તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને યુવા નેતા અન્નામલાઈએ (Annamalai) ગુરુવારે (26 ડિસેમ્બર) એલાન કર્યું કે જ્યાં સુધી DMKને સત્તામાંથી ઉખાડી ન ફેંકે ત્યાં સુધી તેઓ પગરખાં પહેરશે નહીં. અન્ના યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સાથે યૌન ઉત્પીડન મામલે તમિલનાડુ સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં તેમણે આ ઘોષણા કરી હતી.
આ મામલો 23 ડિસેમ્બરનો છે. ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં એક 19 વર્ષીય વિદ્યાર્થિનીનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે એકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
On behalf of @BJP4TamilNadu, we have today written a letter to @NCWIndia seeking strenuous action against the persons involved in this detestable act of revealing the victim's identity to the general public, the State Police Department for their willful negligence, and also… pic.twitter.com/HTxZuBcJgt
— K.Annamalai (@annamalai_k) December 26, 2024
આ કેસને લઈને એક તરફ જ્યાં ભાજપ અધ્યક્ષ અન્નમલાઈએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા તો બીજી તરફ FIR કૉપીના માધ્યમથી પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ પોલીસને ફટકાર લગાવી હતી. તેમણે આ મામલે મહિલા આયોગને એક પત્ર પણ લખ્યો છે.
Tamil Nadu BJP President K Annamalai says, "Tomorrow, I will hold a protest in front of my house, where I will whip myself 6 times. Starting from tomorrow, I will fast for 48 days and appeal to the six-armed Murugan. Tomorrow, a protest will be held in front of the house of every… pic.twitter.com/wMjnc0KV23
— ANI (@ANI) December 26, 2024
ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એલાન કર્યું કે, જ્યાં સુધી DMKને સત્તામાંથી ઉખાડી ન ફેંકે ત્યાં સુધી પોતે પગરખાં પહેરશે નહીં. તેમજ આવતીકાલથી ઘરની બહાર પ્રદર્શન કરશે, પોતાને જ ચાબુક મારશે અને 48 દિવસ સુધી ઉપવાસ કરશે. તેમણે કહ્યું કે, હવે આ સરકારનો અંત આવવો જોઈએ.