢોર માર તો માર્યો, ચહેરા પર પેશાબ પણ કર્યો: નિજામુદ્દીન અક્લાસુદ્દીન અને સલમાની ધરપકડ

    આસામના હૈલાકાંડીમાં યુવક પર ક્રુરતા બદલ નિજામુદ્દીન સહીત 3ની ધરપકડ કરવામાં આવી છે, પણ આ ધરપકડ કયા કારણોસર થઇ છે તે જાણીને તમારા પગ તળેથી જમીન ખસી જશે. વાસ્તવમાં આસામના હૈલાકાંડી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ઝાડ સાથે બાંધીને બીરાજ નામના હિંદુ યુવકને માર મારી રહ્યા છે. તેના થોડા સમય બાદ જ યુવકનું મુંડન કરવામાં આવે છે, આ ક્રુરતા હજુ અહી નથી અટકતી પણ એક વ્યક્તિ તેના ચહેરા પર પેશાબ પણ કરે છે.

    પીડામાં કણસતો ચીસો પાડતો યુવક દયાની ભીખ માંગતો જોવા મળે છે, પણ આરોપીઓમાં જરા પણ દયા ભાવ નથી આવતો. ત્યારે આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આસામના હૈલાકાંડીમાં યુવક પર ક્રુરતા બદલ નિજામુદ્દીન સહીત 3ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી તરીકે નિજામુદ્દીન તેના સહયોગીઓમાં અક્લાસુદ્દીન અને સલમા નામની મહિલાનો સમાવેશ થાય છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો હૈલાકાંડી જિલ્લાના લાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કૃષ્ણાપુર ગામનો છે. મુખ્ય આરોપી નિઝામુદ્દીન ડ્રગ સ્મગલર હોવાનું કહેવાઈ રહ્યું છે, જેને ભૂતકાળમાં પણ જેલની સજા થઇ ચુકી છે. પીડિત બિરાજ પોલના જણાવ્યા અનુસાર, તે નિઝામુદ્દીનના ઘરે 2,000 રૂપિયા સાથે હેરોઇનના ચાર બોક્સ ખરીદવા ગયો હતો. નિઝામુદ્દીને તેને જાતે બોક્સ ઉપાડવાનું કહ્યું. તથાકથિત રીતે તેણે ચારને બદલે બિરાજે પાંચ પેટી ઉપાડી, જે નિઝામુદ્દીનની માતાએ જોઈ લીધું. જ્યારે બિરાજને લાગ્યું કે તે પકડાઈ ગયો છે, ત્યારે તેણે એક બોક્સ ફેંકી દીધું અને તેને પોતે શોધવાનો ઢોંગ કરતો રહ્યો.

    બિરાજના જણાવ્યા અનુસાર નિઝામુદ્દીને તેની તલાશી લીધી હતી અને બોક્સ ન મળતાં તેને તે દિવસે તો જવા દીધો. પણ બાદમાં નિઝામુદ્દીને પીડિત બિરાજ પોલને સસ્તામાં ડ્રગ્સ આપવાના બહાને અને ક્યારેક વધુ કમિશન આપવાના બહાને ફોન કરવાનું શરૂ કર્યું હતું. બિરાજ તેની વાતોમાં આવીને આરોપીના ઘરે ગયો હતો અને ત્યાં તેની સાથે નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. બિરાજે આરોપ લગાવ્યો હતો કે આરોપી નિઝામુદ્દીને અગાઉ 17 વર્ષીય સગીરને મરવા માટે મજબુર કર્યો હતો. આ સાથે જ તેણે એક પોલીસકર્મીની પણ હત્યા કરી છે.

    આસામના ડીજીપી જી પી સિંહે આ વીડિયોની નોંધ લીધી હતી. મંગળવારે (7 ફેબ્રુઆરી, 2023) તેમણે જણાવ્યું હતું કે હૈલાકાંડી પોલીસે આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ડીજીપીએ મુખ્ય આરોપીનો નિઝામુદ્દીન તરીકેનો ફોટો પણ શેર કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ બિરાજ પોલના આરોપોની તપાસ કરી રહી છે.

    વાયરલ વિડીયોમાં ક્રૂરતાની તમામ હદો પાર

    લગભગ 2 મિનિટ 20 સેકન્ડનો આ વાયરલ વીડિયો મંગળવારે ટ્વીટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક યુવક અર્ધનગ્ન અવસ્થામાં બંને હાથ ઝાડ સાથે બંધાયેલો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં, લુંગી અને પહેરેલો આરોપી પીડિતને લાકડી વડે ફટકારી રહ્યો છે. આ દરમિયાન પીડિત જોરજોરથી ચીસો પાડે છે. બાદમાં ભોગ બનનારનું મુંડન કરવામાં આવે છે અને તેને ઘૂંટણ પર બેસાડીને લુંગી બાંધેલી વ્યક્તિ તેના ચહેરા પર પેશાબ કરે છે. આ સમય દરમિયાન પીડિત સતત રડતો જોવાં મળે છે.

    આટલું જ નહિ આસામના આ વાયરલ વીડિયોમાં એક મહિલાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે, જે આરોપીઓને રોકવાના બદલે તેમને ઉશ્કેરી રહી છે. આ વીડિયો સ્થળ પર હાજર કોઈ અન્ય વ્યક્તિએ બનાવ્યો છે.

    વિવાદિત ટીએમસી નેતા મહુઆ મોઈત્રાનું સંસદમાં અસંસદીય વર્તનઃ ભાજપા નેતા માટે હરામી શબ્દ વાપર્યો, બોલ્યાનો તેમને કોઈ અફસોસ પણ નથી

    હમેશા વિવાદોમાં રહેતી TMC પાર્ટીની સાંસદ મહુઆ મોઇત્રા વળી પછી વિવાદમાં આવી છે. તેમને ચાલુ સાંસદ દરમિયાન ભાજપા સાંસદ માટે અશોભનીય શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ પહેલી વાર નથી કે તેમણે આવી ભાષા વાપરી હોય. આ પહેલા પણ તેમણે મા કાળીનું અપમાન કર્યું હતું અને બ્રાહ્મણોને ચોટલી વાળા રાક્ષસ કહ્યા હતા. 

    મળતી માહિતી અનુસાર, ગત રોજ તારીખ 07 ફેબ્રુઆરી 2023ના રોજ સંસદની પ્રક્રિયાઓ ચાલુ હતી તે દરમિયાન અદાણી બાબતે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે TMC સાંસદ મહુઆ મોઇત્રાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બધુડી માટે હરામી શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દનો ઉપયોગ કરતા જ સત્તા પક્ષે સંસદમાં વિરોધ નોધાવ્યો હતો. સંસદની કાર્યવાહીને રોકાવીને મહુઆ મોઇત્રા પાસે માફી માંગવા માટે કહ્યું હતું. જો કે મહુઆ પર આ વાતની કોઈ અસર થઇ ન હતી અને તેણે હસવાનું ચાલુ રાખ્યું હતું. 

    મહુઆ મોઇત્રાની આ હરકતનો વિડીયો પણ વાયરલ થયો હતો. તમે નીચે વિડીયોમાં જોઈ શકો છો કે જયારે મહુઆ મોઇત્રા સ્પીકરને ફરિયાદ કરી રહી છે કે મને બોલવામાં નથી દેવાઈ રહ્યું. ત્યારે જ ટીડીપી સાંસદ બોલવા ઉભા થાય છે તે જ સમયે મહુઆ મોઇત્રા ભાજપા સાંસદ રમેશ બીધુડી માટે હરામી શબ્દનો પ્રયોગ કરે છે. 

    માહિતી અનુસાર, લોકસભા સ્પીકર ઓમ બિરલાની જગ્યાએ કાર્યકારી સ્પીકર ભર્તુહરિ મહતાબે મહુઆના રેકોર્ડિંગને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે. તેણે મહુઆની ભાષા સાંભળતા જ કાનમાંથી હેડફોન કાઢી, કહ્યું કે કેટલાક ખૂબ જ અપમાનજનક અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે જરા પણ યોગ્ય નથી. આ ઉપરાંત તેમણે સંસદીય કાર્ય મંત્રીને ટીએમસી પાર્ટી સાથે આ મામલે વાત કરવા પણ કહ્યું.

    આ આખી બાબત સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની હતી અને મહુઆ મોઇત્રા સાથે હરામી શબ્દ પણ ટ્વીટર ટ્રેન્ડ થયો હતો. લોકોએ પણ પ્રતિક્રિયા આપી હતી. જેમાં અંકુરસિંહ નામના વ્યક્તિએ કહ્યું હતું કે “જુઓ અસંસદીય ભાષા વાપરવા બદલ જયારે પ્રહલાદ જોશીએ માફી માંગવા કહ્યું ત્યારે મહુઆ મોઈત્ર બેશરમ બની હસી રહી છે.” 

    આ મામલે કવિતાએ કહ્યું હતું કે “મહુઆ મોઇત્રાએ સંસદમાં હરામી શબ્દ બોલ્યો. તમારી પાસે પૈસા હોઈ શકે છે, તમારી પાસે સત્તા હોઈ શકે છે, તમારી પાસે રાજકીય હોદ્દો હોઈ શકે છે પરંતુ આ બધું મળીને પણ તમારો કદરૂપો ચહેરો છુપાવી શકતો નથી. તમારી વાસ્તવિકતા હંમેશા લોકો સામે આવી જ જાય છે.

    કંગાળ પાકિસ્તાનના વડાપ્રધાનને તુર્કીની પીકનીક પર જવું હતું પરંતુ સામો જવાબ એવો મળ્યો કે બહાનાબાજી ચાલુ કરી દીધી

    પાકિસ્તાન આમતો કંગાળ થઇ ચુક્યું છે પરંતુ તેની અધિકારીક જાહેરાત થવી બાકી છે. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે તો માનવતાનાં ધોરણે ફટાફટ મેડીકલ અને ખાદ્યસામગ્રીની મદદ મોકલી દીધી હતી. પરંતુ પાકિસ્તાન પાસે ખુદને ખાવાનાં વાંધા છે ત્યાં તે તુર્કીને ક્યાં મદદ કરે? એટલે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ખુદ તુર્કીના દુઃખના સમયમાં ફક્ત શાબ્દિક સધિયારો આપવા અંકારા જવા માટે તૈયાર થઇ ગયા.

