Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન'ખબર નથી 9 સપ્ટેમ્બરે શું થશે': 'લાલ સિંહ ચઢ્ઢા'ની હાલત જોઈને સ્તબ્ધ...

    ‘ખબર નથી 9 સપ્ટેમ્બરે શું થશે’: ‘લાલ સિંહ ચઢ્ઢા’ની હાલત જોઈને સ્તબ્ધ કરણ જોહરે ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટરને અગાઉથી જ આપી સાંત્વના

    શું કરણ જોહર રિલીઝ પહેલા જ 'બ્રહ્માસ્ત્ર' ફ્લોપ થવાથી ચિંતિત છે? દિગ્દર્શક અયાન મુખર્જીને તેમના સંદેશમાં આ પ્રતિબિંબિત થાય છે.

    - Advertisement -

    શું કરણ જોહર રિલીઝ પહેલા જ ‘બ્રહ્માસ્ત્ર’ ફ્લોપ થવાથી ચિંતિત છે? દિગ્દર્શક અયાન મુખર્જીને તેમના સંદેશમાં આ પ્રતિબિંબિત થાય છે. ‘ખબર નથી 9 સપ્ટેમ્બરે શું થશે’ ની ચિંતા સાથે કારણે આપી ડિરેક્ટર અયાન મુખરજીને જન્મદિવસની શુભકામનાઓ.

    નોંધનીય છે કે કરણ જોહર ‘બ્રહ્માસ્ત્ર’ના નિર્માતા છે, જ્યારે અયાન મુખર્જી તેના નિર્દેશક છે. રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ ઉપરાંત આ ફિલ્મમાં પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન અને દક્ષિણ અભિનેતા નાગાર્જુન પણ છે. કરણ જોહરે અયાન મુખર્જીના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ લખી હતી.

    આ પોસ્ટમાં તેણે પ્રેમને મજબૂત લાગણી અને ભાવના ગણાવી અને લખ્યું કે તે એવી વસ્તુ છે કે તેને વહેંચી શકાય છે, પરંતુ તે હજુ પણ વિપુલ પ્રમાણમાં રહે છે. તેણે અયાન મુખર્જી માટે ‘આઈ લવ યુ’ લખ્યું અને કહ્યું કે તે તેના માટે તેટલો જ ‘રક્ષણાત્મક’ અનુભવે છે જેટલો તે તેના ટ્વિન્સ માટે કરે છે. તેણે દાવો કર્યો હતો કે અયાન મુખર્જીએ તેની કારકિર્દીનો આખો દશક ‘બ્રહ્માસ્ત્ર’ માટે સમર્પિત કર્યો હતો.

    - Advertisement -

    કરણ જોહરે આ પોસ્ટમાં લખ્યું છે કે, “મેં ક્યારેય કોઈને જોયો નથી કે તમે જે રીતે કર્યું છે તેટલી મહેનત પ્રોજેક્ટ પર લગાવી હોય. આપણે આ ક્ષણે કલ્પના કરી શકતા નથી કે આવતીકાલે શું થશે અથવા સપ્ટેમ્બર 9 (ફિલ્મની રિલીઝ તારીખ) અમારા માટે શું લઈને આવશે. પરંતુ તમારી પ્રતિબદ્ધતા અને સખત મહેનત પહેલેથી જ વિજય છે. તમે ઉડતા રહો બસ તમારું ધ્યેય ઊંચું રાખવાનું રાખો. જો તમે તમારા સ્વપ્નમાં વિશ્વાસ કરો છો, તો તે વાસ્તવિકતા બની જાય છે, અને હું જાણું છું કે તમે તેમાં વિશ્વાસ કરો છો.”

    કરણ જોહરના આ નિવેદનથી સ્પષ્ટ છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા‘ના સુપર ફ્લોપ થયા પછી તેને ખબર નથી 9 સપ્ટેમ્બરે શું થશે તેનો ડર પણ છે. પહેલા જે ફિલ્મી હસ્તીઓ પોતાની ફિલ્મોને લઈને અભિમાનમાં રહેતી હતી, આજે તેઓ ભવિષ્યની અનિશ્ચિતતાઓ વિશે વાત કરી રહી છે. કરીના કપૂર પણ પહેલા કહેતી હતી કે ‘અમારી ફિલ્મ ન જુઓ, જબરદસ્તી થોડી છે.’ હવે તે જ કરીના તે જ લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં