Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતતોડકાંડના મુખ્ય આરોપી AAP નેતા યુવરાજસિંહ જાડેજાને જામીન મળ્યા: ત્રણ મહિને જેલમાંથી...

    તોડકાંડના મુખ્ય આરોપી AAP નેતા યુવરાજસિંહ જાડેજાને જામીન મળ્યા: ત્રણ મહિને જેલમાંથી બહાર આવશે, ડમીકાંડના આરોપીઓનાં નામ છુપાવવા 1 કરોડ લીધાનો લાગ્યો હતો આરોપ

    યુવરાજસિંહના વકીલ જે. એમ. લક્કડ દ્વારા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે, તેઓ નિર્દોષ છે. ગત 18 જુલાઈ સોમવારના રોજ આ જામીન અરજી પર તપાસ અધિકારી દ્વારા સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું. જે બાદ આજે તેમના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    ભાવનગરના ડમીકાંડમાં મોકો જોઈને તેને તોડકાંડમાં પરિવર્તિત કરનાર AAP નેતા યુવરાજસિંહ જાડેજાને 3 મહિના બાદ જામીન મળ્યા છે. ધરપકડ બાદ રિમાન્ડ પર મોકલ્યા બાદ 1 મે 2023 ના રોજ યુવરાજસિંહને જેલના હવાલે કરાયા હતા. આજે ભાવનગર જિલ્લા કોર્ટે તેમના જામીન મંજુર કર્યા છે જે બાદ તેઓ હવે જેલમાંથી બહાર આવશે.

    અહેવાલો અનુસાર યુવરાજસિંહ જાડેજા દ્વારા 15 જુલાઈના રોજ ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. યુવરાજસિંહના વકીલ જે. એમ. લક્કડ દ્વારા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે, તેઓ નિર્દોષ છે. ગત 18 જુલાઈ સોમવારના રોજ આ જામીન અરજી પર તપાસ અધિકારી દ્વારા સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું. જે બાદ આજે તેમના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

    1 કરોડનો તોડ કરવા બદલ હતા જેલબંધ, 84 લાખ થયા રિકવર

    આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અને અન્યો સામે ડમી કાંડ ઉજાગર કરવાની પ્રેસ કોન્ફરન્સમાં નામો જાહેર કરવાની ધમકી આપીને બે વ્યક્તિઓ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી 1 કરોડ રૂપિયા ખેરવી લેવાનો આરોપ લાગ્યો છે. આ તમામ વચ્ચે ડીલ થઇ હતી અને પૈસા પહોંચાડવામાં આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજે બંનેનાં નામ લીધાં ન હતાં. 

    - Advertisement -

    પરંતુ તેમ છતાં કોઈક રીતે બંનેનાં નામ સામે આવી જતાં ભાવનગર પોલીસે તેમની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ સામે પ્રદીપ અને પ્રકાશે કબૂલાત કરી હતી કે યુવરાજસિંહે તેમના માણસો સાથે તેમની પાસેથી પૈસા લીધા હતા. ત્યારબાદ યુવરાજને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ પોલીસ સામે હાજર તો થયા હતા પરંતુ સંતોષકારક જવાબો ન આપતાં પોલીસે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી અને સંડોવાયેલા અન્ય ઈસમોને પણ આરોપી બનાવ્યા હતા. 

    1 કરોડના તોડકાંડ મામલે ભાવનગર પોલીસે 6 ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં યુવરાજસિંહ જાડેજા, તેમના બંને સાળા કાનભા અને શિવુભા, વચેટિયાઓ ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી અને રાજુનો સમાવેશ થાય છે. અલ્ફાઝ ઉર્ફે રાજુની ધરપકડ સાથે આ તોડકાંડમાં સામેલ તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા.

    અત્યાર સુધીની તપાસમાં તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમાંથી યુવરાજના સાળા કાનભાએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે તેણે યુવરાજસિંહની સૂચનાથી પૈસા લીધા હતા અને તેમાંથી 38 લાખ તેના ભાઈ શિવુભાના એક મિત્રના ફ્લેટ પર રાખ્યા હતા. તેની દોરવણીથી પોલીસે જઈને તપાસ કરતાં આ રકમ મળી આવી હતી. બીજી તરફ, ધરપકડ બાદ ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીએ પણ કમિશન પેટે પાંચ-પાંચ લાખ લીધા હોવાની કબૂલાત કરી લીધી હતી. હમણાં સુધી 84 લાખ રૂપિયાની રિકવરી થઇ ચુકી છે.

    આ પૈસાથી યુવરાજસિંહે દહેગામમાં ખરીદ્યો હતો પ્લોટ

    ડમી ઉમેદવાર કૌભાંડના તોડકાંડમાં SITને AAP નેતા યુવરાજસિંહ વિરૂદ્ધ વધુ એક મોટો પુરાવો હાથ લાગ્યો હતો. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે યુવરાજસિંહે ગાંધીનગરના દહેગામમાં પણ મિલકત ખરીદી હતી. જેની તપાસ કરી રહેલી SITને કેટલાંક CCTV હાથ લાગ્યા હતા. આ CCTVના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે યુવરાજસિંહના સસરા ભાવનગરના પી.એમ. આંગડિયા મારફતે રૂપિયા મોકલી રહ્યા છે. SITની તપાસમાં દહેગામની મિલકતનો દસ્તાવેજ પણ હાથ લાગ્યો હતો.

    આખરે આજે તોડકાંડમાં ફસાયેલા AAP નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાંથી જામીન મળ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં