તાજેતરમાં જ અમુક મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પર યુઝરોએ એવો દાવો કર્યો કે કેન્દ્ર સરકાર UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગુ કરવાનો વિચાર કરી રહી છે. દાવા મુજબ, 2,000થી વધુના UPI ટ્રાન્સઝેક્શન પર 18% GST લાગશે. ET Nowએ 18 એપ્રિલના રોજ ‘2,000 રૂપિયાથી વધુની UPI ચૂકવણી અથવા વ્યવહારો પર GST? નિષ્ણાતો શું કહે છે’ શીર્ષક સાથે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેના કારણે આ અફવાઓને વધુ વેગ મળ્યો.
ત્યારપછી ભાજપ અને સરકારવિરોધી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ દાવાને ઇંધણ પૂરું પાડ્યું અને સરકાર આરોપ લગાવ્યો કે સરકાર કરદાતાઓ પર નકામો બોજ વધારી રહી છે. આ જ દરમિયાન જવાહરલાલ નહેરુ સટાયર નામક યુઝરે નાણામંત્રી નિર્મલા સીતારમણના ફોટાવાળું મીમ પોસ્ટ કર્યું અને વ્યંગ્યપૂર્ણ ટિપ્પણીઓ કરતાં દાવાને આગળ વધાર્યો.
Beta Nirmala, I’m hearing rumors about an 18% GST on UPI transactions above ₹2,000. Please let me know beforehand—so I can take the blame! 🥲 pic.twitter.com/OIhmwxtBVl
— Jawaharlal Nehru (Satire) (@The_Nehru) April 18, 2025
આ ઉપરાંત AAP તરફી હેન્ડલ @kapsologyએ પણ એક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું, “ફક્ત વ્હાઇટ મની ધરાવતા લોકો જ ચૂકવણી માટે UPIનો ઉપયોગ કરે છે. સરકારે તે પૈસા ખર્ચાય તે પહેલાં જ તેના પર ટેક્સ લાદી દીધો છે. તેઓ UPI દ્વારા ખરીદેલી પ્રોડક્ટ/સર્વિસ પર પણ GST ચૂકવે છે. હવે સરકાર UPI વ્યવહારો પર પણ GST વસૂલવા માંગે છે.”
Only people with white money use UPI for payments.
— Kapil (@kapsology) April 18, 2025
That money has already been taxed by the government before they can spend it.
They also pay GST on the product/Service they're purchasing via UPI
Now, the government wants to charge GST on the UPI transaction itself as well. https://t.co/Px4MzwbUov
આ સિવાય ‘ક્રિપ્ટો એજયુકેટર’ સુમિત કપૂરે ET નાઉનો અહેવાલ શેર કરતાં લખ્યું કે, “આ ફેરફાર દૈનિક ખર્ચ પર નોંધપાત્ર અસર કરશે, ખાસ કરીને નાના વ્યવસાયો, ફ્રીલાન્સર્સ અને મધ્યમ વર્ગના પરિવારો પર.”
સોશિયલ મીડિયા યુઝર્સે કથિત GST પ્રસ્તાવ પર આક્રોશ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે, પરંતુ સત્ય એ છે કે ET Nowનો અહેવાલ ફક્ત અટકળો પર આધારિત છે અને અહેવાલમાં ‘પ્રસ્તાવ’ પર કોઈ સરકારી સ્ત્રોત ટાંકવામાં આવ્યો નથી, અને તેને ‘કાલ્પનિક પરિસ્થિતિ’ કહેવામાં આવી છે. રિપોર્ટના પહેલા જ ફકરામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, “પરંતુ જો વ્યવહારો પર 18 ટકા GST લાદવામાં આવે તો તમે શું કરશો, શું તમે દૈનિક ચૂકવણી માટે UPIનો ઉપયોગ ચાલુ રાખશો કે ફરીથી રોકડમાં વ્યવહારો કરશો? આ હાલમાં એક કાલ્પનિક પરિસ્થિતિ લાગે છે, કારણ કે સરકાર આપણા દેશમાં ડિજિટલ અર્થતંત્ર અને UPIના સ્કેલને પ્રોત્સાહન આપી રહી છે.”
🚨NEW UPI GST RULE🚨
— Sumit Kapoor (@moneygurusumit) April 17, 2025
▪️Indian govt is reportedly considering imposing Goods & Services Tax on UPI transactions exceeding ₹2,000.
▪️The change will drastically impact daily spending, especially for small businesses, freelancers, and middle-class families.
Digital India 🇮🇳 ? pic.twitter.com/3keYB7Swr8
ત્યારબાદ અહેવાલમાં ઉલ્લેખ છે કે, “UPI પર GST ચર્ચાનો વિષય છે કારણ કે ઘણા અહેવાલો સૂચવે છે કે UPI પેમેન્ટ અથવા 2,000થી વધુના ટ્રાન્સઝેક્શન પર GST વસૂલવામાં આવશે.”
જોકે, વાસ્તવિકતા એવી છે કે આ કહેવાતા બિઝનેસ અને ફાઇનાન્સ પોર્ટલે કરેલ રિપોર્ટિંગ સંપૂર્ણપણે ખોટું છે, કારણ કે 2000થી વધુના UPI ટ્રાન્સઝેક્શન પર GST વસૂલવાની ક્યારેય વાત થઈ નથી. માની લઈએ કે કોઈ GST વસૂલવામાં પણ આવે, તો પણ તે UPI ચૂકવણી પરના સર્વિસ ચાર્જ પર હશે, ટ્રાન્સઝેક્શન પર નહીં.
નોંધનીય છે કે પેમેન્ટ એગ્રીગેટર્સ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ જેવા કેશલેસ ટ્રાન્ઝેક્શન પર 0.5%થી 2% સુધીનો ચાર્જ વસૂલ કરે છે, જેને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કહેવામાં આવે છે. પરંતુ આ હાલમાં UPI પેમેન્ટ પર લાગુ પડતું નથી. RuPay ક્રેડિટ કાર્ડ પણ હવે આ ચાર્જથી મુક્ત છે. UPI સર્વિસ પ્રદાતાઓ તેમના ખર્ચ વસૂલ કરી શકે તે માટે UPI પેમેન્ટ પર MDR દાખલ કરવાનો પ્રસ્તાવ છે, પરંતુ તે હજુ સુધી અમલમાં મૂકવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે, ₹2,000થી વધુના ચોક્કસ UPI વ્યવહારો પર 1.1% સર્વિસ ચાર્જ લાગુ પડે છે, બધા પર નહીં. આ ચાર્જ UPI-લિંક્ડ વોલેટ્સ અથવા ક્રેડિટ કાર્ડ્સ જેવા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) દ્વારા કરવામાં આવતી ચૂકવણી પર વસૂલવામાં આવે છે. આ ચાર્જ ગ્રાહકે નહીં, પણ વેપારીએ ચૂકવવાનો હોય છે.
.@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023
➡️There is no charge on normal UPI transactions.
➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj
તેથી, જ્યારે કોઈ ગ્રાહક UPI એપ દ્વારા વોલેટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ₹2000થી વધુની ચૂકવણી કરે ત્યારે પેમેન્ટ એગ્રીગેટર્સ વેપારી પાસેથી 1.1% ફી વસૂલ કરે છે, જે ક્રેડિટ કાર્ડ ચૂકવણી માટે લેવામાં આવતી ફી જેટલી જ છે. આ એક સર્વિસ ચાર્જ હોવાથી તેના પર 18% GST લાગે છે, જે GST હેઠળની સર્વિસ માટેનો દર છે.
હાલમાં અન્ય UPI પેમેન્ટ પર કોઈ સર્વિસ ચાર્જ નથી, અને તેથી તેમના પર GSTનો કોઈ પ્રશ્ન જ સર્જાતો નથી. નોંધનીય છે કે, સરકારના મતે 1% કરતાં ઓછા UPI પેમેન્ટ વોલેટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, તેથી મોટાભાગની ચૂકવણી, લગભગ 99.9%થી વધુ, કોઈપણ પ્રકારના સર્વિસ ચાર્જથી મુક્ત છે. નિયમો સ્પષ્ટ કરે છે કે ગ્રાહકોએ પીયર ટુ પીયર (P2P) અને પીયર ટુ મર્ચન્ટ (P2M) બંને વ્યવહારો માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
P2P ટ્રાન્ઝેક્શન એટલે UPIનો ઉપયોગ કરીને બે વ્યક્તિઓ વચ્ચે મની ટ્રાન્સફર, જેમાં કોઈ વ્યવસાયિક વ્યવહાર સામેલ નથી. હાલમાં ₹2000થી ઓછા ડિજિટલ પેમેન્ટને GST ચૂકવવાથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, GST કાઉન્સિલે ગયા વર્ષે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ₹2,000થી ઓછા વ્યવહારોના MDR પર 18% GST વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ હજુ સુધી આ દરખાસ્તનો અમલ થયો નથી. UPI પેમેન્ટ પર MDR વસૂલવાની કોઈ વાત નથી, જેથી તેના પર GSTનો કોઈ પ્રસ્તાવ નથી.