Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહાથના કર્યા હૈયે વાગ્યાઃ તથાકથિત પત્રકાર અને હંમેશા કટ્ટરવાદીઓની ઢાલ બનતી અય્યુબે...

    હાથના કર્યા હૈયે વાગ્યાઃ તથાકથિત પત્રકાર અને હંમેશા કટ્ટરવાદીઓની ઢાલ બનતી અય્યુબે દિવાળી ઉજવી, ‘શિર્ક’ કરવા બદલ કટ્ટરવાદીઓએ ધમકાવી

    ઉલ્લેખનીય છે કે રાણા અય્યુબ એ સાબિત કરવાની કોશીશ કરી રહી છે કે ઓનલાઈન ટ્રોલીંગ અને "નફરત" જેવી બાબતો માત્ર "રાઈટ વિંગ" માટે વિશેષ અપરાધ છે, પણ વાસ્તવિકતા કંઇક અલગજ છે, અહી આ પ્રતિક્રિયામાં દેખાઈ રહી છે.

    - Advertisement -

    ઇસ્લામીસ્ટ રાણા અય્યુબે દિવાળી ઉજવતા કટ્ટરવાદીઓએ ધમકાવી હોવાની ઘટના સામે આવી છે, વાસ્તવમાં સોમવારે (24 ઓક્ટોબર), તથાકથિત ‘પત્રકાર’ રાણા અય્યુબે હિન્દુઓના મહાપર્વ દિવાળીની ઉજવણીમાં ભાગ લેવા બદલ તેનાજ સહ-ધર્મી કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા નિંદા કરવામાં આવી રહી છે.

    ઇસ્લામીસ્ટ રાણા અય્યુબે દિવાળી ઉજવાતી હોય તેવો કે વિડીયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કર્યો હતો, જેમાં એક સાડી પહેરેલી મહિલા અય્યુબના કપાળ પર તિલક લગાવતી જોવા મળી હતી. આ સાથેજ તેણે લખ્યું હતું કે, “ઘરથી દૂર, શિકાગોમાં, એક સુંદર પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી જેણે મને પોતાની બનાવી દીધી. હેપ્પી દિવાળી ઈન્ડિયા, ચાલો આપણે તે દુષ્ટતા સામે લડીએ જે આપણને વિભાજીત કરવા માંગે છે.

    કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ અને ઉગ્રવાદી તેવા તેના સહ-ધર્મીઓ તરફથી આકરી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડશે જ તેવી ખાતરી સાથે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો કમેંટ સેક્શન બંધ કરી દીધો હતો. બની શકે તે ‘ગુસ્તાક-એ-રસૂલ’ સલમાન રશ્દીને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરવા બદલ તેનાજ સમાજના કટ્ટરવાદી લોકોનો ક્રોધને ભૂલી ન હતી.

    - Advertisement -

    આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની તાજેતરની પોસ્ટ્સથી તદ્દન વિપરીત હતું. રાણા અય્યુબે અપેક્ષા રાખી હતી કે તેના સહ-ધર્મવાદીઓ, જેઓ બિન-મુસ્લિમ તહેવારોને ધિક્કારે છે, તેઓ દિવાળીના તહેવારોમાં ભાગ લેવાનો વિચાર સહન કરશે નહીં.

    દાખલા તરીકે તેણીએ તાજેતરમાં ટેનિસ લેજન્ડ માર્ટિના નવરાતિલોવા સાથે એક ફોટો ક્લિક કર્યો હતો પરંતુ તે દરમિયાન તેણે હેતુસર કમેંટ સેક્શન ખુલ્લું રાખ્યું હતું. તેની પાછળ તેની મહેચ્છા તે હતી કે તેણીને ફક્ત જમણેરી હેન્ડલ્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહી છે અને ટીકા કરવામાં આવી રહી છે અને તેના સહ-ધર્મવાદીઓ દ્વારા નહીં.

    ઇસ્લામવાદીઓએ ટ્વિટર પર વીડિયો ફરીથી અપલોડ કરીને રાણા અય્યુબની નિંદા કરી

    મુસ્લિમોની કટ્ટરવાદી છબીને સુરક્ષિત રાખવાનો રાણા અય્યુબનો પ્રયાસ કરીને જેમને તે વર્ષોથી આશ્રય આપતી હતી, તે હવે નિરર્થક સાબિત થતી જણાય છે, કારણ કે તેનો Instagram વિડિઓ ટ્વિટર પર ફરીથી શેર કરવામાં આવ્યો હતો. સાથેજ તેણીને ‘સાચા મુસ્લિમ’ ન હોવા અને મૂર્તિપૂજા (શિર્ક) નું પાપ કરનારી કહીને તેની નિંદા કરવામાં આવી હતી.

    એક મોહમ્મદ યુસુફ નામના યુઝરે તેણીને કાફિર ( કાફર ) અને ધર્મત્યાગી ( મુર્તદ ) તરીકે સંબોધન કર્યું હતું.

    રઈસ મોહમ્મદ નામના કટ્ટરપંથીએ લખ્યું “શું અમે તેણીના ઉદારવાદને હાઇલાઇટ કરીને તેણીને મુસ્લિમ આઇકોન નથી બનાવી રહ્યા, આડકતરી રીતે અમે તેણીને બેન્ચમાર્ક બનાવી રહ્યા છીએ…આવા લોકોની અવગણના સમુદાય માટે ફાયદાકારક છે,”

    અન્ય એક ઇસ્લામવાદીએ કહ્યું કે, “હું સામાન્ય રીતે ધાર્મિક બાબતો પર ટિપ્પણી નથી કરતી પરંતુ હું ઇસ્લામની મૂળભૂત બાબતો જાણું છું, અને આ અસ્વીકાર્ય છે, એટલું જ સરળ છે. આપણે ભારતીય મુસ્લિમો તરીકે એ જાણવાની જરૂરી છે કે અન્યને ખુશ કરવા માટે તમારી શ્રદ્ધાને આછી કરવી અને અન્યનો આદર કરતી વખતે તમારી શ્રદ્ધા પર અડગ રહેવા વચ્ચે એક રેખા છે.”

    અન્ય એક કટ્ટરવાદી અહમદ સબઝારે ટ્વિટ કર્યું કે, “મેં તે પહેલાં કહ્યું છે અને અહીં તે ફરીથી સ્પષ્ટ છે કે સંસ્કૃતિ અને ધર્મોના મિશ્રણને ઉપખંડમાંથી વાસ્તવિક ઇસ્લામ તરીકે આગળ મૂકવામાં આવી રહ્યું છે. આ એ જ બકવાસ છે જે ઝાકિર ખાન, જાવિદ અખ્તર અને અન્ય લોકો ગર્વથી ગંગા-જમુના તહઝીબ તરીકે દાવો કરે છે, “

    તાજેતરમાં તેણીએ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં એક પ્રચાર ભાગ પ્રકાશિત કર્યો હતો જેમાં તેણીએ હિંદુ સમુદાય અને તેમના વતન ભારતને રાક્ષસ તરીકે દર્શાવ્યું હતું.

    અહી ઉલ્લેખનીય છે કે રાણા અય્યુબ એ સાબિત કરવાની કોશીશ કરી રહી છે કે ઓનલાઈન ટ્રોલીંગ અને “નફરત” જેવી બાબતો માત્ર “રાઈટ વિંગ” માટે વિશેષ અપરાધ છે, પણ વાસ્તવિકતા કંઇક અલગજ છે, અહી આ પ્રતિક્રિયામાં દેખાઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં