Saturday, April 27, 2024
More
    હોમપેજદેશઇસ્લામ છોડીને હિંદુ બનેલી 23 વર્ષીય યુવતીને તેના 4 મામુ અને મૌલાનાએ...

    ઇસ્લામ છોડીને હિંદુ બનેલી 23 વર્ષીય યુવતીને તેના 4 મામુ અને મૌલાનાએ પીંખી: નગ્ન કરીને ટ્રેનમાં બેસાડી, પીડિતાએ કહ્યું- મસ્જિદ એટલે વ્યભિચારનો અડ્ડો

    તેણે નાદરબાગના મડૈયા વિસ્તારમાં જામિયા મસ્જિદના ઇમામને પોતાની આંખોથી છોકરીઓની સપ્લાય કરતા અને તેમની સાથે બળાત્કાર કરતા જોયો હતો. પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે ઇમામના ત્યાં ઘણા કોન્ડોમ પડેલા પણ જોયા હતા, જેને તેણે એક વીડિયો પણ બનાવ્યો છે.

    - Advertisement -

    દેશની રાજધાની દિલ્હીમાં ઘર વાપસી કરીને મુસ્લિમમાંથી હિંદુ બનેલી એક યુવતીએ પોતાના સબંધીઓ વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. મેકપ આર્ટિસ્ટ અને ફેશન ડિઝાઈનર તરીકે કામ કરે છે. પીડિતાનો દાવો છે કે તેણે એક મસ્જિદના મૌલાના દ્વારા યુવતીઓના બળાત્કારને પોતાની આંખે જોયા બાદ ઇસ્લામ ત્યજવાની નિર્ણય લીધો હતો. પીડિતની આરોપ છે કે તેની સાથે ગેંગ રેપ કરનારમાં તેના 4 મામા અને એક મૌલાના શામેલ છે.

    જૂની દિલ્હી પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદમાં 23 વર્ષીય પીડિતાએ જણાવ્યું છે કે તે મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાની રહેવાસી છે. તે 3 વર્ષથી મુંબઇમાં મેકઅપ આર્ટિસ્ટ અને ફેશન ડિઝાઈનર તરીકે કામ કરી રહી છે. પીડિતાએ જણાવ્યું કે તેના પિતાનું મોત 2012માં થયું હતું. ઘરમાં માતા અને જોડિયા બહેન છે. અબ્બાના મોત બાદ પીડિતા મુરાદાબાદ જિલ્લાના દીપપુર ગામમાં મોટી થઇ હતી. આ તેના કાકાનું ગામ છે. અહીં પીડિતાને બાળપણમાં મદરેસામાં ભણાવવામાં આવી હતી.

    ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે મુરાદાબાદમાં તેના મામા અનવર હુસેન અને મામા મહેબૂબ અલીના નામે લગભગ 350 વીઘા જમીન છે. નાના અને અન્ય મામાના મૃત્યુ બાદ પીડિતાની માઅમ્મી આ જમીનની વારસદાર છે. પીડિતાની અમ્મીના પિતરાઇ ભાઇઓ ઇમ્તિયાઝ, ઇરફાન, અફસર અને અસરાર હુસૈનની નજર પણ આ જમીન પર છે. આ ચારેયે પીડિતાની અમ્મીને લગભગ 14 વર્ષ સુધી પોતાના કબ્જામાં રાખી હતી. પીડિતાને જ્યારે મુંબઈમાં નોકરી મળી ત્યારે તેણે પોતાની અમ્મીને ચારેયની ચુંગાલમાંથી બચાવી લીધી હતી અને લગભગ 9 મહિના પહેલા તેને પોતાની સાથે લઈ ગઈ હતી.

    - Advertisement -

    પીડિતા 29 ફેબ્રુઆરી 2024ના રોજ તેની જમીનના કાગળો તૈયાર કરવા માટે મુંબઇથી મુરાદાબાદ આવી હતી. તે તમામ કાગળો કાઢીને 13 માર્ચ 2024ના રોજ કોર્ટ છોડીને જઈ રહી હતી. આ દરમિયાન પીડિતાના પિતરાઈ મામુ ઇમ્તિયાઝ, ઇરફાન, અફસર અને અસરાર હુસૈને રસ્તામાંથી તેનું અપહરણ કર્યું હતું. તેઓએ પીડિતાને બંધક બનાવી અને તેને તેમના ગામ લઈ ગયા. અહીં તેઓએ પીડિતાને બેલ્ટ ઉપરાંત ગડદા-પાટુંનો માર માર્યો હતો. બાદમાં ચારેયે વારાફરતી પીડિતા સાથે ગેંગરેપ કર્યો હતો.

    ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેને બંધક બનાવવામાં આવી તે દરમિયાન લતીફ, મૌલાના ઇરફાન, હાજી આસિફ અને ઝાકીર એમ ચારેય આરોપીઓના ઓળખીતા લોકો પણ ત્યાં આવ્યા હતા. આ તમામે પીડિતા સાથે સતત 2 દિવસ સુધી ગેંગરેપ પણ કર્યો હતો. પીડિતાના બળાત્કાર દરમિયાન તેને એવા સ્થાનો પર મારવામાં આવી જ્યાં તેણે હિંદુ દેવતાના ટેટૂ કરાવ્યા હતા. ગેંગરેપ બાદ આરોપીઓએ પીડિતાના તમામ કપડાં કાઢીને તેને નગ્ન હાલતમાં દિલ્હી જતી ટ્રેનમાં બેસાડી દીધી હતી. આ દરમિયાન પીડિતા સાથે બુરખો પહેરીને આવેલા 4 છોકરાઓ પણ બેઠા હતા, જેમની પાસે હથિયાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    ત્યાર બાદ ટ્રેન જૂની દિલ્હીમાં રોકાઈ હતી અને પીડિતા ભાગીને પોતાનો જીવ બચાવમાં સફળ રહી. પીડિતાની ફરિયાદ પર દિલ્હી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 376 ડી, 342, 365 અને 34 હેઠળ કાર્યવાહી કરી છે. ઘટના વિસ્તાર ઉત્તર પ્રદેશનો રામપુર હોવાથી આ કેસને આગળની કાર્યવાહી માટે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના શહજાદ નગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

    યુવતીનો આરોપ છે કે તેને ટ્રેનમાં બેસાડવા પાછળનો હેતુ તેને ટ્રેક પર ફેંકીને તેની હત્યા કરવાનું ષડયંત્ર હતું. પીડિતાએ પોતાનો જીવ બચાવવા માટે ભગવાન કૃષ્ણનો આભાર પણ માન્યો છે. ઑપઇન્ડિયા પાસે એફઆઇઆરની નકલ ઉપલબ્ધ છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતા પીડિતાના વકીલ સંગીતા તલવારે કહ્યું કે, હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી. તમામ આરોપીઓ ફરાર છે.

    એક વર્ષ પહેલા કરી હરી ઘર વાપસી

    ઑપઇન્ડિયા પાસે પીડિતાનો દાવો કરતા ઘણા વીડિયો છે. એક વીડિયોમાં પીડિતાએ દાવો કર્યો હતો કે, તેણે એક વર્ષ પહેલા જ ઘર વાપસી કરી હતી અને હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો. તેણે કહ્યું કે તેણે નાદરબાગના મડૈયા વિસ્તારમાં જામિયા મસ્જિદના ઇમામને પોતાની આંખોથી છોકરીઓની સપ્લાય કરતા અને તેમની સાથે બળાત્કાર કરતા જોયો હતો. પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે ઇમામના ત્યાં ઘણા કોન્ડોમ પડેલા પણ જોયા હતા, જેને તેણે એક વીડિયો પણ બનાવ્યો છે.

    પીડિતાનો એવો પણ દાવો છે કે તે ગામમાં હિંદુઓના મોત બાદ તેમને સળગાવવાને બદલે દફનાવવામાં આવે છે. વીડિયોમાં યુવતીએ જણાવ્યું છે કે, મસ્જિદમાં થતા ગેરકાયદે કામો સામે પણ ફરિયાદ આપી છે. એક વીડિયોમાં ઈમામને હિંદુ ધર્મ અંગીકાર કરનારાને ઈસ્લામમાં આકરી સજાની માગણી કરતા પણ સાંભળી શકાય છે. અન્ય એક વિડિયોમાં મૌલાનાને પીડિતાને ‘તૌબા’ કરવાનું કહેતા પણ સાંભળી શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં