Friday, September 20, 2024
More
    Home Blog Page 1039

    મોહમ્મદ ઝુબૈરને આવેલો રેલો મોટો થયો, હિન્દુફોબીક ઓલ્ટ ન્યુઝના સહ-સંસ્થાપકે 1 દિવસમાં 28 ટ્વિટ ડિલીટ કરી

    ઓલ્ટ ન્યુઝના (ALT News) મોહમ્મદ ઝુબૈરને આવેલો રેલો મોટો થયો હોય તેવું લાગી રહ્યું છે, તેણે એકજ દિવસમાં પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક સાથે 28 ટ્વિટ ડિલીટ કરી છે. મોહમ્મદ ઝુબૈર ઓલ્ટ ન્યૂઝનો સહ-સંસ્થાપક છે, જે ‘FactCheck’ ના નામે પ્રોપગેંડા વેબસાઈટ ચલાવે છે, ઝુબૈરે પોતાના હેન્ડલ પર આ ફેરફાર એવા સમયે કર્યો છે જ્યારે તેની હિન્દુફોબિક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમ મોહમ્મદ ઝુબૈરને આવેલો રેલો હવે મોટો થતો નજરે પડે છે.

    આ બાબતે ધ હોક આઈએ મોહમ્મદ ઝુબેરની (Mohammed Zubair) ટ્વિટર એક્ટિવિટી વિશે ટ્વિટ કર્યું હતું. ધ હોક આઈએ પોતાના ટ્વિટમાં દર્શાવ્યું છે કે સરેરાશ 44 ટ્વિટ કરનારા ઝુબૈર હવે દિવસમાં માત્ર 2 ટ્વિટ કરે છે. ટ્વીટમાં દેખાતો ગ્રાફ દર્શાવે છે કે 20 જૂને ઝુબૈરે તેના એકાઉન્ટમાંથી 28 ટ્વીટ ડિલીટ કરી હતી.

    જ્યારે OpIndiaએ આ દાવાને ક્રોસ-ચેક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે ઝુબેરના એકાઉન્ટમાંથી ખરેખર 28 ટ્વીટ્સ ગાયબ છે. વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે કેટલાક નેટીઝન્સ પાસે ઝુબેરની જૂની ટ્વિટ હતી જેને તેણે પોતાના ટ્વિટર પરથી ડિલીટ કરી દીધી છે. સ્વાભાવિક છે કે આ તમામ ટ્વીટમાં હિંદુ દ્વેષની ભરમાર હતી.

    સાભાર Opindia Hindi

    હવે એ સ્પષ્ટ નથી થયું કે તે તમામ ટ્વીટ કયા હતા જે ઝુબૈરે 20 જૂને હટાવ્યા હતા. પરંતુ અમને મળેલા એક ટ્વિટમાં, તે નકલી ફેસબુક પેજ બનાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સમર્થકોને નિશાન બનાવવાને યોગ્ય ઠેરવે છે. નીચે તે પોસ્ટનો સ્ક્રીનશોટ જોઈ શકાય છે.

    સાભાર Opindia Hindi

    ગત તારીખ 13-14 જૂનના રોજ ઘણા નેટીઝન્સે ઝુબેરની કેટલીક પોસ્ટ જોઈ અને તેના પર હિન્દુ દેવી-દેવતાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. પોતાની જૂની પોસ્ટને કારણે સતત ટ્રોલ થયા બાદ ઝુબૈરે પોતાનું ફેસબુક ડિલીટ પણ કરી દીધું હતું. તેની જૂની પોસ્ટમાં ભગવાન શ્રી રામથી માંડીને શિવલિંગ સુદ્ધાની મજાક કરવામાં આવી હતી.

    ધ હોક આઈ દ્વારા ઝુબેરના ફેસબુક ડિલીટની જાણ પણ અગાઉ કરવામાં આવી હતી. ઝુબૈરની ઘણી પોસ્ટના સ્ક્રીનશોટ શેર કરતા તેણે લખ્યું, “બીજાના ભગવાન, ધર્મ, સંસ્કૃતિ અને શાસ્ત્રોની મજાક ઉડાવવી સરળ છે, કારણ કે તેનો કોઈ અંત નથી. વિડંબના એ છે કે આ ટ્વીટ એ જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું જેણે એક એવી ઘટનાને અંજામ આપ્યો હતો જેણે સમગ્ર રાષ્ટ્રને ખલેલ પહોંચાડી હતી અને હિંસક વિનાશ હજુ પણ ચાલુ છે.”

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મહોમ્મદ ઝુબૈરને સજા કરવાની અને ઓલ્ટ ન્યુઝને પ્રતિબંધિત કરવાની માંગ વાળા ટેગ્સ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા, ઝુબીર જે પ્રમાણે પોતાના ફેસબુક અકાઉન્ટ અને ટ્વીટ ડીલીટ કરી રહ્યો છે તે પરથી સમજી શકાય છે કે તેણે જે કૃત્યો કાર્ય હતા તે તેણે જાણી જોઇને કાર્ય હતા. અને હવે તેની પાસે બધું સમાપ્ત કરીને ભાગી છુટવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

    ‘અગ્નિપથ યોજના પરત લેવાનો કોઈ સવાલ જ નથી’: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ, કહ્યું- વિરોધ કરવો યોગ્ય પણ હિંસા ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે

    કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના થઇ રહેલા વિરોધ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે મહત્વપૂર્ણ વાતો કહી છે. ન્યૂઝ એજન્સી ANIના એડિટર સ્મિતા પ્રકાશને આપેલા ઇન્ટવ્યૂમાં તેમણે અગ્નિપથ યોજના અને રાષ્ટ્ર સુરક્ષાના મુદ્દે અનેક વાતો કરી હતી. અજિત ડોવલ અગ્નિપથ યોજના અંગે, તેના થઇ રહેલા વિરોધ અંગે તેમજ ભારતની સુરક્ષા અંગે વિસ્તૃત વાતચીત કરે છે. 

    સુરક્ષા સલાહકાર અજિત ડોવલે સ્પષ્ટતા કરી હતી કે અગ્નિપથ યોજના પરત ખેંચાશે નહીં. તેમણે કહ્યું, “યોજના પરત લેવાનો કોઈ સવાલ જ નથી. આ યોજના રાતોરાત નથી આવી. દાયકાઓથી તેની ચર્ચા-વિચારણા કરવામાં આવતી રહી છે. 1970 થી વિવિધ સમિતિઓ આ અંગે ચર્ચા કરતી આવી છે અને ટેક્નોલોજી, મેનપાવર કે પછી અન્ય બાબતોને લઈને સેનામાં મહત્વના ફેરફારો કરવાની વાતો થતી રહી છે. 

    અગ્નિપથ યોજનાના થઇ રહેલા વિરોધ પ્રદર્શનો અને ખાસ કરીને હિંસક પ્રદર્શનોને લઈને સુરક્ષા સલાહકાર અજિત ડોવલ કહે છે કે, “વિરોધ કરવો અને અવાજ ઉઠાવવો એ બરાબર છે અને લોકતંત્રમાં તેમ કરવાની સ્વતંત્રતા પણ મળે છે. પરંતુ આ તોડફોડ અને હિંસાને યોગ્ય ઠેરવી શકાય નહીં અને તે ચલાવી લેવામાં પણ નહીં આવે.

    અજિત ડોવલે કહ્યું કે, આવતીકાલની તૈયારીઓ માટે આજે પરિવર્તન જરૂરી છે. અગ્નિપથ યોજનાની માંગ 22-25 વર્ષોથી થતી રહી હતી. જે કરતા આવ્યા છીએ એ જ કરતા રહીશું તો સુરક્ષિત નહીં રહીએ.

    તેમણે કહ્યું કે, આટલા લાંબા સમયથી માંગ કરવામાં આવ્યા છતાં રાજનીતિક ઈચ્છાશક્તિ ન હોવાના કારણે નિર્ણય થઇ શક્યો ન હતો. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડે છે. દેશની ચારેતરફ માહોલ ઝડપથી બદલાઈ રહ્યો છે અને પરિસ્થતિ જોઈને આપણે પણ માળખાંગત બદલાવ લાવવા જ પડશે. 

    અગ્નિપથ યોજના અંગે તેમણે કહ્યું કે, આજે ભારતની વસ્તીમાં સૌથી વધુ યુવાનો છે. દુનિયામાં સૌથી વધુ યુવાનો આપણે ત્યાં છે. ભારતીય સેનાની સરેરાશ ઉંમર દુનિયાભરમાં સૌથી વધુ છે. દુનિયા મોટા ફેરફારોમાંથી પસાર થઇ રહી છે અને આપણે અજ્ઞાત શત્રુઓ સાથે લડી રહ્યા છીએ. જેથી આ તમામ ફેરફારો બહુ જરૂરી છે.

    તેમણે કહ્યું કે, એકલા અગ્નિવીર આખી સેના નહીં હોય. અગ્નિવીર માત્ર પહેલા ચાર વર્ષ ભરતી કરવામાં આવેલ જવાનો હશે. બાકી સેનાનો મોટો હિસ્સો અનુભવી લોકોનો હશે. (ચાર વર્ષ બાદ) જે અગ્નિવીરો નિયમિત થશે તેમને પૂરતી તાલીમ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બદલાતા સમય સાથે સેનામાં પણ બદલાવ બહુ જરૂરી છે.

    NSA અજિત ડોવલે એમ પણ કહ્યું કે, છેલ્લા 8 વર્ષોમાં માળખાંગત સુધારા બહુ થયા છે. 25 વર્ષોથી CDS નો મુદ્દો પેન્ડિંગ હતો. રાજનીતિક ઈચ્છાશક્તિના અભાવના કારણે તેનો અમલ થઇ શક્યો ન હતો. આજે ડિફેન્સ એજન્સીની પોતાની સ્પેસની સ્વતંત્ર એજન્સી છે. ઉપરાંત તેમણે ભારતમાં નિર્મિત AK-203 ઍસૉલ્ટ રાઇફલ અંગે પણ જણાવ્યું હતું, તેમણે કહ્યું કે, આ દુનિયાની સૌથી સારી અસોલ્ટ રાઇફલ છે અને સૈન્ય ઉપકરણોમાં પણ ખૂબ પ્રગતિ થઇ રહી છે.

    આ ઉપરાંત, રેજિમેન્ટ સિસ્ટમ અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે આ સિસ્ટમ બંધ નહીં થાય. તેમણે રેજિમેન્ટ સિસ્ટમ અંગે કહ્યું હતું કે, “જ્યાં સુધી રેજિમેન્ટનો સવાલ છે. રેજિમેન્ટ ચાલુ જ રહેશે. રેજિમેન્ટ બંધ થઇ રહી નથી.” 

    કેજરીવાલ કૃત્ય: પંજાબનાં મુખ્યમંત્રી ‘માન’ નું અપમાન, પ્રોટોકોલમાં પાડયું પંચર

    કેજરીવાલ કૃત્ય પર લોકોમાં રોષ છે, હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં જ્યાં અરવિંદ કેજરીવાલ કારની અંદર ઉભા છે અને લોકોનું અભિવાદન કરી રહ્યાં છે. સાથે જ ભગવંત માન કારના દરવાજા પર લટકી રહ્યા છે. કેજરીવાલના આ કૃત્ય પર લોકોના મતે કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન બન્ને એ પંજાબની ગરીમાને ઠેસ પહોંચાડી છે. ‘માન મુખ્યમંત્રી છે કે પટાવાળા,’ કેજરીવાલે નવો અંગરક્ષક રાખ્યો’ જેવા તીખા કટાક્ષ હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે.

    આ ઘટના બાદ બીજેપી નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફોટો શેર કર્યો છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને ટેગ કરીને લખ્યું કે, “અરવિંદ કેજરીવાલે પંજાબના સીએમને પટાવાળા બનાવ્યા છે. ભગવંત માન જી, કમ સે કમ તમારું નહીં તો તમારા પદને માન આપો. બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરને લઈને ભગવંત માન (Bhagwant Maan) અને કેજરીવાલને ટોણો મારી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “કેજરીવાલે એક રાજ્યના ચૂંટાયેલા મુખ્યમંત્રીનું પદ બોડીગાર્ડ કરતા પણ વધારે બનાવી દીધું છે.”

    કવિ નેતા ડૉ. કુમાર વિશ્વાસ પણ પંજાબ CM ભગવંત માન પર માર્મિક વ્યંગ બાણ જીંકતા જોવા મળ્યાં હતા. વિશ્વાસે કટાક્ષ કરતા ટ્વીટ કર્યું હતું કે “પ્રિય અનુજ (નાના ભાઈ) જુકીને સલામ કરવામાં ખોટું કઈ નથી. પણ માથું એટલું પણ ન જુકાવો કે દસ્તાર (પાઘડી) પડી જાય.” આડકતરી રીતે વિશ્વાસે માનને સ્વાભિમાન જાળવવા ટોણો માર્યો હતો.

    વિશ્વાસની આ ટ્વીટ પર એક યુઝર લખે છે કે મુખ્યમંત્રી તો ઠીક પણ કેજરીવાલની બેશરમીની હદ તો જુઓ, તેમને પોતાનાથી વધુ કશુંજ નથી દેખાતું.

    પંજાબના રાજનૈતિક દલ શિરોમણી અકાલી દળે (Shiromani Akali Dal) પણ આ તસ્વીર પર આક્રોશ જતાવ્યો હતો. અકાલી દળના ટ્વીટર હેન્ડલ પર ભગવંત માનને ટેગ કરીને ટ્વીટ કરતા લખવામાં આવ્યું હતું,” એક તસ્વીર હજારો શબ્દો બરાબર હોય છે, આ એક ફોટો બાદ પંજાબીઓને બધું સમજાઈ ગયું છે”

    અન્ય એક યુઝરે ભગવંત માન અને અરવિંદ કેજરી વાળને ટેગ કરીને લખ્યું કે”ભગવંત માન બારીમાં ટીંગાઈને પોતાની ખુરશી બચાવી રહ્યા છે. કેજરીવાલ પોતાની બરોબરીમાં કોઈને ન જોઈ શકે, જો માન તેમની જોડે ઉભા હોત તો તેજ દિવસે તેમની ખુરશી ગઈ હોત.”

    અન્ય એક યુઝરે આ રેલીનો વિડીયો શેર કરતા લખ્યું કે અરવિંદ કેજરીવાલે ભગવંત માનની રીયલ પોઝીશન દેખાડી દીધી

    વાસ્તવમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે (20 જૂન 2022) સંગરુરમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. આ રોડ શો AAP ઉમેદવાર ગુરમેલ સિંહના સમર્થનમાં કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભગવંત માને ધુરી મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા બાદ લોકસભાની બેઠક ખાલી કરી હતી.

    અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી કોઈ ને કોઈ કારણોસર વિવાદોમાં ઘેરાયેલા રહે છે, મુદ્દો ખોટા દાવાઓ નો હોય, અરાજકતા ફેલાવે તેવા નિવેદનો હોય કે પછી લોકો કટાક્ષના ઘેરામાં લે તેવી હરકતો હોય, સોસિયલ મીડિયામાં કોઈ ને કોઈ રીતે કેજરીવાલ અને તેમની પાર્ટીને ઘેરવાનો મોકો ચૂકતા નથી. તેવીજ રીતે આ વખતે પણ લોકો સોસિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પર વ્યંગ અને કટાક્ષ કરતા જોવા મળ્યા હતા.

    અગ્નિપથ યોજનાના સમર્થનમાં ટાટા સમૂહ, કહ્યું- યોજના યુવાનોને મોટી તકો પૂરી પાડશે, યુવાનો માટે દ્વાર ખોલ્યા

    ઉદ્યોગસમૂહ ટાટા સન્સે કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજનાનું સમર્થન કર્યું છે. ટાટા સમૂહના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે આ યોજના યુવાનો માટે સુરક્ષાબળોમાં રહી સેવા કરવાનો અવસર પૂરો પાડશે તેમજ ટાટા સમૂહ જેવા ઉદ્યોગો માટે તાલીમબદ્ધ અને અનુશાસિત કર્મચારીવર્ગ પણ પૂરો પાડશે. 

    એક નિવેદનમાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું કે, “અગ્નિપથ દેશના સુરક્ષાબળોમાં સેવા આપવા માટે યુવાનોને મોટી તકો પૂરી પાડશે, તેમજ તેનાથી ટાટા સમૂહ સહિતના ઉદ્યોગોને પણ તાલીમબદ્ધ અને અનુશાસિત કર્મચારીઓ પણ મળશે.” તેમણે કહ્યું કે તેઓ અગ્નિવીરોની ક્ષમતાથી અવગત છે અને તેમને તકો પૂરી પાડવા માટે તેમનું સ્વાગત કરે છે. 

    આ સાથે તેમનું નામ અગ્નિપથ યોજનાનું સમર્થન કરનાર દેશના મોટા ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ થયું છે. આ પહેલાં મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રા, RPG ગ્રુપના હર્ષ ગોયેન્કા, બાયોકોન લિમિટેડના ચેરપર્સન કિરણ મજમુદાર અને અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર સંગીતા રેડ્ડી વગેરે જેવા લોકો આ યોજનાને સમર્થન આપી ચૂક્યા છે. 

    આ પહેલાં આનંદ મહિન્દ્રાએ અગ્નિપથ યોજનાને લઈને દેશમાં થઇ રહેલી હિંસાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “અગ્નિપથ યોજનાના એલાન બાદ જે રીતે હિંસા થઇ રહી છે તેનાથી દુઃખી અને નિરાશ છું. ગયા વર્ષે જ્યારે આ યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે અગ્નિવીરોને જે શિસ્ત અને કૌશલ્ય મળશે એ તેમને રોજગાર માટે વધુ કાબેલ બનાવશે. મહિન્દ્રા ગ્રુપ આ પ્રકારના પ્રશિક્ષિત અને સક્ષમ યુવાનોને ભરતી કરી તેમને તકો આપશે.”

    જે બાદ RPG ગ્રુપના હર્ષ ગોયેન્કાએ પણ આનંદ મહિન્દ્રાના ટ્વિટને શેર કરીને મત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ પણ પોતાના સમૂહની કંપનીઓએ અગ્નિવીરોને રોજગાર માટેની તકો પૂરી પાડશે. જે બાદ કિરણ મજમુદાર અને સંગીતા રેડ્ડીએ પણ આ નવી યોજનાનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે આ યોજના યુવાનોને શિસ્તબદ્ધ અને રોજગાર માટે વધુ યોગ્ય બનાવશે. 

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 15 જૂનના રોજ અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ 17.5 થી 21 વર્ષ સુધીના યુવાનો સેનામાં ભરતી થઇ સેવા આપી શકશે. જોકે, આ વર્ષ માટે સરકારે મહત્તમ વયમર્યાદા વધારીને 23 વર્ષ કરી છે. બે વર્ષથી કોરોનાના કારણે ભરતી ન થવાના કારણે સરકારે છૂટ આપી છે. 

    અગ્નિવીરોનો ચાર વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયા બાદ તેઓ સ્વેચ્છાએ અરજી કરી શકશે અને તે બેચમાંથી 25 ટકાની ભરતી સેનાની મુખ્ય કેડરમાં કરવામાં આવશે. આ ભરતી જે-તે અગ્નિવીરની ક્ષમતા અને તે વર્ષની જરૂરિયાતના આધારે કરવામાં આવશે.

    જોકે, યોજના જાહેર થયા બાદ બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તેનો વિરોધ જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ટ્રેન પણ સળગાવવામાં આવી હતી. 

    બીજી તરફ, ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ સંજોગોમાં આ યોજના પરત ખેંચવામાં આવશે નહીં. તેમજ સેનાએ એલાન કરતા કહ્યું છે કે જે કોઈ પણ યુવાન હિંસક પ્રદર્શનમાં સામેલ થશે તેને અગ્નિપથ યોજનામાં સામેલ કરવામાં આવશે નહીં.

    યશવંત સિન્હાએ કરી ભેદી ટ્વિટ; મમતાને ધન્યવાદ આપી TMC છોડીને વધુ મોટી જવાબદારી લેવાની વાત કરી!

    તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા (Yashwant Sinha) દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટથી નવી જ ચર્ચા શરૂ થઇ ગઈ છે. આજે સવારે યશવંત સિન્હાએ એક ટ્વિટ કરીને કહ્યું કે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા માટે તૈયાર છે અને તેમણે મમતા બેનર્જીનો આભાર પણ માન્યો હતો. યશવંત સિન્હાના ટ્વિટ બાદ રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષ તરફથી ઉમેદવાર તરીકે તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવી શકે તેવી ચર્ચા શરૂ થઇ છે. 

    યશવંત સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું કે, ટીએમસીમાં (TMC) મને જે માન-સન્માન મળ્યું તે માટે હું મમતાજીનો આભારી છું. હવે સમય આવી ગયો છે કે મારે મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે પાર્ટીથી બાજુ પર રહી વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ. મને વિશ્વાસ છે કે પાર્ટી મારા આ નિર્ણયને સ્વીકારશે.

    યશવંત સિન્હા પોતાના ટ્વિટ થકી ચોક્કસ શું કહેવા માંગે છે તે સમજી શકાય તેમ નથી પરંતુ તેમના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઈ છે કે તેઓ વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના (President Election 2022) ઉમેદવાર બની શકે છે અને તે સંદર્ભે જ તેમણે આ ટ્વિટ કરીને પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીનો આભાર માન્યો છે.

    યશવંત સિન્હાના ટ્વિટ બાદ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે તેમણે જ જાતે જ પોતાની જાતને રાષ્ટ્રપતિપદના વિપક્ષના ઉમેદવાર જાહેર કરવા માટે ટીએમસી છોડ્યું છે. બીજી તરફ, કેટલાક યુઝરે તો એમ પણ કહ્યું કે તેઓ સોસાયટીની ચૂંટણી જીતી શકે તેમ નથી તો રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે લડશે?

    વળી કેટલાક યુઝરોએ મમતા બેનર્જીએ તેમને કાઢી મૂક્યા છે કે કેમ તેમ પણ પૂછ્યું હતું. 

    બીજી તરફ, જાણવા મળી રહ્યું છે કે સિન્હા આજે દિલ્હીમાં યોજાનારી વિપક્ષની બેઠકમાં પણ ભાગ લેશે. આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષોની બેઠક મળી રહી છે. તેમાં યશવંત સિન્હાના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, ટીએમસીના વરિષ્ઠ નેતાઓએ આ મામલે યશવંત સિન્હા સાથે ચર્ચા કરી હતી, જે બાદ તેમણે સહમતિ દર્શાવી હતી. 

    યશવંત સિન્હા અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં હતા. જ્યાંથી 2018માં રાજીનામું આપ્યા બાદ તેઓ ગત વર્ષે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 

    રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર થયા બાદથી જ એક તરફ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી છે તો બીજી તરફ વિપક્ષો પણ સંયુક્ત ઉમેદવાર ઉતારવા માટેની કવાયદ હાથ ધરી રહ્યા છે. સૌપ્રથમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવારના નામ માટે ચર્ચા થઇ હતી પરંતુ શરદ પવારે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. 

    જે બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના નામ અંગે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેમણે પણ ઇનકાર કરી દીધો હતો. જે બાદ પશ્ચિમ બંગાળના પૂર્ણ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના નામની પણ ચર્ચા ચાલી હતી પરંતુ તેમણે પણ રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવાનો ઈનકાર કરી દીધો હતો. 

    ઉદ્ધવનું ઉંબાડિયું કરવા શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સાથી ધારાસભ્યોને લઈને પહોંચ્યા સુરત; મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ શરુ

    મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર રાજકીય ઉથલપાથલનો દોર શરૂ થયો છે. ગઈકાલે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો કબજે કર્યા બાદ હવે શિવસેનાના પચ્ચીસેક જેટલા ધારાસભ્યો સંપર્કવિહોણા બની ગયા છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યોને લઈને સુરત પહોંચ્યા હોવાના સમાચાર છે. 

    એક રિપોર્ટ અનુસાર, સોમવારે સાંજે સાત વાગ્યે એક ચાર્ટડ ફ્લાઈટ મારફતે આ ધારાસભ્યો સુરત (Surat) પહોંચ્યા હતા. હાલ તેઓ અઠવાલાઇન્સ સ્થિત મેરિડિયન હોટેલમાં રોકાયા છે. વધુમાં સૂત્રો અનુસાર, એકનાથ શિંદે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી શકે છે. તેમની સાથે 25 જેટલા ધારાસભ્યો હોવાનો અંદાજ છે.

    એક અન્ય રિપોર્ટ અનુસાર, રાત્રે 2 વાગ્યે સુરત કંટ્રોલ રૂમને મેરિડિયન હોટેલ બહાર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક બેરિકેડ મૂકી દીધાં હતાં. જે બાદ શિવસેનાના ધારાસભ્યો હોટેલ પહોંચ્યા હતા. હાલ હોટેલમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. 

    એકનાથ શિંદે (Eknath Shinde) સુરત પહોંચતા મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 12 વાગ્યે શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શિવસેનાના તમામ ધારાસભ્યોને ફરજીયાત હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, એનસીપી નેતા પ્રફુલ પટેલ પાર્ટી પ્રમુખ શરદ પવારને મળવા માટે પહોંચ્યા છે. ઉપરાંત, મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ પણ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધવા જઈ રહ્યા છે.

    બીજી તરફ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ આજે સુરતમાં જ હોવાનું કહેવાય છે. તેઓ શિવસેનાના ધારાસભ્યો સાથે મુલાકાત પણ કરી શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. ગઈકાલે સાંજે પણ સીઆર પાટીલ અને એકનાથ શિંદેની મુલાકાત થઇ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. 

    ગત 10 જૂનના રોજ યોજાયેલ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ ગઈકાલે યોજાયેલ વિધાન પરિષદ ચૂંટણી અને તેના પરિણામોએ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારની ચિંતા વધારી દીધી છે. સંખ્યાબળ ન હોવા છતાં ભાજપના તમામ પાંચ ઉમેદવારોએ જીત મેળવી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપને 20 વધારાના મતો મળ્યા હતા. એટલે કે ક્રોસ વોટિંગ થયું હતું. જો આ 20 ધારાસભ્યો સરકાર સાથે છેડો ફાડે તો સરકાર ઉથલાવવા માટે અન્ય 11 ધારાસભ્યોની જરૂર પડે છે. જો એકનાથ શિંદે સાથે સુરત પહોંચેલા 11 ધારાસભ્યો બળવો કરી દે તો મહારાષ્ટ્ર સરકાર માટે સત્તા ટકાવવી મુશ્કેલ થઇ પડે તેમ છે. 

    જાણવા મળી રહ્યું છે કે આ ક્રોસ વોટીંગમાં શિવસેના નેતા એકનાથ શિંદેનો જ હાથ હતો. હવે તેઓ પોતાની સાથે કેટલાક સમર્થકોને લઈને સુરત પહોંચ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે અને સીઆર પાટીલ પણ સુરતમાં છે. તેથી આ રાજકીય ખેલ રોમાંચક બન્યો છે. 

    ‘આપનો યોગ દિવસ’: દિલ્હીમાં આઠ વર્ષમાં સરકારી શાળાઓમાં યોગ શિક્ષકોની અધધધ જગ્યા ખાલી પડી, સામે કેજરીવાલ સરકારે કેટલી નિમણૂંક કરી?? RTIનો ખુલાસો

    આજે વિશ્વ યોગ દિવસની (Interntional Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હીની કેજરીવાલ સરકારની વધુ એક પોલ ખુલી છે. એક RTI મારફતે જાણવા મળ્યું છે કે એપ્રિલ 2014 થી લઈને માર્ચ 2022 સુધી દિલ્હીની સરકારી શાળાઓમાં ત્રણસોથી વધુ યોગ શિક્ષકો નિવૃત્ત થયા હતા. જેની સામે આમ આદમી પાર્ટીની સરકારે એક પણ યોગ શિક્ષકની નિમણૂંક કરી નથી. 

    આ બાબતનો ખુલાસો ગુજરાતના RTI એક્ટિવિસ્ટ સુજીત પટેલ દ્વારા કરવામાં આવેલ એક RTIના દિલ્હી સરકારે આપેલા જવાબ દ્વારા થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આઠ વર્ષમાં દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં એક પણ યોગ શિક્ષકની નિમણૂંક કરી નથી.

    Image
    સુજીત પટેલ દ્વારા કરવામાં આવેલ RTI નો દિલ્હી સરકારે આપેલ જવાબ (તસ્વીર સાભાર: સુજીત પટેલ)

    RTIના જવાબમાં દિલ્હીની કેજરીવાલ સરકારે જણાવ્યું છે કે 1 એપ્રિલ 2014 થી 31 માર્ચ 2022 સુધીમાં દિલ્હીની સરકારી શાળાઓમાં કુલ 356 યોગ શિક્ષકો ક્યાં નિવૃત્ત થયા હતા ક્યાં શાળા છોડી ગયા હતા. બીજી તરફ, તેની સામે કેજરીવાલ સરકારે આ આઠ વર્ષ દરમિયાન આખા રાજ્યમાં એક પણ યોગ શિક્ષકની નિમણૂંક કરી ન હોવાનું જાણવા મળ્યું છે. 

    ડિસેમ્બર 2021 માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) વાજતેગાજતે ‘દિલ્હી કી યોગશાળા’ યોજના શરૂ કરી હતી. આ યોજના વિશે દિલ્હી સરકાર દાવો કરે છે કે દિલ્હીના કોઈ પણ ભાગમાં યોગ શીખવા માંગતા લોકો એક ગ્રુપ બનાવે અને એક નંબર ઉપર મિસ્ડ કોલ કરશે એટલે દિલ્હી સરકાર તરફથી યોગ શિક્ષક તેમની પાસે જઈને યોગ કરાવશે. 

    આ ઉપરાંત, આજે દિલ્હીમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચેલા અરવિંદ કેજરીવાલે ભાષણમાં દાવો કર્યો હતો કે દિલ્હીમાં દેશમાં સૌથી વધુ લોકો યોગ કરે છે. ઉપરાંત તેમણે બાળકોને પણ યોગ શીખવવા જોઈએ તેમ કહ્યું હતું. પરંતુ વાસ્તવિકતા એ છે કે દિલ્હીની શાળાઓમાં તેમની સરકારે આઠ વર્ષમાં યોગ શિક્ષકોની જ નિમણૂંક કરી નથી. 

    જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યારે RTI થકી કેજરીવાલ સરકારની પોલ ખુલી હોય. અગાઉ પણ સુજીત પટેલે કરેલ એક RTIના જવાબમાં જાણવા મળ્યું હતું કે 

    કેજરીવાલ સરકારે 2014 થી એપ્રિલ 2022 દરમિયાન દર્દીઓને દવાખાના સુધી લઈ જઈ શકાય એ પ્રકારની એક પણ ‘પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ’ ખરીદી નથી.

    આ ઉપરાંત જાણવા મળ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) સરકારે આ જ સમય દરમિયાન આવી ૯ (નવ) પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સને પ્રતિ એમ્બ્યુલન્સ ૨૩,૬૫૯/- ના ભાવે ભંગારમાં વેચી મારી છે. તેમજ 2014 થી લઈને એપ્રિલ 2022 દરમિયાન કેજરીવાલ સરકારે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી શકાય એ પ્રકારની ‘એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ’ (જેમાં ઓકસીજન, આઇસીયુ, ઇસીજી વિગેરેની સુવિધા હોય છે) કુલ 10 (દસ) ખરીદી છે.

    આ જ સમય દરમિયાન કેજરીવાલ સરકારે કુલ 20 (વીસ) એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ પ્રતિ એમ્બ્યુલન્સ ૭૫,૨૪૬/- ના ભાવે ભંગારમાં વેચી દીધી હતી. 

    અરબ દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની તડામાર તૈયારીઓ, ક્યાંક હેલીપેડ પર યોગ તો ક્યાંક સ્ટેડીયમમાં ઉજવાશે યોગદિન, ભારતીય દુતાવાસ દોડાવશે ખાસ બસ

    અરબ દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની તૈયારીઓ પુર જોશમાં છે, આમતો યોગ એ મૂળ ભારતીય સંસ્કૃતિનો મૂળ અવિભાજ્ય હિસ્સો છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ ફલક પર લોકોને યોગ કરવાની ઘેલછા લાગી છે, જેમાંથી અરબના ઇસ્લામી દેશો પણ બાકાત નથી. આમતો તંદુરસ્ત અને લાંબુ જીવન જીવવા માટે યોગ કરવા કોઈ ખાસ દિવસની જરૂર નથી, પણ આખું વિશ્વ 21 જુને આંતરરાષ્ટ્રીય યોગદિવસ મનાવે છે. અને અરબ દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

    અબુધાબીમાં હેલીપેડ પર ‘ફૂલ મુન યોગ સત્ર’

    UAEના અબુધાબીમાંતો આંતરરાષ્ટ્રીય યોગદિવસ માટે ‘ફૂલ મુન યોગ સત્ર’ ની શરૂઆત પણ થઇ ચુકી છે. જે અંતર્ગત ‘સ્ટ્રોબેરી ફૂલ મુન’ (જુન મહિનાની પહેલી પૂર્ણિમા) દરમિયાન મંગળવાર (14 Jun 2022) થીજ કાર્યક્રમોની શરૂઆત થઇ ચુકી છે. બુર્ઝીલ મેડીકલ સિટીનાં હેલીપેડ પર પ્રથમ પૂર્ણિમાની રાત્રે લોકોએ યોગ કર્યા, જેમાં અનેક લોકોએ આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    જોકે વાદળ છાયા વાતાવરણના કારણે ચંદ્ર દેખાયો નહતો પણ તે છતાં બુર્ઝીલ મેડીકલ સિટીનાં ‘VPS હેલ્થ કેર’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અનેક લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો જેમાં દૈનિક ક્રિયામાં યોગની ઉપયોગીતા અને સ્વસ્થ જીવન શૈલી માટે ઉપયોગી યોગાસનો કરાવવામાં આવ્યાં હતા.

    બોલીવુડ સેલીબ્રીટીઓએ દુબઈમાં યોગ કર્યા

    બોલીવુડ સેલીબ્રીટી અનુષ્કા અને આકાંક્ષા રંજને દુબઈમાં એક કાર્યક્રમમાં લોકોને યોગ શીખવાડયા, દરમિયાન આકાંક્ષા રંજને કહ્યું હતું કે દુબઈમાં એટલા બધા લોકોને યોગ કરતા જોવા એક સુખદ અનુભવ છે. આ કાર્યક્રમ વિષે જણાવતા તેમણે કહ્યું કે ” ધ પામ ના હોટલ પેરામાઉન્ટમાં તેમણે 100 લોકોને યોગ શીખવ્યાં હતા,ગલ્ફ ન્યુઝ મીડિયા સંસ્થાને યોગ અનુલક્ષી યોજેલા કાર્યક્રમોમાં બન્ને બહેનો મુંબઈથી દુબઈ પહોંચી હતી.

    દુબઈ અને શારજાહમાં પણ યોગ ફેસ્ટીવલ

    અબુધાબી સિવાય દુબઈ અને શારજાહમાં પણ યોગ ફેસ્ટીવલની તૈયારીઓ પુરજોશમાં થઇ રહી છે.


    આખુ અઠવાડિયું ચાલનાર આ કાર્યક્રમમાં અંદાજે 2000 થી પણ વધુ લોકો ભાગ લઇ ચુક્યા છે. તો બીજી તરફ 21 જુને અબુધાબી ક્રિકેટ સ્ટેડીયમમાં દેશના સૌથી મોટા યોગ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં હજારો લોકો યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરશે. આ કાર્યક્રમમાં નીરોગી સુખાકારી જીવન જીવવાની આશ રાખવાવાળા લોકોને પ્રસિદ્ધ યોગ શિક્ષક વિકાસ હેગડે યોગનું પ્રશિક્ષણ આપશે.

    ભારતીય દુતાવાસની ખાસ બસ સેવા

    આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે યોજવા જઈ રહેલા આ મેગા આયોજનમાં ભારતીય દુતાવાસ પણ સહભાગી થશે. ભારતીય દુતાવાસે યોગ દિને અબુધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે લોકોના આવવા જવાની સુવિધા પૂરી પાડવા માટે ખાસ બસ દોડવાની જાહેરાત કરી છે, જેથી લોકો સરળતાથી યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપી શકે.

    આ યોગ કાર્યક્રમમાં UAE ના મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન મુખ્ય અતિથી તરીકે જોડાશે. આ કાર્યક્રમમાં અબુધાબી સ્પોર્ટ્સ કાઉન્સિલની પણ ભાગીદારી રહેશે.

    ભારતીય મુસ્લિમોનો યોગ વિરોધ

    ઇસ્લામિક રાષ્ટ્રોના મુસ્લિમો તો યોગનું મહત્વ સમજી ચુક્યા છે. પણ ભારત દેશના કેટલાક મુસ્લિમો યોગને હરામ માને છે. ગત વર્ષે એવા કેટલાયે કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં ભારતીય મુસ્લિમોએ યોગને હરામ કહીને તેનો વિરોધ કર્યો હતો.આવા લોકોએ ઇસ્લામિક દેશો અને ત્યાંના મુસ્લિમ નાગરિકો પાસેથી આ મોટી શીખ લેવા જેવી છે કે યોગ માત્ર કોઈ માત્ર ધાર્મિક ક્રિયા નથી, પણ ભારતના યોગ મુનીઓ અને ઋષીઓ દ્વારા વિશ્વને આપેલી એક અમુલ્ય ભેટ છે. જેના થકી આખા જગતનું કલ્યાણ થઇ શકે.

    યોગ બાબતે ભારત વિશ્વ ગુરુ બનીને આખા જગતને યોગ તરફ વાળી રહ્યું છે. સમગ્ર વિશ્વના લોકોને નીરોગી અને લાંબુ આયુષ્ય જીવવા પ્રેરણા આપી રહ્યું છે. વિશ્વ ભરના ઇસ્લામી રાષ્ટ્રો પણ તેમાં અગ્રેસર રહીને યોગનું મહત્વ અને જરૂરીયા સમજીને ભારતે ચીંધેલી કેડી પર ચાલી રહ્યા છે. ઇસ્લામી દેશોના લાખો મુસ્લિમો પણ પોતાના દૈનિક જીવનમાં યોગ કરીને સ્વસ્થ જીવનશૈલી જીવી રહ્યા છે. જે દરેક ભારતીયો માટે ગર્વની વાત છે.

    ઝેરીલો મહમદ બેગડો જેની ઉપર થૂંકતો તેનું મોત થઇ જતું: તેણે તોડેલા મંદિર પર 500 વર્ષ બાદ PM મોદીએ ફરકાવ્યો ધર્મધ્વજ

    ઝેરીલો મહમદ બેગડો જેની ઉપર થુંકતો તેની મોત થઇ જતી તેવા ક્રૂર સુલતાને ગુજરાતના પાવાગઢમાં જે પ્રાચીન મંદિરના શિખરને તોડીને દરગાહ બનાવી હતી, ત્યાં ફરી કાળકા માતાનું મંદિર બનીને તૈયાર થઇ ચુક્યું છે. 500 વર્ષ બાદ શનિવારે (18 JUN 2022) PM મોદીએ અહી ધર્મધ્વજ ફરકાવ્યા બાદ આ મંદિર ફરી ચર્ચામાં છે.

    મળતી માહિતી મુજબ આ મંદિર પર 15મી સદીમાં મહમદ બેગડા નામના ક્રૂર સુલતાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મહમદ ગુજરાતનો છઠ્ઠો સુલતાન હતો અને તેનું પૂરું નામ અબુલ ફત-નાસીર-ઉદ્દ-દિન મહમદ શાહ પહેલો હતું. પણ જુનાગઢ અને પાવાગઢ આ બે ગઢ કબજે કર્યા બાદ તેને ‘બે ગઢો’ અને આગળ જતા બેગડો નામથી કુખ્યાત થયો. 13 વર્ષની ઉંમરે સુલતાનની ગાદી પર બેઠા પછી તેણે 52 વર્ષ સુધી ગુજરાતને ધમરોળ્યું હતું.

    ઈ.સ. 1459 થી 1511 વચ્ચે ઘણા લોકોએ મહમદ બેગડાનું ભયાનક ક્રૂર રૂપ અનેક વખત જોયું. તે પ્રદેશો કબજે કરવા માટે લડતો અને જ્યારે યુદ્ધ જીતે, ત્યારે તે ત્યાંના રાજાઓને ઇસ્લામ સ્વીકારવા માટે લાચાર કરતો. જો કોઈ રાજા ઇસ્લામ સ્વીકારવાનો વિરોધ કરે તો બેગડો તેમને ક્રૂરતાથી મારી નાંખતો હતો.

    તેણે જૂનાગઢ અને પાવાગઢ પણ ખૂબ જ ઝડપથી કબજે કરી લીધાં હતાં. આ પછી તેણે મહાકાળીનું મંદિર અને દ્વારકાનું મંદિર તોડી પાડ્યું. હિંદુ મંદિરો પર હુમલો કરીને તેનો ઉદ્દેશ સ્પષ્ટ હતો કે હિંદુઓનો તેમના ભગવાનમાંથી વિશ્વાસ ગુમાવીદે અને મુસ્લિમ ધર્મ અપનાવી લે.

    રાક્ષસની જેમ ખાતો હતો બેગડો

    હિંદુઓ પર તમામ પ્રકારના અત્યાચાર કરનાર બેગડો તેની રાક્ષસી ભૂખ માટે પણ કુખ્યાત હતો. એવો દાવો કરવામાં આવે છે કે બેગડો તેના નાસ્તામાં એક પ્યાલો મધ, માખણ અને 100-150 કેળા એક સમયમાં જ ખાઈ જતો હતો. રાત્રે સૂતી વખતે પણ તેને ભૂખ લાગતી હતી, તેથી તે રાત્રે સૂતા પહેલા તેના ભોજનની વ્યવસ્થા કરી લેતો અને ઓશિકા પાસે માંસ ભરેલા સમોસા રાખતો.

    ઝેરીલો સુલતાન

    મહમદ બેગડાને લોકોએ ઝેરીલો સુલતાન નામ આપ્યું છે. આની પાછળ પણ એક લોકવાયકા છે જેનો ઉલ્લેખ ‘ધ બુક ઓફ ડયુરેટે બબોસા વોલ્યુમ 1’માં મળી આવે છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે બેગડાનો પિતા નહોતો ઈચ્છતો કે તેના પુત્રની હત્યા ઝેરથી થાય. તેથી જ તેણે બેગડાને નાનપણથી જ ઝેર પીવાની એટલી આદત પાડી દીધી કે ઝેરે તેના શરીર પર અસર કરવાનું બંધ કરી દીધું હતું.

    નાનપણથી જ ઝેર ખાવાની આદતે બેગડાને એટલો ઝેરી બનાવી દીધો કે તેના શરીરને માંખ અડે કે તરતજ મરી જતી. તો બીજી બાજુ જો કોઈ સ્ત્રી બેગડા સાથે સંબંધ બાંધે તો તે સ્ત્રી વધુ સમય જીવી શકતી નહોતી. મહમદ બેગડાના થૂંકમાં એટલું ઝેર હતું કે જો તે કોઈને મારવા માંગે તો તે પહેલા પાન ચાવતો અને પછી મોઢામાં થૂંક ભરીને સામેની વ્યક્તિ પર થૂંકતો હતો. આ રીતે જેના પર સુલતાનનું થૂંક ઉડતું તે વ્યક્તિ અડધા કલાકમાં જ મરી જતી.

    તેની દાઢી અને મૂછ એટલી મોટી હતી કે તેમના વિશે પણ વિવિધ પ્રકારની વાર્તાઓ સાંભળવા મળે છે. કહેવાય છે કે મહમદે પોતાની દાઢી એટલી વધારી દીધી હતી કે જો તે ઈચ્છે તો તેના માથા પર દાઢીનો સાફો બાંધી શકે. તેના દરબારમાં પણ તે લોકોને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું જેમની દાઢી અને મૂછ લાંબી હોય. તેના ઘણા મંત્રીઓ લાંબી દાઢી રાખતા.

    પ્રાચીન મંદિરની ઓળખ

    ક્રૂર ઇસ્લામી અક્રાંતા મહમદ બેગડાએ 15મી સદીમાં પાવાગઢ સ્થિત જે મંદિરને ધ્વસ્ત કર્યું તે મંદિરમાં ઋષિ વિશ્વામિત્રે માં કાળકાની કઠોર તપસ્યા કરી હતી. આ ઉપરાંત ભગવાન શ્રી રામ અને માતા સીતાના પુત્રોએ આ જ પાવાગઢ પર મોક્ષ પ્રાપ્તિ કરી હતી. આજે આ પવિત્ર સ્થાન પર માં કાળકા મનીર 30 હજાર વર્ગ ફૂટમાં વિસ્તરેલું છે, જેના પુનઃનિર્માણમાં 120 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

    તાપીના સોનગઢમાં ઘરવાપસી: હનુમાનજીની શોભાયાત્રા ગામમાં આવતા બે પેઢીથી રાહ જોઈને બેસેલા ખ્રિસ્તી ધર્મમાં વટલાયેલા 6 આદિવાસી પરિવારો સ્વધર્મમાં પરત ફર્યા

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં બુધવાડા ગામે શનિવારે (18 જૂન 2022) હનુમાનજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે આદિમ વર્ગમાંથી આવતા કોટવાડિયા સમાજના 6 પરિવારોના 35થી વધુ લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી છે. રાષ્ટ્રીય જનજાતિ મંચ, તાપી જિલ્લા દ્વારા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

    રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા હાલમાં આદિવાસી વિસ્તારના ગામડાઓમાં હનુમાનજીની શોભાયાત્રાના માધ્યમથી જનજાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં તેઓ ગામે ગામ હનુમાનજીની શોભાયાત્રા લઈ જાય છે જ્યાં સ્થાનિક લોકો પોતપોતાના ઘર સામે આ યાત્રાનું સ્વાગત કરીને હનુમાનજીની આરતી કરતાં હોય છે.

    જ્યારે શનિવારે રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા નીકળતી આ શોભાયાત્રા સોનગઢના બુધવાડા ગામે પહોચી તો એ અંતરિયાળ ગામના આદિવાસી પરિવારો ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે યાત્રાનું સ્વાગત કર્યું હતું અને હનુમાનજીની આરતી પણ કરી હતી.

    ઑપઇન્ડિયા સાથેની પોતાની ખાસ વાતચીતમાં રાષ્ટ્રીય જનજાતિ મંચના તાપી જિલ્લાના અધ્યક્ષ પ્રદીપ વસાવાએ જણાવ્યુ હતું કે, “તાપી જિલ્લાના ઘણા ગામો પહાડો તથા નદીઓ પાસે ખૂબ અંતરિયાળ વિસ્તારોમાં વસેલા છે. આજે પણ ત્યાં મોબાઈલ સિગ્નલ નથી પહોચી શક્યા. પરંતુ આવા ગામોમાં ઈસાઈ મિશનરીઓ પહોચી જાય છે અને ત્યાના ભોળા આદિવાસીઓનું લોભ લાલચ અથવા ભય દ્વારા ધર્મ પરીવર્તન કરીને તેમણે ઈસાઈ બનાવી ડેટા હોય છે.”

    “અમે આવા ગામે ગામ હનુમાનજીની શોભાયાત્રા લઈ જઈને તેમનામાં જાગૃતતા લાવતા હોઈએ છીએ. આ જ ક્રમમાં શનિવારે અમારે સોનગઢ તાલુકાનાં બુધવાડા ગામે જવાનું થયું હતું. ગામના આદિવાસી પરિવારો શોભાયાત્રા જોઈને ખુશ થઈ ગયા અને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સૌએ સાથે મળીને યાત્રાને આખા ગામમાં ઘરે ઘરે ફેરવી હતી અને સૌએ ઉત્સાહથી હનુમાનજીની પુજા કરી હતી.” વસાવાએ આગળ જણાવ્યુ.

    પ્રદીપ વસાવાએ કહ્યું, “બાદમાં ગામના મુખ્ય વડીલો અમારી પાસે આવ્યા અને અમને એમની આપવીતી કહી. તેઓએ કહ્યું કે આ ગામમાં દાયકાઓથી કોઈ ધાર્મિક ઉત્સવ ઉજવાયો ન હતો અને ગામમાં કોઈ મંદિર પણ ના હતું. આથી ધર્મ વિશેની અજ્ઞાનતાને કારણે 2 પેઢી પહેલા તેમના પરિવારોને મિસનરીઓ ઈસાઈ બનાવી ગઈ હતી. પણ હવે તેમણે સ્વધર્મમાં પાછા ફરવું છે.”

    આથી એ જ દિવસે રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા સ્થાનિક પરિવારોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ગામમાં હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને પૂરા વિધિવિધાન મુજબ ગામના 6 પરિવારોના 35થી વધુ સદસ્યોની હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરવી હતી. જે બાદ સ્થાનિક લોકો એટલા ખુશ થઈ ગયા હતા કે ગામમાં ભગવા ધ્વજ લઈને આદિવાસી નૃત્ય કરવા લાગ્યા હતા.

    ઑપઇન્ડિયા સાથેની વિશેષ વાતચીતમાં સ્વધર્મમાં ઘરવાપસી કરનાર પરિવારોમાંથી એક વડીલે જણાવ્યું કે, “હનુમાનજીની આ શોભાયાત્રા અમારા ગામમાં આવી એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. ઘણા વર્ષો બાદ અમારા ગ્રામ દેવતા અમારા ગ્રામ રક્ષક બનીને પાછા આવ્યા છે.”

    ઈસાઈ મિશનરીઓ ચલાવે છે ધર્માંતરણનો ધંધો

    આ વિસ્તાર સહિત ગુજરાતનાં તમામ આદિવાસી વિસ્તારોમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા ભોળા આદિવાસીઓના ધર્માંતરણનો ગોરખધંધો ચાલતો હોય છે. બળજબરીપૂર્વક અથવા લોભ લાલચ દ્વારા આદિવાસીઓના ધર્મ પરીવર્તન કરાવવાના કિસ્સા અનેક વાર સામે આવતા જોવા મળે છે.

    ગત મહિને જ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં સાંકડીબારી ગામે અને આસપાસના ગામોમાં ‘ખ્રિસ્તમાં નવું જીવન’ નામે ક્રિશ્ચિયન મિશનરી સંચાલિત એક કથિત આધ્યાત્મિક મેળાની પત્રિકા ફરતી થઈ હતી. જેમાં હિન્દુ આદિવાસીઓનું ધર્માંતરણ થવાની વાત સ્થાનિક VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓને ધ્યાને આવતા તેમણે નસવાડીના મામલતદરને આ કાર્યક્રમ રોકવા માટે અરજી કરી હતી. VHP એ ચીમકી આપી હતી કે જો કાર્યક્રમ રદ્દ નહીં થાય તો એ જ સ્થાને 2000થી વધુ કાર્યકર્તાઓ સાથે જઈને એમણે હનુમાન ચાલીસા અને રામધૂન કરશે, જે બાદ પોલીસ પરવાનગી વગર યોજાનારા આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો હતો.

    આ પહેલા પણ દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં આવી ઘટનાઓ અનેકવાર સામે આવી છે. એક મહિના પહેલા આ જ તાપી જીલ્લામાં આવા જ એક ધર્માંતરણના કિસ્સામાં એક જ ઈસાઈ પરિવારના 5 સભ્યોની ધરપકડ કરાઇ હતી.