ભારતમાં અખબાર ગુજરાત સમાચારના (Gujarat Samachar) X હેન્ડલ પર પ્રતિબંધ ઝીંકી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર તપાસ કરતા ગુજરાત સમાચારનું X હેન્ડલ વિથહેલ્ડ (Withheld) થયેલું જોવા મળી રહ્યું છે. જોકે, ગુજરાત સમાચાર તરફથી આ વિશે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. પરંતુ સોશિયલ મીડિયા પર તેની ચોતરફ ચર્ચા થઈ રહી છે. આ મુદ્દા પર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પોસ્ટ પણ જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગુજરાત સમાચારનું અકાઉન્ટ ખોલતાં જ ‘લીગલ ડિમાન્ડ’ના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો સંદેશ લખેલો આવે છે. જોકે, ગુજરાત સમાચારનું એકાઉન્ટ કયાં કારણસોસર ‘વિથહેલ્ડ’ કરવામાં આવ્યું છે તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી કે ન તો અખબારે કોઈ સ્પષ્ટતા કરી છે. પરંતુ ઈન્ટરનેટ પર એ વિશે ચર્ચા ચાલી રહી છે.
શું થયું ?
— Pranav Vasavada 🇮🇳 (@PMvasavada) May 6, 2025
ફૂંકી માર્યું !!#સનનનનનન
સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર નેટિઝન્સ પોસ્ટ કરી રહ્યા છે, જેમાં તેઓ ‘ફૂંકી માર્યું’ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ લખી રહ્યા છે કે, ગુજરાત સમાચારનું X એકાઉન્ડ ‘ફૂંકી મારવામાં’ આવ્યું છે તો કોઈ વળી ફૂંકાઈ ગયેલા X હેન્ડલના સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે. આ શબ્દો વાપરવા પાછળ પણ એક કારણ જવાબદાર છે.
ગુજરાત સમાચારનું ટ્વીટર એકાઉન્ટ ફૂંકી માર્યું 🙃 pic.twitter.com/rrQbCxOy5B
— Paras Shah (@parashah91) May 6, 2025
કારણ એ છે કે, આ જ ગુજરાત સમાચારે એક સમાચારના રિપોર્ટિંગ દરમિયાન વીરગતિ પામેલા અમર જવાનોનું અપમાન કર્યું હતું. તે સમયે અખબારે જે શબ્દો વાપર્યા હતા, હવે તે જ શબ્દો બેકફાયર થઈ રહ્યા છે અને તેના માટે જ વાપરવામાં આવી રહ્યા છે. અખબારમાં ભારતીય સેનાના જવાનોના અપમાનને લોકો ભૂલ્યા નથી એ ગુજરાત સમાચારને યાદ કરાવવામાં આવી રહ્યું છે.
Strike on Gujarat Samachar handle as well 🤣🤣
— Bhavesh Lodha (@bhav2406) May 7, 2025
ગુજરાત સમાચારને ફૂંકી માર્યુ 😁 pic.twitter.com/qegYUJF7rA

વિગતે વાત કરીએ તો હાલની આ સ્થિતિનું મૂળ છેક 2017માં પડ્યું છે. એપ્રિલ 2017માં સમાચાર સામે આવ્યા હતા કે, છત્તીસગઢમાં નક્સલવાદીઓ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં 26 જવાનો વીરગતિ પામ્યા હતા. દેશભરમાં વિરગત જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી અને દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું. તેવા સમયે આ ગુજરાત સમાચારે વિવાદિત હેડલાઇન સાથે આ દુઃખદ સમાચાર પોતાના અખબારના પહેલા પાને છાપ્યા હતા.
ગુજરાત સમાચારે પહેલા પાને લખ્યું હતું કે, “નક્સલીઓએ 26 જવાનોને ફૂંકી માર્યા.” આ હેડિંગ સાથેના સમાચાર સામે આવ્યા બાદ આખા રાજ્યમાં ગુજરાત સમાચારનો વિરોધ થયો હતો અને બહિષ્કાર કરવા સુધી વાત પહોંચી ગઈ હતી. સેનાના જવાનોએ દેશના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપીને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી અને ગુજરાત સમાચારે ‘ફૂંકી માર્યા’ જેવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરીને વિરગત જવાનોનું અપમાન કર્યું હતું.

સામાન્ય રીતે મીડિયામાં ‘ફૂંકી માર્યા’ શબ્દો આતંકીઓ કે નક્સલવાદીઓનાં મોત બાદ લખવામાં આવતા હોય છે. પરંતુ ગુજરાત સમાચારે તે જ શબ્દોનો ઉપયોગ વિરગત જવાનો માટે કર્યો હતો. જેના કારણે રાજ્યભરમાં વિરોધ થયો હતો અને ગુજરાત સમાચારની ટીકા પણ થઈ હતી. હવે જ્યારે તેનું X એકાઉન્ટ ‘વિથહેલ્ડ’ થઈ ગયું છે ત્યારે નેટિઝન્સ ગુજરાત સમાચારને તેના એ જ રિપોર્ટિંગની યાદ અપાવી રહ્યા છે અને ‘ફૂંકાઈ ગયું’ જેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે.

જોકે, ગુજરાત સમાચાર અવારનવાર પોતાના અહેવાલોને લઈને વિવાદમાં રહે છે. ખાસ કરીને તેનો મોદીદ્વેષ બહુ જાણીતો છે. તાજા ભૂતકાળમાં જ AIના સહારે આ અખબારે મોદી પર કાદવ ઉછાળવા માટે અડધા પાનાનો રિપોર્ટ છાપી માર્યો હતો. તે પહેલાં કેજરીવાલ અને મોદી વચ્ચે હાસ્યાસ્પદ સરખામણી કરી હતી. આ અખબાર આ જ એક્સ હેન્ડલ પરથી ફેક ન્યૂઝ પણ ફેલાવી ચૂક્યું છે. ખાતું હાલ પ્રતિબંધિત જોવા મળે છે. બની શકે કે થોડા દિવસોમાં રિસ્ટોર પણ થઈ જાય. ન થાય તો અખબારે કાયમને માટે એક્સ પરથી દુકાન સંકેલી લેવાનો વારો આવશે.