Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફરી એક વાર સિનેમા ઘરોમાં રીલીઝ થશે 'ધ કાશ્મીર ફાઈલ્સ': અનુપમ ખેરે...

    ફરી એક વાર સિનેમા ઘરોમાં રીલીઝ થશે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’: અનુપમ ખેરે કહ્યું- ‘નરસંહાર દિવસ’ કાશ્મીરી હિન્દુઓને શ્રધ્ધાંજલિ આપવા…

    આ ફિલ્મ સૌથી પહેલા 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. 'ધ કાશ્મીર ફાઇલ્સ' 2022ની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મોમાંની એક છે. કમાણીના મામલે તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.

    - Advertisement -

    નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફરી એકવાર થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. દિગ્દર્શકે બુધવારે (18 જાન્યુઆરી, 2023) ટ્વીટ કરીને પ્રેક્ષકોને આ માહિતી આપી છે. આ સાથે તેમણે ફરીથી ધ કાશ્મીર ફાઈલ્સ થિયેટરોમાં રીલીઝ રિલીઝ કરવાનું કારણ પણ આપ્યું છે.

    વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની નવી રીલીઝ ડેટ 19 જાન્યુઆરી, 2023 લખેલી છે. આ સાથે જ ડિરેક્ટરે કેપ્શનમાં લખ્યું છે કે, “19 જાન્યુઆરીએ ફરી એકવાર ધ કાશ્મીર ફાઈલ્સ રીલીઝ થઈ રહી છે. તે દિવસ કાશ્મીરી હિન્દુ નરસંહાર દિવસ છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ફિલ્મ રીલીઝ થયાનાં એક વર્ષમાં બે વાર રિલીઝ થઈ રહી છે. જો તમે તેને મોટા પડદા પર જોવાનું ચૂકી ગયા હોવ, તો હમણાં જ તમારી ટિકિટ બુક કરાવો. “

    આ સાથે જ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં મહત્વની ભૂમિકા ભજવનારા બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે પણ આ ફિલ્મ અંગે ટ્વીટ કર્યું છે. અનુપમ ખેરે ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે, “હિજરત અને નરસંહારના 33 વર્ષ પૂરા થવા પર કાશ્મીરી પંડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કૃપા કરીને આવતીકાલે ફરીથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જુઓ. આ પહેલીવાર છે જ્યારે કોઈ ફિલ્મ એક વર્ષમાં બીજી વખત રિલીઝ થઈ રહી છે. “

    - Advertisement -

    આ ફિલ્મ સૌથી પહેલા 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 2022ની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મોમાંની એક છે. કમાણીના મામલે તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. 14 કરોડના બજેટમાં બનેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘એ બોક્સ ઓફિસ પર 340 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં કાશ્મીરી હિન્દુઓના સ્થળાંતર અને 1990 માં તેમના હત્યાકાંડની સાચી ઘટનાઓ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં છે.

    દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી હમણાં તેમની આગામી ફિલ્મ ‘ધ વેક્સિન વોર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ પહેલી ફિલ્મ હશે, જે એક સાથે 11 ભાષાઓ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, પંજાબી અને ભોજપુરીમાં રિલીઝ થશે. ‘ધ વેક્સિન વોર‘ ભારતીય વૈજ્ઞાનિકોના કોરોના મહામારી સામે રસી વિકસાવવાના પ્રયાસો પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2023 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં