Saturday, May 4, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિવહેલી સવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા બ્રિટિશ પીએમ ઋષિ સુનક, પૂજા-આરતીમાં ભાગ લીધો:...

    વહેલી સવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા બ્રિટિશ પીએમ ઋષિ સુનક, પૂજા-આરતીમાં ભાગ લીધો: કહ્યું હતું- હિંદુ હોવાનો મને ગર્વ

    સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા બાદ ઋષિ સુનકે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે પોતાનાં ભારતીય મૂળ અને હિંદુ ધર્મ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તેમને હિંદુ હોવાનો ગર્વ છે. સાથે એમ પણ કહ્યું હતું કે તેઓ મંદિરની મુલાકાતે પણ જશે. 

    - Advertisement -

    યુકેના વડાપ્રધાન ભારતીય મૂળના ઋષિ સુનક (Rishi Sunak) પણ G-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. આજે સમિટના બીજા દિવસે તેઓ દિલ્હીના અક્ષરધામ મંદિર (Akshardham Temple) પહોંચ્યા હતા, જ્યાં પૂજા-અર્ચના કરી હતી. 

    રવિવારે (10 સપ્ટેમ્બર, 2023) ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરે પહોંચ્યાં હતાં. અહીં બંનેએ મંદિરમાં પૂજા કરી હતી. તેમનો કાર્યક્રમ પહેલેથી નક્કી હતો અને મંદિરમાં તમામ તૈયારીઓ કરી રાખવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઋષિ સુનક રાજઘાટ જવા માટે રવાના થયા હતા. 

    અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જ્યોતીન્દ્ર દવેએ કહ્યું હતું કે, “તેમનો અનુભવ ખૂબ સારો રહ્યો. તેમણે ખૂબ આસ્થાપૂર્વક પૂજા અને આરતી કર્યાં…અમે તેમને મંદિર બતાવ્યું તેમજ ભેટ તરીકે મંદિરની પ્રતિકૃતિ પણ આપી. તેઓ સમય કરતાં વધુ અહીં રોકાયા. તેમનાં પત્ની પણ ખૂબ ખુશ હતાં.”

    - Advertisement -

    કહ્યું હતું- હિંદુ હોવાનો મને ગર્વ, મંદિરે પણ જઈશ 

    સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા બાદ ઋષિ સુનકે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે પોતાનાં ભારતીય મૂળ અને હિંદુ ધર્મ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તેમને હિંદુ હોવાનો ગર્વ છે. સાથે એમ પણ કહ્યું હતું કે તેઓ મંદિરની મુલાકાતે પણ જશે. 

    બ્રિટીશ પીએમએ કહ્યું હતું, “હું એક ગર્વિત હિંદુ છું. મારો ઉછેર પણ એ જ રીતે થયો છે. આશા છે કે થોડા દિવસ માટે અહીં છું તો મંદિરમાં પણ જઈ શકીશ. તાજેતરમાં જ અમે મારા ભાઈ-બહેનો સાથે રક્ષાબંધનની પણ ઉજવણી કરી, મને રાખડીઓ પણ બાંધવામાં આવી. જોકે, જન્માષ્ટમીની ઉજવણી કરવાનો સમય નહીં મળ્યો. પરંતુ હવે મંદિરની મુલાકાતે જઈશ તો તે પણ થઈ શકશે.” 

    આગળ તેમણે કહ્યું કે, “મારા માટે આસ્થાનું ઘણું મહત્વ છે. આસ્થા એવી ચીજ છે જે સૌ કોઈને જીવનમાં મદદ કરે છે. ખાસ કરીને મારા જેવા લોકો જેમને ઘણું કામ હોય છે, તેમને તે શક્તિ આપે છે. એટલે તેનું એક આગવું મહત્વ છે.” 

    ઓક્ટોબરમાં યુકેના વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનકની આ પહેલી ભારત મુલાકાત છે. તેમની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે તેઓ ભારતીય મૂળના છે. તેઓ શુક્રવારે ભારત આવી પહોંચ્યા હતા. ત્યારબાદ શનિવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી અને બંને દેશોના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવા માટે તેમજ ખાસ કરીને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને ચર્ચા કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં