જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે ઇસ્લામિક આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર ઘાતક (Pahalgam Terrorist Attack) હુમલો કર્યો, જેમાં અનેક હિંદુઓની નિર્મમ હત્યા કરવામાં આવી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પ્રવાસીઓની ઓળખ કરવા માટે નામ પૂછ્યા, ધર્મ પૂછ્યો, ત્યાં સુધી તો પુરુષોના કપડાં ઉતારાવીને શારીરિક તપાસ કરી અને હિદુઓને ઓળખી ઓળખીને તેમની હત્યા હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશ આઘાતમાં છે. દેશભરમાં લોકો શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ હુમલાની નિંદા થઈ રહી છે.
બીજી તરફ આ દુઃખદ ઘટનાની વચ્ચે, કથિત પત્રકાર સબા નકવીએ (Saba Naqvi) રાજનીતિના રોટલાં શેકવાનું કામ કર્યું છે. તેણે X પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. જ્યારે આખો દેશ પહલગામ હુમલાના શોકમાં ડૂબેલો છે, ત્યારે સબા નકવીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સની ભારત મુલાકાત પર અસંવેદનશીલ ટિપ્પણી કરી. તેણે લખ્યું, “શું જે.ડી. વેન્સ હજુ પણ ભારતમાં પારિવારિક પ્રવાસ પર જશે અને પર્યટન સ્થળોના ફોટોગ્રાફ્સ લેશે? કે પછી આ ક્ષણની ગંભીરતા બધા આનંદિત ફોટાનો અંત લાવી દેશે…?”
Will J.D.Vance still go on family trips and photo ops at tourist sites in India? Or the grimness of the moment upends all happy picture…
— Saba Naqvi (@_sabanaqvi) April 22, 2025
નેટિઝન્સ આ પોસ્ટને અસંવેદનશીલ અને રાષ્ટ્રીય શોકના સમયે રાજકીય કટાક્ષ ગણાવી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે તેમની આ ટિપ્પણીને ‘શરમજનક’ અને ‘નિંદનીય’ ગણાવી હતી. એક યુઝરે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “તું મને ઘૃણાસ્પદ લાગે છે. તારા અવાજમાં આનંદ સ્પષ્ટ દેખાય છે. હું તારા જેવા લોકોને તમે જે વિચારધારાનું સમર્થન કરી રહ્યા છો એના જેટલા જ ગુનેગાર, કટ્ટર અને એટલા જ ક્રૂર માનું છું.”
@_sabanaqvi you disgust me. The glee in your voice is unmistakable. I hold your sort as guilty, as bigoted as barbaric as the ideology you defend.
— Nandini 🇮🇳 (@NAN_DINI_) April 22, 2025
નોંધનીય છે કે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સ હાલમાં તેમના પરિવાર સાથે ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેમના પત્ની હિંદુ ધર્મના છે. આવા સંજોગોમાં, સબા નકવીની આ પોસ્ટ માત્ર વેન્સની મુલાકાત પર કટાક્ષ જ નહીં, પરંતુ હુમલાના શોકમાં ડૂબેલા દેશની લાગણીઓનું અપમાન જેવું છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ ટિપ્પણીને રાજકીય લાભ માટે શોકનો દુરુપયોગ ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાની નિંદા કરવામાં આવી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા PM મોદી જે 22 એપ્રિલે સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા તે પણ તાત્કાલિક 22 એપ્રિલની રાત્રે જ પરત આવવા રવાના થઈ ગયા હતા અને ભારત પહોંચી ગયા છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પર પીડિતો સાથે મુલાકાત કરવાના છે.