Monday, January 27, 2025
More
    હોમપેજદુનિયાપોર્ટુગલના દરિયામાં ડૂબેલા છે ખજાનાથી ભરેલા 250 જહાજ, માત્ર એકમાં 22 ટન...

    પોર્ટુગલના દરિયામાં ડૂબેલા છે ખજાનાથી ભરેલા 250 જહાજ, માત્ર એકમાં 22 ટન સોનું-ચાંદી: પુરાતત્વવિદોએ 8620 ડૂબેલા જહાજોનો ડેટાબેઝ કર્યો તૈયાર

    ઉલ્લેખનીય છે કે 15મી અને 16મી સદીમાં પોર્ટુગલ એક મોટી સંસ્થાનવાદી શક્તિ હતી, જેણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઈસ્ટ ઈન્ડિઝમાં પોતાની વસાહતોની સ્થાપના કરી હતી.

    - Advertisement -

    પોર્ટુગલના દરિયાકાંઠે (Portuguese coast) 250થી વધુ ખજાનાથી ભરેલા જહાજના (250 treasure-laden ships) કાટમાળની શોધે ઇતિહાસના પ્રેમીઓ અને પુરાતત્વવિદોમાં (history lovers and archaeologists) હલચલ મચાવી દીધી છે. અન્ડરવોટર આર્કિયોલોજીના નિષ્ણાત એલેક્ઝાન્ડ્રે મોન્ટેરોએ (Alexandre Montero) તાજેતરમાં એક ડેટાબેઝ તૈયાર કર્યો છે, જેમાં 8,620 જહાજના કાટમાળ વિશેની માહિતીનો સમાવેશ થાય છે. તેમાંથી 250 જેટલા જહાજો એવા છે જે ખજાનાથી ભરેલા હોવાનું કહેવાય છે. આ જહાજો મુખ્યત્વે પોર્ટુગલના મુખ્ય દરિયાકિનારા, અઝોર્સ અને મડેઇરાની આસપાસ મળી આવ્યા છે.

    મોન્ટેરોએ અહેવાલ આપ્યો હતો કે પોર્ટુગલના ટ્રોયા પ્રદેશ પાસે 1589માં ડૂબી ગયેલું એકલા એક સ્પેનિશ જહાજ નોસા સેનહોરા ડો રોઝારિયોમાં (Nossa Senhora do Rosario) 22 ટન સોનું અને ચાંદી હતું. આ જહાજની સંપૂર્ણ વિગત જાણવા માટે તેણે ઊંડું સંશોધન કર્યું અને જહાજના કેપ્ટનની માતાનું નામ પણ શોધી કાઢ્યું. તેમના કહેવા પ્રમાણે, પોર્ટુગલના ઈતિહાસમાં એવા ઘણા જહાજો છે જે સમુદ્રની ઊંડાઈમાં ખજાના સાથે દટાયેલા છે.

    ઉલ્લેખનીય છે કે 15મી અને 16મી સદીમાં પોર્ટુગલ એક મોટી સંસ્થાનવાદી શક્તિ (colonial power) હતી, જેણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઈસ્ટ ઈન્ડિઝમાં પોતાની વસાહતોની સ્થાપના કરી હતી. સમય જતાં, આ સામ્રાજ્યના વિઘટન પછી, બ્રાઝિલ, અંગોલા અને મોઝામ્બિક જેવા સ્વતંત્ર રાષ્ટ્રોની રચના થઈ. આ વેપાર માર્ગો પર દરિયાઈ અકસ્માતોને કારણે ઘણા જહાજો દરિયામાં ડૂબી ગયા, જે આજે ઐતિહાસિક અને આર્થિક દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે.

    - Advertisement -

    લૂંટારાઓ લૂંટી જશે આ ખજાના- મોન્ટેરો

    મોન્ટેરોએ કહ્યું કે સરકાર પાસે આ જહાજો વિશે માહિતી છે, પરંતુ તેમના સંરક્ષણ માટે કોઈ યોજના નથી. તેમનું કહેવું છે કે આ જહાજો વહેલા કે મોડેથી શોધી કાઢવામાં આવશે, ખાસ કરીને બંદર બાંધકામ અથવા અન્ય પ્રોજેક્ટ દરમિયાન. તેમણે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે જો આ ખજાનાને સાચવવામાં નહીં આવે તો તે લૂંટારાઓના (robbers/pirates) હાથમાં આવી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોર્ટુગલે તેના દરિયાઈ ઇતિહાસને સુરક્ષિત રાખવા માટે નક્કર યોજના બનાવવી જોઈએ.

    મોન્ટેરોએ પોતે ઘણા વર્ષો સુધી દરિયાની નીચે ડાઇવિંગ કરીને આ જહાજના ભંગારોની શોધ કરી છે. તેમણે 1615માં એઝોર્સ નજીક ડૂબી ગયેલા જહાજના ભંગાર, નોસા સેનહોરા દા લુઝની શોધમાં ચાર વર્ષ ગાળ્યા હતા. તેણે કહ્યું કે તેમને પહેલીવાર ડાઇવ કરતાં જ તે જહાજનું લોકેશન મળી ગયું. જો કે, તેમણે ખજાનાની લૂંટની શક્યતા ઓછી ગણાવી હતી, કારણ કે ઘણા જહાજો રેતીમાં ઊંડે દટાયેલા છે. છતાં તેમણે ચેતવણી આપી હતી કે જો આ જહાજો માટે સંરક્ષણ યોજનાઓ બનાવવામાં નહીં આવે તો તે પોર્ટુગલના સાંસ્કૃતિક વારસાને મોટું નુકસાન થશે.

    પુરાતત્વવિદોનું કહેવું છે કે આ જહાજોની ઓળખ માત્ર પ્રથમ પગલું છે. આ જહાજના કાટમાળ શોધવા અને તેમના ખજાનાને બચાવવા માટે સંયુક્ત પ્રયાસોની જરૂર છે. મોન્ટેરો માને છે કે જો સમર્પણ સાથે પ્રયાસ કરવામાં આવે તો આ જહાજોને શોધવા અને સાચવવામાં વધુ સમય લાગશે નહીં. આ શોધ પોર્ટુગલના દરિયાઈ ઇતિહાસને ઊંડાણપૂર્વક સમજવાની તક પૂરી પાડે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં