Sunday, May 18, 2025
More
    હોમપેજક્રાઈમ‘મારા પતિને પૂછ્યું મુસ્લિમ છે? ના પાડી તો મારી દીધી ગોળી’: પહલગામ...

    ‘મારા પતિને પૂછ્યું મુસ્લિમ છે? ના પાડી તો મારી દીધી ગોળી’: પહલગામ આતંકવાદી હુમલામાં પ્રત્યક્ષદર્શી મહિલાનો વિડીયો વાયરલ, ગૃહમંત્રી અમિત શાહ લેશે ઘટનાસ્થળની મુલાકાત

    ઘટનામાં લગભગ 13 લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે અને એક પ્રવાસીનું મૃત્યુ થયું છે. ઘાયલોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ ખાતે (Pahalgam Terror Attack) બેસરન (Baisaran) મેદાનોમાં એક આતંકવાદી હુમલો થયો, જેમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલો બપોરે આશરે 2:30 વાગ્યે થયો, જ્યારે પ્રવાસીઓ બેસરનના જંગલો અને મેદાનોમાં ટ્રેકિંગ કરી રહ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે આ હુમલામાં હિંદુઓને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા છે.

    પ્રાથમિક અહેવાલો અનુસાર, 2-3 આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. નોંધનીય છે કે આ હુમલો અમરનાથ યાત્રાના કેટલાક મહિનાઓ પહેલાં જ થયો છે. ત્યારે હવે હુમલાઓના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો સામે આવી રહ્યા છે. એક મહિલા પ્રવાસીનો વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં તે કહી રહી છે કે, “આતંકવાદીએ મારા પતિને પૂછ્યું કે તે મુસ્લિમ છે કે નહીં, તેમણે ના પાડી એટલે તેમના માથામાં ગોળી મારી દીધી.”

    પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે આતંકીઓએ બધાને નામ પૂછી પૂછીને તેમના પર ગોળીઓ ચલાવી હતી. આ સિવાય અન્ય એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક મહિલા લોકોને તેના પતિનો જીવ બચાવવા કગરી રહી છે. અહેવાલ અનુસાર ઘટનામાં લગભગ 28 લોકોની હત્યા કરાઈ છે અને 13 લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે અને એક પ્રવાસીનું મૃત્યુ થયું છે. ઘાયલોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    અહેવાલ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે હાલ જેદ્દાહમાં છે, તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને તેમને હુમલાના સ્થળની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને સુરક્ષા એજન્સીઓને તપાસ માટે નિર્દેશ આપ્યા હતા. તેઓ ટૂંક સમયમાં પહેલગામની મુલાકાત લેવાના છે.

    આ પહેલાં પણ કાશ્મીરમાં હિંદુઓ પર પસંદગીપૂર્વક થયા છે હુમલા

    હિંદુ વિરોધી હુમલાની શરૂઆત 1990ના દાયકાની શરૂઆતમાં, કાશ્મીર ખીણમાં આતંકવાદના ઉદય સાથે, થઈ હતી. જેમાં મોટા પાયે કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, આતંકવાદીઓ દ્વારા ઘણી વખત નામ અને ધર્મના આધારે હિંદુઓને ઓળખીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, 1990માં શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં અનેક પંડિત પરિવારોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને નામ પૂછીને હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડીને ભાગવું પડ્યું હતું.

    શેષનાગ હુમલો (1997)

    12 જુલાઈ 1997ના રોજ અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓએ શેષનાગ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 20 યાત્રાળુઓની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં આતંકવાદીઓએ યાત્રાળુઓની ઓળખ પૂછીને હિંદુ યાત્રાળુઓને નિશાન બનાવ્યા હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું હતું. આ હુમલાનો આરોપ હિઝબુલ મુજાહિદ્દીન અને અન્ય આતંકી સંગઠનો પર હતો.

    વાંદેરી હત્યાકાંડ (1998)

    25 જુલાઈ 1998ના રોજ આતંકવાદીઓએ વાંદેરી ગામમાં હિંદુ પરિવારો પર હુમલો કર્યો, જેમાં 25 હિંદુઓની હત્યા કરવામાં આવી. સ્થાનિક સૂત્રો અનુસાર, આતંકવાદીઓએ ગામમાં પ્રવેશતા પહેલા લોકોના નામ અને ધર્મની ઓળખ કરી હતી, જેથી ફક્ત હિંદુઓને નિશાન બનાવી શકાય. હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો પર આ હુમલાનો આરોપ હતો.

    ચિત્તિસિંઘપોરા હત્યાકાંડ (2000)

    20 માર્ચ, 2000ના રોજ 35 શીખ પુરુષોની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ હુમલો તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની ભારત મુલાકાત દરમિયાન થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ સેનાના યુનિફોર્મમાં હતા. તેમણે ગામના શીખ રહેવાસીઓને એકઠા કર્યા અને ઓળખના આધારે ગોળીબાર કર્યો હતો. લશ્કર-એ-તૈયબા પર આ હુમલાનો આરોપ હતો.

    અમરનાથ યાત્રા હુમલો (2000)

    1-2 ઓગસ્ટ, 2000ના રોજ અમરનાથ યાત્રાના આધાર શિબિર પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 32 લોકો માર્યા ગયા, જેમાં 21 યાત્રાળુઓ, 7 સ્થાનિક મજૂરો અને 3 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થતો હતો. સૂત્રો અનુસાર, આતંકવાદીઓએ હિંદુ યાત્રાળુઓને નિશાન બનાવવા માટે તેમના નામ અને ધર્મની ચકાસણી કરી હતી. હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ પર આ હુમલાનો આરોપ હતો.

    નદીમાર્ગ હત્યાકાંડ (2003)

    24 માર્ચ, 2003ના રોજ આતંકવાદીઓએ નદીમાર્ગ ગામમાં હિંદુ કાશ્મીરી પંડિતો પર હુમલો કર્યો હતો. જેમાં 24 લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ગામમાં પ્રવેશતા પહેલા હિંદુ પરિવારોની ઓળખ કરી હતી. લશ્કર-એ-તૈયબા અને અન્ય આતંકવાદી જૂથો પર આ હુમલાનો આરોપ હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં