Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચાંલ્લો કરીને 'જય શ્રી રામ'ના નારા સાથે મંદિરમાં ઘુસ્યો તૌસીફ, હનુમાનજીની મૂર્તિ...

    ચાંલ્લો કરીને ‘જય શ્રી રામ’ના નારા સાથે મંદિરમાં ઘુસ્યો તૌસીફ, હનુમાનજીની મૂર્તિ તોડીને ॐ લખેલી પત્રિકા ફાડી

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક તૌસીફ નામનો શખ્સ મંદિરમાં ઘૂસી ગયો હતો અને હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હનુમાનની મૂર્તિને ખંડિત કરવાની ઘટના સામે આવી છે. ગુનાને અંજામ આપનાર આરોપીનું નામ તૌસીફ છે જેની પોલીસે ધરપકડ કરી છે. તૌસીફે ચાંલ્લો કરીને જય શ્રી રામના નારા લગાવી હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે મંદિરમાં ધ્વજ પણ ફાડી નાખ્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે (6 સપ્ટેમ્બર, 2022)ની છે.

    આ ઘટના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ‘લેટે હનુમાન’ મંદિરની છે. આરોપી તૌસીફ દ્વારા મંદિરમાં કરાયેલી તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હનુમાનજીની મૂર્તિના હાથ તૂટી ગયા છે. આ સાથે ॐ લખેલું ચિહ્ન તોડીને નીચે ફેંકી દેવામાં આવ્યું છે. આ મંદિરમાં શનિદેવની મૂર્તિ પણ છે, તેને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી તૌસીફ અહેમદ કપાળે ચાંલ્લો લગાવીને મંદિરમાં ઘૂસ્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર અસરગ્રસ્ત મંદિર ‘ટીલે વાલી’ નામની મસ્જિદ પાસે આવેલું છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે આરોપી તૌસીફે આ કૃત્ય ત્યારે કર્યું જ્યારે મંદિરમાં મંગલ મહોત્સવ દરમિયાન એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ત્યાં ઘણા ભક્તો હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તૌસીફ મંદિરમાં પ્રવેશ કર્યો અને ‘જય શ્રી રામ’ના નારા લગાવીને આ કૃત્ય કર્યું હતું.

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર નારા લગાવીને તૌસીફે મૂર્તિઓ તોડવાનું શરૂ કર્યું હતું. સ્થળ પર મંદિરમાં હાજર લોકોએ તૌસીફને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ હિન્દુ સંગઠનોના લોકો મંદિર પહોંચ્યા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય નીરજ વોરા પણ મંદિરે પહોંચ્યા અને તૌસીફની કાર્યવાહીને મોટા ષડયંત્રનો ભાગ હોવાનું જણાવ્યું હતું.

    પોલીસે સાવચેતીના ભાગ રૂપે મંદિર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હાલ તૌસીફની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નશામાં હતો છતાં તમામ પાસાંની તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંદિરના ટ્રસ્ટી ડૉ.વિવેક ટાંગીએ કહ્યું કે આવા લોકોનો કોઈ ધર્મ હોતો નથી. તેમણે કહ્યું કે આ માત્ર એક દુર્ઘટના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં