Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવેલેન્ટાઇનના દિવસે જ પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કર્યાનો મામલો સામે આવ્યો:...

    વેલેન્ટાઇનના દિવસે જ પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કર્યાનો મામલો સામે આવ્યો: પાંચ વર્ષથી લીવ-ઈનમાં સાથે હતાં, લાશને ફ્રિજમાં રાખી હતી

    નિક્કીના પરિવારનો સંપર્ક તેના સાથે તૂટતા તેઓ ચિંતામાં મુકાયા હતા. તેમણે ક્રાઈમ બ્રાંચમાં જાણ કરી હતી. પોલીસે નિક્કીનો ફોન ટ્રેક કરતા તેનું અડ્રેસ રેસ્ટોરન્ટ બતાવ્યું હતું. જ્યાં તપાસ કરતા નિક્કીની ફ્રીઝમાંથી લાશ મળી આવી હતી.

    - Advertisement -

    શ્રધ્ધા હત્યાકાંડ થયા બાદ આખા દેશમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલમાં વધુ એક આવો મામલો સામે આવ્યો છે. જેમાં સાહિલ નામના પ્રેમીએ નિક્કી નામની પ્રેમિકાને વેલેન્ટિન ડેના દિવસે જ હત્યા કરીને ફ્રીઝમાં રાખી દીધી હતી. વર્તમાન સમયમાં આવા કિસ્સાઓ આવતા રહે છે જે ખુબ જ ચિંતા જનક છે. 

    મળતી માહિતી મુજબ, દિલ્લીમાં રહેતો સાહિલને હરિયાણાની નિક્કી યાદવ સાથે ઈ.સ. 2018માં પ્રેમ થયો હતો. પ્રેમ થયા બાદ નિક્કી યાદવ પરિવારને છોડીને સાહિલ સાથે ‘લીવ ઇન’માં રહેતી હતી. એટલા સમયથી સાથે રહેતા હોવાથી એક બીજાને લગ્ન કરવાના વચનો પણ આપેલા હતા. પરંતુ સાહિલ નામના યુવકને પરિજનોએ સાહિલની સગાઇ બીજી યુવતી સાથે નક્કી કરી હતી. આ વાતની જાણ નિક્કીને થતા તે સાહિલ પર ગુસ્સે થઇ હતી. સાહિલને થયું કે નિક્કી હંગામો કરશે તો તેના લગ્ન પણ રોકી જશે. માટે તેણે આયોજનબદ્ધ રીતે નિક્કીને મળવા બોલાવીને વચ્ચેનો રસ્તો કાઢવા માટે ફોન પર જણાવ્યું હતું. એક વાર આટલો મોટો દગો ખાધા પછી પણ નિક્કીએ સાહિલ પર ભરોસો મૂકીને મળવા ગઈ હતી. આ દરમિયાન સાહિલે નિક્કીની ગળું દબાવીને હત્યા કરી મૂકી હતી. ધ્રુણાસ્પદ વાત એ છે કે તેણે હત્યા કર્યા બાદ બીજા લગ્ન પણ કરી મુક્યા હતા. 

    સાહિલ અને નિક્કીના નજીકના લોકોની વાત અનુસાર, સાહિલના લગ્ન 10 ફેબ્રુઆરીએ નક્કી થયા હતા અને 09 ફેબ્રુઆરીએ તેની સગાઇ નક્કી થઇ હતી. આ વાતની જાણ નિક્કીને થતા તેની પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઉપર જણાવ્યા મુજબ સાહિલ હત્યાનું આયોજન કરીને જ ગયો હતો. જે નિક્કીને તેની કારમાં બેસાડીને દુર લઇ ગયો હતો. ત્યારબાદ ઉગ્ર બોલાચાલી કરીને નિક્કીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ક્રુરતાની હદ એ હતી કે હત્યા કર્યા બાદ સાહિલ 40 કિલોમીટર સુધી લાશને ડ્રાઈવર સીટની બાજુમાં મૂકીને ફર્યો હતો. જોકે તેના લગ્ન હોવાથી લાશને સંતાડવી પણ જરૂરી હતી. માટે તેને નિક્કીની લાશને રેસ્ટોરન્ટના ફ્રીજમાં સંતાડી મૂકી હતી. 

    - Advertisement -

    નિક્કીના પરિવારનો સંપર્ક તેના સાથે તૂટતા તેઓ ચિંતામાં મુકાયા હતા. તેમણે ક્રાઈમ બ્રાંચમાં જાણ કરી હતી. પોલીસે નિક્કીનો ફોન ટ્રેક કરતા તેનું અડ્રેસ રેસ્ટોરન્ટ બતાવ્યું હતું. જ્યાં તપાસ કરતા નિક્કીની ફ્રીઝમાંથી લાશ મળી આવી હતી. ત્યારબાદ આ હત્યાનો મામલો ખુલ્યો હતો. હાલમાં આરોપીને જેલના હવાલે કરી, વધુ તપાસ ચાલુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં