Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તારક મહેતા..’ સિરિયલમાં દયાબેનની વાપસી થશે? નિર્માતા આસિત મોદીએ કહ્યું- ટૂંક સમયમાં...

    ‘તારક મહેતા..’ સિરિયલમાં દયાબેનની વાપસી થશે? નિર્માતા આસિત મોદીએ કહ્યું- ટૂંક સમયમાં સ્ક્રીન પર જોવા મળશે દયાબેનનું પાત્ર

    શૉમાં દયાબેનના પાત્રની વાપસી અંગે શૉના નિર્માતા આસિત મોદીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, જો દિશા વકાણી શૉ છોડશે તો તેઓ દયાબેન માટે નવું પાત્ર પસંદ કરીને શૉ આગળ ધપાવશે. તેમણે કહ્યું હતું, “તેમના પરત ફરવાને લઈને છેલ્લા ઘણા સમયથી  ચર્ચા ચાલે છે. અમે હજુ તેમના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છીએ. અને જો તેઓ છોડવા માટે કહેશે તો શૉ નવા દયાબેનના પાત્ર સાથે આગળ ચાલશે.”

    - Advertisement -

    છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી અને લોકપ્રિય બનેલી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેના વિવિધ એપિસોડના કારણે કે ક્યારેક પાત્રોના કારણે સતત ચર્ચામાં રહે છે. ખાસ કરીને શૉના મુખ્ય પાત્ર દયાબેનના શૉ છોડ્યા બાદ તેમના પરત ફરવા અંગે ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી રહી છે. જોકે, હવે શૉના નિર્માતાઓએ દયાબેનના પાત્રની વાપસી અંગે લીલીઝંડી આપી છે. 

    એન્ટરટેન્મેટ ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન શૉના નિર્માતા આસિત કુમાર મોદીએ પુષ્ટિ આપતા કહ્યું છે કે જલ્દીથી જ સિરિયલના ચાહકો દયાબેનના પાત્રને જોઈ શકશે. તેમણે કહ્યું, “દયાબેનના પાત્રને પરત ન લાવવાનું કોઈ કારણ નથી. પરંતુ છેલ્લા થોડા સમયથી આપણે કપરા સમયનો સામનો કરી રહ્યા છીએ. 2020-21 આપણા સૌ માટે કપરો સમય હતો. પરંતુ હવે પરિસ્થિતિ ફરી થાળે પડવા માંડી છે ત્યારે 2022 માં કોઈ સારા સમયે અમે દયાબેનનું પાત્ર ફરીથી લાવીશું અને દર્શકોને ફરી જેઠાલાલ અને દયાના પાત્રો દ્વારા મનોરંજન મળશે.”

    જોકે, આસિત મોદીએ કહ્યું હતું કે તેઓ એ બાબતે ચોક્કસ નથી કે દયાબેનના પાત્ર તરીકે દિશા વકાણી આવશે કે કેમ. તેમણે કહ્યું, “દયાબેન તરીકે દિશા વકાણી જ આવશે કે કેમ તે અંગે હજુ હું ચોક્કસ નથી. દિશાજી સાથે હજુ અમારા ઘણા સારા સબંધો છે. અમે એક પરિવાર જેવા છીએ. પરંતુ હવે તેઓ પરણિત છે અને સંતાન પણ છે અને દરેકને પોતાની જવાબદારીઓ હોય છે. આપણા દરેકનું અંગત જીવન છે, એટલે એ વિશે હું કંઈ કહી ન શકું.” ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, “દયા બેન હોય કે નિશા બેન, એટલું નક્કી છે કે જલ્દીથી તમે દયાબેનને સ્ક્રીન પર જોશો અને અમારી ટીમ તમને મનોરંજન પૂરું પાડવામાં કોઈ કસર છોડશે નહીં.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2008 માં જ્યારથી શૉ શરૂ થયો હતો ત્યારથી મુખ્ય પાત્ર તરીકે આવતા અને ચાહકોના પ્રિય બનેલા દિશા વકાણી 2017 માં લગ્ન બાદ પ્રસૂતિની રજા લીધા બાદ શૉમાં જોવા મળ્યા નથી. તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હતો અને જે બાદથી ક્યારેય શૉમાં દેખાયા નથી. જોકે, વચ્ચે 2019 માં તેમણે એક દ્રશ્ય શૂટ કર્યું હતું જેમાં તેઓ ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. 

    શૉમાં દયાબેનના પાત્રની વાપસી અંગે શૉના નિર્માતા આસિત મોદીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, જો દિશા વકાણી શૉ છોડશે તો તેઓ દયાબેન માટે નવું પાત્ર પસંદ કરીને શૉ આગળ ધપાવશે. તેમણે કહ્યું હતું, “તેમના પરત ફરવાને લઈને છેલ્લા ઘણા સમયથી  ચર્ચા ચાલે છે. અમે હજુ તેમના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છીએ. અને જો તેઓ છોડવા માટે કહેશે તો શૉ નવા દયાબેનના પાત્ર સાથે આગળ ચાલશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં