Friday, April 3, 2026
More
    Home Blog Page 355

    બોરસદમાં નહેરમાંથી સતત મળી રહેલા ગૌવંશના અંગોને લઈને પ્રચંડ જનાક્રોશ: મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હિંદુઓ, ત્વરિત કાર્યવાહીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર

    રક્ષાબંધનના પવિત્ર દિવસે બોરસદના વનતળાવ પાસેથી ટેકરીયાપુરા જતી નહેરમાંથી મૃત ગૌવંશનું માથું મળી આવ્યું હતું. જે બાદ સ્થાનિક હિંદુઓ નહેર પાસે એકઠા થયા હતા અને આ મામલે કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી. પરંતુ તેમ છતાં સતત બીજા દિવસે એટલે કે મંગળવારે (20 ઑગસ્ટ) પણ બોરસદમાં આવી જ ઘટના બની હતી. જ્યાંથી ગાયનું માથું મળી આવ્યું હતું, તેના થોડે દૂર જ કોઈ ગાયનું ચામડું પણ ફેંકી ગયું હતું. નોંધનીય છે કે, વનતળાવ પાસેની આ નહેરથી જ આસપાસના ઘણા ગામોને પીવાનું પાણી મળે રહે છે અને તેમાં જ ગૌવંશનું માથું મળી આવતા આસપાસના હજારો હિંદુ પરિવારોની આસ્થાને ઠેસ પહોંચી છે. હવે આ જ મામલે બુધવારે (21 ઑગસ્ટ) બોરસદમાં પ્રચંડ જન આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.

    બોરસદમાં ગૌવંશ હત્યા અને તેના માથાને નહેરમાં ફેંકવાની ઘટનાને લઈને બોરસદ શહેર સહિત સમગ્ર વિસ્તારમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બુધવારે વિવિધ હિંદુ સંગઠનોએ ગૌવંશને બચાવવા અને આરોપીઓની તત્કાલીન ધરપકડ કરવાની માંગણી સાથે રેલી યોજી હતી અને બોરસદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા સાથે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

    આ મામલે વિવિધ હિંદુ સંગઠનોએ એક થઈને બોરસદ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે બોરસદમાં ગૌહત્યાને બંધ કરાવવા માટેની માંગણી પણ કરી હતી. ‘ગૌહત્યાને બંધ કરો’ તથા ‘જય જય શ્રીરામ’ના નારા સાથે મોટી સંખ્યામાં હિંદુ સમાજના આગેવાનો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને ઉગ્ર માંગણી કરી હતી.

    કતલખાના બંધ કરાવી તાત્કાલિક કાર્યવાહીની માંગણી

    વિવિધ હિંદુ સંગઠનોએ મામલતદારને આવેદનપત્ર આપીને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે, આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ ન બને એ માટેના જરૂરી તમામ પગલાં લેવા જોઈએ. પત્રમાં વધુમાં લખ્યું છે કે, “હિંદુઓનો પવિત્ર મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. તેમાં આ ઘટનાથી સમગ્ર હિંદુ સમાજની લાગણીઓ દુભાઈ છે. તેથી આ મામલે ગેરકાયદેસર કતલખાના તેમજ આબુબાજુના વિસ્તારમાં, ખુલ્લા ખેતરોમાં, અવાવરુ જગ્યાઓ કે અન્ય જગ્યાઓ પર ચાલી રહેલા કતલખાના બંધ કરવા હુકમ કરવામાં આવવો જોઈએ.”

    આ સાથે પત્રમાં કહેવાયું છે કે, અગાઉ પણ બોરસદ શહેરમાં આવી ઘટનાઓ બનવા પામી હતી. તેથી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કડક અને ત્વરિત કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. હિંદુ સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે તાલુકા મામલતદારને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો વહેલી તકે આ અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હિંદુ સમાજ આંદોલન કરશે અને લોકો રસ્તા પર ઉતરી આવશે.

    પ્રશાસનને 10 દિવસનું આપ્યું અલ્ટિમેટમ

    ઑપઇન્ડિયાએ વિશ્વ હિંદુ પરિષદના પ્રખંડ મંત્રી મેહુલ પટેલેનો સંપર્ક કરીને ઘટના વિશેની માહિતી મેળવી હતી. મેહુલ પટેલે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ઘટનાને પગલે બોરસદના હિંદુઓમાં વિરોધનો આખો જુવાળ ઊભો થયો છે. તેથી હિંદુઓએ એક થઈને આ મામલે આવેદનપત્ર આપ્યું છે.” તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં બોરસદ બંધના એલાન વિશે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હિંદુ તહેવારોને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં હિંદુઓએ એકઠા થઈને આવેદનપત્ર આપવા જવાનો નિર્ણય લીધો હતો.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાને લઈને પ્રશાસનને 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું છે. તેમણે કહ્યું કે, “અમે પ્રશાસનને વિનંતી કરી છે કે, આ ઘટના મામલે ઝડપી તપાસ કરવામાં આવે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે અને હિંદુ તહેવારો વચ્ચે હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે, તેને તત્કાલીન ધોરણે સજા મળે તે માટેની માંગણી પણ કરવામાં આવી છે.” આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ અગાઉ પણ બોરસદમાં આવી ઘટનાઓ બનવા પામી હતી. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં બોરસદમાં ગૌરક્ષકો પર હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી હતી, હવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પ્રશાસન પાસે ફરતી પોલીસ ચોકીની પણ માંગણી કરવામાં આવી છે.

    મેહુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “રખડતાં પશુઓને પણ નિયંત્રણમાં લેવાની માંગણી કરી છે, જેના કારણે ગૌહત્યા કરી રહેલા લોકો પણ નિયંત્રણમાં આવે અને તેમને મોકળું મેદાન મળતું બંધ થઈ જાય. આ ઉપરાંત ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે.” આ સાથે તેમણે નહેરમાંથી મળી આવેલા ગૌવંશના અંગોને લઈને કહ્યું હતું કે, “હજારો હિંદુઓની લાગણીઓ દુભાવનારી તે ઘટનાને લઈને અમે કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સ્થાનિક હિંદુઓ અને હિંદુ સંગઠનો આ મામલે વધુ કાર્યવાહી કરવા માટે પણ તૈયાર છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આખા આણંદ જિલ્લામાં સૌથી વધુ ગૌહત્યા બોરસદમાં થઈ રહી છે. બોરસદમાં આવા કેસ વધુ હોવાના કારણે વિશેષ ધ્યાન આપવાની પણ તેમણે માંગ કરી છે.

    મુસ્લિમ સહપાઠીએ હિંદુ વિદ્યાર્થીને છરી મારીને કર્યો હતો જીવલેણ હુમલો, પણ ‘ધ વાયરે’ ‘ઇન્જરી’ લખીને પતાવ્યું: હિંદુ સંગઠનો પર લગાવી દીધો ઘટનાને ‘સાંપ્રદાયિક રંગ’ આપવાનો આરોપ

    તાજેતરમાં જ ઉદયપુરમાં એક ઘટના સામે આવી, જેમાં એક સરકારી શાળાની બહાર એક હિંદુ વિદ્યાર્થીને તેની સાથે જ ભણતા મુસ્લિમ વિદ્યાર્થીએ છરી મારી દીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ બાળકને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ચાર દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ આખરે તેણે દમ તોડી દીધો. તેના મૃત્યુથી ઉદયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં આક્રોશ છે ત્યારે બીજી તરફ વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ આ ઘટનામાં પણ બદમાશી કરતું પકડાયું છે. 

    પોર્ટલે 19 ઑગસ્ટે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેનું મથાળું છે- ‘ઈઝ ધીસ જસ્ટિસ?’: મુસ્લિમ ઓટો ડ્રાઈવર્સ હાઉસ બુલડોઝ્ડ આફ્ટર ટેનેટ્સ માઇનર સન ઇન્જરીસ ક્લાસમેટ.’ ગુજરાતીમાં આ પ્રમાણે કરી શકાય- ‘શું આ ન્યાય છે?’: ભાડુઆતના દીકરાએ સહપાઠીને ઈજાગ્રસ્ત કરી દીધા બાદ મુસ્લિમ રિક્ષાચાલકનું ઘર તોડી પડાયું.’

    ઉદયપુરની ઘટના પર ‘ધ વાયર’નો રિપોર્ટ

    અહીં ખાસ ધ્યાન આપવા જેવો શબ્દ ‘ઇન્જરિસ’ છે. અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ થાય- ઈજા પહોંચાડવી. જ્યારે ખરેખર તો બાળકની હત્યા થઈ છે. જે દિવસે વાયરનો રિપોર્ટ પ્રકાશિત થયો તે જ દિવસે સમાચાર સામે આવ્યા હતા કે ઇજાગ્રસ્ત હિંદુ બાળક બચી શક્યો નથી. આટલી સારવાર બાદ પણ જો તે ન બચી શક્યો હોય તો કલ્પના કરવી કઠિન નથી કે કઈ રીતે તેની ઉપર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હશે. પરંતુ તેમ છતાં આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં વાયરે લેખ અપડેટ કરીને બાળક મૃત્યુ પામ્યો હોવાની જાણકારી આપી નથી. 

    ઉપરથી લેખના મથાળામાં માત્ર ‘ઇન્જરી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે ખરેખર તો આ એક જીવલેણ હુમલો હતો અને હવે તો હત્યા કહી શકાય. માની પણ લેવામાં આવે કે વાયરનો રિપોર્ટ લખતી વખતે બાળક હજુ સારવાર હેઠળ હતો, પરંતુ તેમ છતાં ‘ઇન્જરી’ શબ્દ સીધી રીતે ઘટનાની ગંભીરતા ઓછી કરી નાખે છે. વાંચીને લાગ્યા વગર રહે નહીં કે બે બાળકો વચ્ચેનો ઝઘડો હશે અને તેમાં નાની-મોટી ઈજા પહોંચી હોવી જોઈએ. ઉપરાંત લેખમાં શબ્દ વાપરવામાં આવ્યો છે ‘એલેજેડલી’, એટલે કે કથિત રીતે. જ્યારે હકીકતે તો આ ઘટના બની તે કેમેરામાં પણ કેદ થઈ હતી. 

    બીજી તરફ, આરોપી વિદ્યાર્થી જ્યાં રહેતો હતો તે મકાન પર બુલડોઝર કાર્યવાહી થયા બાદ વાયરે મુસ્લિમ મકાનમાલિકની ‘આપવીતી’થી લેખની અડધી જગ્યા ભરી દીધી છે. લેખની શરૂઆત જ એ રીતે થાય છે કે કઈ રીતે મુસ્લિમ વ્યક્તિએ લાખો રૂપિયા ખર્ચીને મકાન ખરીદ્યું હતું અને હવે તેને આંખ સામે ધ્વસ્ત થતાં જોયું. લેખમાં બુલડોઝર કાર્યવાહી સામે વાંધો ઉઠાવતાં મકાન માલિકનાં કથનો પ્રકાશિત કરવામાં આવ્યાં છે. 

    હિંદુ સંગઠનો પર લગાવી દેવામાં આવ્યો આરોપ

    આગળ લેખમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાને ‘સાંપ્રદાયિક સ્વરૂપ’ આપવાનો આરોપ હિંદુ સંગઠનો પર લગાવી દેવામાં આવ્યો છે. લેખમાં લખવામાં આવ્યું- ‘હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શનો કર્યા બાદ સગીર આરોપી (મુસ્લિમ) અને સગીર પીડિત (હિંદુ)- બંને વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ સાંપ્રદાયિક સ્વરૂપ ધારણ કરી લીધું.’ આગળ એ જણાવવામાં આવ્યું કે કઈ રીતે આક્રોશિત ટોળાએ અનેક કારને આગ લગાવી દીધી અને માર્કેટ બંધ કરાવી દીધાં. જેના કારણે ઉદયપુર જિલ્લા તંત્રે વધુ લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવીને મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી હતી.

    આડકતરી રીતે બુલડોઝર એક્શન માટે દોષ હિંદુ સંગઠનો અને ભાજપ નેતાઓ પર પણ નાખવામાં આવ્યો, જેમાં લખવામાં આવ્યું કે, હિંદુ સંગઠનો સહિતનાં આક્રોશિત જૂથોએ હૉસ્પિટલની બહાર એકઠા થઈને ‘બુલડોઝર એક્શન’ની માંગ કરી હતી અને ત્યારબાદ તેને જનપ્રતિનિધિઓ તરફથી પણ બળ મળ્યું. આગળ ધારાસભ્યોનાં કથન ટાંકવામાં આવ્યાં હતાં, જેમાં તેમણે બુલડોઝર કાર્યવાહીની માંગ કરી હતી. 

    શું બની હતી ઘટના?

    નોંધનીય છે કે આ ઘટના રાજસ્થાનના ઉદયપુરની છે. અહીં ગત 16 ઑગસ્ટના રોજ એક મુસ્લિમ વિદ્યાર્થીએ સાથે ભણતા એક હિંદુ વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. ત્યારબાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ, લોહીલુહાણ હાલતમાં પીડિત વિદ્યાર્થીને હૉસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારબાદ આક્રોશિત હિંદુઓએ ન્યાયની માંગ સાથે પ્રદર્શનો પણ કર્યાં હતાં. જેના કારણે તંત્રએ અમુક કાર્યવાહી કરી હતી. પીડિત વિદ્યાર્થી ચાર દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ રક્ષાબંધનના દિવસે મૃત્યુ પામ્યો. તે પહેલાં આગલા દિવસે સ્થાનિક તંત્રે આરોપી વિદ્યાર્થી જ્યાં રહેતો હતો તે મકાન ગેરકાયદેસર અને સરકારી જમીન પર બનેલું હોવાનું સામે આવતાં બુલડોઝર ફેરવીને તોડી પાડ્યું હતું. 

    ‘હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત’: હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય શંકરાચાર્ય, કહ્યું- સરકાર જમીન-સુરક્ષા આપે, ભોજનની વ્યવસ્થા અમે કરીશું

    કથિત વિદ્યાર્થી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી. ત્યારે ભારતના ચાર મઠોના શંકરાચાર્યોએ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સાથે સરકારને મદદ કરવા માટે અપીલ કરીને પોતે પણ હાથ લંબાવ્યા છે. તમામ સંતોએ કહ્યું કે, તાત્કાલિક આ હુમલા બંધ થવા જોઈએ અને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવવી જોઈએ.

    જ્યોતિર્મઠના શંકરાચાર્યએ સરકારને પગલાં લેવા કરી વિનંતી

    જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં ઇસ્લામવાદીઓના હુમલાનો ભોગ બની રહેલા હિંદુઓને બચાવવા માટે પગલાં લેવા ભારત સરકારને વિનંતી કરી હતી. બાંગ્લાદેશી હિંદુઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઇ પણ દેશમાં અત્યાચારનો સામનો કરી રહેલા હિંદુઓનું હિંદુઓની ભૂમિ ભારતમાં સ્વાગત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. ઉપરાંત તેમણે કહ્યું હતું કે “બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. બાંગ્લાદેશ સરકારે એ ન ભૂલવું જોઈએ કે હજારો બાંગ્લાદેશીઓ ભારતમાં રહે છે. અમે ભારત સરકારને બાંગલાદેશમાં પીડિત હિંદુઓને ભારતમાં જમીન અને સુરક્ષા આપવા કરવા વિનંતી કરીએ છીએ. તેમના ખોરાક અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન અમે રાખીશું, સરકાર પર તેનો કોઇ બોજ નહીં પડે.”

    ગોવર્ધન પીઠના શંકરાચાર્યએ હિંસાને ગણાવી ચીનનું ષડયંત્ર

    પુરી ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ સમગ્ર મામલને ચીનનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે “શાંતિ દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ આવે છે. હિંદુઓ શાંતિપ્રિય લોકો છે. જો હિંદુઓ સુરક્ષિત હશે તો દેશ સુરક્ષિત રહેશે. બાંગ્લાદેશમાં આવી હિંસા એ ચીનનું ષડયંત્ર છે. ચીનમાં મસ્જિદોનો નાશ કરવામાં આવી રહ્યો છે અને મુસ્લિમોને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. હવે ચીન ભારતને અસ્થિર કરવા માટે બાંગ્લાદેશનો ઉપયોગ કરી રહ્યું છે. જો બાંગ્લાદેશ આને સમજવામાં નિષ્ફળ જશે, તો આવનારા દિવસોમાં તેનું અસ્તિત્વ ખતમ થઈ જશે.”

    શારદા મઠના શંકરાચાર્યે બંને દેશની સરકારોને વાતચીત કરવા કહ્યું

    આ મામલે દ્વારકામાં આવેલા શારદા મઠના શંકરાચાર્યએ પણ અવાજ ઉઠાવ્યો હતો. શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, “ભારત અને બાંગ્લાદેશની સરકારોએ મળીને હિંદુઓની દુર્દશા અંગે ચર્ચા કરવી જોઈએ. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ ખૂબ ખરાબ છે. છેલ્લાં 50 વર્ષથી હિંદુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તે યોગ્ય નથી. તેમનો શું વાંક? શા માટે તેમને પસંદગીપૂર્વક મારવામાં આવે છે? શા માટે તેમનાં મંદિરો ધ્વસ્ત કરવામાં આવે છે? આ સમસ્યાનો ઉકેલ જલ્દીથી શોધવો જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો આ સામાન્ય બાબત બની જશે અને પછી જ્યારે-જ્યારે વિશ્વમાં ક્યાંય પણ હિંદુઓના માથે જોખમ સર્જાય ત્યારે તેમની મદદે કોઇ પણ નહીં આવે.”

    કાંચીના શંકરાચાર્યે કરી શાંતિ માટે પ્રાર્થના

    કાંચીના શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા બાદ બાંગ્લાદેશમાં શાંતિ અને સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપના માટે પ્રાર્થના કરી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. તેમણે બાંગ્લાદેશમાં શાંતિ, સલામતી અને સ્થિરતા માટે આહવાન કર્યું હતું, જેમાં હિંદુઓની નોંધપાત્ર વસ્તી અને શક્તિપીઠ ઢાકેશ્વરી મંદિર સહિત વિવિધ ઐતિહાસિક હિંદુ મંદિરોના અસ્તિત્વ પર ભાર મૂક્યો હતો.

    ભગવાન શ્રીકૃષ્ણએ વિકસાવી હતી જે ભવ્ય પ્રાચીન દ્વારકા, તે ફરી થશે જીવંત: બેટ દ્વારકાની વિશ્વસ્તરીય કાયાપલટ કરવા માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન- જાણો કઈ રીતે થશે વિકાસ

    વડાપ્રધાન મોદીએ ગત ફેબ્રુઆરીમાં દ્વારકાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. સુદર્શન સેતુના લોકાર્પણ બાદથી દ્વારકામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે. આ સાથે જ લોકોમાં પ્રાચીન દ્વારકાને જાણવાનો અને માણવાનો ક્રેઝ પણ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. તેથી લોકો દ્વારકા અને બેટ દ્વારકાની યાત્રા પર દૂરદૂરથી આવી રહ્યા છે. આ તમામ લોકોને ‘વર્લ્ડ ક્લાસ’ સુવિધા આપવા માટે હવે રાજ્ય સરકાર પણ તૈયાર થઈ ગઈ છે. અહીં આવતા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે માટે ‘ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ’ દ્વારા ‘વર્લ્ડ ક્લાસ’ લેવલે બેટ દ્વારકાની કાયાપલટ કરવામાં આવશે. જેમાં ત્રણ તબક્કામાં કરોડોના ખર્ચે મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.

    ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી દ્વારકાની મુલાકાતે દિનપ્રતિદિન પ્રવાસીઓ આવી રહ્યા છે અને તેમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. તેથી હવે બેટ દ્વારકાની વિશ્વ સ્તરે કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ‘ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડે’ બેટ દ્વારકા દ્વીપના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે INI ડિઝાઇનની નિમણૂક કરી હતી. જે બાદ મહિનાઓ સુધી રિસર્ચ કરીને વર્લ્ડ ક્લાસ લેવલે INS ડિઝાઇને બેટ દ્વારકાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં પહેલા ફેઝ માટે સરકાર દ્વારા ₹150 કરોડ ફાળવી પણ દેવાયા છે. આવનારા સમયમાં ફેઝ 2 અને ફેઝ 3નું પણ ડેવલપમેન્ટ થશે. આપણે બેટ દ્વારકાના વિકાસ માટેના આખા માસ્ટર પ્લાનને સરળતાથી સમજવા પ્રયાસ કરીશું.

    બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ- ફેઝ 1

    • દ્વારકાધીશ મંદિર ડેવલપમેન્ટ
    • સ્ટ્રીટ બ્યુટીફીકેશન
    • હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ
    • શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ
    • નોર્થ બીચ ડેવલપમેન્ટ- પબ્લિક બીચ
    • ટુરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર
    • હિલ્લોલ પાર્ક વિથ વ્યૂઈંગ ડેક

    બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ- ફેઝ 2

    • હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ
    • અભય માતા મંદિર અને સનસેટ પાર્ક
    • નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર
    • સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર
    • કોમ્યુનિટી લેક ડેવલપમેન્ટ
    • રોડ એન્ડ સાઈન

    બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ- ફેઝ 3

    • સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ
    • કોમ્યુનિટી લેક ડેવલપમેન્ટ
    • લેક અરાઇવલ પ્લાઝા

    આ ઉપરાંત ભવિષ્યમાં પણ દ્વારકા મંદિરને વિકસિત અને સુવિધાસભર બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવતા રહેશે. આવનારા કેટલાક સમયમાં પર્યટકો માટે મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ વિથ ગાર્ડ ટ્રેનિંગ વગેરે પણ ડેવલપ કરવામાં આવશે. તે સિવાય સબમરીન દ્વારા પ્રવાસીઓને પ્રાચીન દ્વારકાના દર્શન કરાવવાના પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે.

    બેટ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન હોવાનું મનાય છે. હિંદુ પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તેથી ધાર્મિક દ્રષ્ટિની સાથે-સાથે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ સ્થળ ભારતની ભવ્ય ધરોહર માનવામાં આવે છે. જેથી લાખોની સંખ્યામાં પર્યટકો અને શ્રદ્ધાળુઓ અહીં આવતા રહે છે. જેને ધ્યાને લઈને માસ્ટર પ્લાનના ભાગ રૂપે ગુજરાત સરકારે પહેલા તબક્કા માટે ₹150 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેનું ટેન્ડરિંગ વર્ક ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

    ફેઝ 1માં તૈયાર થનારાં મુખ્ય આકર્ષણો

    બેટ દ્વારકા મંદિર પરિસર અને તેની આજુબાજુના પ્રાંગણનો વિકાસ બેટ દ્વારકા ડેવલપમેન્ટના માસ્ટર પ્લાન મુજબ કરાશે. મંદિર પરિસરમાં યાત્રાળુઓ સરળતાથી પ્રવેશી શકે એ માટે ચાર દિશાઓમાં પ્રવેશ દ્વાર બનાવાશે. જેમાં સુદામા સેતુથી બેટ દ્વારકા ગામ તરફ આવતા માર્ગે અને દરિયાઈ રસ્તાથી મુખ્ય પ્રવેશ સુધીના માર્ગ પર મુખ્ય દ્વાર બનાવવામાં આવશે. આ સાથે જ યાત્રાળુઓને વિશેષ અનુભૂતિ કરાવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવશે. આપણે ફેઝ 1ના વિકાસકાર્યોને મુદ્દાસર સમજીશું.

    મંદિર પરિસર અને આસપાસના પ્રાંગણનો વિકાસ

    માસ્ટર પ્લાન અનુસાર, મંદિર પરિસરના વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અનુભવ કરાવવાનો છે. મંદિર પરિસરમાં એન્ટ્રી માટે ચાર અલગ-અલગ દિશાઓમાંથી પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવશે. જેમાં મુખ્ય સેતુથી ગામ તરફ આવતા માર્ગે અને દરિયાઈ માર્ગ પર મુખ્ય પ્રવેશ દ્વાર બનશે. અહીં શ્રદ્ધાળુઓ માટે અલગ-અલગ સુવિધાઓ જેમ કે, મંદિર સામગ્રીને લઈને ચીજ-વસ્તુઓ, ખાણીપીણીની દુકાનો, લોકલ આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરતી દુકાનો અને જીવનજરૂરિયાત વસ્તુઓને લગતી દુકાનો વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલ અને પગરખાં મૂકવાની લૉકર સુવિધા, પ્રસાદ વિતરણ કેન્દ્ર તથા કોમન ટોઈલેટ્સની સુવિધા પણ ઊભી કરાશે. આ સાથે અત્યાધુનિક ફેસીલીટી ધરાવતી ભોજનશાળા અને સભા, ભજન-કીર્તન કરવા માટે બે મલ્ટિપર્પઝ હૉલ પણ બનાવાશે.

    ભગવાન શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર દર્શાવતાં ચિત્રો અને મૂર્તિઓનું પ્રદર્શન

    સૌથી મહત્ત્વનું કે, મંદિરમાં ભીડ ન થાય એ માટે ભાઈઓ અને બહેનોની દર્શન કરવાની લાઈન અલગ બનાવાશે. આ ઉપરાંત દિવ્યાંગોને કોઈ હાલાકી ભોગવવી ના પડે એ રીતે આ માસ્ટર પ્લાન ડિઝાઈન કરાયો છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓને માહિતગાર કરતાં સાઈન બોર્ડ, પાણીની પરબ, કચરા પેટી અને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા પણ કરવામાં આવશે. યાત્રાળુઓની યાત્રા યાદગાર બને તે માટે ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્રના ચિત્રો અથવા મૂર્તિનું પ્રદર્શન પણ થશે.

    નોર્થ બીચ (પદમ બીચ)

    બેટ દ્વારકાનો આ નોર્થ બીચ શિયાળાની ઋતુમાં ‘ડોલ્ફિન’ નિહાળવા માટે જાણીતો છે. અહીં અનોખો ‘પદમ’ નામનો શંખ મળે છે. જેથી આ બીચને ‘પદમ બીચ’ પણ કહેવામાં છે. માસ્ટર પ્લાન મુજબ, આ બીચ પર પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમત-ગમતના સાધનો, બેસવાની સુવિધા અને ટોઈલેટ જેવી ફેસેલિટી ઊભી કરાશે. આ નોર્થ બીચ પર પ્રવાસીઓ મનોરંજન અને સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો માણી શકશે. તે સાથે જ અન્ય સુવિધાઓ પણ બીચ પર વિકસાવવામાં આવશે.

    ટુરિસ્ટ વિઝિટર સેન્ટર

    બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્લાન મુજબ, અહીં ટુરિસ્ટ વિઝિટર સેન્ટર હાલમાં સુદામા સેતુથી મંદિર પરિસર જતાં રસ્તામાં બનાવાશે. જેમાં મંદિરની ઐતિહાસિક માહિતી, બેટ દ્વારકામાં થતી વિવિધ પ્રવૃતિઓની માહિતી અપાશે. એટલું જ નહીં, પરંતુ અહીં વેઇટિંગ એરિયા, ટોઈલેટ્સ, લોકર સુવિધા, ગુજરાતી ફૂડના ચટાકા માણવા માટે એક રેસ્ટોરાં અને હાટ બજાર પણ બનાવાશે. ટુરિસ્ટ વિઝિટર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રિકોને દ્વારકાના ભવ્ય અને મહાન ભૂતકાળની અનુભૂતિ કરાવવાનો છે. એ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ આ સાથે જ જોવા મળશે.

    હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ

    માસ્ટર પ્લાનમાં બેટ દ્વારકાના ઘણા ઐતિહાસિક મંદિરોને જોડતી હેરિટેજ સ્ટ્રીટમાં મુખ્યત્વે દ્વારકાધીશ મંદિર, શંખનારાયણ મંદિર અને હનુમાન દાંડી મંદિરનો સમાવેશ કરાયો છે. આ મંદિરોને જોડતા રસ્તાઓને ‘હેરિટેજ’ થીમ પર ડેવલપ કરાશે. આ સ્ટ્રીટમાં ભીતચિત્રો, મ્યુરલ, ચબુતરા, લેન્ડસ્કેપિંગ, લાઈટ અને બેસવાની સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે. તે સિવાય તેને વર્લ્ડ ક્લાસ લેવલ સુધી વિસ્તારીત કરી શકાશે. ઉપરાંત તેમાં પ્રાથમિકથી લઈને વિશેષ સુવિધાઓ પણ આપવામાં આવશે.

    હિલ્લોલ પાર્ક

    હિલ્લોલ પાર્ક પરથી યાત્રાળુઓ ‘સૂર્યોદય અને સૂર્યાસ્ત’નો નયનરમ્ય નજારો જોઈ શકશે. માસ્ટર પ્લાન મુજબ, આ સ્થળને ‘પબ્લિક પાર્ક’ તરીકે વિકસાવાશે. અહીંથી સુદામા સેતુનો નયનરમ્ય વ્યૂ પણ જોવા મળશે. આ પાર્કમાં પણ ખાણીપીણીના સ્ટોલ, સ્પેશિયલ લેન્ડસ્કેપ, બોર્ડવોક, વોકવે અને કોમન ટોઈલેટ્સ જેવી સુવિધા ઊભી કરાશે. રાજ્ય સરકારના પ્રયાસોથી ધાર્મિક અને પ્રવાસનના સુગમ સંયોગ થકી આ વિસ્તારમાં રોજગારીની વિપુલ તકો પણ ઉપલબ્ધ થશે અને સાથેસાથે સ્થાનિક ઉત્પાદનને વધુને વધુ પ્રોત્સાહન પણ મળશે.

    બેટ દ્વારકાને વર્લ્ડ ક્લાસ લેવલે ડેવલપ કરવાના આ માસ્ટર પ્લાનમાં કુદરતી સંપત્તિના સંરક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આખો પ્લાન કુદરતી અને સાંસ્કૃતિક વારસો જળવાય રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેટક દ્વારા દ્વારકા જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ મળશે અને એકસાથે જ ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળનો લ્હાવો પણ મળશે. ગુજરાત સરકારના આ પ્રોજેક્ટ દ્વારા ધાર્મિક સ્થળને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.

    શાળામાં ફેક NCC કેમ્પ, ભાગ લેવા આવેલી 13 વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ: પ્રિન્સિપલ, આયોજક સહિત અનેકની ધરપકડ; તમિલનાડુના કેસમાં NCWએ લીધું સ્વયં સંજ્ઞાન

    તમિલનાડુની એક શાળામાં ફેક NCC (નેશનલ કેડેટ કોર્પ્સ) કેમ્પ આયોજિત કરીને ત્યાં વિદ્યાર્થિનીઓને બોલાવીને યૌન શોષણ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે કેસ દાખલ કરીને પ્રિન્સિપલ અને શિક્ષકોની ધરપકડ કરી લીધી છે તો બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે સ્વયં સંજ્ઞાન લીધું છે. 

    ઘટના તમિલનાડુના ક્રિષ્નાગિરિની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તપાસમાં સામે આવ્યું કે ખાનગી શાળામાં કોઇ NCC યુનિટ ન હતું, પરંતુ તેમ છતાં કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, એક ખાનગી ગ્રૂપે શાળા સંચાલકોનો સંપર્ક કરીને કહ્યું હતું કે, આ પ્રકારનો કેમ્પ આયોજિત કર્યા બાદ તેઓ NCC યુનિટ માટે ક્વોલિફાય થશે. શાળાએ કોઇ પણ તપાસ કર્યા વગર જ જૂથને કેમ્પ યોજવા માટે પરવાનગી આપી દીધી હતી. ત્રિદિવસીય કેમ્પમાં કુલ 17 વિદ્યાર્થિનીઓ સહિત 41 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

    શાળાના ઑડિટોરિયમના પહેલા માળે વિદ્યાર્થિનીઓ માટે રાત્રિરોકાણની વ્યવસ્થા હતી, જ્યારે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. આરોપ છે કે સુપરવિઝન માટે કોઇ પણ શિક્ષકને જવાબદારી સોંપવામાં આવી ન હતી. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમનું અહીં યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, શાળા સંચાલકોને મામલાની ખબર હોવા છતાં તેમણે પોલીસને જાણ કરવાના સ્થાને મામલો રફેદફે કરવાના પ્રયાસ કર્યા અને બાળકોને પણ બહુ ગંભીરતાથી ન લેવા માટે કહ્યું હતું. 

    પછીથી વિદ્યાર્થિનીઓએ વાલીઓને જાણ કરતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે પછીથી મામલાની તપાસ કરતાં પ્રિન્સિપલ, શિક્ષકો અને કેમ્પનું આયોજન કરનાર સહિત 11 લોકોની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓ સામે POCSO અને BNSની લાગુ પડતી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ગ્રૂપે અન્ય શાળાઓમાં પણ આવા ફેક NCC કેમ્પનું આયોજન કર્યું હતું કે કેમ. બીજી તરફ, વિદ્યાર્થિનીઓની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. 

    મામલો મીડિયામાં સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે સંજ્ઞાન લીધું હતું અને તમિલનાડુ DGPને જાણ કરીને નિષ્પક્ષ અને સમયસર તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. કમિશને આ મામલે વિગતવાર તપાસ કરીને ત્રણ દિવસની અંદર રિપોર્ટ સુપરત કરવા માટે આદેશ આપ્યા છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. 

    32 વર્ષ બાદ અજમેર સેક્સ સ્કેન્ડલના 6 દોષિતોને આજીવન કેદ: કેટલાક તો વિદેશમાં ફરાર, જાણો શું છે તે બહુચર્ચિત કેસ, જેમાં દરગાહના ખાદિમો અને કોંગ્રેસ નેતાઓ પણ હતા ગુનેગાર

    1992ના અજમેર સેક્સ સ્કેન્ડલ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ રંજન સિંઘે 6 ગુનેગારોને સજા સંભળાવી છે. આ તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને દરેકને ₹5 લાખ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 32 વર્ષ જૂના અજમેર સેક્સ સ્કેન્ડલમાં 6 લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. 1992ના આ પ્રકરણને ભારતના કાળા અધ્યાયો પૈકીનો એક ગણવામાં આવે છે. આ કેસમાં અજમેરના દરગાહના ખાદિમો અને કોંગ્રેસના નેતાઓ પણ સામેલ હતા. આખા દેશમાં આ સેક્સ સ્કેન્ડલ કેસના પડઘા પડ્યા હતા અને એક આખું રેકેટ દેશની સામે આવ્યું હતું.

    આ કેસમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટાર્જન, સલીમ ચિશ્તી, ઇકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાજસ્થાનના અજમેર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં આ કેસ અંગેની સુનાવણી ચાલી રહી હતી. ઇકબાલ ભાટીને એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીથી અજમેર લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક દોષિતને તબિયત ઠીક ન હોવાના કારણે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. હવે અજમેર સેક્સ સ્કેન્ડલ કેસ મામલે કોર્ટે 6 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી દીધી છે. બાકીના કેટલાક કેસમાંથી છૂટી ગયા છે તો અન્ય કેટલાક વિદેશ પણ ભાગી ગયા છે.

    શું હતો આ કેસ?

    અજમેર સેક્સ સ્કેન્ડલ કેસ 1992ના દાયકામાં સામે આવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ 23 જૂન, 2001ના રોજ દાખલ કરવામાં આવી હતી. POCSO કોર્ટમાં પણ આ કેસની સુનાવણી ચાલી રહી હતી. રાજસ્થાનના અજમેરમાં 1992માં ઘટેલી આ ઘટના આખા દેશ માટે ગંભીર હતી. અજમેરમાં તે સમયે 100થી વધુ યુવતીઓ સાથે ન માત્ર બળાત્કાર થયા હતા, પરંતુ તેમની ન્યુડ તસવીરો પણ ફેલાવી દેવામાં આવી હતી. આ ઘટના બાદ કેટલીક યુવતીઓએ આત્મહત્યા પણ કરી લીધી હતી. આ ઘટના બાદથી અજમેરની યુવતીઓના લગ્ન થવા પણ બંધ થઈ ગયા હતા. આ કેસમાં દરગાહના ખાદિમો અને કોંગ્રેસના નેતાઓનો હાથ હોવાનું સામે આવ્યું હતું.

    એક આરોપી તો હાલ સુધી ફરાર છે, જેની હજુ સુધી ભાળ મળી શકી નથી. આ ઘટનાની શરૂઆત એક બિઝનેસમેનના પુત્ર સાથે કુકર્મ કરવાથી થઈ હતી. તેના પર કુકર્મ આચર્યા બાદ તેના નગ્ન અવસ્થામાં ફોટો પણ પાડી લેવામાં આવ્યા હતા. તે જ તસવીરોથી તેને બ્લેકમેઇલ કરીને તેની ગર્લફ્રેન્ડને ત્યાં લાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની ગર્લફ્રેન્ડને પોલ્ટ્રી ફાર્મ પર બોલાવીને તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની પણ તસવીરો ખેંચવામાં આવી હતી. તેની ગર્લફ્રેન્ડ પર બળાત્કાર કર્યા બાદ તેની અશ્લીલ તસવીરો ઉતારવામાં આવી હતી અને તે યુવતીને બ્લેકમેઇલ કરીને પોતાની સહેલીઓને પણ ત્યાં લાવવાનું કહેવામાં આવ્યું હતું.

    પછી આ સિલસીઓ યથાવત રહ્યો હતો. એક પછી એક યુવતી પર બળાત્કાર કરવો, ન્યુડ ફોટા પાડવા, બ્લેકમેઇલ કરીને તેની બહેનો/સહેલીઓને લાવવાનું કહેવું અને તે યુવતીઓ સાથે પણ તે જ ઘૃણાસ્પદ કૃત્યો કરવા – આ ચેઇન સિસ્ટમમાં 100થી વધુ યુવતીઓ સાથે શરમજનક કૃત્યો કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગની હિંદુ હતી. આરોપીઓએ એક લેબમાં તસવીરો ઉતારવા માટે આપી હતી, તેમાંથી કેટલાક કર્મચારીઓએ તસવીરો સર્કુલેટ કરી દીધી હતી, જેની ઝેરોક્ષ કોપી ઘણા લોકોને વેચવામાં આવી હતી અને ત્યારબાદ પણ તે યુવતીઓને બ્લેકમેઇલ કરીને તેનું યૌન શોષણ કરવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. આ ઘટના બાદ અનેક યુવતીઓએ આત્મહત્યા પણ કરી લીધી હતી.

    કોર્ટની કાર્યવાહી

    આ કેસમાં પ્રથમ ટ્રાયલ 18 આરોપીઓ પર હાથ ધરવામાં આવી હતી – જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ ફારૂક ચિશ્તી, ઉપપ્રમુખ નફીસ ચિશ્તી, જોઈન્ટ સેક્રેટરી અનવર ચિશ્તી, ઈકબાલ ભાટી, કૈલાશ સોની, સલીમ, સોહેલ ગની, ઝમીર હુસૈન, અલ્માસ મહારાજ, ઇશરત અલી, પરવેઝ અંસારી, મોઇઝુલ્લાહ ઉર્ફે પુતન અલ્હાબાદી, નસીમ ઉર્ફે ટાર્જન, કલર લેબ મેનેજર હરીશ ડોલાની, કલર લેબના માલિક મહેશ લોદાની, લેબ ડેવલપર બબલી, ડ્રાઇવર શમ્શૂ ઉર્ફે મારાડોના અને નેતા ઝૌર ચિશ્તીનો સમાવેશ થાય છે.

    તેમાંથી 5 શખ્સો સજા ભોગવી ચૂક્યા છે, જ્યારે 6ને હવે સજા કરવામાં આવી છે. ઇશરત અલી, અનવર ચિશ્તી, મોઇઝુલ્લાહ ઉર્ફે પુતન અલ્હાબાદી અને શમશુદ્દીન ઉર્ફે મારાડોનાની આજીવન કેદને સુપ્રીમ કોર્ટે 10 વર્ષની જેલમાં ફેરવી હતી. તેમને 2003માં સજા સંભળાવવામાં આવી હતી, હાલમાં તમામને મુક્ત કરવામાં આવ્યા છે. પરવેઝ અંસારી, મહેશ લોદાની, હરીશ તોલાની અને કૈલાશ સોનીને 1998માં નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. પુરુષોત્તમ ઉર્ફે બબલીએ 1994માં જ આત્મહત્યા કરી લીધી હતી.

    ફારુક ચિશ્તીને 2007માં આજીવન કેદની સજા થઈ હતી, પરંતુ 2013માં તેને છોડી દેવામાં આવ્યો હતો. અલ્માસ મહારાજ સામે રેડ કોર્નર નોટિસ જારી છે, તે વિદેશ ભાગી ગયો છે. ત્રાસથી કંટાળીને છ યુવતીઓએ આત્મહત્યા કરી લીધી હતી. તત્કાલિન મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતની સરકારે આ કેસની તપાસ CB-CIDને સોંપી હતી. 32 વર્ષ પછી પણ આ કેસમાં યોગ્ય ન્યાય મળી શક્યો નથી. પોલીસે આ કેસમાં આરોપીઓ સામે અલગ-અલગ ચાર્જશીટ રજૂ કરી હતી. 7 આરોપીઓએ તો ઘટનાના 11 વર્ષ બાદ 2003માં આત્મસમર્પણ કર્યું હતું.

    આ કેસમાં 16 પીડિતાઓ કોર્ટમાં હાજર થઈ હતી. અત્યાર સુધીમાં તેમાંથી ઘણી તો દાદી પણ બની ગઈ છે. ઘણી પીડિતાઓએ પછીથી સામાજિક કારણોસર પીછેહઠ કરી હતી. તત્કાલિન DIG ઓમેન્દ્ર ભારદ્વાજે તપાસ કર્યા વિના યુવતીઓના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા હતા, જેના પર કોર્ટે વાંધો વ્યક્ત કર્યો હતો અને સરકારને તેમની સામે પણ તપાસ કરવા કહ્યું હતું. સોહેલ ગનીની તો 2018માં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ ફરીથી ટ્રાયલ અટકાવવામાં આવી હતી અને ફરીથી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 104 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા છે.

    ઘટનાને ઉજાગર કરનારા પત્રકારની થઈ હતી હત્યા

    1992માં જ્યારે અજમેરમાં શાળાની વિદ્યાર્થિનીઓ સાથે બળાત્કાર અને બ્લેકમેલિંગનો મામલો સામે આવ્યો, ત્યારે સાપ્તાહિક અખબાર ‘લહરોં કી બરખા’ ચલાવતા મદન સિંહે આ મુદ્દાને મોટા પાયે ઉઠાવ્યો હતો. આ કારણોસર તેમને અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી હતી. પરંતુ, બાદમાં તેમની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.

    મદન સિંહ પર શ્રીનગર રોડ પર હુમલો થયો હતો. ઘાયલ થયા બાદ તેમને અજમેરની જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને હોસ્પિટલના વોર્ડમાં જ ગોળી મારી દેવામાં આવી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. તેમણે આ પીડિતાઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ મોટા પાયે અવાજ ઉઠાવ્યો હતો અને પત્રકાર તરીકેની સેવા આપીને આ ઘટનાને ઉજાગર કરી હતી. લગભગ 30 વર્ષ પછી, 7 જાન્યુઆરી, 2023ના રોજ, આ દિવંગત પત્રકારના બે પુત્રોએ એક શખ્સને ગોળીઓથી ધરબી દીધો હતો. બંને યુવાનોએ બૂમો પાડીને કહ્યું હતું કે, તેમણે તેમના પિતાના મૃત્યુનો બદલો લઈ લીધો છે.

    અજમેર સેક્સ સ્કેન્ડ કેસ પર બની છે ફિલ્મ

    જુલાઈ 2023માં આ ઘટના પર આધારિત ફિલ્મ ‘Ajmer 92’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુમિત સિંઘ, મનોજ જોશી, કરણ વર્મા, રાજેશ શર્મા, ઝરીના વહાબ અને શાલિની કપૂર મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મ પુષ્પેન્દ્ર સિંઘ, જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ અને સૂરજપાલ પાઠકે લખી છે. ફિલ્મના ડાયરેક્ટર પુષ્પેન્દ્ર સિંઘ છે. જ્યારે ઉમેશ કુમાર તિવારી અને કરણ વર્માએ મળીને ફિલ્મનું નિર્માણ કર્યું છે. ઇસ્લામી ભીડે આ ફિલ્મનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અજમેર દરગાહ સાથે જોડાયેલા ઘણા ખાદિમો આજે પણ સુધર્યા નથી, જ્યારે પૂર્વ ભાજપ નેતા નૂપુર શર્મા વિરુદ્ધ ‘સર તન સે જુદા’ ના નારા લગાવવામાં આવ્યા હતા અને ઉદયપુરમાં કન્હૈયા લાલ તેલીનું ગળું કાપવામાં આવ્યું હતું, ત્યારે આ જ હત્યાકાંડ મામલે ગૌહર ચિશ્તીની ધરપકડ કરવામાં આવી હતી. એ જ રીતે સલમાન ચિશ્તીએ નુપુર શર્માની હત્યા માટે લોકોને ભડકાવ્યા હતા. 1992ના અજમેર રેપ કેસમાં મોટાભાગની પીડિતાઓ શાળા અને કોલેજ જતી વિદ્યાર્થીનીઓ હતી.

    તે સમયે અજમેરમાં 350થી વધુ અખબારો અને સામયિકો હતા અને આ અજમેર સેક્સ સ્કેન્ડલ કેસના પીડિતોનો સાથ આપવાના બદલે ઘણા સ્થાનિક મીડિયાકર્મીઓ તેમના પરિવારોને બ્લેકમેઇલ પણ કરતા હતા. પછીથી આ કેસ પર ટીવી મીડિયામાં શોથી લઈને પુસ્તકો પણ લખવામાં આવી હતી, પરંતુ એક વસ્તુ આજ સુધી ક્યાંય જોવા મળી નથી , તે છે ન્યાય. જો પોલીસે તે સમયે આ કેસમાં આરોપીઓ પર કડક કાર્યવાહી કરી હોત તો કદાચ તેમને આજે ફાંસીની સજા પણ થઈ શકી હોત.

    ’25 લાખ લોકો હતા, તે જ દિવસે થઈ જાત કામ તમામ’: ‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈતે ભારતનો બાંગ્લાદેશ જેવો હાલ કરવાની આપી ધમકી, કોલકાતા રેપ-મર્ડર કેસને ગણાવી દીધું મમતા વિરુદ્ધનું ષડયંત્ર

    ‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈતે એક વાંધાજનક નિવેદન આપીને નવો વિવાદ ઊભો કર્યો છે. તેમણે સ્પષ્ટ ધમકી સાથે ભારતનો હાલ બાંગ્લાદેશ જેવો કરવાની ધમકી આપી દીધી છે. તેમણે કહ્યું કે, છેલ્લી વખતે લોકો ભડકી ઉઠ્યા હતા અને લાલ કિલ્લા તરફ જતાં રહ્યા હતા, તે પણ 25 લાખ લોકો હતા, સંસદ તરફ ટ્રેક્ટર વાળી દીધા હોત તો કામ તમામ થઈ ગયું હોત. આ સાથે બાંગ્લાદેશ રેપ-મર્ડર કેસને લઈને પણ તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, મમતા સરકાર વિરુદ્ધ પ્રોપગેન્ડા ઊભો કરવા માટે આ ષડયંત્ર રચાયું છે. તેમણે મહિલા ડૉક્ટર પર થયેલા પાશવી બળાત્કાર અને હત્યાને મમતા વિરુદ્ધનું ષડયંત્ર ગણાવી દીધું છે.

    ‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈતે મેરઠની એક ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે ભારતનો હાલ બાંગ્લાદેશ જેવો કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “બાંગ્લાદેશમાં 15 વર્ષથી જે માણસ સત્તા પર છે, વિપક્ષના બધા નેતા જેલમાં બંધ થઈ ગયા છે. તો આવો જ હાલ થાય છે. આવો જ હાલ અહીં પણ થશે.” તેમણે ધમકી આપતા કહ્યું કે, “આ લોકો શોધ્યા પણ નહીં મળે, જનતા ભડકી ઉઠી છે. જ્યારે આંદોલનના સમયે ખેડૂતો ટ્રેક્ટરો લઈને દિલ્હી ગયા હતા તો ત્યારે તેમને લાલ કિલ્લા પર મોકલી દેવાયા હતા. 25 લાખ લોકો હતા, ટ્રેક્ટર સંસદ તરફ વાળી દીધા હોત તો કામ તમામ થઈ ગયું હોત.”

    કોલકાતા રેપ-મર્ડર કેસ મમતા વિરુદ્ધ ષડ્યંત્ર -રાકેશ ટિકૈત

    આ સાથે રાકેશ ટિકૈતનું એવું પણ કહેવું છે કે, “તે સમયે ચૂક થઈ ગઈ હતી અને આ વખતે સંપૂર્ણ તૈયારી છે અને બાંગ્લાદેશ જેવો હાલ થશે જરૂર, સરકાર શોધી નહીં મળે.” ‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈત આટલે નથી અટકતા. તેમણે કોલકાતાના રેપ-મર્ડર કેસને પણ માત્ર એક ષડયંત્ર ગણાવી દીધું છે. જે કેસ માટે સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે અને હાલ સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી પણ ચાલી રહી છે, તેને રાકેશ ટિકૈતે મમતા સરકાર વિરુદ્ધ રચવામાં આવેલું ષડયંત્ર ગણાવી દીધું છે.

    તેમણે કહ્યું કે, “કોલકાતામાં રેપ અને હત્યા થઈ, જેનો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ આખા દેશમાં આ કેસને હાઇલાઇટ કરવો, શું સરકારને બદનામ કરવાનું ષડયંત્ર નથી? આ ષડયંત્ર છે. તેની પાછળનો ધ્યેય બંગાળમાં સરકાર તોડી પાડવાનો અને રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાનો છે.” રાકેશ ટિકૈતનું આ નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયામાં તે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

    સનાતનના રંગે રંગાયું અમેરિકા: ટેક્સાસમાં સ્થપાઈ 90 ફૂટ ઊંચી ભગવાન હનુમાનની પ્રતિમા, USAની ત્રીજી સૌથી મોટી મૂર્તિ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિયન’નું થયું અનાવરણ

    વિશ્વભરમાં સનાતન ધર્મને માનનારા લોકો વસી રહ્યા છે. ખાસ કરીને અમેરિકામાં (USA) મોટી સંખ્યામાં હિંદુઓએ વસાહતો સ્થાપી છે. તેમાં મોટાભાગના લોકો ગુજરાતી છે. હિંદુ ધર્મનું વધતું પ્રભુત્વ જોઈને હવે વિશ્વભરમાં હિંદુ દેવી-દેવતાઓના મંદિરો અને પ્રતિમાઓનું અનાવરણ થઈ રહ્યું છે. તે જ રીતે અમેરિકાના ટેક્સાસમાં પણ 90 ફૂટ ઊંચી ભગવાન હનુમાનની પ્રતિમા (Statue of Lord Hanuman) સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા USAની ત્રીજી સૌથી મોટી પ્રતિમા છે. તેનું નામ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિયન’ (Statue of Union) રાખવામાં આવ્યું છે. કારણ કે, હનુમાનજીએ ભગવાન રામ અને માતા સીતાને એક કરવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.

    અમેરિકાના ટેક્સાસમાં (Texas) ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે જ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. તે દરમિયાન ભગવાન હનુમાન પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. પ્રાણપ્રતિષ્ઠા સમારોહના પ્રસંગે મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો એકત્રિત થયા હતા. અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટનના અષ્ટલક્ષ્મી મંદિર પરિસરમાં આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી, તે દરમિયાન મોટી સંખ્યા લોકો એકત્રિત થયા હતા અને ભગવાન હનુમાનની મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી હતી.

    સ્ટેચ્યૂ ઓફ યુનિયનની વેબસાઇટ પરથી જાણવા મળ્યું છે કે, ભગવાન હનુમાનની આ પ્રતિમા ઉત્તરી અમેરિકાની સૌથી મોટી પ્રતિમા છે. જે શક્તિ, ભક્તિ અને નિસ્વાર્થ સેવાના પ્રતિક તરીકે સ્થાપિત કરવામાં આવી છે. વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે, “આ આપણાં માટે એક તક છે કે, આપણે એક સમુદાય તરીકે ભવિષ્યની પેઢીઓ માટે ભગવાન હનુમાનના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રશસ્ત કરીએ.” આ સાથે આ મૂર્તિને સમુદાયની એકતાના પ્રતિક તરીકે પણ દર્શાવવામાં આવી છે.

    સાથે એ પણ નોંધવા જેવુ છે કે, આ પહેલાં અમેરિકાના ડેલાવેરમાં ભગવાન હનુમાનજીની 25 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તે મૂર્તિ ભારતના તેલંગાણાથી મોકલવામાં આવી હતી. અમેરિકામાં મોટી સંખ્યામાં રહેતા હિંદુ સમુદાયના લોકોએ આ મૂર્તિનું અનાવરણ કર્યું છે. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સમયે પણ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતવંશી લોકો સાથે મૂળ અમેરિકન લોકોએ પણ ભગવાન હનુમાનના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો.

    જેનું હજારો હિંદુઓ પીવે છે પાણી, તે નહેરમાંથી બે દિવસથી મળી રહ્યા છે મૃત ગૌવંશના અંશ: રક્ષાબંધનના દિવસે પાણીમાં ગાયનું માથું જોઈ સ્થાનિક હિંદુઓમાં રોષ, બોરસદ પોલીસ તપાસમાં વળગી

    એક તરફ હિંદુઓનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. સોમવારે (19 ઓગસ્ટ 2024) લોકો ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા હતા, ને બીજી તરફ બોરસદના ટેકરીયાપુરા ખાતેની નહેરમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મહત્વની વાત એ છે કે બોરસદ આસપાસના અનેક ગામોમાં આ નહેર મારફતે પીવા તેમજ ખેતી માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે જ નહેરમાંથી ગાયનું માથું મળી આવતા સ્થાનિક હિંદુઓની ધાર્મિક આસ્થા દુભાઈ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, રક્ષાબંધનના દિવસે સવારે સંવેદનશીલ શહેર બોરસદના વનતળાવ પાસેથી પસાર થતી નહેરમાં ગાયનું માથું મળી આવ્યું હતું. આ નહેર ટેકરીયાપુરા પાસેથી પસાર થાય છે અને અહીં કેટલાક ખેડૂતોને નહેરમાં ગાયનું માથું દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જોતજોતામાં વાત આખા પંથકમાં ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતા જ સ્થાનિક હિંદુ સંગઠનો ટેકરીયાપુરા નહેર પર દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસને પણ માહિતી મળતા આખો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકાઈ ગયો હતો.

    પોલીસની હાજરીમાં જ નહેરમાંથી ગાયનું માથું બહાર કાઢવામાં આવ્યું. પોલીસે તેનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવીને આ પ્રકારનું કૃત્ય કરનાર લોકોને તાત્કાલિક ઝડપી લેવા માંગ કરી છે. પોસ્ટમોર્ટમ અને અન્ય કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થતા જ હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકોએ ગાયના માથાને હિંદુ વિધિ-વિધાન અનુસાર સમાધી આપી હતી. બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે.

    ગૌવંશના કપાયેલા માથાને સમાધી આપી રહેલા સ્થાનિક હિંદુઓ

    બે દિવસમાં બે ઘટના

    આ તો થઈ રક્ષાબંધનના દિવસની વાત. તેના બીજા દિવસે, એટલે કે મંગળવારે (20 ઓગસ્ટ 2024) પણ જ્યાંથી ગાયનું માથું મળી આવ્યું, તેના 50 જ મીટર દૂર કોઈ ગાયનું ચામડું ફેંકી ગયું હતું. ફરી એક વાર લોકોના ટોળા નહેર પર એકઠા થઈ ગયા હતા. સતત બે દિવસ ગૌવંશના અંશ મળી આવતા હિંદુ સંગઠનોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ફરી દોડતી થઇ હતી. હાલ પોલીસે આ ચામડા સહિતના મૃત અવશેષોને FSL માટે મોકલી આપ્યા છે.

    આ નહેરનું પાણી પીવા તથા ખેતીના ઉપયોગ માટે વપરાય છે, અમારી ધાર્મિક લાગણી દુભાઈ- વિશ્વ હિંદુ પરિષદ

    નોંધનીય છે કે, આણંદ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાના આરોપો હિંદુ સમાજ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે બોરસદની તાજેતરની ઘટનાથી હિંદુ સમુદાય આઘાત અને આક્રોશની લાગણી અનુભવી રહ્યો છે. આ મામલે વિશ્વ હિંદુ પરિષદના પ્રખંડ મંત્રી મેહુલ પટેલે ઑપઇન્ડિયા સાથે વાત કરીને આખો ઘટનાક્રમ જણાવ્યો હતો.

    તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા હતા. એટલામાં સ્થાનિક લોકોનો ફોન આવ્યો કે નહેરમાં કોઈ ગાયનું માથું અને ચામડું કાપીને નાખી ગયું છે. હવે આ કેનાલમાંથી આસપાસના ગામડાઓના મોટાભાગે હિંદુઓની વસ્તી છે. આ પાણી ખેતી અને પશુઓને પીવડાવવા ઉપરાંત લોકો પણ પીવા માટે ઉપયોગ કરે છે. હવે વિચારો કે ગૌમાતા આપણા ધર્મમાં કેટલું મહત્વ ધરાવે છે. અને એ જ ગૌમાતાના માંસના ટુકડા અને માથા જો આપણા પીવાના પાણીમાં હોય તો આપણી શું હાલત થાય?”

    તેમણે વધુમાં કહ્યું કે, “સામાન્ય દિવસોમાં પણ મોટાભાગના હિંદુઓ માંસાહારથી દૂર રહે છે. જે લોકો માંસાહાર કરે પણ છે, તેઓ ક્યારેય ગૌમાંસ ન ખાય. અને અત્યારે તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેવામાં જો આ પ્રકારે જળાશયોને અપવિત્ર અને દુષિત કરવામાં આવે તો તે સાંખી ન લેવાય. શું જે લોકો આ પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરતા હશે તેમની લાગણી નહીં દુભાઈ હોય? તેમની આસ્થાને ઠેસ નહીં પહોંચી હોય?”

    આણંદ જિલ્લામાં શાંતિ ડહોળવાના અનેક પ્રયાસ, અમે પ્રશાસનને આવેદન પત્ર પાઠવીશું- મેહુલ પટેલ

    બોરસદના ટેકરીયાપુરામાં ગાયનું કપાયેલું માથું કોઈ પ્રથમ ઘટના નથી, કે જેમાં હિંદુ આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા હોય. આ વિશે જણાવતા મેહુલ પટેલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “બોરસદમાં આ પહેલા પણ આવી જ 2 ઘટનાઓ ઘટી ચૂકી છે. આણંદમાં પણ કોથળીમાં ભરીને ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા. પણ એ કેસમાં પોલીસ આરોપીઓને શોધવામાં અસફળ રહી છે. આ ઘટનાને લઈને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે અને આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે અમે આવતીકાલે પ્રશાસનને આવેદન પત્ર પાઠવીશું.” તેમના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં એવી અનેક ઘટનાઓ ઘટી છે જેમાં શાંતિ ડહોળવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં મેહુલ પટેલ પોતે ફરીયાદી થયા છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જે ગાયનું માથું નહેરમાંથી મળી આવ્યું છે, તેના મોઢા પર મોયડી (પશુને બાધવા માટેનો દોરડાથી બનાવેલો એક પ્રકારનો ગાળિયો)બાંધેલી હતી. ગાયના કાનમાં કોઈ પણ પ્રકારનો ટેગ નહતો. સાથે જ આ માથું માત્ર દોઢ-બે ફૂટ ઊંડા પાણીમાં હતું. ફરિયાદમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આ માથું બીજે કશેથી તણાઈને આવ્યું હોય તેવું નથી જણાઈ રહ્યું. પરંતુ હિંદુ સમુદાયની લાગણી દુભાવવા માટે જાણીજોઈને આ કૃત્ય કરવામાં આવ્યું છે. મેહુલ પટેલની ફરિયાદના આધારે બોરસદ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ BNSની કલમ 299 અને 325 તેમજ પ્રાણી સંરક્ષણ અધિનિયમ 8 (2) મુજબ FIR નોંધી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    પૉલેન્ડ સાથે ભારતના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ, ઉજવણી માટે જશે PM મોદી: 45 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન લેશે યુરોપના આ દેશની મુલાકાત

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ઑગસ્ટ મહિના દરમિયાન પૉલેન્ડ (Poland) અને યુક્રેન ખાતે વિદેશ યાત્રા પર જવાના છે. 45 વર્ષમાં પ્રથમ વખત ભારતના કોઈ પ્રધાનમંત્રી પૉલેન્ડ વિઝિટ પર જઈ રહ્યા છે. પૉલેન્ડ યાત્રા બાદ PM યુક્રેન (Ukraine) જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ યાત્રાની પુષ્ટિ કરવામાં આવી છે. ભારત અને પૉલેન્ડના રાજદ્વારી સબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે PM મોદી પૉલેન્ડ જઈ રહ્યા છે. તેમને આ માટે પૉલેન્ડના વડાપ્રધાન તરફથી આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

    વડાપ્રધાન મોદી 21 અને 22 ઑગસ્ટના રોજ પૉલેન્ડ યાત્રા પર નીકળશે. તેઓ 21 ઑગસ્ટે લગભગ સવારે પૉલેન્ડ માટે નીકળશે. ખાસ મહત્વનું તે છે કે, વડાપ્રધાન મોદી ભારતના પહેલાં પ્રધાનમંત્રી છે, જે પ્રથમ વખત પૉલેન્ડની યાત્રા કરી રહ્યા છે. PM મોદીની સાથે અન્ય ઘણા અધિકારીઓ પણ યાત્રામાં સહભાગી થશે. વડાપ્રધાન સહિતના લોકો પૉલેન્ડની રાજધાની વોર્સો ખાતે રોકાણ કરશે. સંભાવના છે કે, બંને દેશોના રાજદ્વારી સંબંધોને લઈને દ્વિપક્ષીય બેઠક પણ થઈ શકે છે. વડાપ્રધાન મોદીની પૉલેન્ડ યાત્રા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કે (Donald Tusk) PM મોદીને પૉલેન્ડમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ ભારત અને પૉલેન્ડના રાજદ્વારી સબંધોની 70મી વર્ષગાંઠ ઉજવવા માટે થઈને આપવામાં આવ્યું હતું. પૉલેન્ડની રાજધાની વોર્સોમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ બાદ PM મોદી પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આન્દ્રેજ ડૂડા સાથે પણ વાતચીત કરશે. નોંધનીય છે કે પૉલેન્ડ પ્રવાસ દરમિયાન PM મોદી પૉલેન્ડમાં રહેતા ભારતીયો સાથે પણ મુલાકાત કરશે, અને તેમની સાથે વાતચીત કરશે. આ માટે પૉલેન્ડમાં રહેતા ભારતીયોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાંથી નીકળવા માટે 4000 ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત ભારત પહોંચાડવા પૉલેન્ડ સરકારે અને પૉલેન્ડના નાગરિકોએ મદદ કરી હતી.

    આ પહેલાં PM મોદીએ વર્ષ 2022માં પૉલેન્ડના રાષ્ટ્રપતિ આન્દ્રેજ ડૂડા (Andrzej Duda) સાથે વાતચીત કરી હતી. આ અગાઉ પૉલેન્ડના પ્રધાનમંત્રી ટસ્કના યુરોપીય પરિષદના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન PM મોદીએ તેમની સાથે 4 વાર વાતચીત કરી હતી. તે પહેલાં વર્ષ 2010માં પૉલેન્ડના પ્રધાનમંત્રી ટસ્ક ભારત આવ્યા હતા. ત્યારે ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ હતા અને ભારતમાં કોંગ્રેસની સરકાર હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ભારતીય વિદેશમંત્રી પૉલેન્ડમાં ગયા હતા. વર્ષ 2022માં પૉલેન્ડના તત્કાલીન વિદેશમંત્રી જબિગ્ન્યૂ રાઉએ પણ ભારતની મુલાકાત લીધી હતી.

    પૉલેન્ડ યાત્રા બાદ PM મોદી 23 ઑગસ્ટે યુક્રેનની યાત્રાએ પણ જવાના છે. રશિયા યાત્રા (Russia) દરમિયાન PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતીન સાથે યુદ્ધ મામલે વાતચીત કરી હતી. ત્યારબાદથી રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા મામલે સમગ્ર વિશ્વ ભારત તરફ આશા ભરી નજરે જોઈ રહ્યું છે. ત્યારે PM મોદી યુક્રેન ખાતે રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી સાથે પણ વાતચીત કરવાના છે.