Thursday, May 15, 2025
More
    હોમપેજદેશપહલગામ આતંકવાદી હુમલો: તેઓ માર્યા ગયા, કારણ કે તેઓ હિંદુ હતા

    પહલગામ આતંકવાદી હુમલો: તેઓ માર્યા ગયા, કારણ કે તેઓ હિંદુ હતા

    ‘મારો સમાજ’, ‘મારી જાતિ’નું રટણ કરનારાઓ માટે, આ જાતિ-પેલી જાતિની પિપૂડી વગાડનારાઓ માટે, જાતિગત વસ્તી ગણતરી અને ‘જિતની આબાદી, ઉતના હક’ની વાતો કરીને હિંદુ સમાજને વહેંચનારાઓ સાથે જોડાઈ જનારાઓ માટે આ ઘટના સબક લઈને આવી છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે બનેલી ઘટનાની ચર્ચા કરતી વખતે, તેનું રિપોર્ટિંગ કરતી વખતે માત્ર ‘આતંકવાદી ઘટના’ કહીને પૂરું કરી દઈએ તો એ વાચકો સાથેનો દ્રોહ કહેવાશે. એક પ્રકારે મિસઇન્ફોર્મેશન કહેવાશે. છટકબારી કહેવાશે. ખરેખર તેને ‘ઇસ્લામી આતંકવાદી ઘટના’ કહેવી જોઈએ. જ્યાં મારનારા મુસ્લિમો હતા. મરનારા હિંદુઓ. તેમનું હિંદુ હોવું તેમના મરવા માટે પૂરતું હતું. ત્યાં હું હોત તો હું પણ માર્યો ગયો હોત. તમે હોત તો તમે પણ માર્યા ગયા હોત. આપણામાંથી કોઈને નામ પૂછવામાં આવ્યું હોત, કોઈને ધર્મ પૂછવામાં આવ્યો હોત, કોઈને કલમા પઢવા માટે કહેવામાં આવ્યું હોત, અને કોઈનું પેન્ટ ઉતારીને હિંદુ હોવાની ખાતરી કરીને ગોળીઓ ધરબી દેવામાં આવી હોત. આ હકીકત છે. ન સ્વીકારીએ તેનાથી બદલાઈ જતી નથી. 

    ‘મારો સમાજ’, ‘મારી જાતિ’નું રટણ કરનારાઓ માટે, આ જાતિ-પેલી જાતિની પિપૂડી વગાડનારાઓ માટે, જાતિગત વસ્તીગણતરી અને ‘જિતની આબાદી, ઉતના હક’ની વાતો કરીને હિંદુ સમાજને વહેંચનારાઓ સાથે જોડાઈ જનારાઓ માટે આ ઘટના સબક લઈને આવી છે. બંદૂક લઈને તમને મારવા આવેલો ઇસ્લામી આતંકવાદી તમારી જાત પૂછતો નથી. તમે કઈ ભાષા બોલો છો એ પૂછતો નથી. કઈ પાર્ટીને મત આપ્યો હતો એ પૂછતો નથી કે તમે રાષ્ટ્રવાદી છો કે લિબરલ-સેક્યુલર, એ પણ પૂછતો નથી. તે પૂછે છે માત્ર તમારો ધર્મ. તમારો ધર્મ તેને ટ્રિગર દબાવવા કારણ આપવા માટે પૂરતો છે. બાકી બધી બાબતો ગૌણ થઈ ગઈ. બાકી બધી બાબતોનું કોઈ મૂલ્ય નથી. 

    આવી કોઈ પણ ઘટના બને એટલે ઓન ગ્રાઉન્ડ આતંકવાદીઓનું કામ પૂરું થાય છે અને ઇન્ટરનેટ પર બેઠેલા ‘ડિજિટલ આતંકવાદીઓ’નું કામ શરૂ થાય છે. તેમાંથી અમુક મીડિયામાં છે, અમુક એક્ટિવિસ્ટોના વેશમાં ફરી રહ્યા છે અને અમુક પોતાને ફેક્ટચેકરો કહે છે. તેમનું કામ છે આ ઘટનાનું સામાન્યીકરણ કરવું. તેમાં ક્યાંય મજહબી એન્ગલ ન આવી જાય તે જોવું. વ્હાઇટવૉશિંગ કરવું. તેના માટે વર્ષોથી ચવાઈ ગયેલી એક વાત આપણા માથે મારી દેવામાં આવે છે– આતંકવાદનો ધર્મ હોતો નથી. નહીં હોય, પણ મજહબ હોય છે એ પહલગામની ઘટનાએ દેખાડ્યું. આવી એક છૂટીછવાઈ ઘટના નથી. આ જ રીતે કાશ્મીરમાં ભૂતકાળમાં પણ હિંદુઓને નામ પૂછીને, અલગ તારવીને મારી નાખવામાં આવ્યા હતા. પણ એ ઘટનાઓ આપણા સુધી પહોંચતી નથી, કારણ કે આપણા સુધી પહોંચવા દેવામાં આવતી નથી. 

    - Advertisement -

    આ ઘટનાઓ જે રીતે બની છે તે રીતે આપણા સુધી ન પહોંચે તે માટેના પ્રયાસો ઓલરેડી શરૂ થઈ ગયા છે. મીડિયા ઇસ્લામી આતંકવાદીઓને ‘આતંકવાદીઓ’ કહે ત્યાં સુધી પણ ઠીક છે, પણ અમુક ઠેકાણે ‘મિલિટન્ટસ’ લખાવાનું શરૂ થયું છે. મારનારાઓ એક મઝહબના હતા, છતાં પણ તેમની ઓળખ કહેવામાં આવતી નથી. મરનારા તેમની ધાર્મિક ઓળખના કારણે મર્યા, પણ તેમને પણ માત્ર ‘ટૂરિસ્ટ’માં ખપાવી દેવામાં આવશે. અમુકના માટે આ ઘટના માત્ર એક ‘ફાયરિંગ ઇન્સિડેન્ટ’ છે. કારણ કે ઇકોસિસ્ટમ જાણે છે કે કોઈ પણ ઘટનામાં પર્સેપ્શનનું મહત્ત્વ છે અને પર્સેપ્શન એવો ઘડવામાં આવે છે, જેનાથી ચર્ચાઓ અવળેપાટે ફંટાઈ જાય. જેનાથી આ ઘટનાઓ જે રીતે બની છે તે રીતે એક મોટા વર્ગ સુધી ન પહોંચે. 

    આ ચર્ચાઓ ફંટાવવા માટે બીજી ઘણી તરકીબો છે. પુલવામા આતંકવાદી હુમલો થયો ત્યારે આ વ્હાઇટવૉશ કરતી ગેંગ તરત ચૂંટણી વચ્ચે લઈ આવી હતી. મોદીએ ચૂંટણી જીતવા આ બધું કરાવ્યું હોવાની થિયરીઓ ફરતી કરવામાં આવી હતી. અમુક મૂરખો માની પણ ગયા હતા એ આપણું સામૂહિક દુર્ભાગ્ય છે. આવી જ વાતો ગોધરામાં 59 નિર્દોષ હિંદુઓને મુસ્લિમ ટોળાંએ જીવતા સળગાવી દીધા હતા ત્યારે પણ વહેતી મૂકવામાં આવી હતી. આવું આવી દરેક આતંકવાદી ઘટનામાં કરવામાં આવશે. કારણ કે તેમનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે મૂળ હકીકત સામાન્ય લોકો સુધી પહોંચવા દેવામાં ન આવે. જે ઓન ગ્રાઉન્ડ આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે તેની ઉપર ઢાંકપિછોડો કરવામાં આવે. ઘટનાનું સામાન્યીકરણ કરી દેવામાં આવે. 

    આવાં પ્રપંચોમાં ફસાઈ જવું એ મૂર્ખતા છે. કારણ કે હકીકત આંખ સામે છે. આંખ આડા કાન કરવાથી હકીકતો બદલાઈ જવાની નથી. આ વાસ્તવિકતા છેક સુધી પહોંચે તે માટેના પ્રયાસો કરવા એ જ એકમાત્ર ઉપાય છે. આવું કરતી વખતે આપણને કોમવાદીઓમાં, ધર્માંધમાં કે કોમ્યુનલ બિગટમાં ખપાવી દેવામાં આવે તો ભલે. આપણે એ સર્ટિફિકેટ સ્વીકારી લઈશું. કોઈકે પ્રમાણપત્રો સ્વીકારી લઈને એ કામ કરવું પડશે.

    આવા સમયે આક્રોશ હોય એ સ્વભાવિક છે. બનવાજોગ છે. હોવો પણ જોઈએ. આપણા કરતાં અનેકગણો વધુ આક્રોશ સરકારમાં બેઠેલાઓનામાં હોવો જોઈએ. સરકાર સરકારનું કામ કરશે, પણ આવી સમસ્યાઓ પર અંકુશ માત્ર સરકારી કામોથી, સરકારનાં પગલાંથી, સરકારની નીતિઓથી કે સેનાની કાર્યવાહીથી મૂકાવાનો નથી. અમુક કામ આપણું, સમાજનું પણ છે. સરકાર સરકારનું કામ કરશે. આપણે આપણું કરીએ. હકીકતોથી આંખ આડા કાન કરીને બેસી રહેવાથી સમસ્યાઓ પાછળ ઠેલાતી નથી, સમસ્યાઓનું કાયમી નિદાન થતું નથી. એક દિવસે એ ત્રાટકે છે અને ત્યારે તમારી પાસે ઝાઝા વિકલ્પો રહેતા નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં