હોમપેજરાજકારણ‘તમને કેવી રીતે ખબર ચીને જમીન હડપી લીધી? જો તમે સાચા ભારતીય...

‘તમને કેવી રીતે ખબર ચીને જમીન હડપી લીધી? જો તમે સાચા ભારતીય હોત…’: સેના પર અપમાનજનક નિવેદન આપવા બદલ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લગાવી ફટકાર, કેસ રદ કરવાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને જણાવ્યું કે જો તેઓ આવા નિવેદનો આપવા ઇચ્છતા હોય, તો તેઓ સંસદમાં જઈને આ વાત કરી શકે છે. શીર્ષ અદાલતે સવાલ ઉઠાવ્યો કે તેમણે આવી વાતો સોશિયલ મીડિયા પોસ્ટમાં કેમ કરવી પડે છે?

- Advertisement -

ભારતીય સેના વિશે અપમાનજનક નિવેદન આપવાના મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને (Rahul Gandhi) ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો રાહુલ ગાંધી સાચા ભારતીય હોત, તો તેઓ સેના વિશે આવું નિવેદન ન કરત. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને તેમના નિવેદનનો આધાર પણ પૂછ્યો છે.

આ ટિપ્પણીઓ સુપ્રીમ કોર્ટે સોમવારે (4 ઓગસ્ટ, 2025) કરી હતી. સુપ્રીમ કોર્ટ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની એક અરજી પર સુનાવણી કરી રહી હતી. રાહુલ ગાંધીએ ચીને ભારતની 2000 ચોરસ કિલોમીટર જમીન હડપી લીધી એવો દાવો કરતા નિવેદનો પર નોંધાયેલા કેસને રદ કરવાની માંગ કરી હતી, જેના માટે તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સોમવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે આ અરજીની સુનાવણી દરમિયાન કહ્યું, “તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટર ભારતીય જમીન પર કબજો કર્યો છે? શું તમે ત્યાં હતા? શું તમારી પાસે કોઈ વિશ્વસનીય માહિતી છે? તમે બિનસલાહભર્યા આવા નિવેદનો કેમ આપો છો… જો તમે સાચા ભારતીય હોત, તો આવું ન કહેત.” સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કરી રહેલા વકીલ અભિષેક મનુ સંઘવીને આ વાત કહી.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને જણાવ્યું કે જો તેઓ આવા નિવેદનો આપવા ઇચ્છતા હોય, તો તેઓ સંસદમાં જઈને આ વાત કરી શકે છે. શીર્ષ અદાલતે સવાલ ઉઠાવ્યો કે તેમણે આવી વાતો સોશિયલ મીડિયા પોસ્ટમાં કેમ કરવી પડે છે? સુપ્રીમ કોર્ટે ભારતીય સૈનિકોના નુકસાન અંગે પણ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે જ્યારે યુદ્ધ થાય છે, ત્યારે બંને પક્ષના સૈનિકો માર્યા જાય છે અથવા નુકસાન થાય છે. તેમાં વિચિત્ર શું છે?

જોકે, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી. રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલા કેસ પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે મૂક્યો છે. જોકે, તેમની કેસ રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી નથી. આ પહેલાં અલ્હાબાદ હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.

શું હતો મામલો?

રાહુલ ગાંધી વિરુદ્ધ આ કેસ સીમા સડક સંગઠનના એક અધિકારીએ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ સેનાનું અપમાન કર્યું હતું. તેમણે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકો દ્વારા ‘માર ખાધો’ એવું  નિવેદન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું હતું, “લોકો ભારત જોડો યાત્રા, અશોક ગેહલોત અને સચિન પાયલટ વગેરે વિશે તો પૂછશે જ. પરંતુ ચીન દ્વારા 2000 ચોરસ કિલોમીટર ભારતીય જમીન પર કબજો, 20 ભારતીય સૈનિકોને પીટવા પર અને અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોની પિટાઈ વિશે એક પણ સવાલ નહીં પૂછે. પરંતુ ભારતીય પ્રેસ તેમની પાસે આ વિશે એક પણ સવાલ નથી પૂછતું. શું આ સાચું નથી?”

અલ્હાબાદ હાઇકોર્ટે આ નિવેદન પર નોંધાયેલા કેસને રદ કરવાનો મે, 2025માં ઇનકાર કર્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે બોલવાની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે કોઈ સેનાનું અપમાન કરે. આ મામલે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે રાહુલ ગાંધીને સમન્સ પણ જારી કર્યું હતું.

ગલવાન યુદ્ધ દરમિયાન ચીનની તરફેણમાં દેખાયા હતા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન જ નહીં, પરંતુ જૂન, 2020માં ગલવાન યુદ્ધ દરમિયાન પણ સેના અને સરકારનો સાથ નહોતો આપ્યો. ક્યાંક તેમણે હજારો ચોરસ કિલોમીટર જમીન ચીનના હાથમાં જવાની વાત કરી હતી, તો ક્યાંક સૈનિકોની સુવિધાઓ વિશે બોલી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે સરકાર સૂઈ રહી છે અને ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. આ બધા નિવેદનો એવા સમયે આપવામાં આવી રહ્યા હતા જ્યારે આખો દેશ ચીનની વિરુદ્ધ એકજૂટ હતો.

ગલવાન યુદ્ધ બાદ ચીન સાથેના તણાવ વચ્ચે રાહુલ ગાંધીના દિલ્હીમાં ચીની રાજદૂત સાથે મળવાના સમાચાર પણ સામે આવ્યા હતા. રાહુલ ગાંધી આ અંગે સ્પષ્ટ જવાબ નહોતા આપી શક્યા. આ ઉપરાંત, કોંગ્રેસ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે સમજૂતીના રિપોર્ટ્સ પણ આવી ચૂક્યા છે. ભાજપે એવો આરોપ પણ લગાવ્યો છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન પાસેથી ₹1 કરોડથી વધુનું દાન લીધું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું FCRA લાયસન્સ પણ રદ થઈ ગયું હતું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં