
અમદાવાદ અને વડોદરાની લગભગ 25થી વધારે શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. 16 ફેબ્રુઆરીની સવારે શાળાઓને ધમકીભર્યા મેઈલ મળ્યા હતા. જેમાં લખવામાં આવ્યું કે– ‘ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે.’
ધમકી મળ્યા બાદ તમામ શાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગની ટીમોને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ શાળા પરિસર ખાલી કરી દેવામાં આવ્યાં હતાં.
આજે અમદાવાદની 15 અને વડોદરાની 17 મળીને રાજ્યની 25 શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકી!
— Sagar Patoliya (@kathiyawadiii) February 16, 2026
બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું. @narendramodi @AmitShah આવી ધમકીઓ ગુજરાત માટે નવી નથી. છેલ્લા 7-8 મહિનાઓથી (કદાચ વધારે) ગુજરાતની શાળાઓ અને સંસ્થાઓને આવા ધમકી ભર્યા મેસેજ આવી રહ્યા છે.
આ… pic.twitter.com/VdlWfmfBGC
મેઇલમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને તેમને ‘ખાલિસ્તાનના દુશ્મન’ ગણાવવામાં આવ્યા હતા. કારમાં બૉમ્બ મૂકવામાં આવ્યો હશે તેવી ધમકી આપવામાં આવી હતી.
જે-તે શહેરની પોલીસે પછીથી શાળા પરિસરોમાં જઈને તપાસ આદરી હતી અને ડૉગ સ્ક્વૉડ અને બૉમ્બ સ્ક્વૉડની પણ મદદ લેવામાં આવી હતી. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઈ શાળા પરિસરમાંથી કશું શંકાસ્પદ મળી આવ્યું નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તપાસ ચાલી રહી છે.
જે શાળાઓને ધમકી મળી છે તેમાં અમદાવાદની 15 શાળાઓ અને વડોદરાની 17 શાળાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતનાં આ શહેરોની શાળાઓ અને સરકારી કચેરીઓને આ જ રીતે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. ઉપરાંત દિલ્હી-ગુરુગ્રામ વગેરે શહેરોમાં પણ આ પેટર્ન તાજેતરના ભૂતકાળમાં જોવા મળી છે.

