Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતદલિત મહિલા 6 મહિના સુધી બની બળાત્કારનો ભોગ: ગાંધીધામના પડાણામાં ઈસ્માઈલે છરીની...

    દલિત મહિલા 6 મહિના સુધી બની બળાત્કારનો ભોગ: ગાંધીધામના પડાણામાં ઈસ્માઈલે છરીની અણીએ હિંદુ પરિણીતાનું શરીર ચૂંથ્યું, ફરિયાદ બાદ ધરપકડ

    આરોપી મોડી રાત્રે પીડિતાના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ તેણે છરી બતાવીને મહિલાના કપડાં ફાડી નાખ્યાં હતાં અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો જાગી જતા તેણે તેમને પણ મારી નાંખવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    કચ્છથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીધામના પડાણામાં ઇન્દિરા આવાસમાં રહેતી હિંદુ હિંદુ પરિણીતા પર છરીની અણીએ બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ઘટનામાં આરોપી ઈસ્માઈલ ગંઢની ધરપકડ કરવામાં આવી છે. તેવા વિરુદ્ધ ફરિયાદ છે કે તે છેલ્લા 6 મહિનાથી મહિલા અને તેના પરિવારને હત્યાની ધમકી આપી બળાત્કાર કરી રહ્યો હતો. અંતે પરિવારે ત્રાસીને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગાંધીધામ B ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

    મળતી માહિતી અનુસાર ગાંધીધામના પડાણાના ઈસ્માઈલે સતત 6 મહિના સુધી હિંદુ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર 6 મહિના પહેલાં ઈસ્માઈલે પડાણાના ઇન્દિરા નગરમાં રહેતી દલિત હિંદુ મહિલાના ઘરમાં અડધી રાત્રે ઘૂસી જઈ છરી બતાવીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણે પરિણીતાને અને તેના પરિવારને ધમકી આપી હતી કે જો તે આ વિશે કોઈને જાણ કરશે તો તે તેને અને તેના પરિવારને જાનથી મારી નાંખશે. ત્યારબાદ તે અવારનવાર પરિણીતાનું શરીર ચૂંથવા ઘરમાં ઘૂસી જતો હતો.

    આ મામલે નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપી મોડી રાત્રે પીડિતાના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ તેણે છરી બતાવીને મહિલાના કપડાં ફાડી નાંખ્યા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો જાગી જતા તેણે તેમને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપી માથાભારે હોવાની છાપ ધરાવતો હોવાના કારણે પરિવારે ડરના માર્યા તેનો પ્રતિકાર નહોતો કર્યો. પીડિત પરિવાર તાબામાં આવી જતા ઈસ્માઈલને છૂટો દોર મળી ગયો હતો. તે અવારનવાર તેમના ઘરમાં ઘૂસી અપશબ્દો અને જાતિસૂચક શબ્દો બોલી ધાક-ધમકી આપીને હિંદુ પરિણીતા પર દુષ્કર્મ આચરતો હતો.

    - Advertisement -

    પીડિતા અને તેના પરિવારે અનેક વાર ઈસ્માઈલને આમ ન કરવા આજીજી કરવામાં આવી, તે છતાં તેનો ત્રાસ સતત ચાલુ રહેતા પરિવારે ત્રાસીને પોલીસ ફરિયાદ દાખલ કરવાની હિંમત ભેગી કરી હતી. પીડિત પરિવારે ગાંધીધામના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ઈસ્માઈલની ધરપકડ કરી લીધી હતી.

    આ મામલે ઑપઇન્ડિયાએ ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ત્યાંથી જાણવા મળ્યું હતું કે આરોપી ઈસ્માઈલ ગંઢ વિરુદ્ધ બળાત્કાર તેમજ એટ્રોસિટી અંતર્ગતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહિલાની ફરિયાદ મુજબ તપાસ શરૂ કરી દીધી છે તેમજ આજે આરોપીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. ગાંધીધામના પડાણામાં ઈસ્માઈલે છરીની અણીએ હિંદુ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની આ ઘટનામાં DYSP પોતે કેસની તપાસ કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં