હોમપેજરાજકારણકોંગ્રેસના અદાણી વિરુદ્ધના અભિયાનનો ચીનને ફાયદો: કેન્યાના નૈરોબી એરપોર્ટ પ્રોજેક્ટમાંથી બહાર થયું...

કોંગ્રેસના અદાણી વિરુદ્ધના અભિયાનનો ચીનને ફાયદો: કેન્યાના નૈરોબી એરપોર્ટ પ્રોજેક્ટમાંથી બહાર થયું ભારત, ચીની કંપનીને 50% વધુ ખર્ચે સોંપાયું ટેન્ડર

ભારત માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આફ્રિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સમાં ભારતની હાજરી સતત વધી રહી હતી. બીજી તરફ, ચીન માટે આ ડીલ આફ્રિકામાં પોતાની આર્થિક અને વ્યૂહાત્મક પકડ મજબૂત કરવાની વધુ એક મોટી તક માનવામાં આવી રહી છે.

- Advertisement -

કેન્યાની રાજધાની નૈરોબીનું ‘જોમો કેન્યાટા ઇન્ટરનેશનલ એરપોર્ટ’ આજકાલ એક મોટા વિવાદને કારણે ચર્ચામાં છે. કેન્યા સરકાર લાંબા સમયથી આ એરપોર્ટનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવા ઈચ્છતી હતી.

શરૂઆતમાં એવી ચર્ચા હતી કે આ પ્રોજેક્ટ ભારતની અદાણી ગ્રુપને મળશે, પરંતુ બાદમાં સરકારે આ કામ એક ચીની સરકારી કંપનીને સોંપી દીધું. હવે સરકારના આ નિર્ણય પર આર્થિક, રાજકીય અને વ્યૂહાત્મક (strategic) સ્તરે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

અદાણી ગ્રુપે આપી હતી સસ્તી ઓફર

અહેવાલો અનુસાર અદાણી ગ્રુપ આ એરપોર્ટના વિકાસ માટે આશરે $2 અબજનું (આશરે ₹1.9 લાખ કરોડ) રોકાણ કરવા તૈયાર હતું. આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ પ્રસ્તાવિત હતો.

- Advertisement -

આ મોડલનો અર્થ એ હતો કે પ્રોજેક્ટમાં મોટું રોકાણ ખાનગી કંપની કરત, જેથી કેન્યા સરકાર પર દેવાનો વધારાનો બોજ ન પડત. આ મોડલનો બીજો ફાયદો એ પણ હતો કે સરકારને કરદાતાઓના (taxpayers) પૈસાથી પ્રોજેક્ટનો ખર્ચ ઉઠાવવો ન પડત અને દેશ પર નવું દેવું કરવાનું દબાણ ઓછું રહેત.

તો પછી ચીનને આ પ્રોજેક્ટ કેવી રીતે મળ્યો?

બાદમાં કેન્યા સરકારે આ પ્રોજેક્ટ ચીનની એક સરકારી કંપનીને સોંપી દીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની કંપની આ કામ માટે આશરે $2.9 અબજ (આશરે ₹24,000 થી ₹25,500 કરોડ) લઈ રહી છે. આ રકમ અદાણી ગ્રુપની ઓફર કરતાં લગભગ 50 ટકા વધુ છે.

આ જ કારણે હવે સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે ઓછી કિંમતનો વિકલ્પ હાજર હતો તો પછી વધુ મોંઘી ઓફરને કેમ પસંદ કરવામાં આવી? વિવેચકોનું કહેવું છે કે આ નિર્ણય પાછળ માત્ર આર્થિક કારણો નથી, પરંતુ રાજકીય અને વ્યૂહાત્મક કારણો પણ હોઈ શકે છે.

ભારતીય રાજકારણ અને વિવાદની અસર?

આ મામલાના તાર ભારતના રાજકારણ સાથે પણ જોડવામાં આવી રહ્યા છે. સપ્ટેમ્બર 2024માં કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્યામાં અદાણીના પ્રોજેક્ટ સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર અને અદાણી ગ્રુપ પર સવાલો ઉઠાવ્યા હતા.

અહેવાલો અનુસાર અદાણી ગ્રુપને લઈને થયેલા વિવાદો અને રાજકીય માહોલે કેન્યામાં આ પ્રોજેક્ટને ઘણો સંવેદનશીલ બનાવી દીધો હતો. વિવેચકોનું કહેવું છે કે આ જ કારણોસર ચીની કંપનીને તક મળી અને તેણે આ મોટો કોન્ટ્રાક્ટ પોતાના નામે કરી લીધો.

ફેક પ્રેસ રિલીઝ અને ઈન્ફોર્મેશન વોરની ચર્ચા

આ વિવાદ દરમિયાન સપ્ટેમ્બર 2024માં અદાણી ગ્રુપના નામે એક કથિત પ્રેસ રિલીઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેમાં કેન્યાના અધિકારીઓને ધમકી આપવા જેવી વાતો લખવામાં આવી હતી. જોકે, બાદમાં અદાણી ગ્રુપે આ પ્રેસ રિલીઝને સંપૂર્ણપણે ફેક ગણાવી હતી.

આ ઉપરાંત મે 2026માં ફ્રાન્સની સરકારી એજન્સી ‘વિઝિનમ’એ (Viginum) દાવો કર્યો હતો કે ચીનના સરકારી બ્રોડકાસ્ટર CGTN સાથે જોડાયેલા કેટલાક નેટવર્ક AIની મદદથી ચીનના સમર્થનમાં નેરેટિવ ફેલાવવાનું કામ કરી રહ્યા હતા. આ ખુલાસા બાદ પ્રોપગેન્ડા અને ‘માહિતી યુદ્ધ’ને (Information War) લઈને પણ એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કેન્યા, ભારત અને ચીન માટે આના શું અર્થ છે?

નિષ્ણાતોનું માનવું છે કે આ સમગ્ર મામલામાં સૌથી મોટું જોખમ કેન્યા સામે છે. જો પ્રોજેક્ટનો ખર્ચ વધારે રહેશે તો સરકારને વધારાનું દેવું લેવું પડી શકે છે, જેનો સીધો બોજ દેશના નાગરિકો અને કરદાતાઓ પર પડશે.

ભારત માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આફ્રિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સમાં ભારતની હાજરી સતત વધી રહી હતી. બીજી તરફ, ચીન માટે આ ડીલ આફ્રિકામાં પોતાની આર્થિક અને વ્યૂહાત્મક પકડ મજબૂત કરવાની વધુ એક મોટી તક માનવામાં આવી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં