‘પ્રક્રિયા અટકવા નહીં દઈએ’: સુપ્રીમ કોર્ટે બંગાળ SIR માટે વધુ સમય આપ્યો, ચૂંટણી પંચની હિંસાની ફરિયાદો પર DGPને એફિડેવિટ રજૂ કરવા નોટિસ

પશ્ચિમ બંગાળમાં SIR મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યા છે. કોર્ટે મતદાતા યાદીનાં સત્યાપનની પ્રક્રિયા પૂરી કરવા માટે 14 ફેબ્રુઆરી બાદ એક અઠવાડિયાનો વધુ સમય પણ આપ્યો છે. વધુમાં ચૂંટણી પંચમાં અડચણ અને ફોર્મ બાળી નાખવાની ઘટનાઓને લઈને રાજ્યના DGPને વ્યક્તિગત એફિડેવિટ દાખલ કરવા માટેનો આદેશ પણ આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના તે આરોપો પર પણ ગંભીરતા દર્શાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફોર્મ-7 સાથે જોડાયેલ વાંધાઓને રોકવા અથવા બાળવાની ઘટનાઓ પર પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નથી. કોર્ટે રાજ્ય સરકાર પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે અને DGPને સોગંદનાનું દાખલ કરીને આ મામલે સ્પષ્ટીકરણ આપવાનો નિર્દેશ આપ્યો છે.. 

સુનાવણી દરમિયાન કોર્ટે યાદ અપાવ્યું હતું કે 19 જાન્યુઆરીના આદેશમાં રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની સમસ્યાને રોકવા માટે સખત પગલાં લેવામાં આવે. કોર્ટે સંકેત આપ્યો કે, જો જરૂર પડી તો આ મામલે ચૂંટણી પંચની શક્તિઓને લઈને પણ અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. 

કોર્ટે SIR પ્રક્રિયાને પૂર્ણ કરવામાં કોઈપણ અડચણ પેદા ન કરવાની ચેતવણી આપતા ભરોસો પણ આપ્યો હતો કે આ પ્રક્રિયામાં આવતી તમામ અડચણો દૂર કરવામાં આવશે. CJI સૂર્યકાંતે કોર્ટનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, “અમે અડચણ હટાવીશું, પરંતુ SIR પૂર્ણ થવામાં કોઈ અડચણ નહીં નાખીએ. આ બાબતે અમે બિલકુલ સ્પષ્ટ છીએ.”