Wednesday, May 14, 2025
More
    હોમપેજદેશનાસિક ગેરકાયદેસર દરગાહનો મુદ્દો (પણ) પહોંચ્યો સુપ્રીમમાં: કોર્ટે નોટિસ પર મૂક્યો સ્ટે,...

    નાસિક ગેરકાયદેસર દરગાહનો મુદ્દો (પણ) પહોંચ્યો સુપ્રીમમાં: કોર્ટે નોટિસ પર મૂક્યો સ્ટે, અરજી લિસ્ટ ન કરવા બદલ બૉમ્બે હાઇકોર્ટ પાસેથી માંગ્યો જવાબ

    સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને અરજીની સૂચિબદ્ધતા અંગે વિગતવાર અહેવાલ સોંપવા આદેશ આપ્યો અને આગળની સુનાવણી 21 એપ્રિલે નિશ્ચિત કરી છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાં (Nashik) દરગાહ (Dargah) તોડવાને લઈને બૉમ્બે હાઇકોર્ટ (Bombay High Court) પાસેથી રિપોર્ટ માંગ્યો છે. નાસિકમાં હાઇકોર્ટના આદેશ બાદ મજહબી બાંધકામને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. જે બાદ સુપ્રીમ કોર્ટે હવે નાસિક મ્યુનિસપલ કોર્પોરેશનની નોટિસ પર રોક લગાવી દીધી છે. તે સિવાય સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઇકોર્ટને પણ પ્રશ્ન કર્યા છે અને અરજદારની નોટિસ વિરુદ્ધની અરજીને સૂચિબદ્ધ ન કરવાને લઈને હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે.

    વધુ વિગતો અનુસાર, નાસિક ખાતે આવેલી હઝરત સાતપીર સૈયદ બાબા દરગાહના ધ્વંસને લઈને નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) દ્વારા 1 એપ્રિલ, 2025ના રોજ જારી કરાયેલી નોટિસની સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ પર અંતરિમ સ્ટે આપ્યો અને બૉમ્બે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને દરગાહની અરજીને સૂચિબદ્ધ ન કરવા અંગે સ્પષ્ટીકરણ આપવા આદેશ આપ્યો છે. દરગાહ તરફથી અરજી કરવામાં આવી હતી, જેમાં 1 એપ્રિલના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ વિરુદ્ધ રાહત આપવાની અને તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી હતી.

    દરગાહ ટ્રસ્ટે NMCની નોટિસને પડકારવા 7 એપ્રિલે બૉમ્બે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. ટ્રસ્ટના વકીલ નવીન પહવાએ સુપ્રીમને જણાવ્યું કે, 8 એપ્રિલથી તેમણે દરરોજ અરજીને સૂચિબદ્ધ કરવા માટે પ્રયાસો કર્યા, પરંતુ હાઇકોર્ટે તેને સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો. 9 એપ્રિલે ટ્રસ્ટે તાકીદે સુનાવણી માટે ‘Praecipe’ (તાત્કાલિક સુનાવણી માટેની લેખિત વિનંતી) દાખલ કરી, પરંતુ તેનો પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. આ કારણે ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, જ્યાં 16 એપ્રિલે જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે આ મામલે ‘અસાધારણ પગલું’ ગણાવીને NMCની 1 એપ્રિલની નોટિસ પર અંતરિમ સ્ટે આપ્યો હતો. ખંડપીઠે બૉમ્બે હાઇકોર્ટને લઈને જણાવ્યું કે, “અમે સમજી શકતા નથી કે 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી શું થયું. વકીલનું કહેવું છે કે તેમણે દરરોજ અરજી સૂચિબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો.” કોર્ટે બૉમ્બે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને અરજીની સૂચિબદ્ધતા અંગે વિગતવાર અહેવાલ સોંપવા આદેશ આપ્યો અને આગળની સુનાવણી 21 એપ્રિલે નિશ્ચિત કરી છે.

    સુપ્રીમ કોર્ટે નવીન પહવાના નિવેદનને ‘ગંભીર’ ગણાવ્યું છે અને જણાવ્યું છે કે, “આ ગંભીર નિવેદન છે અને વકીલે તેના પરિણામોની જવાબદારી લેવી પડશે.” આ ઉપરાંત, કોર્ટે NMCને પણ જવાબ રજૂ કરવા જણાવ્યું, જેથી આ મામલે સંપૂર્ણ સ્પષ્ટતા મળી શકે.

    શું છે ઘટના?

    નોંધનીય છે કે, નાસિકના કાઠે ગલ્લી વિસ્તારમાં આવેલી હઝરત સાતપીર સૈયદ બાબા દરગાહને બૉમ્બે હાઇકોર્ટે 12 માર્ચ, 2025ના રોજ ‘સંપૂર્ણપણે ગેરકાયદેસર’ ગણાવી હતી. આ આધારે NMCએ 1 એપ્રિલે નોટિસ જારી કરી, જેમાં દરગાહના ટ્રસ્ટને 15 દિવસમાં બાંધકામ દૂર કરવા જણાવાયું હતું. નોટિસનો મોકલી આપ્યા બાદ 15-16 એપ્રિલની મધ્યરાત્રિએ NMCએ દરગાહ પર બુલડોઝર ફેરવી દીધું હતું.

    તે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થવાની હતી. આ ડિમોલિશન કાર્યવાહી દરમિયાન સ્થાનિક મુસ્લિમ ટોળાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ટોળાંએ પોલીસ પર હુમલો કરી દીધો અને પથ્થરમારો પણ કર્યો. આ ઘટનામાં 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ મામલે 15 વ્યક્તિઓની ધરપકડ થઈ અને 500થી 1000 અજાણ્યા લોકો સામે FIR પણ નોંધવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં