બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ગઢ ગણાતા ચંડોળા તળાવમાં ગુજરાત સરકારે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે. સરકારી જમીન પરની તમામ ગેરકાયદે મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી રહી છે. તેવામાં ત્યાંનાં 18 સ્થાનિકો હાઇકોર્ટ પહોંચી ગયા છે. હજુ તો કાર્યવાહી થાય તે પહેલાં જ તેઓ રાતોરાત હાઇકોર્ટમાં અરજી કરી આવ્યા હતા.
#Ahmedabad :
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 29, 2025
ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી પહેલા નવો વળાંક.
રાતોરાત 18 સ્થાનિકોએ સંભવિત ડિમોલીશન કામગીરી સામે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર.#દાદાનું_બુલડોઝર | #Bangladeshi | #ChandolaLake | @AhmedabadPolice
Report: @JournoJayesh
Anchor: @JigarThakar_NC pic.twitter.com/bEbimd7ZfC
આ મામલે 29 એપ્રિલે 11 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવે તેવા સમાચાર છે. ચંડોળા વિસ્તારના સ્થાનિકોએ હાઇકોર્ટમાં રાતોરાત 18 અરજીઓ કરી હતી અને બુલડોઝર કાર્યવાહીને અટકાવવાની માંગણી કરી હતી. અરજીમાં એવી દલીલ પણ કરાઈ હતી કે, ઘણા લોકો 60 વર્ષથી તે જમીન પર રહે છે અને હજુ સુધી નક્કી નથી થયું કે તેઓ વિદેશી કે બાંગ્લાદેશી છે. આ મામલે વધુ સુનાવણી 11 વાગ્યે થશે તેવી માહિતી સામે આવી રહી છે.
ચંડોળા ડિમોલિશન મુદ્દે 18 અરજદારોએ હાઇકોર્ટમાં કરી અરજી #Ahmedabad #ChandolaLake #Demolition #SandeshNews pic.twitter.com/yUuZnqlD0x
— Sandesh (@sandeshnews) April 29, 2025
વધુમાં અરજીમાં તત્કાળ સુનાવણીની માંગણી કરવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે, કોઈપણ જાતની નોટિસ વગર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બડા ચંડોળા, શાહઆલમ, નવાબનગર અને ફૂલગીરીના છાપરાના રહેવાસીઓએ હાઇકોર્ટમાં આ અરજી કરી હોવાનું સામે આવ્યું છે.