Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રદ્ધા મર્ડર કેસ: દિલ્હી પોલીસનો ખરો પડકાર હજુ બાકી, માત્ર આફતાબની કબૂલાત-નોર્કો...

    શ્રદ્ધા મર્ડર કેસ: દિલ્હી પોલીસનો ખરો પડકાર હજુ બાકી, માત્ર આફતાબની કબૂલાત-નોર્કો ટેસ્ટ જ નહિ; આ બાબતો પર કરવું પડશે કામ

    યુપી પોલીસના પૂર્વ ડીએસપી વિવેકાનંદ તિવારીએ જણાવ્યું કે આવા કેસમાં 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી ફરજિયાત છે. જો આમ ન થાય તો તે પોલીસની મોટી નિષ્ફળતા ગણાય છે. જેના કારણે ઘણી વખત આરોપીઓને બોન્ડ પર છોડી દેવામાં આવે છે.

    - Advertisement -

    27 વર્ષની શ્રદ્ધા વોકરની ઘાતકી હત્યાથી સમગ્ર દેશ આઘાતમાં છે . 27 વર્ષીય આફતાબ અમીન પૂનાવાલા, જેણે તેના મૃતદેહના ટુકડા કર્યા હતા, તે દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. કોર્ટે તેનો નાર્કો ટેસ્ટ કરાવવાની પરવાનગી આપી દીધી છે. આફતાબે પહેલાથી જ હત્યાની કબૂલાત કરી લીધી છે, જેના કારણે લગભગ 6 મહિના પહેલા થયેલી આ હત્યા અંગે ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. આમ છતાં દિલ્હી પોલીસનું કામ પૂરું થયું નથી, ખરો પડકાર તો હવે આફતાબને કોર્ટમાં ગુનેગાર સાબિત કરવાનો છે. શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબને ફાંસીના માંચડે લટકાવવાની પરીક્ષા હજુ બાકી છે, કોર્ટમાં આફતાબના ગુનાઓને સાબિત કરવા માટે પૂરતા પુરાવા એકત્ર કરવાનો મુખ્ય પડકાર છે, કારણ કે કોર્ટ પુરાવા માંગશે અને તેના આધારે તે ચુકાદો આપશે.

    શ્રદ્ધા મર્ડર કેસમાં પુરાવા એકત્ર કરવા માટે 15 નવેમ્બર 2022ના રોજ દિલ્હી પોલીસ આફતાબ સાથે મહેરૌલીના જંગલોમાં ગઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે 18 મે 2022ના રોજ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેણે મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા. તે લગભગ 18 દિવસ સુધી મેહરૌલીના જંગલોમાં એક પછી એક આ ટુકડા ફેંકતો રહ્યો. આ જંગલમાંથી શરીરના 10 જેટલા અંગો મળી આવ્યા હોવાની વાત પણ સામે આવી છે. પરંતુ આ માત્ર શ્રાદ્ધના છે, ફોરેન્સિક અને ડીએનએ ટેસ્ટ પછી જ તેની પુષ્ટિ થશે.

    આપણે જાણીએ છીએ કે ઘણી વખત જ્યારે સમાચાર હેડલાઇન્સમાંથી ગાયબ થઈ જાય છે, ત્યારે લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમને હચમચાવી નાખનારી ઘટનાના આરોપીઓ કોર્ટમાંથી રાહત મેળવવામાં સફળ થઈ ગયા છે. તેનું સૌથી મોટું કારણ પુરતી પોલીસ તપાસ અને પૂરતા પુરાવાનો અભાવ છે. જેનો લાભ લઈને આરોપીઓને કોર્ટમાંથી રાહત મેળવી લે છે. આવી સ્થિતિમાં અમે કેટલાક પૂર્વ પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે વાત કરી અને એ સમજવાનો પ્રયાસ કર્યો કે શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબને ફાંસીના માંચડે લટકાવવા દિલ્હી પોલીસ સામે કયા કયા પડકારો છે.

    - Advertisement -

    નાર્કો ટેસ્ટ માન્ય નથી

    સુપ્રીમ કોર્ટના વકીલ અજય ગૌતમે ઑપઈન્ડિયાને જણાવ્યું હતું કે કોર્ટમાં નાર્કો ટેસ્ટથી બહુ વધારે ફરક નથી પડતો. તેમના મતે, ઘણી વખત ગુનેગારો તેમની શારીરિક ક્ષમતાના આધારે નાર્કો અને લાઇ ડિક્ટેટર જેવા ટેસ્ટમાં છટકી જાય છે. પરંતુ તેઓ સજામાંથી બચી શકતા નથી. જેમકે નિઠારી કેસની. તેમના કહેવા પ્રમાણે, જો આફતાબ નાર્કો ટેસ્ટમાં છટકી જાય તો પણ કોર્ટ તેને નિર્દોષ ગણશે તેની ગેરેંટી નથી.

    ઇલેક્ટ્રોનીક્સ અને સ્થળ પર મળેલા પુરાવાઓ મહત્વના

    દિલ્હી પોલીસના નિવૃત્ત એસીપી વેદ ભૂષણે ઑપઈન્ડિયાને જણાવ્યું કે શ્રદ્ધાના મૃત્યુ પછી પણ આફતાબ તેનું સોશિયલ મીડિયા ચલાવી રહ્યો હતો. આ પણ એક પુરાવો જ છે. મૃતદેહના અવશેષોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. જો તે શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ થાય તો તે મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે. તેમના કહેવા પ્રમાણે, આફતાબના ઘરેથી મળેલા પુરાવા સિવાય આ કેસમાં તેની ફોન કોલ ડિટેઈલ પણ મહત્વની રહેશે. તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજ ઉપરાંત, તેણે જે જગ્યાએથી ફ્રિજ, આરી વગેરે ખરીદ્યા ત્યાંથી પુરાવા પણ એકત્રિત કરી શકાય છે.

    જો એક વાળ પણ મળી આવે તો સજા લગભગ નક્કી

    બીજી તરફ અજય ગૌતમનું કહેવું છે કે જો શ્રદ્ધાનો એક વાળ મળી આવે તો આફતાબની સજા લગભગ નક્કી છે. તેઓ કહે છે કે ભલે આફતાબે તમામ પુરાવાઓને બારીકીથી નષ્ટ કરી દીધા હોય, તેમ છતાં ઘટનાસ્થળેથી તપાસમાં શ્રદ્ધાના કેટલાક અંશ ચોક્કસ મળ્યા જ હશે. ગૌતમે પણ આ કેસમાં ડીએનએ ટેસ્ટને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો છે.

    રેરેસ્ટ ઓફ રેર કેસ

    પૂર્વ ACP વેદ ભૂષણના જણાવ્યા અનુસાર, આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. જેમ કે નૈના સાહની તંદૂર કેસ, નિઠારી કેસ, શીના બોરા જેવા કેસ હતા. ગૌતમ એમ પણ કહે છે કે આ સામાન્ય કેસ જેવું નથી. સુનાવણી દરમિયાન આ પણ એક પાસું રહેશે.

    હથિયાર નહીં મળે તો શું થશે

    જો એડવોકેટ અજય ગૌતમની વાત માનીએ તો, જે આરી વડે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા જો પોલીસ તે રીકવર ન કરી શકી તો પણ આ બાબતમાં કોઈ મોટો ફરક પડવાનો નથી. તેઓ કહે છે કે સજા આપતા પહેલા કોર્ટ હત્યારાના ‘મોટિવ’ પર ધ્યાન આપે છે. શ્રદ્ધા સાથે રોજેરોજ ઝઘડો, મારપીટ, અન્ય યુવતીઓ સાથે સંબંધો એવા પાસાઓ છે જે આફતાબનો ગુનો કરવા પાછળનો હેતુ જણાવે છે. આ સાથે જ શ્રદ્ધાના સોશિયલ મીડિયા હેન્ડલ, બેંક એકાઉન્ટનો ઉપયોગ પણ તેને દોષિત સાબિત કરવામાં મદદરૂપ થશે.

    ઉત્તર પ્રદેશ પોલીસના નિવૃત્ત ડેપ્યુટી એસપી વિવેકાનંદ તિવારીએ ઑપઈન્ડિયાને જણાવ્યું હતું કે જ્યારે ગુનામાં વપરાયેલ હથિયાર રીકવર ન થાય ત્યારે પોલીસને કોર્ટમાં મજબૂત અને સંતોષકારક કારણો દર્શાવવા પડે છે.

    નજરે જોનાર સાક્ષીઓ ન હોવાની દલીલ

    જય ગૌતમનું કહેવું છે કે આફતાબનો પક્ષ પ્રત્યક્ષદર્શી ન હોવાના કારણે કોર્ટમાં દલીલ કરી શકે છે. પરંતુ બળાત્કારના કેસોનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે આનાથી તેમને ભાગ્યે જ રાહત મળશે, કારણ કે બળાત્કારના કેસની જેમ આ કેસમાં પણ ટેકનિકલ પુરાવા વધુ મહત્વપૂર્ણ છે.

    સાક્ષી કરતાં સંજોગોવશાત પુરાવા વધુ માન્ય

    ઑપઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસના પૂર્વ ડીએસપી અવિનાશ ગૌતમે જણાવ્યું હતું કે સાક્ષીની જુબાની કરતાં સંજોગોવશાત્ પુરાવા વધુ અસરકારક છે. ભૂતપૂર્વ ડીએસપીના જણાવ્યા અનુસાર, આફતાબના ફ્લેટમાં શ્રદ્ધાના મોબાઈલનું લોકેશન એ સાબિત કરવા માટે પૂરતું છે કે બંને સંપર્કમાં હતા અને સાથે રહેતા હતા.

    90 દિવસની સમય બાધ્યતા

    યુપી પોલીસના પૂર્વ ડીએસપી વિવેકાનંદ તિવારીએ જણાવ્યું કે આવા કેસમાં 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી ફરજિયાત છે. જો આમ ન થાય તો તે પોલીસની મોટી નિષ્ફળતા ગણાય છે. જેના કારણે ઘણી વખત આરોપીઓને બોન્ડ પર છોડી દેવામાં આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં