Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગીર-સોમનાથના ઉનામાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાઈ: રામનવમીના દિવસે ધર્મસભામાં લવ જેહાદ...

    ગીર-સોમનાથના ઉનામાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાઈ: રામનવમીના દિવસે ધર્મસભામાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવાનું કર્યું હતું આહવાન

    આ પહેલા જ ગીર સોમનાથના ઉનામાં ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જુમ્માના દિવસે ચક્કાજામ કરાયો, બીજા દિવસે પથ્થરમારો પણ થયો હતો.

    - Advertisement -

    ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે રામનવમીના તહેવારના ઉપલક્ષે વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ જ પ્રસંગે એક ભાષણ બાબતે તેમના કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

    અહેવાલો મુજબ ઉનામાં યોજાયેલ આ રામજીની શોભાયાત્રામાં 30 હજારથી વધી લોકો જોડાયા હતા. શોભાયાત્રા બાદ ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત સનાતની વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ આપ્યું હતું.

    લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવાનું કર્યું હતું આહવાન

    અહીં પોતાના વકતવ્યમાં કાજલ હિન્દુસ્તાનીએ હિંદુઓને લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું હતું. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, ‘મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે લગ્ન કરશે તો ફાયદા થશે’

    - Advertisement -

    કાજલ હિન્દુસ્તાનીના ભાષણના પડઘા મુસ્લીમ સમાજમાં પડ્યા હતા અને ગત 31 માર્ચના રોજ મુસ્લીમ સમાજના યુવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ અને વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કરતા તાત્કાલીક પોલીસ દોડી ગઇ હતી.

    બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી.

    જે બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 295 A 153 એ અને 505 મુજબ ગુનો નોંધાયો છે. જે પૈકી 153 A અંતર્ગત કોઈપણ વ્યક્તિ બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવું નિવેદન કે ભાષણ કરે તેવા કિસ્સામાં આ ધારાનો ઉપયોગ થાય છે તથા 295 A ઉશ્કેરીણી જનક ભાષણ આપવાના કિસ્સામાં લાગુ કરવામાં આવે છે.

    ઉનામાં પોલીસને કોમ્બિંગ દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો મળ્યાં

    ગીર સોમનાથના ઉનામાં (Una) શનિવારે (1 એપ્રિલ, 2023) મોડી સાંજે પથ્થરમારો (Stone Pelting) થયાની ઘટના બની હતી. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે તો બીજી તરફ મોટી સંખ્યામાં હથિયારો પણ પોલીસને મળી આવ્યાં છે. 

    ઉનામાં પથ્થરમારા બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને તોફાનોમાં સામેલ લોકોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યાં હતાં. જે પૂર્વનિયોજિત કાવતરા તરફ પણ ઈશારો કરી રહ્યાં છે. 

    આ હથિયારોમાં તલવાર, કુહાડી, છરી, ધારિયાં, લોખંડના પાઇપ, લાકડાં તથા જથ્થાબંધ કાચની બોટલો મળી આવી હતી. હાલ પોલીસે આ હથિયારો જપ્ત કરી લીધાં છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં