સંસદે બનાવેલા કાયદા પર સુપ્રીમ કોર્ટનાં સલાહસૂચન અને રાષ્ટ્રપતિને પણ સમયમર્યાદા આપવાની સર્વોચ્ચ અદાલતની ચેષ્ટાની ચર્ચાઓ ચારેકોર છે ત્યારે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ એક પોસ્ટ કરીને કહ્યું કે, જો કાયદા બનાવવાનું કામ પણ સુપ્રીમ કોર્ટે જ કરવાનું હોય તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ.
દુબેએ એક એક્સ પોસ્ટમાં લખ્યું કે, “કાયદો જો સુપ્રીમ કોર્ટ જ બનાવવાની હોય તો પછી સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ.”
क़ानून यदि सुप्रीम कोर्ट ही बनाएगा तो संसद भवन बंद कर देना चाहिये
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 19, 2025
આ લખાયાની ક્ષણે તેમની પોસ્ટ પર સાડા ત્રણ લાખ વ્યૂ આવી ચૂક્યા છે. 13 હજાર લોકોએ પોસ્ટ લાઈક કરી છે. સાડા ત્રણ હજાર વખત રીપોસ્ટ થઈ અને દોઢેક હજાર લોકોએ નીચે ચર્ચા કરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ એક સંબોધનમાં સુપ્રીમ કોર્ટના જજો પર આકરા શબ્દોમાં ટિપ્પણીઓ કરી હતી અને રાષ્ટ્રપતિને સૂચના આપવાના ચુકાદા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે દિલ્હી હાઇકોર્ટના જજ સંબંધિત કૅશ કાંડ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.