Saturday, May 10, 2025
More
    હોમપેજદેશપાકિસ્તાનનાં સંખ્યાબંધ સૈન્ય ઠેકાણાં પર ભારતીય સશસ્ત્રબળોનો પ્રચંડ પ્રહાર, રડાર સાઇટ અને...

    પાકિસ્તાનનાં સંખ્યાબંધ સૈન્ય ઠેકાણાં પર ભારતીય સશસ્ત્રબળોનો પ્રચંડ પ્રહાર, રડાર સાઇટ અને એરબેઝ નિશાન પર: આતંકવાદી દેશે પશ્ચિમ મોરચે મોકલેલાં ડ્રોન-મિસાઈલ હવામાં જ ફૂંકી માર્યાં

    પાકિસ્તાને સવારે 1:04 વાગ્યે એક હાઈસ્પીડ મિસાઈલ છોડીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ બનાવવામાં આવ્યો.

    - Advertisement -

    સતત ત્રીજી રાત્રે પાકિસ્તાને ભારતની પશ્ચિમ સરહદે શ્રીનગરથી ભુજ સુધી નાગરિક વસાહતો અને સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ ભારતે જડબાતોડ જવાબ આપતાં પાકિસ્તાનમાં અનેક એરબેઝ અને સૈન્ય ઠેકાણાં નષ્ટ કરી દીધાં છે. આ જાણકારી ભારત સરકાર અને સેના તરફથી આપવામાં આવી છે. 

    શનિવારે (10 મે) સવારે એક પ્રેસ બ્રીફિંગમાં ભારતીય સેના તરફથી કર્નલ સોફિયા કુરેશીએ જાણકારી આપતાં કહ્યું કે, પાકિસ્તાને 9-10 મેની રાત્રે પશ્ચિમ મોરચે લડાકુ વિમાનો, ડ્રોન અને મિસાઇલોની મદદથી શ્રીનગરથી ભુજ સુધી લગભગ 26 શહેરોમાં આવેલાં ભારતીય સેનાનાં માળખાં ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ભારતીય સશસ્ત્રબળોએ નિષ્ફળ બનાવ્યો. ઉપરાંત, નિયંત્રણ રેખા (LoC) પર પણ ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. 

    કર્નલ કુરેશીએ જણાવ્યું કે, ભારતીય સશસ્ત્રબળોએ આ તમામ હુમલાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. તેમ છતાં ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભટિંડા સ્ટેશન પર ઉપકરણોને હાનિ પહોંચી છે. પાકિસ્તાને સવારે 1:04 વાગ્યે એક હાઈસ્પીડ મિસાઈલ છોડીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ બનાવવામાં આવ્યો. આટલું જ નહીં, પાકિસ્તાને શ્રીનગર, અવંતિપુર અને ઉધમપુરના વાયુસેના અડ્ડાના ચિકિત્સા કેન્દ્ર અને શાળા પરિસરને પણ નિશાન બનાવવામાં આવ્યાં, જેનાથી નાગરિકોને ટાર્ગેટ કરવાની પાકિસ્તાનની બિનજવાબદારીપૂર્વકની પ્રવૃત્તિ ફરી એક ઉજાગર થઈ છે. 

    - Advertisement -

    ભારતના વળતા પ્રહાર વિશે જાણકારી આપતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનના આ ઉશ્કેરણીજનક કૃત્યનો ભારતીય સશસ્ત્રબળોએ ત્વરિત અને સુનિયોજિત રીતે જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનનાં અનેક સૈન્ય અડ્ડાઓ પર પ્રહાર કર્યા હતા. આ હુમલાઓમાં પાકિસ્તાનનાં ટેકનિકલ ઇન્સ્ટોલેશન, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, રડાર સાઇટ અને હથિયાર ભંડારોને નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવ્યાં.” 

    પાકિસ્તાનના રફીકી, મુરીદ, ચકલાલા, રહીમ યાર ખાન, સુક્કુર અને ચુનિયન વગેરે સૈન્ય ઠેકાણાં પર ડ્રોન અને ફાઇટર જેટ મોકલીને પ્રહાર કરવામાં આવ્યા હતા. ભારતના હુમલામાં પસરૂર સ્થિત એક રડાર સાઇટ અને સિયાલકોટ સ્થિત એરબેઝ પણ ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં.

    સેનાએ જણાવ્યું કે, “ભારતની આ જવાબી કાર્યવાહી જવાબદારીપૂર્વકની અને ઓછામાં ઓછું કોલેટરલ ડેમેજ થાય એ પ્રકારની હતી. છતાં ચિંતાની વાત એ છે કે પાકિસ્તાને નાગરિક વિમાનોની આડ લઈને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો, જેથી તેઓ પોતાની ગતિવિધિઓ છુપાવી શકે.”

    પ્રેસ કૉન્ફરન્સમાં ભારતે પાકિસ્તાનના પ્રોપગેન્ડાની પણ પોલ ખોલી. કર્નલ કુરેશીએ જણાવ્યું કે,  પાકિસ્તાને મિસઇન્ફોર્મેશનનો સહારો લઈને આદમપુર સ્થિર S-400 સિસ્ટમ, સુરતગઢ અને સિરસાના એરબેઝ અને નવરોટાના બ્રહ્મોસ બેઝ અને અન્ય અમુક જગ્યાને નષ્ટ કરવાના ખોટા દાવા સોશિયલ મીડિયા પર ફેલાવ્યા હતા. જ્યારે હકીકત એ છે કે આ ઠેકાણાં પર કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. સેનાએ આ સૈન્ય માળખાંના તાજેતરના ફોટા પણ સાર્વજનિક કર્યા છે, જેમાં ક્યાંય લેશમાત્ર નુકસાન થયું હોવાનું દેખાય રહ્યું નથી અને બધે સ્થિતિ સામાન્ય છે. 

    સેનાએ જણાવ્યું કે, LoC ઉપર પાકિસ્તાની સૈનિકોની ડિપ્લોયમેન્ટ વધતી જણાય રહી છે, જે દર્શાવે છે કે પાકિસ્તાન સ્થિતિ ભડકાવે છે. પરંતુ ભારતીય સશસ્ત્રબળ સંપૂર્ણ રીતે તૈયાર છે અને અત્યાર સુધી તમામ સૈન્ય કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભારતીય સેના શાંતિ ઇચ્છે છે, પરંતુ જો પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક કૃત્યો ચાલુ રાખવામાં આવ્યાં તો આ જ રીતે પ્રહાર ચાલુ રાખવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં