ચંડોળા તળાવ ડિમોલિશનને ગુજરાત હાઇકોર્ટની લીલી ઝંડી મળી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીઓ ફગાવી દીધી છે. હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. જે મામલે જાહેર રજા હોવા છતાં સુનાવણી થઈ હતી. આખરે હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી છે.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે કહ્યું હતું કે, સરકારી પ્રોપર્ટી પરથી ગેરકાયદે બાંધકામ હટાવવા નોટિસની કોઈ જરૂર નથી. ચંડોળા તળાવ ખાતેથી અગાઉ કેટલાક લોકો આતંકી સંગઠનો સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ નેશનલ સિક્યુરિટી માટે જોખમ છે.
સરકાર અને અરજદારોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સરકારને ડિમોલિશન કાર્યવાહી માટેની લીલી ઝંડી આપી દીધી છે. હવે આ વિસ્તારમાં સરકાર ખુલ્લીને ડિમોલિશન કરી શકે છે. કોર્ટે મુસ્લિમ પક્ષની તમામ દલીલો ફગાવી દેતા હવે સરકારને મોકળું મેદાન મળી ગયું છે.