Tuesday, April 29, 2025
More

    ચંડોળાના મેગા ડિમોલિશન સામે હાઇકોર્ટ પહોંચી ગયો મુસ્લિમ પક્ષ, કોર્ટે 11 વાગ્યે નક્કી કરી દીધી સુનાવણી પણ: રાતોરાત અદાલતમાં 18 અરજીઓ દાખલ

    બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ગઢ ગણાતા ચંડોળા તળાવમાં ગુજરાત સરકારે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે. સરકારી જમીન પરની તમામ ગેરકાયદે મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી રહી છે. તેવામાં ત્યાંનાં 18 સ્થાનિકો હાઇકોર્ટ પહોંચી ગયા છે. હજુ તો કાર્યવાહી થાય તે પહેલાં જ તેઓ રાતોરાત હાઇકોર્ટમાં અરજી કરી આવ્યા હતા.

    આ મામલે 29 એપ્રિલે 11 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવે તેવા સમાચાર છે. ચંડોળા વિસ્તારના સ્થાનિકોએ હાઇકોર્ટમાં રાતોરાત 18 અરજીઓ કરી હતી અને બુલડોઝર કાર્યવાહીને અટકાવવાની માંગણી કરી હતી. અરજીમાં એવી દલીલ પણ કરાઈ હતી કે, ઘણા લોકો 60 વર્ષથી તે જમીન પર રહે છે અને હજુ સુધી નક્કી નથી થયું કે તેઓ વિદેશી કે બાંગ્લાદેશી છે. આ મામલે વધુ સુનાવણી 11 વાગ્યે થશે તેવી માહિતી સામે આવી રહી છે.

    વધુમાં અરજીમાં તત્કાળ સુનાવણીની માંગણી કરવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે, કોઈપણ જાતની નોટિસ વગર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બડા ચંડોળા, શાહઆલમ, નવાબનગર અને ફૂલગીરીના છાપરાના રહેવાસીઓએ હાઇકોર્ટમાં આ અરજી કરી હોવાનું સામે આવ્યું છે.