    જો કે શાહબાઝ શરીફે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે ઇસ્લામાબાદ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ઉભી થયેલી પરિસ્થિતિથી વ્યથિત છે અને અમે અમારાથી બનતી તમામ મદદ કરીને તુર્કીના લોકો સાથે ખભેથી ખભો મેળવીને ઉભાં છીએ એમ દેખાડી દઈશું. આ ઉપરાંત પાકિસ્તાનના માહિતી ખાતાના મંત્રી મરિયમ ઔરંગઝેબે પણ ટ્વીટ કરીને કહ્યું હતું  કે વડાપ્રધાન અને વિદેશમંત્રી તુર્કીની યાત્રાએ ઉપડે છે.

    પરંતુ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તુર્કી સરકારનાં જ મહત્ત્વનાં અધિકારીઓએ પાકિસ્તાન સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે અમે અહીં રાહતકાર્યોમાં વ્યસ્ત છીએ એટલે અત્યારે શાહબાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીએ અહીં આવવાની જરૂર નથી. આમ આ રીતે શરીફ અને બિલાવલની પાકિસ્તાનની ખરાબ પરિસ્થિતિ દરમ્યાન પણ વિદેશયાત્રા કરવાની ઈચ્છા અધુરી રહી ગઈ હતી.

    તુર્કીએ કાયમ પાકિસ્તાનની કાશ્મીર અને અન્ય ભારત વિરોધી મુદ્દે સમર્થન કર્યું છે. આ હકીકત સ્પષ્ટ હોવાં છતાં ભારતે સમયની રાહ જોયાં વગર જ ભૂકંપ બાદ અતિશય મહત્ત્વની કહી શકાય તેવી મદદ વાયુસેનાનું આખું પ્લેન ભરીને મોકલી દીધી હતી.

    તેની સામે મિત્ર દેશ તુર્કીએ જ પાકિસ્તાનના વડાપ્રધાન અને વિદેશમંત્રીને આવવાની ના પાડી દેતાં તમાચો વાગ્યા પછી ગાલ લાલ રાખવા માટે પાકિસ્તાન સરકારે એવું જાહેર કર્યું કે ખરાબ હવામાનને લીધે વડાપ્રધાનનું હેલીકોપ્ટર ઉડી શકવા માટે સક્ષમ ન હોવાથી તેમની તુર્કીની મુલાકાત રદ્દ કરી દેવામાં આવી છે.

    આટલું અપમાન ઓછું હોય તેમ પોતાનાં વડાપ્રધાન અને વિદેશમંત્રીની તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ પણ તેની મુલાકાત લેવાની ઉતાવળની પાકિસ્તાનની અંદર પણ આકરી ટીકા થઇ રહી છે. પાકિસ્તાનીઓ શાહબાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની આ હરકતને મૂર્ખતાપૂર્ણ ગણાવી રહ્યાં છે. આ ઉપરાંત આ પ્રકારની મુલાકાત લઈને શાહબાઝ અને બિલાવલ પોતપોતાની રાજનૈતિક મહત્વાકાંક્ષાઓને સંતોષવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનો આરોપ પણ તેમનાં પર મુકવામાં આવી રહ્યો છે.

    પાકિસ્તાનના પ્રસિદ્ધ અખબાર ડૉનનાં વરિષ્ઠ પત્રકાર અબ્બાસ નાસીરે જણાવ્યું હતું કે પાકિસ્તાન હાલમાં આતંકવાદી ઘટનાઓથી પરેશાન છે અને આવા સમયમાં પ્રજા એવું ઈચ્છે છે કે તેમનાં વડાપ્રધાન વિદેશ ન જતાં પોતાની સાથે જ રહે. તો એક અન્ય પત્રકારે કહ્યું હતું કે આ રીતે તુર્કી દોડી જવાની કોઈજ જરૂર નથી પરંતુ તેની બદલે અહીં બેઠાં જ સીરિયાની બને તેટલી મદદ કરવી જોઈએ.

    પાકિસ્તાન પાસે અન્યોને મદદ કરવાની તો કોઈ તાકાત નથી રહી પરંતુ ભારત જ્યારે તુર્કીનાં લોકો માટે જરૂરિયાતનો સમાન તાત્કાલિક મોકલવા માટે પાકિસ્તાની એરસ્પેસ ખોલવાની મંજુરી માંગી રહ્યું હતું ત્યારે પણ પાકિસ્તાને તે આપવાની મનાઈ કરી દીધી હતી. આ ઘટના બાદ કદાચ તુર્કીના પ્રમુખ રીસેપ તૈયપ એર્દોગનને દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફરક ખબર પડી જશે.