Saturday, September 28, 2024
More
    હોમપેજગુજરાતઘરે માછલીઘર રીપેર કરવા આવેલા મોહસીન ખાન પઠાણે વડોદરાની હિંદુ વિધવાનો દેહ...

    ઘરે માછલીઘર રીપેર કરવા આવેલા મોહસીન ખાન પઠાણે વડોદરાની હિંદુ વિધવાનો દેહ ચૂંથ્યો: પરણિત આરોપીએ CCTV કેમેરા સામે કપડાં ઉતરાવ્યા

    પીડીતાના ઘરમાં રહેલા માછલી ઘરમાં કોઈ ખરાબી આવતા પાણીગેટ પાસે આયુર્વેદિક ત્રણ રસ્તા નજીકની રહેમાની પાર્ક સોસાયટીમાં રહેતા મોહસીન ખાન પઠાણને રીપેરીંગ માટે બોલાવ્યો હતો.

    - Advertisement -

    થોડા સમય પહેલા અમદાવાદ અને ધાનેરામાં હિંદુ યુવતીઓ બળાત્કારનો ભોગ બની તેને ગણતરીના જ દિવસો થયા છે, ત્યાં જ વડોદરામાં હિંદુ વિધવા મહિલા પર મોહસીન ખાન પઠાણે બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પીડિતાના ઘરે માછલીઘર રીપેર કરવા આવ્યો હતો. દરમિયાન પોતાની વાતોમાં ફસાવીને તેણે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો છે.

    મળતી માહિતી અનુસાર લગભગ 2 વર્ષ પહેલા પીડિત હિંદુ મહિલાના પતિનું અવસાન થઇ ગયું હતું. દરમિયાન તેના ઘરમાં રહેલા માછલી ઘરમાં કોઈ ખરાબી આવતા પાણીગેટ પાસે આયુર્વેદિક ત્રણ રસ્તા નજીકની રહેમાની પાર્ક સોસાયટીમાં રહેતા મોહસીન ખાન પઠાણને રીપેરીંગ માટે બોલાવ્યો હતો. રીપેરીંગ દરમિયાન મોહસીન જાણી ગયો હતો કે મહિલાના પતિનું મૃત્યુ થઇ ગયું છે અને તે એકલવાયું જીવન ગુજરી રહી છે.

    માછલીઘર રીપેર કરવાના બહાને ઘરે આવ-જા શરૂ કરી

    ત્યાર બાદ મોહસીન માછલીઘર સર્વિસ કરવાના બહાને અવારનવાર પીડિતાના ઘરે આવવા લાગ્યો. થોડી મુલાકાતોમાં જ તેણે મહિલાને પોતાની વાતોમાં ફસાવી લીધી અને તેની એકલતાનો લાભ લઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. લગભગ વર્ષ 2021થી મોહસીન પીડિતા સાથે બળાત્કાર ગુજરી રહ્યો છે. પીડિતાએ વિરોધ કરતા તેણે તેને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વિશે કહેશે તો તેને જાનથી મારી નાંખશે.

    - Advertisement -

    CCTV સામે નિર્વસ્ત્ર કરી

    પીડિતની આબરૂ લૂંટીને મોહસીનને સંતોષ ન થતા તેણે તેને શારીરિક સાથે માનસિક ત્રાસ આપવાનું પણ શરૂ કરી દીધું. મહિલાએ સિક્યુરીટી માટે ઘરમાં CCTV કેમેરા લગાવ્યા હતા. મોહસીન ધાક-ધમકીઓ આપીને તેને CCTV કેમેરા સામે નિર્વસ્ત્ર થવાનું કહેતો અને જો પીડિતા ના પાડે તો તેને ધમકાવતો હતો. મહત્વની વાત તો તે છે કે મોહસીનના પહેલાથી જ નિકાહ થઈ ચૂક્યા છે, તેના ઘરમાં પણ આ બળાત્કારની વાત ખબર હતી અને તેની બેગમ સાથે તેને આ મામલે અવારનવાર ઝઘડો પણ થતો.

    તાજેતરમાં મોહસીનનો ત્રાસ એ હદે વધી ગયો હતો કે પીડિતા તેનાથી છુટકારો મેળવવા પોલીસ પાસે પહોંચી હતી. જોકે પહેલા મોહસીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના કારણે તે ફરિયાદ કરતા ડરતી હતી, પરંતુ અંતે તેણે હિંમત કરીને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તરત હરકતમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

    વડોદરામાં હિંદુ વિધવા પર બળાત્કાર ગુજારવા મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફતેગંજ પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ બાદ આરોપી મોહસીન વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલ કોર્ટે આરોપીને જેલમાં ધકેલી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં