Tuesday, May 20, 2025
More
    હોમપેજગુજરાતમુન્દ્રામાં પકડાયેલા ₹21000 કરોડના ડ્રગ્સનું લશ્કર-એ-તૈયબા કનેક્શન, NIAએ સુપ્રીમ કોર્ટમાં કરી દલીલો:...

    મુન્દ્રામાં પકડાયેલા ₹21000 કરોડના ડ્રગ્સનું લશ્કર-એ-તૈયબા કનેક્શન, NIAએ સુપ્રીમ કોર્ટમાં કરી દલીલો: પહલગામ હુમલાનો પણ કર્યો ઉલ્લેખ

    એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ NIA વતી દલીલ કરી કે આ નાર્કો-ટેરર ઓપરેશનનો ઉદ્દેશ માત્ર આતંકવાદને નાણાં પૂરા પાડવાનો જ નહીં, પરંતુ ભારતના યુવાનોને ડ્રગ્સનું વ્યસન લગાડીને દેશની સામાજિક રચનાને નબળી પાડવાનો પણ હતો.

    - Advertisement -

    રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) ગુજરાતના મુન્દ્રા બંદર (Mundra) પરથી ઝડપાયેલા ₹21,000 કરોડના ડ્રગ્સના (Drugs) જથ્થા અને જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે (Pahalgam Terrorist Attack) 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હમલા વચ્ચેના તાર જોડાયા છે. તેને લઈને NIAએ મહત્વની દલીલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) રજૂ કરી હતી. આ ડ્રગ્સની નાર્કો-ટેરર નેટવર્કનો ભાગ હતી, જે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા ચલાવવામાં આવતી હતી. NIAએ આ ડ્રગ્સના વેચાણથી મળેલા નાણાંનો ઉપયોગ પહલગામ હુમલા સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થયો હોવાનું જણાવ્યું હતું.

    NIAએ જણાવ્યું કે ગુજરાતના મુન્દ્રા બંદર પર સપ્ટેમ્બર 2021માં જપ્ત કરાયેલો 3,000 કિલો હેરોઈનનો જથ્થો એક વ્યાપક નાર્કો-ટેરર ષડ્યંત્રનો ભાગ હતો. આ ષડ્યંત્ર લશ્કર-એ-તૈયબા (LeT) અને ISI દ્વારા રચવામાં આવ્યું હતું. જેનો હેતુ ડ્રગ્સના વેચાણથી મળેલા નાણાં દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવાનો હતો.

    આતંકી પ્રવૃત્તિઓ માટે થવાનો હતો ડ્રગ્સના રૂપિયાનો ઉપયોગ

    NIAએ વધુમાં કહ્યું કે, “આ ભારતમાં લાવવામાં આવેલા ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો છે. તેનો ઉપયોગ ફક્ત લોકોને ડ્રગ્સના વ્યસની બનાવવા માટે જ નહીં, પરંતુ તેમાંથી મળતા પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પણ થવાનો હતો.” આનો અર્થ એ થયો કે આ દવાઓનો ઉપયોગ યુવાનોને નષ્ટ કરવા અને દેશમાં આતંકવાદ ફેલાવવા બંને માટે થવાનો હતો.

    - Advertisement -

    નોંધનીય છે કે પહલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલો થયો હતો જેમાં હિંદુ પ્રવાસીઓ સહિત 28 લોકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી LeTના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. NIAએ આ દરમિયાન પહલગામ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ NIA વતી દલીલ કરી કે આ નાર્કો-ટેરર ઓપરેશનનો ઉદ્દેશ માત્ર આતંકવાદને નાણાં પૂરા પાડવાનો જ નહીં, પરંતુ ભારતના યુવાનોને ડ્રગ્સનું વ્યસન લગાડીને દેશની સામાજિક રચનાને નબળી પાડવાનો પણ હતો. NIAએ ભારપૂર્વક જણાવ્યું કે આવા ઓપરેશન ભારતની આંતરિક સુરક્ષા અને સ્થિરતા માટે ગંભીર ખતરો છે, કારણ કે તે દેશના યુવા વર્ગને નિશાન બનાવે છે.

    સુરક્ષા સાથે જોડાયેલ ગંભીર મામલો

    NIAએ આ દલીલો જસ્ટિસ સૂર્યા કાંત અને એન. કોટિશ્વર સિંઘની બેંચ સમક્ષ રજૂ કરી હતી. એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું કે આ કેસ માત્ર ડ્રગ્સની દાણચોરીનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. NIAએ કોર્ટને વિનંતી કરી કે આવા કેસોમાં કડક વલણ અપનાવવું જરૂરી છે, કારણ કે નાર્કો-ટેરર નેટવર્ક ભારતની આંતરિક સ્થિરતા અને સુરક્ષા માટે મોટો ખતરો બની રહ્યા છે.

    NIAએ આ કેસમાં જામીન માગનાર આરોપી કબીર તલવારની ડ્રગ્સ સિન્ડિકેટમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો. એજન્સીએ દલીલ કરી કે તલવાર આ નાર્કો-ટેરર નેટવર્કનો મહત્વનો ભાગ હતો, જે ડ્રગ્સની હેરફેર અને વિતરણમાં સામેલ હતો. NIAએ કોર્ટને વિનંતી કરી કે આવા ગંભીર કેસમાં જામીન આપવાથી તપાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર વિપરીત અસર પડી શકે છે, કારણ કે આ કેસ રાષ્ટ્રની આંતરિક અને બાહ્ય સુરક્ષા સાથે જોડાયેલો છે.

    મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, NIA સંપૂર્ણ રીતે તપાસમાં રોકાયેલ છે. NIAનો ઉદ્દેશ્ય આ ડ્રગના વેપારમાં સામેલ દરેકને પકડવાનો અને LeTના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવવાનો છે. NIA એ પણ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ ડ્રગ્સના વેપારમાં બીજું કોણ સામેલ છે અને આ પૈસા ક્યાં વાપરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં