Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2 વર્ષ પહેલા તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના અંજલિ ભાભીને સિરીયલના નિર્માતાઓએ હજી...

    2 વર્ષ પહેલા તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના અંજલિ ભાભીને સિરીયલના નિર્માતાઓએ હજી સુધી તેમના કામના છેલ્લા 6 મહિનાના પૈસા નથી ચુકવ્યા

    તારક મહેતા કાં ઉલટા ચશ્માંમાં 12 વર્ષ સુધી અંજલિ ભાભીનો રોલ કરનાર નેહા મહેતાએ ઘટસ્ફોટ કર્યો છે કે તેમને તેમના કાર્યના છેલ્લા છ મહિનાનું વેતન હજી સુધી ચુકવવામાં આવ્યું નથી.

    - Advertisement -

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં અંજલિની ભૂમિકા ભજવનાર અભિનેત્રી નેહા મહેતાએ 2 વર્ષ પહેલા શો છોડી દીધો હતો. TMKOC ને વિદાય આપ્યાના બે વર્ષ પછી, અભિનેત્રીએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે નેહા મહેતાને હજુ સુધી 6 મહિનાના પૈસાની ચુકવણી બાકી છે.

    ETimes સાથે વાત કરતાં, નેહા મહેતાએ કહ્યું, “હું ખૂબ જ ગૌરવપૂર્ણ જીવન જીવું છું અને કોઈ પણ બાબતની ફરિયાદ કરવામાં માનતી નથી. મેં તારક મહેતામાં 2020માં કામ છોડતા પહેલા 12 વર્ષ સુધી અંજલિ તરીકે કામ કર્યું હતું. છેલ્લા છ મહિનાના પૈસા બાકી છે. પછી મેં શો છોડી દીધો, મેં તેમને મારા બાકી લેણાં અંગે થોડીવાર ફોન કર્યો. મને ફરિયાદ કરવી ગમતી નથી… આશા છે કે ટૂંક સમયમાં કોઈ ઉકેલ આવશે અને મને મારી મહેનતની કમાણી મળશે.”

    TMKOC પછી નેહાએ કોઈપણ ટીવી શોમાં કામ કર્યું નથી. તેણે તાજેતરમાં એક ગુજરાતી ફિલ્મનું કામકાજ પૂર્ણ કર્યું છે. “હું સારી ઑફર્સની રાહ જોઈ રહી છું. ટીવી એક ઉત્તમ માધ્યમ છે અને તેણે મને ઘણું બધુ આપ્યું છે. પરંતુ, હું 12 વર્ષ સુધી અભિનય કર્યા પછી જલ્દીથી બીજા શોમાં જવા માંગતી ન હતી. હું નવા વિચારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છું અને મારા પોતાના પ્રોડક્શન હાઉસમાં કામ કરું છું. મને આશા છે કે ટૂંક સમયમાં વેબ શો પર કામ શરૂ કરીશ,” તેણે ઉમેર્યું.

    - Advertisement -

    TMKOC સતત ચર્ચામાં

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક મહિનામાં અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં છવાયેલ છે. નેહા મહેતાના ઓન-સ્ક્રીન પતિ શૈલેષ લોઢાએ પણ કથિત રીતે શો છોડવાનો નિર્ણય લીધો છે. મુખ્ય ભૂમિકા ભજવતા અભિનેતા-કવિએ એક મહિનાથી વધુ સમયથી શૂટિંગ કર્યું નથી.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે શૈલેષ તેમના વિશિષ્ટ કરારથી નાખુશ છે જે તેમને અન્ય કોઈ પ્રોજેક્ટ હાથ ધરવા માટે પ્રતિબંધિત કરે છે. અભિનેતા હમણાં સુધી ઇન્ટરનેટ પર વહેતી અફવાઓ વિશે ચુસ્તપણે ચૂપ રહ્યા છે.

    અગાઉ, અસિત મોદીએ પુષ્ટિ કરી હતી કે દયાબેનનું પાત્ર લાંબા સમય પછી TMKOC માં પરત ફરશે. જો કે, તેમણે એ પણ શેર કર્યું કે દિશા વાકાણી શોમાં પુનરાગમન કરશે નહીં.

    નોંધનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જે ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલતો શો છે, તે આવતા મહિને ચૌદ સફળ વર્ષ પૂર્ણ કરવાનો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં