Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશિશુગૃહમાં બાળકોને બનાવી દેવાયાં હતાં મુસ્લિમ, શિવમંદિરમાં વિધિવત હિંદુ ધર્મ અંગીકાર કરાવાયો:...

    શિશુગૃહમાં બાળકોને બનાવી દેવાયાં હતાં મુસ્લિમ, શિવમંદિરમાં વિધિવત હિંદુ ધર્મ અંગીકાર કરાવાયો: પિતાને કસ્ટડી સોંપાઈ 

    બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ ટ્વિટ કરીને માહિતી આપી.

    - Advertisement -

    થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના રાયસેન ખાતેના શિશુગૃહમાં ત્રણ હિંદુ બાળકોના ધર્માંતરણનો કિસ્સો સામે આવ્યો હતો. આ બાળકો કોરોનાકાળ દરમિયાન તેમના માતા-પિતાથી વિખૂટાં પડી ગયાં હતાં. ત્યારે શિશુગૃહમાં ધર્માંતરણ કરાયેલા ત્રણેય બાળકોને ફરી હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

    ત્રણેય બાળકો બુધવારે (16 નવેમ્બર 2022) રાત્રે દમોહ પહોંચ્યા હતા. અહીં હાજર બજરંગ દળના કાર્યકરોએ આ બાળકોને શિવ મંદિરમાં સંપૂર્ણ હિંદુ વિધિ સાથે હિંદુ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન આ ત્રણેય બાળકો ભોપાલના મંડીદીપમાં ગાર્ડ તરીકે કામ કરતા તેમના પિતાથી વિખૂટાં પડી ગયાં હતાં.

    અહેવાલો અનુસાર ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્શન કમિશન (NCPCR)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રિયંક કાનુનગોએ થોડા સમય આગાઉ આ શિશુગૃહનું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યવાહી કરવા માટે તજવીજ કરી હતી. ત્યારે હવે શિશુગૃહમાં ધર્માંતરણ કરાયેલા બાળકોને હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો છે, પ્રિયંક કાનુનગોએ પોતે ટ્વીટ કરીને આ સમગ્ર કાર્યવાહીની માહિતી આપી હતી.

    - Advertisement -

    શું હતી આખી ઘટના

    વાસ્તવમાં ભોપાલની નજીકના રાયસેન જિલ્લાના ગૌહરગંજમાં વર્ષ 2020માં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉન સમયે ત્રણ બાળકો પોતાના મા-બાપથી વિખુટા પડી ગયાં હતાં. તેમના પિતા મંડીદીપમાં એક ફેક્ટરીમાં ગાર્ડની નકરી કરે છે. પારિવારિક ઝઘડાના કારણે પતિ-પત્ની સાથે રહેતાં ન હતાં. જેના કારણે મા બાળકોને લઈને ભોપાલ ચાલી ગઈ હતી. જ્યાં એક મસ્જિદ પાસે કોઈ મુસ્લિમ ફકીર સાથે ભીખ માંગી ગુજરાન ચલાવતી માતાથી બાળકો વિખૂટાં પડી ગયાં હતા.

    ત્યાર બાદ ભોપાલની એક NGO માતૃછાયાને આ બાળકો મળી આવતાં તેમણે બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેમને ગૌહરગંજના શિશુ ગૃહમાં મોકલી આપવામાં આવ્યાં અને જ્યાં સુધી તેમનાં વાલી ન મળે ત્યાં સુધી સારસંભાળ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા.

    જે પછી બાળ વિકાસ વિભાગે બાળકોનો SIR રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વાસ્તવમાં હિંદુ બાળકોના નામ બદલી મુસ્લિમ કરી નાંખવામાં આવ્યાં છે અને શાળા અને આધાર કાર્ડમાં પણ તેમનાં નામો મુસ્લિમ કરી દેવામાં આવ્યાં છે. તપાસ બાદ જાણવા મળ્યું કે, આ શિશુ ગૃહ હસીન પરવેઝ નામનો વ્યક્તિ ચલાવે છે અને તેણે જ બાળકોનું ધર્માંતરણ કરાવ્યું હતું.

    ધર્માંતરણ બાદ હસીન પરવેઝે ત્રણેય બાળકોનાં નામ બદલી નાંખ્યાં હતાં. જેમાંથી સગીર બાળકનું નામ શાહરૂખ અને સગીર વયની બાળકીઓનાં નામ સુહાના અને રૂકસાના કરી નાંખ્યા હતા. આરોપ છે કે પરવેઝે ત્રણેય બાળકોના આધાર કાર્ડ પણ મુસ્લિમ નામ સાથે બનાવડાવી નાંખ્યા હતા અને પોતે બાળકોનો વાલી હોવાનો ડોળ પણ કરતો હતો.

    આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ સંજ્ઞાન લઈને પરવેઝ સામે FIR દાખલ કરીને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે શિશુ ગૃહના તમામ દસ્તાવેજો પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા, ત્યારે હવે આ ત્રણેય બાળકોને પેમના પિતા પાસે લાવીને સ્થાનિક શિવ મંદિરમાં વિધિવત રીતે ફરી હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો અને તેમના પિતાની શોધ કરીને બાળકોની કસ્ટડી તેમને સોંપી દેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં