Monday, April 29, 2024
More
    હોમપેજમંતવ્યગુજરાતનો દારૂ બહાર વેચીને પીવાનું પ્રોત્સાહન આપવાની વાત કરતા કોંગ્રેસ નેતા લલિત...

    ગુજરાતનો દારૂ બહાર વેચીને પીવાનું પ્રોત્સાહન આપવાની વાત કરતા કોંગ્રેસ નેતા લલિત વસોયા, સીએમને પત્ર લખીને કહ્યું- પ્રતિબંધ ન હોય ત્યાં દારૂ વેચી દો

    લલિતભાઈની ભાવના સારી છે, પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ વિચારીએ તો જે થઇ રહ્યું છે તે બરાબર જ થઇ રહ્યું છે. 

    - Advertisement -

    વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસી નેતા લલિત વસોયા મીડિયામાં બહુ દેખાતા ન હતા પણ આખરે બુધવારે (8 ફેબ્રુઆરી, 2023) તેમણે આ ‘વનવાસ’ પૂરો કર્યો અને મુખ્યમંત્રીને એક પત્ર લખીને ચર્ચામાં આવી ગયા. આ પત્રમાં દારૂ અંગે કોંગ્રેસ નેતાએ સીએમ સમક્ષ કેટલીક માંગ કરી છે. 

    કોંગી નેતા લલિત વસોયા દ્વારા સીએમને લખવામાં આવેલા પત્રમાં તેમણે દારૂબંધીના કાયદા હેઠળ ગુજરાત પોલીસ દ્વારા કરોડો રૂપિયાના વિદેશી દારૂ-બિયર પકડવામાં આવતા હોવાની બાબતની પ્રશંસા કરી છે. આગળ તેમણે સરકારે વિધાનસભામાં આપેલી આંકડાકીય માહિતીને ટાંકતાં જણાવ્યું કે, વર્ષ 2020-21માં 215.62 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને 16.20 કરોડનો બિયરનો જથ્થો પકડાયો હતો અને જેનો પોલીસે નાશ કર્યો હતો. 

    ગુજરાત પોલીસે નાશ કરેલા દારૂ-બિયરને લઈને કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે કે આ દારૂનો નાશ કરવાના બદલે દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં જ્યાં દારૂબંધી નથી ત્યાં તેને હરાજીથી વેચી દેવામાં આવે અને તેની જે રકમ મળે તેને પોલીસ અથવા તો પોલીસ પરિવારના વેલફેર ફંડમાં વાપરવામાં આવે કે વીરગતિ પામતા જવાનોના પરિવારજનો માટે મદદરૂપ થવામાં આવે. 

    - Advertisement -

    પ્રથમ દ્રષ્ટિએ કોંગ્રેસ નેતાનો આ વિચાર પવિત્ર અને સારો લાગે તેવો છે પરંતુ પોલીસ પરિવારને કે વીરગતિને પ્રાપ્ત જવાનોના પરિવારોને અન્ય રીતે પણ મદદરૂપ થઇ જ શકાય તેમ છે અને મદદ થઇ પણ રહી છે. એ તો નાગરિકોની અને સરકારની ફરજ કહેવાય. એ બીજી રીતે થઇ શકે, એના માટે દારૂ જ વિકલ્પ હોય તેમ નથી. 

    દેશનાં ઘણાં રાજ્યોમાં દારૂબંધી નથી એ વાત સાચી છે પરંતુ તેનો અર્થ એ નથી થતો કે ત્યાં દારૂ સ્વાસ્થ્ય માટે સારો છે. ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય માટે જ દારૂ હાનિકારક હોય અને સરહદ પાર કરીને મહારાષ્ટ્ર જાઓ તો ત્યાં એ ફાયદાકારક એમ ન હોય! એટલું જ કે ત્યાં દારૂબંધી નથી, પરંતુ દારૂ ત્યાં પણ હાનિકારક જ છે. 

    દારૂને બીજાં રાજ્યોમાં વેચીને, સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપીને ગુજરાતે પાપમાં શું કામ પડવું જોઈએ? એવું તો છે નહીં કે ત્યાં જઈને એ સારો બની જશે. ટૂંકમાં, દારૂનો નાશ થાય એ જ સૌથી અગત્યની બાબત છે. લલિતભાઈની ભાવના સારી છે, પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ વિચારીએ તો જે થઇ રહ્યું છે તે બરાબર જ થઇ રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં