Thursday, May 2, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકકોલેજમાં કરી મિત્રતા, બ્લેકમેલ કરીને કર્યા લગ્ન અને હવે ધર્મ બદલવા માટે...

    કોલેજમાં કરી મિત્રતા, બ્લેકમેલ કરીને કર્યા લગ્ન અને હવે ધર્મ બદલવા માટે દબાણ: બારડોલીમાં શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલ હિંદુ યુવતીએ સોયેબ ઇબ્રાહિમ સામે લખાવી ફરિયાદ

    લગ્ન બાદ પણ યુવતીનું જીવન સુખી રહ્યું નહોતું. લગ્નબાદ પણ સોયેબ રોજ તે હિંદુ યુવતીને ધર્મપરિવર્તન માટે દબાણ કરતો અને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. યુવતીના માં-બાપ નહોતા અને તે પોતાના સંબંધીઓના ત્યાં રહેતી હતી. માટે શરૂઆતમાં તેણે આ ત્રાસ સહન કરવાનું ચાલુ રાખ્યું.

    - Advertisement -

    ગુજરાતના બારડોલીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હિંદુ યુવતીએ તેના મુસ્લિમ પતિ પર આરોપ લગાવ્યો છે કે તે તેને ધર્મપરિવર્તન માટે દબાણ કરે છે અને તે માટે શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરે છે. હાલમાં આ બાતે ફરિયાદ નોંધાઈ છે.

    અહેવાલો મુજબ બારડોલીમાં સોયેબ ઇબ્રાહિમ રાવત નામના મુસ્લિમ યુવાને કોલેજકાળમાં સાથે ભણતી એક હિંદુ યુવતીને પહેલા પોતાની પ્રેમ જાળમાં ફસાવી. બાદમાં તેને ફોસલાવીને, બ્લેકમેલ કરીને તથા ધાકધમકી આપીને પોતાની સાથે લગ્ન કરવા મજબુર કરી હતી. 2019માં સોયેબ યુવતીને સુરત લઇ ગયો હતો અને ત્યાં યુવતીની જાણ બહાર જ લગ્ન નોંધાવી દીધા હતા.

    લગ્ન બાદ પણ યુવતીનું જીવન સુખી રહ્યું નહોતું. લગ્નબાદ પણ સોયેબ રોજ તે હિંદુ યુવતીને ધર્મપરિવર્તન માટે દબાણ કરતો અને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. યુવતીના માં-બાપ નહોતા અને તે પોતાના સંબંધીઓના ત્યાં રહેતી હતી. માટે શરૂઆતમાં તેણે આ ત્રાસ સહન કરવાનું ચાલુ રાખ્યું.

    - Advertisement -

    પરંતુ જયારે આ શારીરિક માનસિક પ્રતાડના તેની સહનશક્તિની બહાર નીકળી ગઈ ત્યારે આખરે યુવતીએ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. બે બાદ આ યુવતી બારડોલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા પહોંચી હતી.

    હાલ બારડોલી પોલીસે યુવતીની ફરિયાદ નોંધી લીધી છે અને ફરિયાદ અનુસાર આગળની કાર્યવાહી શરુ કરી છે.

    વડોદરામાં જીશાનુદ્દીને ઘરમાં ઘૂસીને હિંદુ યુવતીને આપી ધમકી

    થોડા દિવસ પહેલા જ ઘરમાં ઘૂસીને વડોદરામાં જીશાનુદ્દીને હિંદુ યુવતીને અને તેના મંગેતરને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. તરસાલી ખાતે રહેતી 21 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જીશાનુદ્દીન શેખ અને તેના મિત્રો બળજબરીથી તેના ઘરમાં ઘુસી ગયા હતા, અને યુવતીને ફોનમાં વાત ન કરવા બદલ તેને અને તેના મંગેતરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ મામલો સ્થાનિક હિંદુ સંગઠનોના ધ્યાને આવતા તેઓ પણ પીડિત પરિવારની મદદ કરવા પહોંચ્યા હતા. આ બાબતે વિશ્વ હિંદુ પરિષદ તરસાલી પ્રખંડના મંત્રી સાઈકુમાર પિલ્લાઈએ ઑપઈન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “આ ઘટનામાં લવ જેહાદનો એંગલ નકારી શકાય નહી, જે મુજબ આરોપીએ પીડિત યુવતીના ઘરમાં કોઈ જાતના ડર વગર ઘૂસીને ધાક-ધમકીઓ આપી તેના પરથી તેમની માનસિકતાનો અંદાજો લગાવી શકાય છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં