Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પૂર્વની વિધાનસભામાં મળેલી શરમજનક હાર પછી પણ તૃણમૂલ કોંગ્રેસ આગામી લોકસભા...

    ઉત્તર પૂર્વની વિધાનસભામાં મળેલી શરમજનક હાર પછી પણ તૃણમૂલ કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે: મમતા બેનર્જીએ કરી જાહેરાત

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતત સમાન વિચારધારાવાળા પક્ષોને સાથે મળીને ચૂંટણી લડવાની અપીલ કરી રહ્યા છે, પરંતુ મમતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એકલા હાથે ચૂંટણી લડશે.

    - Advertisement -

    ઉત્તર પૂર્વની વિધાનસભામાં મળેલી શરમજનક હાર પછી પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે જાહેર કર્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી 2024 લોકસભા એકલા લડશે તેવી ખાતરી સાથે લોકસભાની ચૂંટણી માટે કોઈપણ જોડાણની સંભાવનાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. ટીએમસીના વિપક્ષને એક કરવાના અભિયાનને ટીએમસીએ એકલા હાથે ચૂંટણી લડવાથી ઝટકો લાગ્યો છે. “2024 માં, ટીએમસી અને લોકો વચ્ચે જોડાણ થશે, અમે કોઈ અન્ય રાજકીય પક્ષ સાથે જઈશું નહીં.

    પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી 2024 લોકસભા એકલા લડશે, તેમણે કહ્યું કે, “અમે આ ચૂંટણી જનસમર્થનના દમ પર એકલા લડીશું. જે લોકો ભાજપને હરાવવા માગે છે તે બધા જ અમારા પક્ષમાં મત આપશે. ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા બેનર્જીએ કહ્યું, “મારું માનવું છે કે જે લોકો સીપીઆઈ (એમ) અને કોંગ્રેસને મત આપી રહ્યા છે તેઓ ખરેખર ભાજપમાં જઈ રહ્યા છે. તેઓ ભાજપને મત આપી રહ્યા છે. આજે સત્ય બહાર આવ્યું છે. ત્રિપુરાની ચૂંટણીમાં ટીએમસી 60 સીટોમાંથી એક પણ સીટ જીતી શકી નથી.

    આગળ તેમણે જણાવ્યું હતું કે, “અહીં થોડી મૂંઝવણ હતી કારણ કે કોંગ્રેસ કહી રહી હતી કે મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં છે. હું પહેલા કોંગ્રેસનો ભાગ હતો. અહીં થોડી મૂંઝવણ છે. અમે તેના પર કામ કરીશું. સાગરદીઘીમાં કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનના ઉમેદવારની જીત બાદ મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સાગરદિગી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેના મતો કોંગ્રેસને સ્થાનાંતરિત કર્યા હતા.

    - Advertisement -

    બંગાળમાં કોંગ્રેસે સાગરદીગી પેટાચૂંટણીમાં સત્તાધારી તૃણમૂલ પાસેથી વિધાનસભા બેઠક આંચકી લીધી છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે સાગરદીગીમાં કોંગ્રેસ, ડાબેરીઓ અને ભાજપે સાંપ્રદાયિક કાર્ડ રમ્યું છે. 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના વોટ ટીએમસીને ટ્રાન્સફર કરીને ભાજપને રોકવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લાગી ચુક્યો છે.

    આ ઉપરાંત વિપક્ષના ઘણા મોટા નેતા 2024ની ચૂંટણી માટે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતત સમાન વિચારધારાવાળા પક્ષોને સાથે મળીને ચૂંટણી લડવાની અપીલ કરી રહ્યા છે, પરંતુ મમતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એકલા હાથે ચૂંટણી લડશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં