Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમ્યાનમાર-બાંગ્લાદેશ સરહદે તણાવ: બાંગ્લાદેશ આકરા પાણીએ, કહ્યું- મ્યાનમાર હદમાં રહે, યુએનમાં જવાની...

    મ્યાનમાર-બાંગ્લાદેશ સરહદે તણાવ: બાંગ્લાદેશ આકરા પાણીએ, કહ્યું- મ્યાનમાર હદમાં રહે, યુએનમાં જવાની ચીમકી

    મ્યાનમાર અને બાંગ્લાદેશ સરહદ પર વધતા તણાવને લઈને બાંગ્લાદેશના ગૃહમંત્રીએ નિવેદન આપ્યું.

    - Advertisement -

    મ્યાનમાર બાંગ્લાદેશ સરહદે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મ્યાનમાર દ્વારા છોડવામાં આવેલા મોર્ટારમાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા હતા. આ પછી બાંગ્લાદેશે મ્યાનમારને આકરા શબ્દોમાં સંયમ રાખવા કહ્યું છે. બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને કહ્યું છે કે તણાવ વચ્ચે બાંગ્લાદેશ મ્યાનમાર સાથે યુદ્ધ નથી ઈચ્છતું. તેમણે કહ્યું કે તેઓ વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં જશે.

    અહેવાલો અનુસાર બાંગ્લાદેશે કહ્યું છે કે જો મ્યાનમાર પોતાની હરકતોથી ઉપર નહીં આવે તો તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે વિદેશ મંત્રાલય દ્વારા મ્યાનમારને વારંવાર ચેતવણી આપી છે, પરંતુ મ્યાનમારે તેની અવગણના કરી છે. વધુમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશ મ્યાનમાર સાથે શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું સમાધાન કરવા માંગે છે અને આશા છે કે પાડોશીને તેની ભૂલનો અહેસાસ થશે. તેમણે મ્યાનમારને ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધોમાં ખલેલ પહોંચે તેવું કંઈ પણ કરવાથી દૂર રહેવા પણ કહ્યું હતું.

    ‘અમે યુદ્ધ નથી ઇચ્છતા, શાંતિથી મામલો ઉકેલીશું’ : બાંગ્લાદેશ

    - Advertisement -

    બાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું કે, ક્યારેક મ્યાનમાર અને અરકાન આર્મી વચ્ચે સારા સબંધો રહ્યા તો ક્યારેક અજાણ્યા કારણોસર યુદ્ધમાં ફેરવાઈ ગયા. જોકે, તેમનું યુદ્ધ તેમની સરહદો અંદર રહેવું  જોઈએ. ઢાકા નજર રાખી રહ્યું છે અને તે અનુસાર મ્યાનમાર સેનાએ ભારતની મિઝોરમ અને થાઈલેન્ડ અને ચીનની સરહદો પર બળવાખોર જૂથો સામે લડવામાં વ્યસ્ત છે, પરંતુ તેમની લડાઈ તેમની સરહદો અંદર સુધી જ સીમિત રહેવી જોઈએ.

    વધુમાં તેમણે કહ્યું કે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ પાડોશી દેશમાંથી લોકોની ઘૂસણખોરી રોકવા માટે મ્યાનમાર સરહદ પર કડક તકેદારી રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, “અમારા વડાપ્રધાન ક્યારેય યુદ્ધ ઈચ્છતા નથી, અમે શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છીએ છીએ. અમે હંમેશા બહારના લોકોના પ્રવેશનો વિરોધ કરતા આવ્યા છીએ.”

    મ્યાનમારની ગોળીબારી, મોર્ટાર ફાયર

    ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ બંદરબન જિલ્લાના ગમધુમ વિસ્તારમાં એક રોહિંગ્યા યુવકનું મોત થયું હતું અને એક બાળક સહિત અનેક લોકો ઘાયલ થયા હતા, આ ઉપરાંત એક બાંગ્લાદેશી યુવક હેડમાનપારા સરહદી વિસ્તાર પાસે લેન્ડમાઈન બ્લાસ્ટમાં ઘાયલ થયો હતો, જેમાં તેનો એક પગ કપાઈ ગયો હતો. ત્યારબાદ બાંગ્લાદેશી ગૃહમંત્રીએ એક પત્રકાર પરિષદમાં આ પ્રકારની ટીપ્પણી કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં