Thursday, April 2, 2026
More
    Home Blog Page 260

    મંદિરમાં જતાં પહેલાં લેવી પડશે પરવાનગી, સુંદરકાંડ માટે માંગો માફી: વોર્ડન આયેશાનું તુગલકી ફરમાન, ભોપાલની બરકતુલ્લાહ યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન

    મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની બરકતુલ્લાહ યુનિવર્સિટીમાં હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને મંદિર જવા અને સુંદરકાંડના પાઠ કરવા બદલ હેરાન કરવામાં આવી અને તેમની પાસે માફીપત્ર લખાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPએ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે, હોસ્ટેલની મુખ્ય વોર્ડન આયેશા રઈસે કહ્યું કે, જો કોઈને મંદિરમાં જવું હોય તો પહેલાં યુનિવર્સિટી પ્રશાસનની પરવાનગી લેવી પડશે.

    હિંદુ સંગઠનોએ આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે, જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ રસ્તા પર ઉતરી આવશે. તેમણે કહ્યું છે કે, “મોહન યાદવના શાસનમાં સુંદરકાંડ અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ સહન કરવામાં આવશે નહીં.” તે દરમિયાન જ વિદ્યાર્થી સંગઠન ABVPએ આ ઘટનાને લઈને યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

    ABVP સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર એકઠા થઈ રામધૂન કરીને પ્રશાસનની સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ABVPના એક કાર્યકર્તાએ કહ્યું કે, વિદ્યાર્થિનીઓને મંદિરની મુલાકાત લેવા અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી રોકવાની આ ઘટના નિંદનીય છે અને વોર્ડનની આ સુચનાના વિરોધમાં પ્રદર્શન ચાલુ રહેશે.

    ABVPના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખું હતું કે, “મુખ્યમંત્રી મોહન યાદવજી આ આપણી આસ્થા અને માન્યતાઓ પર સીધો હુમલો છે. આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક પગલાં લેવાનું સુનિશ્ચિત કરવું જોઈએ. આવી ઘટનાઓ ભારતમાં બિલકુલ સ્વીકારી શકાય નહીં.” આ પછી ABVPએ આના વિરોધમાં એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું.

    દરમિયાન, વિવાદ વધતો જોઈને ચીફ વોર્ડન આયેશા રઈસે કહ્યું કે, વિદ્યાર્થિનીઓને કેમ્પસમાં આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની છૂટ છે. પરંતુ તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે, તેમની હાજરી અને પ્રવૃત્તિઓ નિયમો અનુસાર રેકોર્ડ કરવામાં આવે. કેટલીકવાર વિદ્યાર્થિનીઓ સમયસર પરત ન આવતા ચિંતા થાય છે. તેમણે કહ્યું કે આ અનુશાસન અને સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે.

    તેણે આગળ કહ્યું, “આ કોઈ મઝહબી મુદ્દો નથી. આ મુદ્દાનું સમાધાન પણ થઈ ગયું હતું. મુદ્દો કોઈ જગ્યાએ જવાનો નહીં, પરંતુ શિસ્તનો છે. વાઇસ ચાન્સલરે એક કમિટી બનાવી છે, જે તપાસ કરશે. છોકરી આમારા બાળક જેવી છે. તેમને કંઈ ન થવું જોઈએ. તેઓ તેમના માતા-પિતાથી દૂર રહે છે. અમે તેમને ખૂબ પ્રેમ આપીએ છીએ. અમે તેમને સલામતી પૂરી પાડીએ છીએ, જેથી તેઓ આનંદથી તેમનો અભ્યાસ કરી શકે.”

    વોર્ડને કહ્યું, “બસ આટલો જ મામલો છે. આ વાતથી ‘છોકરીઓ’ ગુસ્સે થઈ ગઈ. અમારું કામ વાલીની જેમ કામ કરવાનું છે. અમે વિદ્યાર્થિનીઓના આવવા અને જવાના સમય સંબંધિત એક રજિસ્ટર જાળવીએ છીએ. છોકરીઓ સમયસર હોસ્ટેલમાં પાછી આવે તેનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. તેને કહેવામાં આવે છે કે, બેટા મોડું થઇ રહ્યું છે તો સમયસર આવો. મામલો ઉકેલાઈ ગયો છે અને છોકરીઓ માની પણ ગઈ છે. તેમની એન્ટ્રી પણ થઈ ગઈ છે.”

    અહેવાલો અનુસાર તાજેતરમાં યુનિવર્સિટી કેમ્પસમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ હતી. જેના કારણે છોકરીઓ હોસ્ટેલમાં મોડી પહોંચી હતી. આ પછી, હોસ્ટેલની વોર્ડન આયેશાએ તેમને નિયત સમયે એટલે કે સાંજે 7.00થી 7:30 વચ્ચે હોસ્ટેલમાં પાછા ફરવા કહ્યું હતું. નિશ્ચિત સમયથી વધુ વિલંબ થાય તો વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીની પરવાનગી લેવા સૂચના પણ આપવામાં આવી હતી.

    ‘અયોધ્યાનો પાયો હલાવી નાખીશું’: ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંઘ પન્નુએ રામ મંદિરને ઉડાવવાની આપી ધમકી, અન્ય ધર્મસ્થળોને પણ કર્યા ટાર્ગેટ

    કેનેડામાં (Canada) તાજેતરમાં જ ISKCON મંદિર પર ખાલિસ્તાનીઓએ (Khalistani) હુમલો કરી દીધો હતો. જે બાદ દુનિયાભરના હિંદુઓએ તે ઘટનાની ટીકા કરી હતી અને પ્રદર્શન પણ કર્યા હતા. તેમ છતાં કેનેડા તરફથી એ ઘટનાને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. કેનેડાની તે ઘટના હજુ તો ચર્ચામાં જ છે, ત્યાં જ અમેરિકામાં બેસી રહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ (Gurpatwant Sigh Pannun) હિંદુઓના આસ્થાના કેન્દ્ર અયોધ્યા રામ મંદિરને (Ayodhya Ram Madnir) નિશાનો બનાવવાની ધમકી આપી છે.

    પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુએ વિડીયો પોસ્ટ કર્યો હતો. તેણે વિડીયોમાં કહ્યું હતું કે, “16 અને 17 નવેમ્બરે અયોધ્યા રામ મંદિરમાં હિંસા થશે.” અહેવાલો અનુસાર પન્નુએ આ વિડીયો કેનેડાના બ્રૈમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બ્રૈમ્પટનમાં જ ISKCON મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

    પન્નુએ આ વિડીયોમાં રામ મંદિર સાથે બીજા ઘણા હિંદુ મંદિરો અને ધાર્મિક સ્થળો પર હિંસા ભડકાવવાની ધમકી આપી હતી. તેણે વિડીયોમાં કહ્યું કે, “અમે હિંદુત્વની વિચારધારાના જન્મસ્થળ અયોધ્યાને હચમચાવી દઈશું.” આ વિડીયોમાં PM મોદીના અયોધ્યા મંદિરમાં પ્રાર્થના કરતા ફોટોસ પણ આપવામાં આવ્યા હતા.

    ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુએ કેનેડામાં રહેતા ભારતીયોને હિંદુ મંદિરો પરના ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની ધમકી પણ આપી છે. વિડીયોમાં પન્નુએ કેનેડાના હિંદુ સાંસદ ચંદ્ર આર્યાને પણ ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે, “કેનેડા સાથે પ્રામાણિક રહો અથવા કેનેડા છોડી દો.” તેણે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે કહ્યું હતું કે, “યાદ રાખો આ કેનેડા છે અયોધ્યા નહીં.”

    નોંધનીય બાબત છે કે, ભારતમાંથી ફરાર ભાગેડુ પન્નુ અવારનવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. તથા કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ હિંસા ભડકાવવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરતો હોય છે. પન્નુની SFJ અલગ શીખ રાજ્યના વિચારને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. પન્નુ સાંપ્રદાયિક સૌહાર્દને અસ્થિર કરવાના હેતુથી અનેક ઉશ્કેરણીજનક નિવેદનો પણ આપતો હોય છે.

    સંસદમાં કોંગ્રેસ અને રસ્તાઓ પર મુસ્લિમોની ભીડ: વક્ફ બિલને રોકવાના થઈ રહ્યા છે અઢળક પ્રયાસો, કોંગી નેતાએ કહ્યું- વેચો મંદિરોનું સોનું

    વક્ફ સુધારણા બિલ અધિનિયમને રોકવા માટે કોંગ્રેસ સડકથી લઈને સંસદ સુધી તમામ જગ્યાએ પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસી નેતાઓ એવા મૌલાનાઓ સાથે બેસી રહ્યા છે જે મુસ્લિમોનું ટોળું ભેગું કરીને લોકોમાં નફરત ફેલાવે છે. આ જ મૌલાનાઓ દ્વેષપૂર્ણ નિવેદનો કરી રહ્યા છે અને લોકોને ભડકાવી પણ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના સાંસદો બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં આગળ વધવા દેતા નથી અને મંદિરોનું સોનું વેચવાની પણ વાત કરી રહ્યા છે.

    આ જ દરમિયાન સહારનપુરના કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે રાજસ્થાનના જયપુરમાં મુસ્લિમોનું મોટું ટોળું એકઠું કર્યું હતું. આ ટોળું રવિવારે (10 નવેમ્બર, 2024) એકઠું થયું હતું. દરમિયાન મુસ્લિમોને વક્ફ બિલના નામે ડરાવવામાં આવ્યા હતા. નફરતભર્યા નિવેદનો આપનાર મૌલાના તૌકીર રઝાને પણ આ સભામાં બોલાવવામાં આવ્યા હતા.

    સાંસદ ઈમરાન મસૂદે વક્ફ બિલને મુસ્લિમો પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો. ઈમરાન મસૂદે જયપુરમાં કહ્યું હતું કે, એ આ બિલને સ્વીકારતા નથી. ઉલ્લેખનીય છે કે, ઈમરાન મસૂદ વક્ફ બિલ પર બનાવાયેલી JPC કમિટીના સભ્ય છે. તેઓ JPCમાં બિલનો સતત વિરોધ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય મુસ્લિમ સાંસદો પણ હાજર હતા.

    મૌલાના તૌકીર રઝાએ જયપુરમાં એકઠા થયેલા મુસ્લિમોને કહ્યું કે, તેમણે પોતાની તાકાત બતાવવી પડશે. મૌલાના તૌકીર રઝાએ મુસ્લિમોને સંસદને ઘેરી લેવા અને તેમની મરજી મુજબ કાયદા બનાવવા માટે દબાણ ઊભું કરવાનું કહ્યું છે. તેમણે વક્ફ બિલને એક ભૂલ ગણાવી હતી અને સરકારના લોકોની ધરપકડ કરવાની વાત પણ કરી હતી.

    મૌલાના તૌકીર રઝાએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, “જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે એટલી તાકાત સાથે આવીશું કે સરકારનો આત્મા ધ્રૂજી ઉઠશે.” મૌલાનાએ ખુલ્લા મંચ પરથી આ જાહેરાત કરી હતી, જ્યાં બીજા ઘણા મુસ્લિમ મૌલાનાઓ અને મોટા નેતાઓ પણ બેઠા હતા.

    જ્યાં એક તરફ મૌલાના તૌકીર રઝા આવા ભાષણ આપી રહ્યા છે, તો બીજી તરફ ટીવી પર કોંગ્રેસના લોકો મંદિરોનું સોનું વેચવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા કમરુઝમાન ચૌધરીએ એક ટીવી ડિબેટમાં કહ્યું હતું કે, મંદિરોમાં રહેલું સોનું વેચી નાખવું જોઈએ, સોનું વેચવાથી દેશનું દેવું માફ થઈ જશે.

    નોંધનીય છે કે, એક તરફ કર્ણાટકમાં કોંગ્રેસ પોતે વક્ફનો પ્રકોપ ભોગવી રહી છે અને બીજી તરફ પોતે જ વક્ફ બિલનો વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ કર્ણાટકમાં વક્ફ બોર્ડે ખેડૂતોની સેંકડો એકર જમીન અંગે ખેડૂતોને નોટિસ મોકલી દીધી હતી. આ ઘટનાને લઈને સિદ્ધારમૈયા સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

    સિદ્ધારમૈયા સરકારે તાજેતરમાં વક્ફ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવાનો આદેશ પણ આપ્યો હતો. કર્ણાટકમાં વક્ફના અતિક્રમણના ઘણા મામલા ઉજાગર થઈ રહ્યા છે. આ બાબતે તાજેતરમાં ઝપાઝપી પણ થઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જોકે, તેમ છતાં કોંગ્રેસના નેતાઓ મુસ્લિમોને રસ્તાઓ પર એકઠા કરવામાં વ્યસ્ત છે અને તેના સાંસદો JPCમાં વક્ફને રોકવા માંગે છે.

    ઈરાકમાં પુરુષો હવે 9 વર્ષની બાળકીઓ સાથે પણ કરી શકશે નિકાહ!: ઇસ્લામિક દેશમાં યુવતીઓને ‘અનૈતિક સંબંધો’થી બચાવવા નવો ‘કાયદો’ લાવી રહી છે મુસ્લિમ સરકાર

    ઇસ્લામિક દેશ ઈરાકના પુરુષો હવે 9 વર્ષની બાળકીઓ સાથે નિકાહ કરી શકશે. ઈરાકની શરિયા પર ચાલતી સરકાર નિકાહ કાનૂનમાં સંશોધન કરવા જઈ રહી છે. આ સંશોધન બાદ 9 વર્ષની બાળકીઓને નિકાહ યોગ્ય માનવામાં આવશે. હાલ આ પ્રસ્તાવ સંસદમાં ચર્ચા માટે પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જો તેને લાગુ કરવામાં આવશે તો ઈરાકના પુરુષોને 9 વર્ષ સુધીની ઉમરની બાળકીઓ સાથે નિકાહ કરવાનો અધિકાર મળી જશે.

    કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને ઈરાકના ‘કાનૂન 188’ને કે જેને ‘વ્યક્તિગત સ્થિતિ કાનૂન’ તરીકે ઓળખવામાં આવે છે, તેને પલટાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ઈરાક સરકાર અનુસાર તેમાં મહિલાઓને તેમના ‘અધિકાર’ આપવાની વાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ નિયમને વર્ષ 1959માં લાગુ કરવામાં આવ્યો હતો. તેને મધ્ય-પૂર્વના દેશોમાં સૌથી પ્રગતિશીલ કાયદા પૈકીનો એક માનવામાં આવતો હતો. તે સમયે તે તમામ ધાર્મિક સમુદાય માટે સમાન કાયદો હતો.

    શરિયાના કડક અમલ માટે અને યુવતીઓને ‘અનૈતિક સંબંધો’થી બચાવવા થઈ રહ્યું છે સંશોધન

    હવે ઈરાકની સરકારે એ જ કાયદામાં સંશોધન કરીને તેમાં બદલાવ કરવા માટેનો પ્રસ્તાવ રાખ્યો છે. નોંધવું જોઈએ કે ઇસ્લામિક દેશ ઈરાકમાં પહેલાં જ બાળલગ્નનો ઉંચો દર ચર્ચાનો વિષય હતો, ત્યારે આ પ્રકારનો પ્રસ્તાવ તેને વધુ વેગ આપવાનું કામ કરશે. ઈરાકના આર્થિક ગરીબ અને અતિ રૂઢીચુસ્ત શિયા મુસ્લિમોમાં બાળકીઓના નાની ઉમરમાં જ નિકાહ કરી દેવામાં આવે છે. ત્યાં તે સાવ સામાન્ય બાબત ગણવામાં આવે છે.

    રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હાલ ઈરાકમાં 28%થી વધુ યુવતીઓના નિકાહ 18 વર્ષ પહેલાં જ થઈ જાય છે. તેમ છતાં શરિયાને કડક રીતે અમલી બનાવવા માટે વિશેષ કાયદો લાવવામાં આવી રહ્યો છે. મહત્વનું તે છે કે સરકાર આ પ્રસ્તાવ ઈરાકની મુસ્લિમ યુવતીઓને ‘અનૈતિક સંબંધો’થી બચાવવા માટે મહત્વનો હોવાનું કહીને સંશોધન લાવવા ચર્ચા કરી રહી છે. જો નવા નિયમો બન્યા, તો ઈરાકના મુસ્લિમ પુરુષો 9 વર્ષ સુધીની બાળકીઓ સાથે નિકાહ કરતા નજરે પડશે.

    આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા, બાળકીઓના બળાત્કારને કાયદેસર બનાવવા જેવી વાત

    બીજી તરફ આ સમગ્ર ચર્ચાઓને લઈને દુનિયાની ચિંતામાં વધારો થયો છે. થિંક ટેંક ચૈથમ હાઉસના ડોક્ટર રેનાદે આ મામલે ચેતવણી આપી છે કે, આ પ્રકારના પગલા દેશમાં લૈંગિક સમાનતાના અધિકારોને નબળા પાડી દેશે. તેમણે તેને મઝહબી અધિકારોને મજબૂત કરવા અને સત્તા પર પકડ મજબુત બનાવવા માટેની રણનીતિ કહી છે. બીજી તરફ મહિલા અધિકાર માટે કામ કરતા સમૂહોએ ઈરાક સરકારના આ પ્રયાસને ‘બાળકીઓના બળાત્કાર’ને કાયદેસરની માન્યતા આપવા જેવી બાબત કહી છે.

    આ સંશોધન પ્રસ્તાવ બાદ વિશ્વમાં ઈરાકની આલોચના થઈ રહી છે. માનવાધિકાર મંચના સારા સનબરનું આ મામલે કહેવું છે કે, આ પરિવર્તન સામાજિક વિભાજનને વધુ ઊંડાણમાં ધકેલી દેશે. આવા નિયમોથી મહિલાઓ વિરુદ્ધ દુર્વ્યવ્હારો વધી જશે અને તેમને વધુ નબળી સ્થિતિનો ભોગ બનવું પડશે. નોંધનીય છે કે, આ પ્રકારના સંશોધનો ઈરાકની સામાજિક પ્રગતિ પર ચોક્કસ અસર કરશે અને દેશને ઉજ્જવળ ભવિષ્યની જગ્યાએ ‘મધ્યકાલીન સમય’ તરફ પાછો લઈ જશે.

    બહરાઈચ હિંસાના મુખ્ય આરોપી સહિત 6ની ધરપકડ: પહેલાંથી જ હિંસા અને હત્યાના ફિરાકમાં હતો માસ્ટરમાઈન્ડ શકીલ અહેમદ

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ જિલ્લાના મહારાજગંજ ખાતે થયેલી હિંદુવિરોધી હિંસા (Bahraich Violence) અને રામગોપાલ મિશ્રા નામના હિંદુ યુવકની હત્યા મામલે (Ram Gopal Mishra Murder Case) પોલીસે મુખ્ય આરોપી શકીલ અહેમદ સહિત 6ની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે પોતે જ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં કુલ 121 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    અહેવાલોમાં પોલીસને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓના નામ સૈફ અલી, જાવેદ અને શોએબ છે. આ લોકો પર પોલીસે 10-10 હજાર રૂપિયાનું રોકડ ઈનામ પણ ઘોષિત કર્યું છે. તાજેતરની ધરપકડને લઈને બહરાઈચના એસપી વૃંદા શુક્લાએ પત્રકારોને સંબોધતા માહિતી આપી હતી કે, કેસમાં તપાસ માટે એક ખાસ ટીમનું ગઠન કર્યું હતું. આ ટીમે વિસ્તારની તમામ દુકાનો અને મકાનોમાં લાગેલા CCTVના આધારે તપાસ ચલાવી હતી. ત્યાંથી મળેલા વિડીયો અને પુરાવાઓના આધારે ચલાવવામાં આવીલી તપાસના અંતે ઘટનામાં મુખ્ય આરોપી શકીલ અહેમદ હોવાનું સામે આવ્યું હતું.

    પહેલાંથી જ હિંસા અને હત્યાની ફિરાકમાં હતો શકીલ

    એસપીએ જણાવ્યું કે, શકીલ અહેમદની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. શુક્લાના જણાવ્યા અનુસાર, પોલીસે શકીલ ઉપરાંત મોહમ્મદ ઈરફાન, ફરહાન રજા, હબીબ, તૌસીફ અને નુરાની નામના અન્ય 5 એમ મળીને કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ધારા-ધોરણો અનુસાર કાર્યવાહી કરીને તમામને જેલભેગા કરી દીધા છે. વૃંદા શુક્લાના જણાવ્યા અનુસાર, પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે પણ કામ કરી રહી છે. આ માટે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.

    કહેવામાં અવી રહ્યું છે કે, મુખ્ય આરોપી શકીલે 13 તારીખ પહેલાં જ હિંસા માટે વિચાર કરી રાખ્યો હતો. તેણે નક્કી કરી રાખ્યું હતું કે, જો આના માટે કોઈનો જીવ લેવો પડશે, તો પણ તે પાછો નહીં પડે. અહીં નોંધવું જોઈએ કે શકીલ પહેલાંથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે જણાવ્યા અનુસાર, શકીલ અહેમદ પર પહેલાં પણ 2 કેસ નોંધાયેલા છે.

    શું હતી આખી ઘટના

    નોંધનીય છે કે, 13 ઑક્ટોબરે બહરાઈચના મહારાજગંજમાં દુર્ગા વિસર્જન શોભાયાત્રા દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથીઓના પથ્થરમારા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા દરમિયાન ઇસ્લામી ટોળાંએ રામગોપાલ મિશ્રાને પોતાના ઘરમાં ખેંચી લઈને તેમની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. તેમનો મૃતદેહ લેવા આવેલા લોકો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

    ઘટના બાદ તરત જ પ્રશાસને સુરક્ષાને ધ્યાને રાખીને ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. પરંતુ, ઈન્ટરનેટ સેવા ફરી શરૂ થયા બાદ તરત જ રામગોપાલની હત્યાના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા હતા. જેમાં રામગોપાલની હત્યા કરતાં લોકો પણ જોવા મળી રહ્યા હતા. બહરાઈચના સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે, મસ્જિદમાંથી એલાન થયા બાદ ઇસ્લામી ટોળાં એકઠા થઈ ગયા અને હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. વારંવાર મસ્જિદમાંથી એલાન થયા હોવાનું કહેવાય રહ્યું છે. અનેકો પ્રત્યક્ષદર્શીઓએ આ દાવાનું પુનરાવર્તન કર્યું છે, પરંતુ તેમ છતાં બહરાઈચ પોલીસ આ તમામ દાવાને ફગાવી રહી છે અને કહી રહી છે કે, મસ્જિદમાંથી કોઈ એલાન કરવામાં આવ્યું નહોતું.

    ‘પ્રિયંકા ગાંધી જમાત-એ-ઇસ્લામીના સમર્થનથી લડી રહ્યા છે ચૂંટણી’: પિનરાઈ વિજયને ફરીથી લગાવ્યો એ જ આરોપ: કહ્યું- જમાત માટે લોકશાહી નહીં ઇસ્લામી શાસન મહત્વનું

    કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) કેરળની વાયનાડ (Waynad) બેઠક પરથી લોકસભા પેટાચૂંટણી લડી રહ્યા છે અને પ્રચાર પણ જોરશોરથી કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને (Pinarayi Vijayan) કોંગ્રેસ-UDF ગઠબંધનના ઉમેદવાર પ્રિયંકા ગાંધીને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, પ્રિયંકા ગાંધી જમતા-એ-ઇસ્લામીના સમર્થનથી ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલાં પણ એક વખત તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ આરોપ લગાવ્યો હતો.

    વિજયને CPI(M)ની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ના ઉમેદવાર સત્યન મોકેરીના ચૂંટણી પ્રચાર દરમિયાન કાલપેટ્ટામાં લોકોને સંબોધિત કરતી વખતે આ આરોપ લગાવ્યો હતો. અહીંથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. નવ્યા હરિદાસ હાલમાં કેરળના કોઝિકોડના કોર્પોરેશન કાઉન્સિલર પણ છે.

    ‘…ઇસ્લામિક શાસનનું જ મહત્વ’

    વિજયને કહ્યું કે, “પ્રિયંકા ગાંધી જમાત-એ-ઇસ્લામીના સમર્થનથી ચૂંટણી લડી રહ્યા છે. આપણો દેશ જમાત-એ-ઇસ્લામીથી અજાણ્યો નથી. તેનો દ્રષ્ટિકોણ લોકશાહી પ્રણાલીની તરફેણમાં નથી…તે લોકશાહી પ્રણાલીને મહત્વપૂર્ણ નથી માનતા. જમાત-એ-ઇસ્લામી માટે, સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક શાસન જ મહત્વનું છે. તેઓ ઇસ્લામિક શાસનની તરફેણમાં છે.”

    મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, જમાત-એ-ઇસ્લામી હિંદની રાજકીય પાંખ ‘વેલફેર પાર્ટી ઑફ ઇન્ડિયા (WPI)’ સંગઠન માટે ‘ઢાલ’ સમાન છે. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના જમાત-એ-ઇસ્લામીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે જમાત-એ-ઇસ્લામી હિંદનું એક અલગ એકમ છે, જે કેરળ સહિત ભારતના અન્ય ભાગોમાં કાર્યરત છે.

    જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ

    UAPA હેઠળ જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વિજયને કહ્યું કે, જમાત હંમેશા જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના વિરોધમાં રહ્યું છે. નોંધનીય છે કે, WPIએ કેરળની વાયનાડ લોકસભા સીટ પર 13 નવેમ્બરના રોજ મતદાન માટે કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બર સાંજે ચૂંટણી પ્રચાર રોકી દેવામાં આવશે.

    વિજયને કહ્યું, “ક્યારેક અહીં (કેરળમાં) જમાત-એ-ઇસ્લામી કહે છે કે તે જમ્મુ અને કાશ્મીરના જમાત-એ-ઇસ્લામીથી અલગ છે, પરંતુ જમાતની સમાન નીતિ છે અને તે છે ઇસ્લામિક વિશ્વની સ્થાપના. તેઓ કોઈપણ પ્રકારની લોકશાહી શાસન વ્યવસ્થાને સ્વીકારતા નથી. જમાતના માધ્યમથી કટ્ટરપંથીઓ ‘ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ’માં પ્રભાવ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

    નોંધનીય છે કે, આ આગાઉ પણ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પ્રિયંકા ગાંધી પર આ જ આરોપ લગાવી ચૂક્યા છે. તેમણે ગત અઠવાડિયે સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક પર પોસ્ટ કરીને પ્રિયંકા ગાંધી પર આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે પ્રિયંકા ગાંધીને વાયનાડ ચૂંટણી માટે જમાત-એ-ઇસ્લામીનું સમર્થન છે.  

    વિજયનના નિવેદન પર, જમાત-એ-ઇસ્લામી હિંદ કેરળના પ્રમુખ પી મુજીબ રહેમાને કહ્યું કે, “તાજેતરની લોકસભા ચૂંટણીમાં જમાતે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં CPI(M)ને સમર્થન આપ્યું હતું. કેરળમાં અમે 2004થી CPI(M)ને સમર્થન આપીએ છીએ. 2020 સુધી CPI(M)એ WPI ના સમર્થનથી ઘણી સ્થાનિક જગ્યાઓ પર શાસન કર્યું હતું.”

    ઉલ્લેખનીય છે કે, જમાત-એ-ઇસ્લામી લોકતાંત્રિક વ્યવસ્થાનો વિરોધ કરે છે. તે શરિયાના સિદ્ધાંતોને અમલમાં મૂકવાની હિમાયત કરે છે. જમાતને કટ્ટરવાદી સંગઠન ગણવામાં આવે છે. તે સમાજમાં ધાર્મિક વિભાજન અને કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માટે પણ જાણીતું છે. જમાત-એ-ઇસ્લામી પર રાજકીય હેતુઓ માટે ધાર્મિક લાગણીઓનું શોષણ કરવાના આરોપો પણ લાગતાં રહે છે.

    ‘ફિલ્મમાં કામ કરવા બદલ મળી રહી છે ધમકીઓ’: ગોધરા કાંડની ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના મુખ્ય અભિનેતા વિક્રાંત મેસ્સી

    15 નવેમ્બરે ગોધરા કાંડ (Godhra Kand) અને ત્યારબાદ ગુજરાતમાં થયેલા રમખાણો પર બનેલ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ (The Sabarmati Report) રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. આ દરમિયાન જ ફિલ્મના મુખ્ય અભિનેતા વિક્રાંત મેસ્સીએ (Vikrant Massey) તેમને ફિલ્મમાં કામ કરવા બદલ ધમકીઓ મળી હોવાનો દાવો કર્યો છે. મીડિયા વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ગોધરા કાંડની આગમાં ઘણા લોકોએ રોટલા શેક્યા, પરંતુ જે લોકો આમાં માર્યા ગયા તે માત્ર આંકડા બનીને જ રહી ગયા. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ફિલ્મને લઈને લોકો તેમના 9 મહિનાના પુત્ર અંગે પણ જેમતેમ બોલી રહ્યા છે.

    દૈનિક ભાસ્કર સાથેના ઇન્ટરવ્યુમાં વિક્રાંત મેસ્સીએ ફિલ્મ અંગે ઘણા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ સાઈન કરતી વખતે તેમને લાગ્યું જ હતું કે, આ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. આ ફિલ્મ માટે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના અભિપ્રાયો મળવાના છે. ઘણો વિવાદ પણ ઉભો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂરે આ ફિલ્મની સ્ક્રીપ્ટ બનાવવા માટે ખૂબ સંશોધન કર્યું હતું. સંશોધન બાદ જ તેમણે આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મની સ્ક્રીપ્ટ બનાવી હતી.

    વાત કરતા વિક્રાંતે કહ્યું કે, “એકતાએ મને એક લાંબુ રિસર્ચ પેપર આપ્યું. હું સમજી ગયો કે જો સંશોધન આટલું નક્કર હોય તો કોઈ વિવાદ થવાની શક્યતા નથી. શરૂઆતમાં મને એવું લાગ્યું કે આ ફિલ્મ કોઈ ચોક્કસ ધર્મ, વર્ગ કે વ્યક્તિની વિરુદ્ધ તો નથી ને. પાછળથી, સ્ક્રિપ્ટ વાંચ્યા પછી, મને સમજાયું કે આ ફિલ્મ ફક્ત સત્યની વાત કરે છે. અફસોસની વાત એ છે કે, આ વાતને 22 વર્ષ થઈ ગયા છે, પરંતુ આ મુદ્દે બહુ વાત થઈ નથી.”

    ‘મૃત્યુ પામેલા 59 લોકો માત્ર આંકડો બનીને રહી ગયા’

    તેમણે આ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિઓ અંગે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “28 ફેબ્રુઆરી 2002માં ગુજરાતમાં જે થયું તે આખી દુનિયાએ છાપ્યું, પરંતુ તેના એક દિવસ પહેલા 27 ફેબ્રુઆરીએ જે બન્યું તે અંગે હાલ પણ ચર્ચા થઇ શકતી નથી. જે 59 લોકોને મારી નાખવામાં આવ્યા એ ભુલાવી દેવામાં આવ્યા, એ લોકો માત્ર એક આંકડો બનીને રહી ગયા. એ આગમાં સેંકડો લોકોએ પોતાના રોટલા શેક્યા, પરંતુ જે લોકોના મૃત્યુ થયા તેમાંથી 3ના નામ પણ કદાચ આપણને યાદ નથી. આ જ સૌથી મોટું દુર્ભાગ્ય છે.”

    વિક્રાંત મેસ્સીએ એમ પણ કહ્યું હતું કે ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મમાં કામ કરવા બદલ વિક્રાંતને ધમકીઓ મળી રહી છે. તેમણે કહ્યું હતું કે વોટ્સએપના માધ્યમથી તેમને મેસેજ મળી રહ્યા છે. તેમના 9 મહિનાના બાળક માટે પણ લોકો જેમતેમ બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે, “મને સમજાતું નથી કે આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ. શું કળાને દબાવવી યોગ્ય છે?” તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વિશ્વના અલગ-અલગ નરસંહારો પર ફિલ્મો બની રહી છે તો ભારતમાં ઘટેલી ઘટનાઓ અંગે કેમ નથી બની રહી?

    તેમણે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, “જર્મનીની નાઝી સેનાએ હજારો યહૂદીઓની હત્યા કરી. તેના પર ઘણી ફિલ્મો બની અને તેને એવોર્ડ પણ મળ્યા. એ જ રીતે અમેરિકાએ જાપાન પર પરમાણુ બૉમ્બ ફેંક્યા, તેના પર ઘણી એવોર્ડ જીતનારી ફિલ્મો બની. તો પછી આપણે અહીં બનતી ઘટનાઓ પર ફિલ્મ બનાવવા માટે આટલું બધું કેમ વિચારીએ છીએ?”

    આ ઉપરાંત વિક્રાંતે કહ્યું હતું કે, ભાષા પર ગર્વ લેવો આવશ્યક છે. ભાષા અંગે વાતચીત કરતા કહ્યું હતું કે, “’ભાષાના આધારે લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ એક વખત કહ્યું હતું કે, તેમને અંગ્રેજી આવડતું ન હોવાથી તેમને અલગ રીતે જોવામાં આવે છે. હું હંમેશા કહું છું કે ભાષા માત્ર એક માધ્યમ છે. હું માનું છું કે અંગ્રેજી વૈશ્વિક ભાષા છે. મને તેની સામે કોઈ વાંધો નથી. સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમે તમારી ભાષા બોલવામાં સંકોચ અનુભવો છો.”

    40ના મોત, 3000થી વધુ ઘાયલ.. ઇઝરાયેલી PMના આદેશ પર જ થયા હતા લેબનાનમાં પેજર બ્લાસ્ટ, નેતન્યાહુએ પ્રથમ વખત સ્વીકાર્યું

    ઇઝરાયેલના વડાપ્રધાને (Prime Minister of Israel) મોટું નિવેદન આપતા સ્વીકાર કર્યો છે કે, તેમણે જ હિઝબુલ્લાહ (Hezbollah) વિરુદ્ધ પેજર એટેકના (Pager Attack) આદેશ આપ્યા હતા. આ આદેશ ઇઝરાયેલી પીએમ હાઉસમાંથી જ આપવામાં આવ્યા હોવાના કેટલાક રિપોર્ટ પણ સામે આવ્યા છે. પીએમ નેતન્યાહુએ (PM Netanyahu) રવિવારે (10 નવેમ્બર 2024) સ્વીકાર્યું છે કે, તેમણે પેજર એટેકના આદેશ આપ્યા બાદ જ હિઝબુલ્લાહના હજારો પેજર-વોકીટોકીમાં વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં 40 આતંકવાદીઓના મોત થયા હતા અને 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ નેતન્યાહુના પ્રવક્તા ઓમર દોસ્તરીએ પણ આ મામલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાને રવિવારે તે વાતની પુષ્ટિ કરી છે કે, તેમણે આદેશ આપ્યા બાદ જ લેબનાનમાં પેજર હુમલો કરવામાં આવ્યો હતો. નોંધવું જોઈએ કે, હિઝબુલ્લાહ પહેલાંથી જ આ હુમલા માટે ઇઝરાયેલને જવાબદાર માનતું આવ્યું છે, જોકે તેમની પાસે તેને સાબિત કરવા કોઈ મજબૂત પુરાવા નહોતા.

    વિરોધ છતાં લીધો નિર્ણય: પીએમ નેતન્યાહુ

    ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, પીએમ નેતન્યાહુએ રવિવારે તાજેતરમાં જ બરખાસ્ત કરવામાં આવેલા રક્ષામંત્રી યોઆવ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, “પેજર ઓપરેશન અને હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહના સફાયાનો નિર્ણય રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય સત્ર પર તેના માટે જવાબદાર લોકોના વિરોધ બાદ પણ લેવામાં આવ્યો હતો.” પીએમ નેતન્યાહુના જણાવ્યા અનુસાર, તેમણે તેમના કેબિનેટના કેટલાક મંત્રીઓ અને રક્ષા મંત્રાલયના અધિકારીઓના વિરોધ છતાં આ મોટો નિર્ણય લીધો અને તેનું પરિણામ પણ મળ્યું.

    પેજર એટેક હિઝબુલ્લાહ વિરુદ્ધ મહત્વપૂર્ણ સાબિત થયો

    નોંધનીય છે કે, આ પેજર એટેકે ઇઝરાયેલ-હિઝબુલ્લાહ યુદ્ધને એક નવો વળાંક આપી દીધો હતો. આ હુમલા બાદ જ હિઝબુલ્લાહ ભાંગી પડ્યું હતું. તેનું સૌથી મોટું કારણ તે હતું કે હિઝબુલ્લાહ માટે આ પેજર સિવાય સંચાર માટે અન્ય કોઈ સાધન નહોતું. તેઓ દોરીસંચાર માટે આ પેજર પર જ નિર્ભર હતા. તેવામાં પેજરમાં બ્લાસ્ટ થવાનું શરૂ થતા અફરાતફરી મચી ગઈ હતી.

    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7 ઑક્ટોબરે આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર ભીષણ હુમલો કરી દીધો હતો, જેમાં સેંકડો નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા. તેની જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલ પણ હમાસ પર તૂટી પડ્યું હતું. બાદમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ પણ હમાસની સાથે આવ્યું હતું અને ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. યુદ્ધ ચરમ પર પહોંચતા જ ઇઝરાયેલે પેજર એટેક ઓપરેશન લોન્ચ કરી દીધું, જેનાથી હિઝબુલ્લાહની કમ્યુનિકેશન સીસ્ટમ ભાંગી પડી. ઇઝરાયેલથી ડરીને ટેકનોલોજીથી બચવા માટે હિઝબુલ્લાહ પહેલાં જ મોબાઈલ કે અન્ય આધુનિક ઉપકરણો નહોતું વાપરતું. તેવામાં આ પેજર હુમલાએ યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

    સાકેત ગોખલેએ જે સ્થળે બંધ કરાવ્યું જાગરણ, ત્યાં ભજન વગર જ થઈ આરતી, ભંડારામાં આવતા પણ ડરતા હતા લોકો: પીડિતોએ ઑપઇન્ડિયાને કહ્યું- આજે ચૂપ રહ્યા તો હોળી-દિવાળી પણ કરાવશે બંધ

    દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) શનિવાર (9 નવેમ્બર 2024)ના રોજ, પોલીસે ડૉક્ટર વિશ્વંભર દાસ માર્ગ પર શરૂ થનારા મા દુર્ગાના જાગરણને (Maa Durga Jagran) બળજબરીથી બંધ કરાવી દીધું હતું. જાગરણ બંધ કરવા માટેની કાર્યવાહી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીના સાંસદ સાકેત ગોખલેના (Saket Gokhale) આદેશ પર કરવામાં આવી હતી. ભક્તોએ સાકેત ગોખલેને ઘણી વિનંતીઓ કરી, તેમની શ્રદ્ધા વ્યક્ત કરી, પરંતુ તેમના પર કોઈ અસર પડી નહીં. આખરે તેમણે તમામ કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો.

    અંતે લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા અને સમગ્ર પંડાલ આખી રાત શાંત રહ્યો. આ કાર્યક્રમનું આયોજન મંત્રીઓ અને સાંસદોના નિયુક્ત સહાયકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાં પરિસ્થિતિ એવી બની કે લોકોએ ભજન-કીર્તન વગેરે વિના જ આરતી કરીને પૂજા પૂરી કરવી પડી હતી. ઑપઇન્ડિયાએ ઘટનાસ્થળે જઈને સમગ્ર ઘટના અને નવીનતમ પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

    જ્યાં રોકવામાં આવી મા દુર્ગાની પૂજા, તે જગ્યા CRPF હેઠળની

    દિલ્હીના વિશ્વંભર દાસ માર્ગ પર એમએસ ફ્લેટ સ્થિત છે. અહીં સિંધુ અને ગોમતી નામના બે અલગ-અલગ બ્લોક સહિત એક અન્ય ભાગ પણ એમએસ ફ્લેટનો છે. સિંધુ અને ગોમતી બ્લોકમાં સાંસદો અને ઘણા કેન્દ્રીય મંત્રીઓના રહેઠાણ છે. ઉપરાંત આ લોકોને મળેલા ઘરેલુ સહાયકો એમએસ ફ્લેટમાં છે. આ એક ખૂબ જ ખાસ વિસ્તાર માનવામાં આવે છે. તેના ત્રણેય ભાગ 24 કલાક CRPFના નિરીક્ષણ હેઠળ રહે છે.

    શું હતી સમગ્ર ઘટના?

    એમએસ ફ્લેટના રહેવાસીઓએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, તેઓ બે દાયકા કરતાં વધુ સમયથી તે સ્થળે દુર્ગા પૂજાનું આયોજન કરતાં આવ્યા છે. નવરાત્રિથી શરૂ થયેલી આ પૂજા 35 દિવસ સુધી ચાલતી હતી. એમએસ ફ્લેટના રહેવાસીઓ 35 દિવસના ઉપવાસ પણ કરે છે. શનિવારે જાગરણ બાદ રવિવારે ભંડારાના આયોજનની યોજના બનાવવામાં આવી હતી અને સોમવારે મા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવવાનું હતું.

    જાગરણના દિવસે એમએસ ફ્લેટના લોકો એકઠા થયા હતા. જેમાં મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધોનો પણ સમાવેશ થતો હતો. જાગરણ સાંજે 5 વાગ્યે શરૂ થયું હતું. પોલીસ જાગરણ સ્થળે પહોંચી ત્યારે મ્યુઝિક સિસ્ટમમાં ભજન વગાડ્યાને માંડ 15 મિનિટ થઈ હતી. કાર્યક્રમ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે લોકોએ તેમને રોકવાનું કારણ પૂછ્યું તો તેમને કહેવામાં આવ્યું કે, TMC (તૃણમૂલ કોંગ્રેસ)ના સાંસદે કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો છે.

    ત્યાં હાજર કેટલાક લોકોએ તેને આસ્થાનું અપમાન ગણાવ્યું, તો પોલીસે તેમને જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપી દીધી. આખરે લોકો ડરી ગયા અને મ્યુઝિક સિસ્ટમ બંધ પણ કરી દીધી. આ પછી ભક્તોએ પોલીસને વિનંતી કરી કે તેમને માત્ર તાળીઓ પાડીને માતા રાનીના ભજન ગાવાની મંજૂરી આપવામાં આવે. પોલીસ આ માટે પણ તૈયાર નહોતી. ત્યારબાદ ભક્તોને પરત ફરવાનું કહી દેવામાં આવ્યું અને આખી રાત પંડાલ એકદમ શાંત રહ્યો.

    સમજાવવા ગયા તો ભડકીને ભગાવ્યાં લોકોને

    જ્યારે ભક્તોને ખબર પડી કે, પોલીસે સાકેત ગોખલેના આદેશ પર તેમનો કાર્યક્રમ બંધ કરી દીધો છે, ત્યારે લોકો સાકેત ગોખલેને સમજાવવા માટે ભેગા થયા હતા. સાકેત ગોખલે સાથે લાંબા સમયથી કામ કરનારા કેટલાક વડીલો અને સ્ટાફ પણ તેમને મનાવવા માટે ગયા હતા. આરોપ છે કે, આ તમામને કહેવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમને કોઈ પણ સંજોગોમાં ચલાવવા દેવામાં આવશે નહીં. આજીજી કરવા પર તમામ લોકોને ઠપકો આપીને રવાના કરી દેવામાં આવ્યા હતા.

    આરોપ છે કે, અરજી આપવા ગયેલા લોકોને ગોખલેએ જેલમાં મોકલવાની અને ઘર ખાલી કરવાની ધમકી પણ આપી હતી. ગોખલેએ તેમના ભૂતપૂર્વ સ્ટાફને પણ ખૂબ પરેશાન કર્યા હતા. હવે લિફ્ટ ઓપરેટરથી લઈને રિસેપ્શનિસ્ટ સુધીની નોકરી કરતા લોકોની નોકરી જોખમમાં છે. તેમનું માનવું છે કે, ગોખલે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે. બધાએ મીડિયા દ્વારા ગોખલેને વિનંતી કરી છે કે, તેમની નોકરી બક્ષવામાં આવે.

    દરમિયાન સાકેત ગોખલેએ મા દુર્ગાના ભંડારા અને જાગરણમાં ભાગ લેવાનું આમંત્રણ પણ ઠુકરાવી દીધું હતું. એમએસ ફ્લેટના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, સાકેત ગોખલે આવું કરનાર એકમાત્ર સાંસદ છે. જોકે, લોકો એ પણ સમજી શકતા નથી કે દિલ્હી પોલીસ સાકેત ગોખલેના આદેશને લાગુ કરવામાં આટલી સક્રિય કેવી રીતે થઈ, જ્યારે ત્યાં તો કોઈ ગેરકાયદેસર કામ પણ નહોતું થઈ રહ્યું.

    300 મીટર દૂર, તેમ છતાં ભજનથી શોર!

    TMC સાંસદ સાકેત ગોખલે સમજાવવા આવેલા લોકો સાથે એ વાત પર અડગ રહ્યા હતા કે, જાગરણ ભજનના ‘ઘોંઘાટ’ને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ્ણે ડોકટરોની સલાહનો હવાલો આપ્યો અને અવાજ નાપસંદ હોવાનું કહ્યું હતું. લોકોએ દાવો કર્યો હતો કે, માતા દુર્ગાનો પંડાલ તેમના ઘરથી 300 મીટર દૂર હતો. લોકો તાળીઓ પાડીને પણ ભજન ગાવા તૈયાર હતા. તાળીઓનો અવાજ તેમના સુધી પહોંચતો પણ નહોતો. તેમ છતાં ગોખલેએ સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ કાર્યક્રમને ચાલુ રાખવા દેશે નહીં.

    આસ્થાનું કર્યું અપમાન

    રવિવારે (10 નવેમ્બર) ઑપઇન્ડિયાની ટીમ સવારે 10 વાગ્યે તે પંડાલમાં પહોંચી હતી, જ્યાં સાકેત ગોખલેના આદેશ પર મા દુર્ગાની પૂજા અટકાવવામાં આવી હતી. અમે પંડાલની આસપાસ માંડ 1 ડઝન લોકોને જોયા. પંડાલ ખાલી હતો. કેટલાક નાના બાળકો નીચા અવાજમાં મા દુર્ગાના ભજન ગાતા હતા. ઘણી મુશ્કેલીથી તે ડઝન લોકોમાંથી કેટલાક અમારી સાથે વાત કરવા સંમત થયા.

    વાતચીતની શરૂઆતમાં જ તેમણે કહ્યું કે, “અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.” અમને કહેવામાં આવ્યું હતું કે, TMC સાંસદના ડરને કારણે સ્થિતિ એવી બની ગઈ છે કે, ભંડારા શરૂ કરતા પહેલાં જે 9 કન્યાઓ ભોજન કરાવવામાં આવે છે, તે પણ પંડાલમાં આવવા તૈયાર નથી. બાળકોને પંડાલમાં જ બેસાડીને ભજન કરાવવામાં આવતા હતા જેથી પોલીસ આવે તો પણ તેમને સગીર સમજીને છોડી દે.

    ત્યાંના લોકોએ એમ પણ કહ્યું કે, હવે માઈકને બદલે મોઢેથી ભજન ગાવામાં આવી રહ્યા છે, તે પણ બબડાટમાં. જોકે, લગભગ 1 વાગ્યે કેટલીક યુવતીઓ અને ભક્તો ઘરની બહાર આવ્યા હતા અને આરતી તથા ભંડારો સંપન્ન કરાવ્યો હતો. તેમ છતાં, લોકો એ હકીકતથી પરેશાન થયા કે કોઈએ તેમની આસ્થાનું સન્માન ન કર્યું.

    દેશના દરેક ભાગના પીડિતો, મોટાભાગના દલિત સમુદાયમાંથી

    TMC સાંસદ સાકેત ગોખલેના તુગલકી ફરમાનથી પ્રભાવિત લોકો દેશના લગભગ તમામ રાજ્યોના છે. તેમાંના મોટાભાગના બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વગેરેના છે. TMC સાંસદને જાગરણ પૂજા કરવા માટેની વિનંતી કરવા ગયેલા મોટાભાગના ભક્તો દલિત (SC) વર્ગના લોકો હતા. બધા નિરાશ થઈને પાછા ફર્યા બાદ તેમના ઘરની સ્ત્રીઓ, જે માતાના ભજન ગાવા આવી હતી તે રડતી-રડતી પરત ફરી હતી.

    આજે જાગરણ રોક્યું, કાલે હોળી-દિવાળીનો પણ વારો

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ઘણા સ્થાનિક લોકોએ પોતાને સાંસદો અને મંત્રીઓના નોકર ગણાવ્યા. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, સંભવતઃ તેમના ઇન્ટરવ્યુના પ્રકાશન પછી, તેમાંથી ઘણાની નોકરી જોખમમાં આવી શકે છે. જોકે, તેમણે બોલવું પણ તેમની મજબૂરી ગણાવી હતી. તેમણે કહ્યું, “જો ચૂપ રહ્યા તો આજે જાગરણ બંધ કરી દેવામાં આવ્યું, કાલે હોળી-દિવાળી જેવા અન્ય તહેવારો સામે પણ આવું જ કરવામાં આવશે.”

    એક મહિલા ભક્તે કહ્યું કે, મમતા બેનર્જીના સાંસદ તેમના સ્ટાફની છત પણ છીનવી લેવા માટે ઝઝૂમી રહ્યા છે. મહિલાએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી તે એક જ સ્થળે ઘંટ, શંખ, ઢોલ અને મંજીરા વગાડીને દેવી દુર્ગાની પૂજા કરી રહી છે, પરંતુ આ વખતે તાળીઓ વગાડવાની પણ મંજૂરી નથી. પીડિતાએ કહ્યું, “મીડિયાના લોકોને જોઈને અમે બોલવાની હિંમત એકઠી કરી શક્યા છીએ.”

    ત્યાં જ કરીશું જાગરણ, કોઈ રોકીને બતાવે

    દિલ્હી ભાજપના નેતા આદેશ ગુપ્તા એ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં સાકેત ગોખલેએ મા દુર્ગાનું જાગરણ અટકાવ્યું હતું. આદેશ ગુપ્તાએ ગોખલેની કાર્યવાહીને TMCની પાર્ટી લાઇન ગણાવી અને ઘટનાની નિંદા કરી હતી. તેમણે જાહેરાત કરી છે કે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદે જાગરણ અટકાવ્યું છે, ત્યાં જ માત્ર એક અઠવાડિયાની અંદર ભવ્ય જાગરણનું આયોજન કરવામાં આવશે.

    આદેશ ગુપ્તાએ પડકાર ફેંક્યો અને કહ્યું કે, જે રોકી શકે તે રોકીને બતાવે. તેમણે આ મુદ્દે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી રાજકારણની એક જ લાઇનને અનુસરી રહ્યા છે. આડકતરી રીતે આદેશ ગુપ્તાએ અરવિંદ કેજરીવાલ પર પણ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

    ઘટનાસ્થળે પહોંચેલા ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેઓ આ મુદ્દા પર નજર રાખી રહ્યા છે અને સમગ્ર મામલાને સમજ્યા બાદ ટૂંક સમયમાં જ પ્રતિક્રિયા પણ રજૂ કરશે. આ દરમિયાન સ્થાનિક લોકોએ ‘અરવિંદ કેજરીવાલ મુર્દાબાદ’ અને ‘તૃણમૂલ કોંગ્રેસ મુર્દાબાદ’ના નારા પણ લગાવ્યા હતા.

    મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં ‘બેરોજગાર’ મુસ્લિમ યુવાનોના ખાતામાં ₹125 કરોડ ટ્રાન્સફર, ઉલેમા બોર્ડે MVAને આપ્યું સમર્થન: શરત- RSSને બેન કરો, 10% રિઝર્વેશન આપો

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Elections) ઑલ ઈન્ડિયા ઉલેમા બોર્ડે (All India Ulama Board) કોંગ્રેસના નેતૃત્વવાળા મહાવિકાસ અઘાડી (MVAને) ગઠબંધનને સીધું સમર્થન આપ્યું છે. પોતાના સત્તાવાર પત્રમાં ઉલેમા બોર્ડે 17 શરતો સાથે આ સમર્થન આપવાની વાત કરી છે. જેમાં વક્ફ બોર્ડને ₹1000 કરોડ આપવા અને RSS પર પ્રતિબંધ લગાવવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે.

    આ સિવાય ઉલેમા બોર્ડે મહાવિકાસ અઘાડી પાસેથી વક્ફ સુધારા બિલનો વિરોધ કરવા અને તેને રદ્દ કરવાની માંગ પણ કરી છે. વક્ફ મિલકતોમાંથી અતિક્રમણ દૂર કરવા માટે મહારાષ્ટ્ર વિધાનસભામાં કાયદો બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર બોર્ડમાં મુસ્લિમો માટે 10% અનામત અને રાજ્યમાં પોલીસ ભરતીમાં શિક્ષિત મુસ્લિમોને પ્રાધાન્ય આપવાની માંગ પણ કરવામાં આવી છે.

    એટલું જ નહીં, બોર્ડે ભાજપ નેતા નિતેશ રાણે અને રામગિરી મહારાજને તાત્કાલિક જેલમાં નાખવા અને સલમાન અઝહરીને મુક્ત કરવાની માંગ પણ કરી છે. તેમજ રાજ્ય સરકારને પયગંબર મોહમ્મદ વિરૂદ્ધ બોલનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદો લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. બોર્ડ એ પણ ઈચ્છે છે કે, રાજ્ય સરકાર રાજ્યમાં ચાલતી મસ્જિદોના મૌલાનાઓ અને ઈમામોને દર મહિને 15,000 રૂપિયા ચૂકવે.

    નોંધવા જેવું તો તે છે કે, એક તરફ ઉલેમા બોર્ડે પોતાનું સમર્થન આપવા માટે આ બધી શરતો મૂકી છે, તો બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, NCP નેતા શરદ પવારે આ તમામ શરતોને ધ્યાનમાં લીધી છે અને તેને સ્વીકારી પણ લીધી છે.

    ઉલેમા બોર્ડની આવી માંગણીઓ તેવા સમયે સામે આવી છે, જ્યારે તાજેતરમાં જ એ વાતનો ખુલાસો થયો હતો કે, કેવી રીતે રાજ્યમાં 180 NGO સંયુક્ત રીતે મુસ્લિમ મતો એકત્રિત કરી રહ્યા છે, જેથી કરીને ભાજપને રાજ્યમાંથી બહાર કરી શકાય. લોકસભાની ચૂંટણી વખતે પણ આવા જ પ્રયાસો થયા હતા અને આ વખતે પણ તે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

    થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રના નાસિકમાં 12 મુસ્લિમ યુવાનોને બેરોજગાર ગણાવીને તેમના ખાતામાં ₹125 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દરેક યુવકના ખાતામાં 12-15 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. પૈસા જમા કરાવનાર વ્યક્તિ સિરાજ અહેમદ હતો જે સ્થાનિક વેપારી છે. તેણે આ રકમ માલેગાંવ મર્ચન્ટ બેંક મારફતે મોકલી હતી. આ મામલાના ખુલાસા બાદ હવે નાસિક પોલીસ તપાસ કરી રહી છે કે, આ છેતરપિંડીનો મામલો છે કે તેની પાછળ કોઈ અલગ ઈરાદો છે.