Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇકબાલ, દાઉદ, અમન, સાજીદ, બહાદૂર, હકુ..: બોટાદના હિંદુ યુવાનના હત્યારાઓ ઝડપાયા, રિપોર્ટમાં...

    ઇકબાલ, દાઉદ, અમન, સાજીદ, બહાદૂર, હકુ..: બોટાદના હિંદુ યુવાનના હત્યારાઓ ઝડપાયા, રિપોર્ટમાં દાવો- મંદિર પાસે બનાવાયેલા શૌચાલયના વિવાદમાં હત્યા કરાઈ

    ઇકબાલ, દાઉદ, સાજીદ, હકુ વગેરેએ મળીને નવઘણને મકાનમાં ઘસડી લઇ જઈને બહારથી દરવાજો બંધ કરીને છરીના ઘા ઝીંકીને ગળું કાપી નાંખીને કરપીણ હત્યા કરી નાંખી હતી. 

    - Advertisement -

    શુક્રવારે (3 ફેબ્રુઆરી, 2023) બોટાદમાં (Botad) નવઘણ જોગરાણા (Navghan Jogarana) નામના હિંદુ યુવાનની ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાંખવામાં આવી હતી. હવે પોલીસે આ મામલે છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

    નવઘણ જોગરાણાની હત્યા મામલે ઝડપાયેલા આરોપીઓની ઓળખ ઇકબાલ હકુ રાઠોડ, દાઉદ રહીમ રાઠોડ, અમન ઇકબાલ રાઠોડ, સાજીદ ઇકબાલ રાઠોડ, બહાદુર ઇકબાલ રાઠોડ અને હકુ રહીમ રાઠોડ તરીકે થઇ છે. તમામ સામે આઇપીસીની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને રાયોટિંગના ગુના હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    ઘટના શુક્રવારે મોડી સાંજે બની હતી, જેમાં આરોપીઓએ નવઘણ જોગરાણા અને 2 હિંદુ યુવાનો ઉપર હુમલો કરી દીધો હતો. જેમાં નવઘણનું મૃત્યુ થયું જ્યારે બે યુવાનો મુન્ના જોગરાણા અને તેજા જોગરાણાને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજા જોગરાણાએ જ આ મામલે ફરિયાદ દાખલ કરાવી હતી. 

    - Advertisement -

    હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક વર્ષ પહેલાં મુસ્લિમોએ ગામના મંદિર પાસે બનાવેલા શૌચાલયને લઈને થયેલા વિવાદનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. 

    અબતકના રિપોર્ટ અનુસાર, એક વર્ષ પહેલાં ઢાંકણીયાના મંદિર પાસે મુસ્લિમોએ શૌચાલય બનાવ્યું હતું, જેનો હિંદુઓએ વિરોધ કર્યો હતો. જેની અદાવતમાં ગઈકાલે મુન્ના જોગરાણા ઇકબાલના ઘર પાસેથી પસાર થયો ત્યારે ઇકબાલ અને અન્ય આરોપીઓએ મળીને તેની ઉપર છરીથી હુમલો કરી દીધો હતો. 

    મુન્ના પર હુમલો થયાની જાણ થતાં જ નવઘણ અને તેજા જોગરાણા પણ ત્યાં દોડી ગયા હતા. જ્યાં ઇકબાલ, દાઉદ, સાજીદ વગેરેએ મળીને નવઘણને મકાનમાં ઘસડી લઇ જઈને બહારથી દરવાજો બંધ કરીને છરીના ઘા ઝીંકીને ગળું કાપી નાંખીને કરપીણ હત્યા કરી નાંખી હતી. 

    ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા તો હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. બીજી તરફ, પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત બંને યુવાનોની સારવાર ચાલી રહી છે. 

    એક વર્ષ પહેલાં કિશન ભરવાડની હત્યા થઇ હતી

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં ધંધૂકાના હિંદુ યુવાન કિશન ભરવાડની કટ્ટરપંથી મુસ્લિમોએ કરપીણ હત્યા કરી નાંખી હતી. તેણે સોશિયલ મીડિયા ઉપર એક સ્ટેટ્સ શૅર કર્યું હતું, જેને મુસ્લિમોએ ‘ઇશનિંદા’માં ખપાવીને પહેલાં પોલીસ ફરિયાદ કરી હતી અને કિશન પોલીસ સમક્ષ હાજર પણ થયો હતો. પરંતુ પછીથી 25 જાન્યુઆરી, 2022ની સવારે બે ઈસમોએ ધોળા દહાડે ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં