પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચાલતા ભાષા વિવાદ વચ્ચે શનિવારે (5 જુલાઈ) શિવસેના (UBT) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા. લગભગ વીસ વર્ષ પછી ઠાકરેબંધુઓ ફરી એક વખત સાથે જોવા મળ્યા છે.
Mumbai: Shiv Sena (UBT) Chief Uddhav Thackeray says, "We have come together to stay together"
— ANI (@ANI) July 5, 2025
Uddhav Thackeray faction (UBT) and Maharashtra Navnirman Sena (MNS) are holding a joint rally at Worli Dome in Mumbai, after the Maharashtra government scrapped two GRs to introduce… pic.twitter.com/h9X4gs5VTg
બંને નેતાઓએ એક સંયુક્ત રેલી સંબોધિત કરી, જેને ‘મરાઠી વિજય રેલી’ નામ આપવામાં આવ્યું હતું. મંચ પર ઉદ્ધવ અને રાજ એકસાથે જોવા મળ્યા, ત્યારબાદ બંનેએ સંબોધન પણ કર્યું.
સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ ભવિષ્યના ગઠબંધનના પણ સંકેત આપ્યા અને કહ્યું કે, “અમે સાથે આવ્યા છીએ, એકસાથે રહેવા માટે. અમે સાથે રહીએ એ મહત્ત્વપૂર્ણ છે. અમારી અને રાજ વચ્ચે જે અંતર હતું, તે અમુક લોકોએ દૂર કરી દીધું છે. મરાઠીનું અપમાન સાંખી લેવામાં નહીં આવે.
રાજ ઠાકરેએ કહ્યું કે, “મેં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈ પણ રાજકારણ કે લડાઈથી મોટું છે. આજે 20 વર્ષ પછી હું અને ઉદ્ધવ સાથે આવ્યા છીએ. જે બાળાસાહેબ ન કરી શક્યા, એ દેવેન્દ્ર ફડણવીસે કર્યું– અમને બંનેને સાથે કરવાનું કામ.” ત્યારબાદ બંને નેતાઓએ રાજ્યની ફડણવીસ સરકાર અને કેન્દ્ર સરકાર પર આરોપો લગાવ્યા હતા.